Gujarati News

Gujarati News

News of Thursday, 2nd March 2023

શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સંગઠન મંડળ દ્વારા રવિવારે દ્વિતિય સંમેલન

મુળ ગામ બાલંભા, માનપર અને રણજીતપરનું : આપાગીગા ઓટલો- ચોટીલાના મહંત નરેન્‍દ્રબાપુ ખાસ ઉપસ્‍થિત રહેશે

રાજકોટઃ મુળ ગામ બાલંભા, માનપર અને રણજીતપરનું શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સંગઠન મંડળ- રાજકોટ જેઓ રાજકોટ શહેરમાં વસ્‍તા પરિવારોનું દ્વિતીય સ્‍નેહમિલન તા.૫/૩ રવિવારે સાંજે ૫ કલાકે, શ્રી નવજીવન પાર્ટી પ્‍લોટ, આર.પી.એસ. સ્‍કૂલ સામે, શાંતિવન નિવાસની બાજુમાં, શ્રી જીવરાજ પાર્ક, નાના મવા મેઈન રોડ, રાજકોટ ખાતે આયોજન કરેલ છે.

દ્વિતીય સ્‍નેહ મિલનના પ્રસાદના દાતા બાલંભા ગામના શ્રી મહામંડલેશ્વર તથા શ્રી આપા ગીગાનો ઓટલો (મોલડી) ચોટીલાના મહંતશ્રી નરેન્‍દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ- સતાધાર તેમજ પૂર્વ ચેરમેનશ્રી, ગુજરાત રાજય ઓબીસી નિગમ અને પ્રમુખ શ્રી રાજકોટ ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્‍ત મુખ્‍ય મહેમાન તરીકે ઉપસ્‍થિત રહેશે.

આયોજનમાં પ્રમુખ નરશીભાઈ મનજીભાઈ સવાણી મો.૯૮૨૫૨ ૩૩૫૧૩, ઉપપ્રમુખ બાબુલાલ હરજીભાઈ સોલંકી મો.૯૮૭૯૧ ૫૬૨૧૬, ઉપપ્રમુખ અશ્વિનભાઈ મુળજીભાઈ ચોથાણી મો.૯૦૩૩૪ ૬૩૨૮૭, મંત્રી પુનિતભાઈ જેરામભાઈ રાઘવાણી, સહમંત્રી સુરેશભાઈ માવજીભાઈ રાઘવાણી, સહમંત્રી રણછોડભાઈ દેવશીભાઈ ટાંક, સંગઠન મંત્રી હિતેશભાઈ ગોરધનભાઈ રાઠોડ, ખજાનચી નટુભાઈ મનજીભાઈ રામપરીયા, સહ ખજાનચી પરેશભાઈ વિઠ્ઠલભાઈ ચોટલીયા, કાયદાકિય સલાહકાર જયંતિલાલ વી.ગાંગાણી (વકીલ), મુકેશભાઈ નરશીભાઈ સવાણી, સંજયભાઈ જેઠાભાઈ સોલંકી, ભરતભાઈ મગનભાઈ રત્‍નાણી, પીન્‍ટુભાઈ આર. સોલંકી, શૈલેષભાઈ એમ. રાઘવાણી, નરેન્‍દ્રભાઈ કે. ચોટલીયા, રજનીકાન્‍તભાઈ રાઘવાણી, ભાવિનભાઈ બી. ચોટલીયા, ગૌતમભાઈ મુળજીભાઈ ચોથાણી, કમલેશભાઈ એચ. ચૌહાણ, પ્રવીણભાઈ લવજીભાઈ પરમાર,  દિનેશભાઈ વેલજીભાઈ પરમાર, વિપુલભાઈ અમૃતલાલ ચૌહાણ, જીજ્ઞેશભાઈ શાંતિભાઈ ગોહેલ, નયેંદુભાઈ પ્રવિણભાઈ ટાંક, ભાવેશભાઈ છગનભાઈ સાપરીયા, ધર્મેશભાઈ રતીલાલ રામાણી જોડાય છે.

તસ્‍વીરમાં સંગઠન મંત્રી હિતેશભાઈ રાઠોડ, મનોજભાઈ ગાંગાણી, પુનીતભાઈ રાઘવાણી, બકુલભાઈ ચોથાણી અને વૈભવભાઈ ચોટલીયા નજરે પડે છે.

(4:21 pm IST)