Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

જન્‍મ સાથે જ દિકરાએ માતા ગુમાવી

ભોલેનાથ સોસાયટીનો બનાવઃ મુળ યુપીની પરિણીતાને ડિલીવરી બાદ શ્વાસમાં તકલીફ થતાં હોસ્‍પિટલમાં ખસેડાઇ પણ જીવ ન બચ્‍યોઃ પરિવારમાં શોકની કાલીમા

 રાજકોટ તા. ૪: એચ. જે. દોશી હોસ્‍પિટલ પાસે ભોલેનાથ સોસાયટી-૨માં ભાડાના મકાનમાં રહેતી પ્રિયંકાબેન સતવીર રજપૂત (ઉ.૨૨) નામની મુળ યુપીની પરિણીતાનું પુત્રના જન્‍મ બાદ તુરત મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ ભોલેનાથ-૨માં રહેતી પ્રિયંકાબેનને સારા દિવસો જતાં હોઇ આજે વહેલી સવારે પ્રસુતિની પીડા ઉપડતાં ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. જ્‍યાં દિકરાને જન્‍મ આપ્‍યા બાદ અચાનક તબિયત બગડતાં અને શ્વાસ ચડવા માંડતાં અન્‍ય એક ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. ત્‍યાંથી સિવિલમાં ખસેડવામાં આવી હતી પરંતુ મોત નિપજ્‍યું હતું. મૃતકના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતાં. આ પહેલું જ સંતાન હતું. જન્‍મ સાથે જ પુત્ર મા વિહોણો થઇ જતાં પરિવારજનોમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.મૃતકનો પતિ કલર કામની મજૂરી કરે છે.

માલવીયાનગરના એએસઆઇ ગીતાબેન પંડયાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(4:03 pm IST)