Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

રૈયાની સગીરા કામે જવાનુ કહીને નીકળ્યા બાદ ગૂમઃ અપહરણનો ગુનો

રાજકોટ તા.૩: શહેરના રૈયાગામમાં રહેતી ૧૭ વર્ષની સગીરા ફલેટમાં કામ કરવા જવાનુ કહી નિકળ્યા બાદ પરતન  આવતા સગીરાની માતાએ જાણકરતા યુનિવર્સિટી પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ શહેરના રૈયાગામમાં રહેતી ૧૭ વર્ષની સગીરા મુકતીધામની સામે આવેલ 'સવન' ફલેટમાં ગઇકાલે માતા સાથે ઘરકામ કરવા માટે ગઇ હતી. બાદ સગીરા તેની માતાને ચોથા માળે કામ કરવા જવાનું કહી નીકળી હતી. થોડીવાર બાદ ફલેટ માલીકનો સગીરા ઘરકામ કરવા માટે આવી ન હોઇ તેવો સગીરાની માતાને ફોન કરતા માતાએ તેની શોધખોળ શરૂ કરી હતી.

પરંતુ તેનો કોઇ પતો ન લાગતા તેની માતાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં જાણકરતા પોલીસે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ અપહરણનો ગુનો દાખલ કરી પીએસઆઇ બી.જી.ડાંગર તથા મહિપાલસિંહએ તપાસ હાથ ધરી છે.

(3:38 pm IST)