Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

વાલ્મિકી સમાજ સફાઇ કામદાર સુવર્ણ વિકાસ ટ્રેડ યુનિયન દ્વારા ડસ્ટબીન વિતરણ

રાજકોટઃ અખીલ વાલ્મિકી સમાજ સફાઇ કામદાર સુવર્ણ વિકાસ ટ્રેડ યુનિયન દ્વારા રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીજીની ૧પ૦ મી જન્મ જયંતી નિમિતે જયુબેલી મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે ેબહોળી સંખ્યામાં ફુલહાર કરી સ્વચ્છતાના સંદેશ સાથે ૧૦૦૦ ડસ્ટબીનો સુકા અને ભીના કચરા માટે વિતરણ કરવામાં આવેલ ભાજપ અગ્રણી નિતીનભાઇ ભારદ્વાજ, શહેર પ્રમુખ કમલેશભાઇ મીરાણી, સંસદ સભ્ય મોહનભાઇ કુંડાળીયા, મેયર બીનાબેન આચાર્ય, મ્યુ. કમિશન ઉદિત અગ્રવાલ ડે.મેયર અશ્વિનભાઇ મોલીયા, મહિલા અગ્રણી પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, દંડક જાગાણી વગેરે ઉપસ્થિત રહયા હતા સ્વચ્છ ભારત સ્વચ્છ મિશન માનનીય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી મહાત્મા ગાંધીનું સ્વચ્છતાનું સપનુ સાકાર કરવા સમગ્ર દેશમાં અભિયાન રૂપે મિશન ચલાવી રહ્યા છ. તેમનું સપનું સાકાર કરવા અખીલ વાલ્મિકી સમાજના પ્રમુખ મનોજ ટીમાણીયા, મંત્રી કમલેશભાઇ વાઘેલા દ્વારા સુકો અને ભીના કચરાઓના ડસ્ટબીનો મહિલાઓને આપી સ્વચ્છતાનો સંદેશ રજુ કરવામાં આવેલ. તેમ અખીલ વાલ્મિકી સમાજના પ્રમુખ મનોજ ટીમાણીયા, મંત્રી કમલેશ વાઘેલાની યાદીમાં જણાવેલ છે.

(4:07 pm IST)