Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના તેજસ્વી તારલાઓ અને પ્રતિભાઓનું રવિવારે વિશેષ સન્માન

રાજરાજેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે એન્જી. એસો. હોલમાં આયોજન

રાજકોટ તા. ૩ : રાજ રાજેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. ૫ ના રવિવારે રાજગોર બ્રાહ્મણ (કાઠી) ના તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિશેષ પ્રતિભાઓનો સન્માન સમારોહ યોજવામાં આવેલ.

'અકિલા' ખાતે આયોજનની વિગતો વર્ણવતા સંસ્થાના આગેવાનોએ જણાવેલ કે આગામી તા. ૫ ના રવિવારે બપોરે ૧ વાગ્યે રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશન હોલ ખાતે ૯ મો સરસ્વતી સન્માન અને જ્ઞાતિ પ્રતિભા સન્માન સમારોહ યોજવામાં આવેલ છે.

સંસ્થાના પ્રમુખ ઇન્દ્રનીલભાઇ રાજગુરૂના અધ્યક્ષસ્થાને યોજાનાર સમારોહમાં મુખ્ય મહેમાનપદે વંદનીય સંતો, મહંતો તેમજ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના સર્વે ટ્રસ્ટીઓ, હોદેદારો, પુર્વ હોદેદારો, દાતાઓ, રાજગોર બ્રાહ્મણ સમાજના રાજકીય મહાનુભવો તેમજ જાહેર સેવા ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહેશે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા સંસ્થાના કન્વીનર લલીતભાઇ ધાંધીયા (મો.૯૬૬૨૫ ૨૫૭૭૭), સહકન્વીનર સતીષભાઇ તેરૈયા, સહકન્વીનર ઉમેશભાઇ જોશી, સહકન્વીનર જયેશભાઇ દવે (મો.૯૪૨૮૭ ૯૨૪૫૧), સહકન્વીનર તૃપ્તીબેન જોશી, સંસ્થાના સભ્યો ગીરધરભાઇ જોશી, દિનેશભાઇ બોરીસાગર, ગીજુભાઇ જોશી, વિજયભાઇ જોશી, મહેન્દ્રભાઇ આર. જોશી, માધવભાઇ મહેતા, મનીષભાઇ બામટા, પંકજભાઇ ચાંવ, મહેન્દ્રભાઇ એન. જોશી, જેરામભાઇ ચાવડા ગોર, અશોકભાઇ જોશી, શૈલેષભાઇ જોશી, અમિતભાઇ માઢક, વર્ષાબેન મહેતા, ઇલાબેન જોશી, રેખાબેન મહેતા, જયશ્રીબેન મહેતા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા લલીતભાઇ ધાંધીયા, જયેશભાઇ દવે, ગીરધરભાઇ જોશી, વિજયભાઇ જોશી, જેરામભાઇ ચાવડાગોર, અશોકભાઇ જોશી નજરે પડે છે. (તસ્વીર : વિક્રમ ડાભી) (૧૬.૧)

(3:46 pm IST)