Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

રૈયામાં સળગતા સ્ટવમાં કેરોસીન પુરવા જતાં દાઝી ગયેલી ૧૮ વર્ષની અફરોઝા બુખારીનું મોત

રાજકોટ તા. ૫:  રૈયા ગામમાં સ્મશાનના ગેઇટ સામે આવેલા ખોડિયારનગરમાં રહેતી અફરોઝા હનીફભાઇ બુખારી (ઉ.૧૮) નામની યુવતિ તા. ૨૯ના રોજ ઘરે દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેનું સારવાર દરમિયાન ગત રાત્રીના મોત નિપજતાં પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને પ્રદિપસિંહે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ. અજયસિંહ એમ. ચુડાસમાએ જરૂરી કાર્યવાહી કરી હતી. દાઝી જતાં મૃત્યુ પામનાર અફરોઝા બે બહેન અને એક ભાઇમાં નાની હતી. પિતા કલરકામ કરે છે. તેણી પાણી ગરમ કરતી હતી ત્યારે સળગતા સ્ટવમાં કેરોસીન પુરવા જતાં ભડકો થતાં લપેટમાં આવી ગયાનું પરિવારજનોએ પોલીસની પ્રાથમિક પુછતાછમાં કહ્યું હતું.

ભગવતીપરાના સાગરનું બેભાન હાલતમાં મોત

અન્ય બનાવમાં ભગવતીપરા ધરમનગર-૩માં રહેતો સાગર ભગવાનજીભાઇ સોલંકી (કોળી) (ઉ.૧૯)ને હૃદયની બિમારી હોઇ રાત્રે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.  પરંતુ અહિ મોત નિપજ્યું હતું. તે ત્રણ ભાઇમાં નાનો હતો અને રિક્ષા હંકારવા સાથે પંચર સાંધવાનું કામ કરતો હતો. યુવાન દિકરાના મોતથી પરિાવરમાં શોક છવાઇ ગયો હતો. બી-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(1:04 pm IST)