Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

પ્રાદેશિક નગરપાલિકા કમિશનર (રાજકોટ) તારીકે સ્તૃતિ ચારણ

ગૌરાંગ મકવાણાની ભાવનગર કલેકટરપદે બદલી થતા ખાલી પડેલ જગ્યા પર નિમણુંક

રાજકોટ તા. ર : રાજય સરકારે આઇ.એ.એસ.કેડરના ૭૯ અધિકારીઓની બદલીના હુકમ વખતે પ અધિકારીઓને શહેરી વિકાસ વિભાગના હવાલે કરેલ તેમને વિગતવાર નિમણુંક આપી છે.

શહેર વિકાસ વિભાગ દ્વારા જે પાંચ અધિકારીઓને વિભાગીય નગરપાલિકા કચેરીમાં કમિશનર તરીકે મૂકવામાં આવ્યા છે. તેમાં સ્તૃતિ ચારણ રાજકોટ, ડો. મનીષકુમાર અમદાવાદ, ક્ષિપ્રા આગ્રે  સુરત, હર્ષિત ગૌસાવી વડોદરા  અને અમિતકુમાર યાદવ ગાંધીનગરનો સમાવેશ થાય છ.ે

રાજકોટમાં શ્રી ગૌરાંગ મકવાણાની બદલીથી ખાલી પડેલ જગ્યાએ મૂકાયેલા કુ.સ્તૃતિ ચારણ મૂળ રાજસ્થાનના વતની છે અગાઉ રાજકોટમાં સપ્લીમેન્ટરી મદદનિશ કલેકટર, વંથલીમાં મદદનિશ કલેકટર, અરવલ્લી અને સાંબરકાંઠામાં જિલ્લા વિકાસ અધિકારી પદે રહી ચૂકયા છે.(૬.૧૯)

(1:34 pm IST)