Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

કલબ યુવી દ્વારા પારીવારીક માહોલમાં નવરાત્રી મહોત્સવ

અંબીકા ટાઉનશીપમાં પારીવારીક માહોલમાં ૧૦ હજાર ખેલૈયાઓ ટ્રેડીશ્નલ ડ્રેસમાં ધુમ મચાવશે : ૮ વિશાળ ગેલેરી, ૬ ગેઈટ, ૩૪ પેવોલીયનની વ્યવસ્થા સાથે આયોજનઃ દેવ ભટ્ટ સહીતના કલાકારો ખેલૈયાઓને ડોલાવશેઃ આમંત્રીતો માટે ગેલેરીની વ્યવસ્થા

રાજકોટ,તા.૨: શહેરમાં કલબ યુ વીની નવરાત્રી અલગ અંદાઝથી ભવ્યાતિભવ્ય, અદ્દભુત આયોજન કરવામાં આવે છે, નવ વર્ષે ૧૦,૦૦૦ ખેલૈયાઓ ટ્રેડીશ્નલ ડ્રેસમાં નવરાત્રી મહોત્સવ માણે તે માટેનું જાજરમાન આયોજન થયું છે. શહેરમાં નાનામૌવા રોડ પર અંબીકા ટાઉનશીપ પાસે સ્પીડવેલ પાર્ટી પ્લોટની સામે વિશાળ મેદાનમાં સમગ્ર નવરાત્રી મહોત્સવ યોજાશે.

સૌરારાષ્ટ્રના પાટીદાર પરીવારનું પાટનગર એટલે રાજકોટ, સમગ્ર સૌરાષ્ટ્રમાં ક્રિકેટ સ્ટેડીયમ જેવી ભવ્ય સીટીંગ વ્યવસ્થા સાથે નવરાત્રીનું પારીવારીક આયોજન કરતી સંસ્થામાં કલબ યુવી મોખરાનું સ્થાન ધરાવે છે, તા.૧૮ દરમ્યાન રાજકોટના આંગણે પારીવારીક માહોલમાં યોજાનારા નવરાત્રી મહોત્સવની સમગ્ર પાટીદાર સમાજ દ્વારા એક પર્વ તરીકે ઉજવણી થશે. જગત જનનીની ઉપાસના માટે પ્રાચીન સંસ્કૃતીને ધબકતી રાખવા માટે કલબ યુવી દ્વારા સતત દસમાં વર્ષે અનેરૂ આયોજન થઈ રહ્યું છે. કલબ યુવી નવરાત્રી મહોત્સવ અંગે માહિતી આપતા કલબ યુવીના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી તથા મેનેજીંગ ડાયરેકટર મહેન્દ્રભાઈ ફળદુએ જણાવ્યુ હતુ કે રાજકોટના અર્વાચીન રાસોત્સવમાં નવી પરંપરાની પહેલ કરનાર કલબયુવી દ્વારા સતત દસમાં વર્ષે પાટીદાર પરિવાર માટે નવરાત્રી મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યુ છે. કલબ યુવીના નવરાત્રી મહોત્સવની તમામ તૈયારીઓ કલબ યુવીની ૧૦૮ની ટીમ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. માતાજીની આરાધના સાથે સંપુર્ણ પારીવારીક માહોલમાં નવરાત્રી યોજાય તેવુ આયોજન કરવામાં આવ્યુ છે.

સમગ્ર નવરાત્રી મહોત્સવને સફળ બનાવવાં માટે કલબ યુવીના ૧૦૮ સભ્યોની ટીમ સાથે કલબ યુવીના બોર્ડ ઓફ ડાયરેકટર્સ ચેરમેન તરીકે મૌલેશભાઈ ઉકાણી (બાન લેબ્સ), મેનેજીંગ ડાયરેકટર તરીકે મહેન્દ્રભાઈ ફળદુ (કલ્પતરૂ ગ્રુપ), વાઈસ ચેરમેન સ્મીત કનેરીયા (કલાસીક ગ્રુપ) તથા ડાયરેકટર તરીકે ભુપતભાઈ પાંચાણી (બેકબોન), શૈલેષભાઈ માંકડીયા (રાધે ગ્રુપ), જીવનભાઈ પટેલ (હાઈબોન્ડ ગ્રુપ), જવાહરભાઈ મોરી (આર્કીટેક), એમ.એમ.પટેલ (કોપર ગ્રુપ), મનસુખભાઈ ટીલવા (ગંગાપાઈપ્સ) તથા પૂર્વ શાસક પક્ષના નેતા કાંતીભાઈ ઘેટીયા કાર્યરત છે.

