Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

નિવૃત એએસઆઇનું સિવિલ હોસ્પિટલની કેસ બારીએ બેભાન થઇ ઢળી પડતાં મોત

રેલનગરમાં રહેતાં કે. જી. સોનરાત (ઉ.૬૫) દવા લેવા આવ્યા'તા

રાજકોટ તા. ૧: રેલનગર-૨ શેરી નં. ૩માં રહેતાં નિવૃત એએસઆઇ કમલેશભાઇ ગોવિંદભાઇ સોનરાત (ઉ.વ.૬૫) સિવિલ હોસ્પિટલના ઈમર્જન્સી વિભાગની કેસ બારીએ અચાનક બેભાન થઇ ઢળી પડતાં મોત નિપજ્યું હતું.કમલેશભાઇ સોનરાતને ગેસની બિમારી તથા બીજી તકલીફ હોઇ દવા લેવા માટે સિવિલ હોસ્પિટલે આવ્યા હતાં. અહિ કેસ બારી પર હતાં ત્યારે જ અચાનક બેભાન થઇ પડી જતાં ઈમર્જન્સી વોર્ડમાં સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ તબિબે તેમને નિષ્પ્રાણ જાહેર કર્યા હતાં. મૃત્યુ પામનાર શહેર પોલીસમાં ફરજ બજાવતાં હતાં અને હાલ નિવૃત હતાં. તે ચાર ભાઇ અને બે બહેનમાં ત્રીજા હતાં. સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના રાજેશભાઇ ગીડા અને રવિભાઇએ પ્ર.નગરમાં જાણ કરી હતી.

(4:29 pm IST)