Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

કોર્પોરેશનમાં વધુ એક સીટી ઈજનેરની ખોટ પડીઃ ચિરાગ પંડયાનું રાજીનામુ મંજુર

રાજકોટ, તા. ૩ :. મ્યુ. કોર્પોરેશનમાં વધુ એક સીટી ઈજનેરની ખોટ પડયાનું જાણવા મળ્યુ છે કેમ કે સીટી ઈજનેરનું રાજીનામુ મ્યુ. કમિશ્નરે મંજુર કર્યાનું જાણવા મળ્યુ છે.

મ્યુ. કોર્પોરેશનના આધારભૂત સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ અગાઉ સ્માર્ટ સીટી, બી.આર.ટી.એસ. ડ્રેનેજ અને ટાઉન પ્લાનીંગ સ્કીમ વગેરેમાં કામગીરી બજાવી અને હાલમાં ડ્રેનેજ વિભાગનો હવાલો સંભાળી રહેલા ચિરાગ પંડયાએ ઘણા મહિનાઓ અગાઉ પોતાનું રાજીનામુ મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીને આપ્યુ હતુ પરંતુ તેઓએ મંજુર કરેલ ન હતુ આથી આ રાજીનામુ ઘણા સમયથી પેન્ડીંગ હતું.

દરમિયાન આવતીકાલે શ્રી પાની તેઓનો ચાર્જ છોડી રહ્યા છે તે પૂર્વે ચિરાગ પંડયાનું રાજીનામુ મંજુર કરી દેવાયુ હોવાનુ જાણવા મળે છે.નોંધનીય છે કે સીટી ઈજનેર ચિરાગ પંડયા અગાઉ ટીપી વિભાગમાં આર્કિટેકટ લાયસન્સ બાબતે અને ડ્રેનેજ વિભાગમાં જીન્દાલ કંપનીના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કોન્ટ્રાકટ બાબતે, ડ્રેનેજના કર્મચારીની આત્મહત્યા પ્રકરણમાં આ તમામ બાબતોમાં વિવાદમા રહ્યા હતા.

એ પણ નોંધનીય છે કે, થોડા દિવસ અગાઉ સીટી ઈજનેર શ્રી રાજ્યગુરૂ નિવૃત થતા આ જગ્યા હજુ ખાલી છે અને હવે ચિરાગ પંડયાના રાજીનામાથી વધુ એક સીટી ઈજનેરની જગ્યા ખાલી પડી છે.

(4:00 pm IST)