Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા.૩-૬-ર૦ર૧ ગુરૂવાર
વૈશાખ વદ-૯
પંચક
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-કુંભ
મંગળ-કર્ક
બુધ-વૃષભ
ગુરૂ-કુંભ
શુક્ર-મિથુન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૦૪,
સૂર્યાસ્ત-૭-રપ
જૈન નવકારશી-૬-પર
ચંદ્ર રાશિ- કુંભ (ગ.સ.)
૧ર-૦૯ મીન
(દ.ચ.ઝ.થ.)
નક્ષત્ર- પૂર્વા ભાદ્રપદ
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત ૧ર-૧૮ થી ૧૩-૧ર
૬-૦૪ થી શુભ-૭-૪૪ સુધી,
૧૧-૦પથી ચલ-લાભ-અમૃત-
૧૬-૦૬ સુધી, ૧૭-૪૬થી શુભ-અમૃત-ચલ-રર-૦૬ સુધી,
શુભ હોરા
૬-૦૪ થી ૭-૧૧ સુધી ૯-ર૪ થી ૧ર-૪પ સુધી, ૧૩-પર થી ૧૪-પ૯ સુધી, ૧૭-૧૩ થી ર૦-ર૦ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં જો ચંદ્ર મીન રાશિ અથવા વૃશ્ચિક રાશિ કે કર્ક રાશિમાં ચંદ્ર હોય તો આવી વ્યકિતની કામ કરવાની શકિત ખૂબ જ હોય છે. અને ખુબ જ મહેનતુ હોય છે. ઠંડી વસ્તુ પ્રત્યે વધુ લગાવ રહે છે. વિદેશ કે દરિયાઇ જગ્યાએથી વિશેષ લાભ મળે છે. અહી ઘણી વખત એવુ પણ જોયેલ છે કે આજ રાશિ વાળા વ્યકિતઓ કદાપી વિદેશ ન પણ ગયેલ હોય કારણ કે જન્મના નક્ષત્ર અને જન્મના સૂર્યને પણ ધ્યાનમાં લેવાની જરૂર રહે છે. ઘણી વખત એવુ પણ બની શકે છે કે ચંદ્રની મહાદશા અથવા લગ્નેશની મહાદશા ચાલતી હોય તે સમયે વિદેશ જવાની તક ઉભી થઇ શકે છે. અથવા વિદેશની કંપનીમાં નોકરી કે કોઇ પણ ધંધા પ્રત્યેનો લગાવ વધે છે અને આવા કોઇ સારી તક ઉભી થઇ શકે છે. અવરોધોને દૂર કરવા ચેરાટી કરવી ઇશ્વર ઉપર શ્રધ્ધા રાખવી.