Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

રાજકોટ આયુર્વેદ એસોસીએશનની રચનાઃ અકબરભાઇ પટેલ પ્રમુખ

રાજકોટ તા. ૩ :.. તાજેતરમાં રાજકોટ ખાતે આયુર્વેદ દવાના ઉત્પાદકો, વિતરકો, હોલસેલરોની બેઠક મળી હતી. ચર્ચા - વિચારણાના અંતે રાજકોટ ખાતે રાજકોટ આયુર્વેદ એસોસીએશનની રચના કરવાનો નિર્ણય કરાયો હતો. જેના પ્રમુખપદે અકબરભાઇ પટેલ (નારાયણી ફાર્મસી) તેમજ ઉપપ્રમુખપદે - ભાવિકભાઇ રાવલ (નૃસિંહ મેડીકલ), સેક્રેટરીપદે અલ્કેશભાઇ (નીલ આયુર્વેદીક) અને ખજાનચી પદે -ગૌરવભાઇ દવેની વરણી કરાઇ છે.

જયારે કમીટી મેમ્બર પદે -દેવાંગભાઇ રાવલ, મનીષભાઇ રૂપારેલીયા, અશ્વિનભાઇ કારીયા, સચિનભાઇ વ્યાસ, વિશાલભાઇ, હેમલભાઇ સંપટ, પરેશભાઇ તન્નાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

આ એસોસીએશન ભવિષ્યમાં અનેકવિધ પ્રકલ્પો દ્વારા આયુર્વેદ ક્ષેત્રની સાચી સમજ સહુ કોઇને મળે તે માટે પ્રયત્નશીલ રહેશે. જીતુભાઇ વેકરીયાના પ્રયત્ન અને માર્ગદર્શન થી આ કાર્ય સંપન્ન થયુ હતું. તેમ અકબરભાઇ પટેલની યાદીમાં જણાવાયું છે.

(12:22 pm IST)