Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

નાકરાવાડી ગાર્બેજ પ્લાન્ટની દૂર્ઘટનામાં જેસીબી ચાલક સામે બેદરકારીનો ગુનો

મૃત્યુ પામનાર શૈલેષભાઇ બાહુકીયાના પત્નિ ભાવનાબેનની ફરિયાદ નોંધવામાં આવી

રાજકોટ તા. ૪: કુવાડવા રોડ પર નાકરાવાડીમાં આવેલા કોર્પોરેશનના ગાર્બેજ પ્લાન્ટ ખાતે શનિવારે સવારે નાકરાવાડીના કોળી યુવાન શૈલેષભાઇ બાહુકીયાના માથા પર લોખંડનું એંગલ પડતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું. આ બનાવમાં જેસીબી ચાલકની બેદરકારી સામે આવતાં તેની સામે ગુનો નોંધાયો છે.

કુવાડવા પોલીસે મૃતક શૈલેષભાઇના પત્નિ ભાવનાબેન બાહુકીયા (ઉ.૩૦)ની ફરિયાદ પરથી જેસીબીના ચાલક સામે અઇાપીસી ૨૭૯, ૩૦૪, એમવીએકટની કલમો હેઠળ કાર્યવાહી કરી છે. ફરિયાદમાં જણાવાયું છે કે ભાવનાબેન કચરાના પ્લાન્ટમાં કચરો વીણતા હતાં ત્યારે તેના પતિ શૈલેષભાઇ તેને બોલાવવા માટે આવ્યા તે વખતે શેડમાં જેસીબીથી કામ ચાલુ હોઇ તેના ચાલકે બેદરકારીથી જેસબીનો આગળનો ભાગ પતરાના શેડમાં અથડાવતાં તેમાંથી લોખંડના એંગલો પડતાં તેના પતિને માથામાં ગંભીર ઇજા થઇ હતી. આ અકસ્માત બાદ ચાલક જેસીબી મુકીને ભાગી ગયો હતો. સારવાર દરમિયાન શૈલેષભાઇનું મોત નિપજ્યું હતું.  એએસઆઇ ફતેહસિંહ સોલંકીએ ગુનો નોંધી વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.

(12:03 pm IST)