નવરાત્રી મહોત્સવમાં ૧૦ હજાર ખૈલેયાઓ રમી શકે અને ૩૦ હજાર દર્શકો વિવિધ કેટેગરીમાં બેસીને નવરાત્રીનો આનંદ માણી શકે તેવું આયોજન કરાયુ છે. કલબ યુવીના નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ માટે સમથળ મેદાન મહેમાનો- આમંત્રીતો માટે ખાસ ડોમ, સ્પોન્રશીપ કંપની માટે અલગી પેવેલીયન તથા દર્શકો માટે બેઠક વ્યવસ્થા, આર્કષક લાઈટીંગ ટાવર તથા ગ્રાઉન્ડની મધ્યમાં દરેક બાજુ ૫૦ એલ.ઈ.ડી.થી ગ્રાઉન્ડમાં સજાવટ થશે તથા સમગ્ર ઈવેન્ટનું લાઈવ પ્રસારણ તથા સ્પોન્સર દાતાઓની પ્રોડકટને ઉજાગર કરાશે. સમગ્ર નવરાત્રી મહોત્સવનું સોશીયલ મીડીયા તથા કેબલ દ્વારા લાઈવ પ્રસારણ કરાશે. તદ ઉપરાંત ખાસ લાઈટીંગ સ્ટેજ આકર્ષણ જમાવશે. ખેલૈયાઓની સુવિધા માટે મેદાનમાં કારપેટ બિછાવવામાં આવી છે. કલબ યુવી દ્વારા સંસ્કારી, સુરક્ષીત અને ભકિતસભર નવરાત્રી મહોત્સમાં મા શકિતની ઉપાસનાના પર્વની સહીયારી ઉજવણી થશે. ૧,૮૦,૦૦૦ વોલ્ટની જેબીએલની ડબલ લાઈન એરર આઈટેક સાઉન્ડ સીસ્ટમ, મશહુર ઓકેષ્ટ્રા, ફુડઝોન કેન્ટીન, ઈન્ટરનલ પાર્કીંગ તથા ટાઈટ સીકયોરીટી સહીતનું પ્લાનીંગ અમલી બનાવ્યું છે.

કલબ યુવી નવરાત્રી મહોત્સવમાં સિંગર તરીકે દેવભટ્ટ, મયુર બુધ્ધદેવ, રાજવી શ્રીમાળી, નેહાબેન, મીનાક્ષી વાધર, રીધમીસ્ટ તરીકે નાસીર, ઓકટોપેડ પર ફીરોઝ શેખ, મ્યુઝીક એરેજમેન્ટમાં અંકુર ભટ્ટ, શ્રેયા કોટેચા, જનકભાઈ શુકલ સહીતના ૨૫ કલાકારોનો કાફલો કલબ યુવી ટીમના મ્યુઝીક કોર્ડીનેટર સુરેશભાઈ જાવીયાના માર્ગદર્શન હેઠળ સુર તાલના સામ્રાજય સર્જી સૌને એક તાલે ડોલાવશે.

