Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

સેવા નિવૃત નાયબ સચિવ અશોકસિંહજી પરમારનું રાજશકિત ક્ષત્રિય મહિલા મંડળ દ્વારા સન્માન

રાજકોટ : મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન, રાજકોટ પ્રેરિત ક્ષત્રિય કેરીયર એકેડમી દ્વારા શહેરના હેમુ ગઢવી હોલ ખાતે સરકારી સેવા નિવૃત નાયબ સચિવ, ગાંધીનગર અશોકસિંહજી પરમારનો વિદાય સન્માન સમારોહ રાજયના મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા, ક્ષત્રિય સમાજના આગેવાનો પ્રવિણસિંહજી જાડેજા, યશવંતસિંહજી રાઠોડ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ તકે શ્રી રાજશકિત ક્ષત્રિય મહિલા મંડળના પ્રમુખ કિર્તીબા રાણાની આગેવાની હેઠળ ક્ષત્રિય મહિલા મંડળના પ્રકાશબા ગોહીલ, વિલાસબા ગોહીલ, નીતાબા જાડેજા સહિતના દ્વારા પુસ્તકથી સન્માન કરવામાં આવ્યુ હતું.

(4:12 pm IST)