Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

'ક્ષમા વીરસ્ય ભૂષણમ'

આત્માના સૌંદર્યને પ્રગટ કરવાનું પર્વ એટલે સંવત્સરી. માનવમાત્રમાં વ્યાપી રહેલ વેરભાવને તોડાવનાર પર્વ એટલે સંવત્સરી. દરેક જીવ સાથ મૈત્રીભાવ રાખવાનું મહાપર્વ એટલે સંવત્સરી.

સંવત્સરી એ જૈનોનું મહાન પર્વ છે. આ પર્વ ભાદરવા સુદ પાંચમના દિવસે આવે છે. જૈનોના પર્યુષણ શ્રાવણવદ તેરસથી શરૂ થાય છે અને ભાદરવા સુદ પાંચમે આઠમાં દિવસ એટલે કે પર્યુષણના અંતિમ દિવસે સંવત્સરી આવે છે . આમ આઠ દિવસ ચાલતું આ પર્યુષણ પર્વ છે. સંવત્સરી એટલે ક્ષમાપનાનો દિવસ. બીજાને ક્ષમા આપીને અને પોતાનાથી થયેલ ભૂલ બદલ ક્ષમા માગીને હદયમાંથી વેરઝેરના કચરાને કાઢી આત્માને નિર્મળ અને પવિત્ર બનાવવા-માટેના આ દિવસ છે.

સરસ્વતી સ્કૂલના સંચાલકો શ્રી પ્રદીપભાઈ ખીમાણી , શ્રી જગદિશભાઈ ખીમાણી , શ્રી નરેશભાઈ ખીમાણી , શ્રી રધૂભાઈ ખીમાણી તથા શ્રી સાગરભાઈ ખીમાણીએ વધુમાં જણાવે છે કે પ્રેમ અને ક્ષમાનું અમોધ શસ્ત્ર રાખનાર વ્યકિત સમશેર વિના પણ સમરાંગણ જીતી શકે છે એવો આ પર્વ આપણને સંદેશ આપે છે. ક્રોધથી બળતો ચંડકૌશિક  સાપ ક્રોધનું ઝેર ઓકતો, ફૂંફાડા મારતો પ્રભુ મહાવીરને દંશ મારવા આવ્યો પણ ક્ષમાના અવતાર પ્રભુ મહાવીરને જોતાં જ તેનો ક્રોધ શમી ગયો. તેણે પ્રભુને દંશ દીધો ત્યારે પ્રભુના શરીર માંથી રકતને બદલે શ્વેત દૂધની શીતળ ધારા વહી. આ છે ક્ષમા.!

અર્જુનમાળી રોજેરોજ છ પુરુષ અને એક સ્ત્રી એમ સાત-સાત જીવહત્યા કરનાર દુષ્ટ આત્મા હતો, પરંતુ વીરપ્રભુના સત્સંગથી અને પ્રભુના ક્ષમાબળથી તેણે, જીવહિંસા છોડી દીધી અને પ્રભુના સેવક બની મુનિ બની ગયા, આમ તેઓ સંસાર તરી ગયા.

 ક્ષમાથી દ્વેષના દુઝતા ઘા રુઝાઈ જાય છે, ક્ષમાવાન જગતના ઝેરને પણ પચાવી જાણે છે. તેણે કયાંય હારવું પડતું નથી, ક્ષમા છે ત્યાં કસ્ર્ણા, કોમળતા, મૈત્રી, માધુરી, પ્રેમ અને પુરુષાર્થ છે. ક્રોધાગ્નિમાં આ બધાંજ ગુણો બળી જાય છે   પરંતુ ક્ષમા  એ તો ક્રોધાગ્નિને પણ ઠારી નાખતું શીતળ ગંગાજળ છે. આમ બે તૂટેલા હૃદયને જોડવાનો સેતુ એ ક્ષમા છે માટે સંવત્સરી મહાપર્વનો મુખ્ય સંદેશ છે કે સર્વને ક્ષમા આપો. અને મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહયા કરો' એ રીતે સદાય મિત્રતાનું ઝરણુ બીજા માટે વહાવતા રહો.

ગજસૂકુમાર મુનિના માથે અંગારા મુકાયા હતા, મેતારજ મુનિના માથ વાધર (ચામડાનો પટ્ટો) વીંટાઈ, ખંધકસુનિના પાંચસો શિષ્યોને કષ્ટ પડયું છતા આ સૌ મુનિઓએ આંખનો ખૂણો લાલ કર્યા વિના દુઃખ દેનાર પર પણ સમભાવ રાખ્યો હતો. ઈસુખ્રિસ્તને જેઓએ ખીલા સહિત જડી દીધા તેમના વતી પણ ઇસુએ ક્ષમા માંગતા કહયું હતું,  હે પ્રભુ! તું એમને ક્ષમા કરજે, એ નથી જાણતા કે એ શું કરી રહયા છે!  આ છે ક્ષમાપના !