નવરાત્રી મહોત્સવ- ૨૦૧૮ને સફળ બનાવવા માટે કલબ યુવી ૧૦૮ની ટીમ સુરેશભાઈ ઓગણજા, સંદીપભાઈ માકડીયા, અજયભાઈ દલસાણીયા, રેનીશ માકડીયા, બીપીન બેરા, પીયુષ રોકડ, આશીષભાઈ વાછાણી, મીલાપ ઘેટીયા, વીનુભાઈ મણવર, અરવિંદભાઈ જીવાણી, રજનીભાઈ વિરોજા, કિશનભાઈ સીણોજીયા, અતુલભાઈ ભુત, રજનીભાઈ ગોલ, મનીષભાઈ વાછાણી, શૈલેષભાઈ ફળદુ, પ્રફુલભાઈ કાથરોટીયા, જયેશભાઈ વાછાણી, સાગર ઓગણજા, સાહીલ માકડીયા, હરીભાઈ કલોલા, દિનેશભાઈ વિરમગામા, મનીષ ચનીયારા, કલ્પેશ અઘેરા, વી.વી.માકડીયા, ભરતભાઈ ભલાણી, કેતન વડાલીયા, મીતુલ કોઠાડીયા, વિજયભાઈ કાલાવડીયા, દિનેશ ચાપાણી, કલ્પેશ ઉકાણી, ખુશાલ ઝાલાવડીયા, વસંત કનેરીયા, રાજુ ધુલેશીયા, પરેશ ઉકાણી, રમેશભાઈ ફળદુ, અશ્વિનભાઈ આદ્રોજા, યોગેશભાઈ કાલરીયા, ચંદુભાઈ ગોવાણી, હાર્દિક સુરેજા, વિજયભાઈ ચિકાણી, નવીનભાઈ કોરડીયા, પ્રહલાદ પટેલ, હાર્દિક દલસાણીયા, ગીરીશભાઈ વાછાણી, ચંદ્રેશભાઈ શિરા, પ્રદિપ સુરેજા, ચિંતન સામાણી, કિરણભાઈ વાછાણી, યોગેશભાઈ ભુવા, હિટલર રોકડ, બ્રિજેશ રોકડ, ઉમેશભાઈ માકડીયા, રોહીત ફળદુ, પુજન ઘોડાસરા, મનીષ શાપરીયા, સુભાષ કાલાવડીયા, અશોકભાઈ કણસાગરા, પાર્થ ઉકાણી, પંકજ વેગડા, સમીરભાઈ ગામી, જયેન્દ્રભાઈ કંટેશરીયા, કિરણભાઈ ચનીયારા, પ્રિતુલ ઉકાણી, સુભાષ નવાપરીયા, પ્રફુલભાઈ ખાનપરા, ભાગસ્વ મેતલીયા, વાસુ બેરા, પરાગ છાત્રાલા, રાનુભાઈ ગાંભવા, દર્શન મોરી, હેરીન દેસાઈ, હીતેન્દ્રભાઈ ઘેટીયા, જયસુખભાઈ કાથરોટીયા, ભરત દેત્રોજા, વિમલ લાલાણી, રાજુભાઈ ત્રાંબડીયા, શ્યામ ગોવાણી, રાજુ મારડીયા, વિપુલ લાડાણી, હસમુખભાઈ નાર, ભાવીન ડલવાડીયા, દિપક કાલરીયા, રાજુભાઈ જીવાણી, રાકેશ દેસાઈ, પીયુષ સીતાપરા, ભુપતભાઈ જીવાણી, કેવલ ખીરાસરીયા, પ્રદિપ ગોવાણી, પાર્થ મોટેરીયા, રાકેશ ફળદુ, જય કડીવાર, અશ્વિન ખાંટ, સંદીપ કાલરીયા, રજની ધમસાણીયા, કિરીટભાઈ સાવલીયા, પાર્થ મકાતી, રાજુ હાંસલીયા, નીમીત હીંગરાજીયા, હિમાંશુ ઉંજીયા, જય ઓગણજા, દર્પણ કાલરીયા, નીલ ગોવાણી, મનસુખભાઈ પોકર, હિતેષ સાપોવડીયા, ચેતન ભુત, ધવલ ખાનપરા સહીતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.

કલબ યુવીની આ પારીવારીક નવરાત્રી મહોત્સવ- ૨૦૧૮ ખૈલયાના પાસ તેમજ ફોર્મનું વિતરણ કલબ યુવીની ઓફીસ નક્ષત્ર હાઈટસ્ નક્ષત્ર-૩, કલબ યુવી ઓફિસ સામે, રૈયા ટેલીફોન એક્ષચેન્જ સામે, ૧૫૦ ફુટ રીંગ રોડ તથા પુષ્કરભાઈ પટેલ હીરભાઈ પટેલનું કાર્યાલય પંચવટી મેઈન રોડ, શિતલ ટ્રાવેલ્સ પંચાયત નગર, રૂપ બ્યુટી શોપ સ્વામીનારાયણ ચોક, ગાયત્રી સ્ટેશનરી સત્ય સાંઈ રોડ, ક્રિષ્ના ઝેરોક્ષ સરદારનગર મેઈન રોડ, રાધે પ્રોવિઝન સ્ટોર ગાંધી સ્કૂલ નાનામૌવા રોડ, વિશ્વાસ આર.ઓ.તીરૂપતી એપાર્ટમેન્ટ અંબીકા ટાઉનશીપ, ઉમિયાજી પાન યોગેશ્વર પાર્ક, પાર્થ એન્ટરપ્રાઈઝ ક્રિસ્ટોન સ્પીડવેલ ચોક તથા પટેલ પાન કલ્પવૃક્ષ કોમ્પલેક્ષ કોમ્પલેક્ષ સીલ્વર ગોલ્ડ રેસીડેન્સી પર મેળવી શકાશે તેમ કલબ યુવીના મીડીયા કો- ઓર્ડીનેટર રજનીભાઈ પટેલે જણાવ્યું છે.

(3:38 pm IST)