Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૨૭-૯-ર૦૧૮ ગુરૂવાર
ભાદરવા વદ-બીજ, ૯-૦૩થી ત્રીજ-ત્રીજનું શ્રાદ્ધ,
ભદ્રા-ર૦-પ૭થી
સૂર્યનો હસ્ત નક્ષત્રમાં પ્રવેશ
આજના ગ્રહો
સૂર્ય-કન્યા
ચંદ્ર-મેષ
મંગળ-મકર
બુધ-કન્યા
ગુરૂ-તુલા
શુક્ર-તુલા
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૩૮, સૂર્યાસ્ત-૬-૪૮
જૈન નવકારશી-૭-ર૬
ચંદ્ર રાશિ-મેષ (અ,લ,ઇ)
નક્ષત્ર-અશ્વિની
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૩૮થી ૮-૦૮ સુધી શુભ-
૧૧-૦૮થી ચલ-લાભ-અમૃત-
૧પ-૩૮ સુધી, ૧૭-૦૮થી શુભ-અમૃત-ચલ-ર૧-૩૮ સુધી
શુભ હોરા
૬-૩૮થી ૭-૩૮ સુધી, ૯-૩૮ થી ૧ર-૩૮ સુધી, ૧૩-૩૮થી ૧૪-૩૮ સુધી, ૧૬-૩૮થી ૧૯-૩૮ સુધી
બ્રહ્માંડના સિતારા
ઘણી વ્યકિતઓ સૂર્ય-મંગળ જો એકજ રાશિમાં હોય તો આ યોગને મન ગમતા નામો આપે છે. જેમકે અંગારક યોગ છે અને આને લઇને ખૂબજ ગુસ્સાવાળો સ્વભાવ રહેતો હશે અને જીવનમાં ખૂબજ અશાંતિ રહેશે તેવી બાબતો જન્મ કુંડલી જોઇને કહેવામાં આવે છે પણ ખરેખર તેવું નથી પણ બનતું કર્ક લગ્નમાં સાતમે સૂર્ય મંગળ છે. ખૂબજ મહેનતુ છે અને પરિવાર સાથે સારો વહેવાર છે. જોકે સાતમે સૂર્ય લગ્નજીવન બાબત થોડુ વિચારવું પડે તેવું સુચન કરે છે. આ વ્યકિતનો સ્વભાવ શાંત છે. જન્મના ચંદ્ર ઉપર ગુરૂની દૃષ્ટિ છે. શનિ અને બુધયુતિ થાય છે. ગણીત જેવા વિષયમાં ખૂબજ બાહોસ સી.એ.ની ડીગ્રી મેળવેલ છે. શનિ જો કુંભ કે મકર કે તુલા રાશિનો હોય તો આવી વ્યકિત જીવનમાં ધારે તો ખૂબજ સફળતા મેળવી શકે છે.