 સરસ્વતી સ્કૂલના સંચાલકો શ્રી પ્રદીપભાઈ ખીમાણી,  શ્રી જગદિશભાઈ ખીમાણી, શ્રી નરેશભાઈ ખીમાણી,  શ્રી રધૂભાઈ ખીમાણી તથા શ્રી સાગરભાઈ ખીમાણી એમ પણ જણાવે છે કે જૈનબૂંધુઓ સંવત્સરીનું પર્વ ખૂબ આનંદથી ઉજવે છે. પર્વાધિરાજ  પર્યુષણ દરમિયાન ઉપાશ્રયમાં પૂજય સાધુ-સાધ્વીજી વ્યાખ્યાન આપે છે, અને આખો દિવસ જૈનો સમૂહ પ્રાર્થના, જાપ જેવી ધાર્મિક ક્રિયાઓ કરે છે. પર્યુષણ દરમ્યાન દેરાસરમાં મુખ્ય દ્વાર પર મંડપ બાંધવામાં આવે છે. ભગવાનની સુંદર મજાની ફૂલોની આંગી દેરાસરમાં થાય છે. (દરેક મનુષ્યો) રોજ પૂજાપાઠ કે છે. રાત્રે ભકિત સંધ્યા હોય છે જેમાં સુંદર પ્રભુભકિતના સ્તવનોની રમઝટ ચાલે છે.સંવત્સરીનો દિવસ 'શ્રમશ્રી' તરીકે પણ ઓળખાય છે. પ્રતિકમણ એટલે પાપમાંથી પાછા ફરવું તે. પર્યૂષણના અંતિમ દિવસે ે એટલે કે સંવત્સરીના દિવસે બે પ્રતિક્રમણ કરવાના હોય છે. બપોરના સમયે આખા વર્ષ દરમિયાન લાગેલા પાપોની  આલોચના એટલે કે પ્રાયશ્ચીત  કરવાનું હોય છે.

 સાંજે   પ્રતિક્રમણ કરી બધાં જ એકબીજાને મળી પરસ્પર પ્રેમભાવથી 'મિચ્છામિ દુક્ક્ડમ્' કરી ભૂલનો ક્ષમા માગે છે.  'મિચ્છામિ દુક્ક્ડમ્' એટલે  'મારું પાપ મિથ્યા થાઓ.' વડીલો સહર્ષ બધાંને માફી આપે છે. ટપાલ, પત્ર વગેરે દ્રારા પણ લોકો એકબીજાની ક્ષમાપના માગે છે.

 સરસ્વતી સ્કૂલના સંચાલકો શ્રી પ્રદીપભાઈ ખીમાણી શ્રી જગદિશભાઇ ખીમાણી , શ્રી નરેશભાઈ ખીમાણી,  શ્રી રઘુભાઈ ખીમાણી તથા શ્રી સાગરભાઈ ખીમાણી એ વધુમાં ઉમેર્યું કે જૈન સંપ્રદાયમાં દેરાવાસી જૈનો ભાદરવા સુદ ચોથ અને સ્થાનકવાસી જૈનો ભાદરવા સુદ પાંચમના દિવસે સંવત્સરી ઉજવે છે. સંવત્સરીએ તેઓ ઉપવાસ અથવા એકાસણું, આયંબિલ કરે છે. અને શકય તેટલા ઓછાં પાપ કાર્યો કરવાનો સંકલ્પ કરે છે. તથા છ કાયના જીવો એટલે કે માટી, જમીન, પાણી, અગ્નિ, પવન, વનસ્પત્ત્િ।  એમ સૃષ્ટિના સમગ્ર જીવોને અભયદાન આપે છે. કોઈ કોઈ તો આ દિવસે પૌષધ પણ કરે છે પૌષધ એટલે એક દિવસ અને એક રાત્રિ નિર્જળા રહીને ઉપાશ્રયમાંજ રહી વધુને વધુ ધાર્મિક ક્રિયાઓ કરે છે. સંવત્સરીના બીજા દિવસે બિયાસણું, એકાસણું, આયંબિલ, ઉપવાસ વગેરે તપસ્યા કરનાર તપસ્વી ગુંદની રાબ કે મગનું પાણી વગેરે પ્રવાહી લઈને પારણાં કરે છે.

(11:58 am IST)