Gujarati News

Gujarati News

News of Thursday, 2nd March 2023

મુમુક્ષુ કિંજલ કુમારી ૧૧ મીએ પ્રવજયા અંગીકાર કરશેઃ વર્ષીદાનનો વરઘોડો નિકળ્‍યો

દાંતરાઇ તા. રઃ દાંતરાઇમાં શાહ દિનેશકુમાર હિમાંચંદ તાતેડ દાંતરાઇની સુપુત્રી કિંજલ કુમારી પપમી દીક્ષાર્થી બનશે. શ્રી જૈન સંઘ દાંતરાઇમાં પૂર્વમાં પ૪ મુમુક્ષુઓ દીક્ષા ગ્રહણ કરી ચૂકયા છે. કિંજલકુમારી કલીકુંડ અમદાવાદમાં આશીષ દાતા કલીકુંડ તિર્થોધ્‍ધારક આ.ભ. રાજેન્‍દ્રસૂરીશ્‍વરજી એવં દીક્ષા દાતા આ.ભ. રાજશેખર સૂરિશ્‍વરજી મ.સા.ની પાવન નિશ્રામાં ૧૧ માર્ચે દિક્ષા અંગીકાર કરશે.

દિક્ષા પહેલા મુમુક્ષુ કિંજલ કુમારીનો ભવ્‍ય વર્ષીદાનનો વરઘોડો નિકળ્‍યો હતો. વરઘોડામાં મુમુક્ષુ કિંજલકુમારીએ વર્ષીદાન કરેલ. વરઘોડામાં દાંતરાઇ જૈન સંઘના શ્રાવક-શ્રાવીકાઓએ ગગનભેદી જય કારથી રાજમાર્ગો ગુંજવી દીધેલ.

વરઘોડાની પૂર્ણાહુતિ ઉપર શ્રી શીતલનાથ ભગવાન મંદિર પાસે વ્‍યાખ્‍યાન ભવનમાં શ્રી જૈન સંઘ દાંતરાઇ દ્વારા દિક્ષાર્થી કિંજલ કુમારીનું બહુમાન કરવામાં આવ્‍યું હતું.

(3:57 pm IST)