Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

દિવાળી ઉપર શ્રી શ્રી રવિશંકરજી સૌરાષ્ટ્રમાં

સોમનાથ મંદિરમાં કાળી ચૌદશે સાંજે રૂદ્રપૂજા : રાજકોટમાં દિવાળીએ અસ્તલક્ષ્મી હોમા - દિવાળી પૂજન - મહાસત્સંગ

 નાસિક, તા.૬ : દેશ- વિદેશમાં કરોડો અનુયાયીઓ ધરાવતા આર્ટ ઓફ લીવીંગ સંસ્થાના પ્રણેતા પૂ. શ્રી શ્રી રવિશંકરજી દિવાળી ઉપર આઠ વર્ષ પછી સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે.

તેઓ શ્રી સૌપ્રથમ કાળી ચૌદશના દિવસે સોમનાથ મહાદેવ મંદિરની મુલાકાતે આવશે. જયાં કાળી ચૌદશની સાંજે રૂદ્રપૂજા કરશે અને સત્સંગ કરશે. તેઓ સોમનાથ ખાતે ૨૨ વર્ષ પછી આવી રહ્યા છે. આ પહેલા ૧૯૯૬માં આવ્યા હતા. એ પછી બીજા એટલે કે દિવાળીના દિવસે પૂ. શ્રીશ્રી રવિશંકરજી રાજકોટ પધારશે અને રાજકોટમાં દિવાળીના પવિત્ર દિવસે અસ્તલક્ષ્મી હોમા, દિવાળી પૂજન અને મહાસત્સંગ તેમના સાનિધ્યમાં યોજાશે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં શ્રી શ્રી રવિશંકરજીના લાખો અનુયાયીઓમાં ભારે આનંદની લાગણી પ્રસરી ગઈ છે.

છેલ્લા પાંચેક વર્ષથી તેઓશ્રીને રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આવવા આમંત્રણો મળ્યા હતા. હવે રાજકોટમાં ૮ વર્ષ પછી અને સોમનાથમાં પૂ.શ્રીશ્રી રવિશંકરજી ૨૨ વર્ષ પછી પધારી રહ્યા છે.

રાજકોટ અને સૌરાષ્ટ્રમાંથી બીજી અનેક સંસ્થાઓ તરફથી ગુરૂદેવને આમંત્રણો મળી રહ્યા છે.

(3:46 pm IST)