Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

બુધ-ગુરૂ નવરાત્રી શોપીંગ કાર્નિવલ

આર.આર. ગ્રુપ દ્વારા રાજહંસ પાર્ટી પ્લોટ ખાતે બે દિવસીય આયોજન : રીવાબા જાડેજા સહિતના ઉપસ્થિત રહેશે : ચણીયા ચોલી, જવેલરી, હોમડેકોર, રાજપુત ઘરાના સહિતની વિવિધ આઈટમો એક જ સ્થળેથી મળી શકશે : ૫૦ સ્ટોલ : બાળકો માટે કીડ્ઝ ઝુંબા આકર્ષણ જમાવશે

રાજકોટ, તા. ૩ : ગત વર્ષની ભવ્ય સફળતા બાદ આ વર્ષે પણ આર. આર. ગ્રુપ દ્વારા નવરાત્રીના શુભ પર્વ નિમિતે તા.૪ અને ૫ સપ્ટેમ્બર (બુધ-ગુરૂ)ના રોજ સવારે ૧૦ થી સાંજના ૮ સુધી રાજહંસ પાર્ટી પ્લોટ, નાના મૌવા રોડ ખાતે બે દિવસીય ભવ્ય શોપીંગ કાર્નિવલનું આયોજન કરવામાં આવેલ છે.

 

આવતીકાલે તા.૪ના બુધવારે સવારે ૧૦ કલાકે આર.આર. ગ્રુપના નવરાત્રી શોપીંગ કાર્નિવલના ઉદ્દઘાટન સમારંભમાં અતિથિ વિશેષ તરીકે મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, કાશ્મીરાબેન નથવાણી તેમજ નેહા શુકલ તેમજ વિવિધ સંસ્થાઓના મહિલા પ્રમુખ હાજરી આપશે.

આ કાર્નિવલની વિશેષતા એ છે કે તેમાં ભારતભરમાંથી નાના - મોટા મહિલા સંચાલિત ગૃહ ઉદ્યોગો તેમજ પ્રદર્શકો બહોળી સંખ્યામાં હોંશભેર સૌપ્રથમવાર રાજકોટમાં આવી રહ્યા છે. જેમાં રાજકોટની જનતા વ્યાજબી ભાવે અનેક વસ્તુઓ જોવા ખરીદવાનો લ્હાવો લઈ શકશે. આ કાર્નિવલમાં રાજકોટ સહિત રાજસ્થાન, મુંબઈ, દિલ્હી સહિતના શહેરોમાંથી સ્ટોલધારકો વિવિધ વસ્તુઓ જેવી કે ચણીયાચોલી, જવેલરી, હોમ ડેકોર સહિતની વસ્તુઓ રાખવામાં આવશે.

તદુપરાંત આ કાર્નિવલમાં એમઝેડ ફિટનેસ હબ તા.૪ના શ્રીમતી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા (જાણીતા ક્રિકેટરના ધર્મપત્નિ તેમજ નામાંકિત કરણી સેનાના મહિલા અધ્યક્ષ) ઉપસ્થિત રહેશે. તેમજ તા.૫ના સાંજે દિકરીઓ માટે (૧૪ થી ૨૨ વર્ષ) ઈવેન્ટ પણ આયોજીત કરેલ છે. સાથે સાથે ફૂડ ઝોન પણ રાખેલ છે.

તસ્વીરમાં રાઈઝીંગ રાજપુતાનીસ ગ્રુપના ભાર્ગવીબા ગોહિલ, શિવાની ગોહિલ, કિરણબા જાડેજા, અન્નપૂર્ણાબા વાઘેલા, લક્ષ્મીબા જેઠવા તેમજ ડો.મુળરાજસિંહ ઝાલા નજરે પડે છે.

તા.૪ અને ૫ (બુધ-ગુરૂ), સવારે ૧૦ થી રાત્રે ૮. સ્થળ : રાજહંસ પાર્ટી પ્લોટ, કાલાવડ રોડ, રાજકોટ. વધુ માહિતી માટે મો.૯૦૯૯૦ ૯૬૪૯૯, ૮૭૮૦૨ ૭૮૨૯૫. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(1:14 pm IST)