Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

જુના મનદુઃખને કારણે ભરત ડવ અને અંકિત જળુએ ૧૩ વર્ષના દેવને માર માર્યો

કેદારનાથ સોસાયટીનો ટેણીયો દૂધ લેવા જતો'તો ત્યારે ૮૦ ફુટ રોડ પર માધવ હોલ પાસે આંતરી સાઇકલ પરથી પછાડી માથામાં ધુળ નાંખી ગાળો દઇ ધમકી પણ દીધી

રાજકોટ તા. ૪: કોઠારીયા રોડ કેદારનાથ સોસાયટી-૨માં રહેતાં અને મજુરી કરી ગુજરાન ચલાવતાં નિર્મલભાઇ દેવાભાઇ ડાંગર (ઉ.૩૧) નામના આહિર યુવાનનો ૧૩ વર્ષનો પુત્ર દેવ સાઇકલ હંકારીને જતો હતો દૂધ લેવા જતો હતો ત્યારે ૮૦ ફુટ રોડ માવધ હોલ પાસે કેદારનાથમાં જ રહેતાં ભરત રાવતભાઇ ડવ અને અંકિત જળુએ તેને સાઇકલ પરથી પછાડી દઇ ગાળો દઇ મારી નાંખવાની ધમકી આપતાં અને અંકિતે દેવના માથા પર ધુળ નાંખી દેતાં આ મામલે ફરિયાદ થઇ છે.

ભકિતનગરના હેડકોન્સ. રસિકભાઇએ આ અંગે નિર્મલ ડાંગરની ફરિયાદ પરથી ભરત અને અંકિત સામે ગુનો નોંધ્યો છે. નિર્મલભાઇના કહેવા મુજબ અગાઉ તેના મામાની દિકરી સાથે અંકિતના ભાઇ નિરવે લવમેરેજ કર્યા છે. ત્યારથી મનદુઃખ ચાલે છે. આ કારણે અગાઉ ભરત ડવ સાથે માથાકુટ થઇ હોઇ તેનો ખાર રાખી તેણે મારા ૧૩ વર્ષના પુત્રને અટકાવી મારકુટ કરી ધમકી આપી હતી.

(3:50 pm IST)