Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019
તનિષ્ક જ્વેલર્સ પરિવારના લીલાવંતીબેન મહેતાનું દુઃખદ અવસાન

રાજકોટ તા. ૩૦: શહેરના યાજ્ઞિક રોડ પર આવેલા ખુબ જાણીતા તનિષ્ક જ્વેલર્સ પરિવારના ૭૪ વર્ષના લીલાવંતીબેન મનુભાઇ મહેતાનું આજે સવારે દુઃખદ અવસાન થયું છે. તેમના અવસાનથી ઘેરા શોકની લાગણી પ્રસરી છે.

અક્ષર માર્ગ અને અમીન માર્ગના ખુણે પંકજ બંગલો પાછળ આવેલા વાલકેશ્વર એપાર્ટમેન્ટના સાતમા માળે ફલેટ નં. ૭૦૨માં રહેતાં લીલાવંતીબેન મહેતા લાંબા સમયથી બિમાર હતાં. આજે સવારે તેમનું અવસાન થયાના વાવડથી સગા-સંબંધીઓ-વેપારી મિત્રોમાં શોક છવાઇગયો હતો. લીલાવંતીબેનને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. લીલાવંતીબેનના પુત્ર ધર્મેશભાઇ મહેતા અને પતિ મનુભાઇ મહેતા યાજ્ઞિક રોડ પર તનિષ્ક જ્વેલર્સ નામે શો રૂમ ધરાવે છે. મનુભાઇ મહેતા મુળ ધ્રાફાના વતની છે. તેમના એક દિકરી અમેરિકા છે.

અરવિંદભાઈ વ્યાસનું દુઃખદ અવસાન

રાજકોટઃ સ્વ.દોલતરાય હીરજીભાઈ વ્યાસના પુત્ર સ્વ.અરવિંદભાઈ દોલતરાય વ્યાસ (૭૦) તે અનસુયાબેનના પતિ, મુકુંદરાય (એલ.આઈ.સી.), રમેશભાઈ (રેલ્વે), અનિલભાઈ, કૌશિકભાઈ, ઈન્દુબેન સુરેશચંદ્ર જાની (અમદાવાદ)ના ભાઈ, દિપેનભાઈ (મો.૯૫૮૬૧ ૦૦૭૦૦) (વી.વી.પી. કોલેજ), દિવ્યેશભાઈ, મનિષભાઈના પિતાજી, ધિરેનભાઈ (એલ.આઈ.સી.), રવિભાઈના કાકા, રૂપલબેન, હસ્મીતાબેન, સોનીબેનના સસરા, નિશીત, સાક્ષી, નૈતિકના દાદાજી, સ્વ.બાલુભાઈ લક્ષ્મીશંકર મહેતા (રેલ્વે)ના જમાઈનું તા.૨૮ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૧ને ગુરૂવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬ કલાકે, ગોરેશ્વર મહાદેવનું મંદિર, જંકશન કો.ઓપ. હાઉસીંગ સોસાયટી, હંસરાજનગર મેઈન રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

તુષારભાઇ અરિહંત શરણ પામ્યાઃ કાલે સવારે ઉઠમણું- પ્રાર્થનાસભા : હેપી મેરેજ બ્યુરો વાળા હિમાંશુભાઇ ચીનોયના નાનાભાઇ

રાજકોટઃ તા.૩૦, તુષારભાઇ કાંતીલાલ ચીનોય (ઉ.વ.૫૭) તે હિમાંશુભાઇ ચીનોય (જીવદયા કાર્યકર) હેપી મેરેજ બ્યુરો, કલ્પનાબેન જયંતભાઇ ધુલીયા તથા મીનાબેન શૈલેષભાઇ દોશીના નાનાભાઇ આજે તા.૩૦ના રોજ અરિહંત શરણ પામ્યા છે. સદ્ગતનું ઉઠમણું  કાલે તા.૩૧ના રોજ  સવારે ૧૦:૧૫ કલાકે દિગબંર સ્વાધ્યાય મંદિર, ગૌતમબુધ્ધ એપાર્ટમેન્ટ સામે, ૫ પંચનાથ પ્લોટ, શાસ્ત્રીમેદાન સામે રાજકોટ ખાતે રાખેલ છે. પ્રાર્થનાસભા ૧૧ વાગ્યે રાખેલ છે. સ્વ. તુષારભાઇ કાંતીલાલ ચીનોયનું ચક્ષુદાન કરવામાં આવેલ છે.

સુકી સાજડીયાળીના માજી સરપંચ લાખુભા જાડેજાનું દુઃખદ અવસાન

રાજકોટ : તાલુકાના સુકી સાજડિયાળી ગામના માજી સરપંચ લાખુભા રણુભા જાડેજા (ઉ.વ.૮૩) નું આજે તા. ૩૦ ના દુઃખદ અવસાન થયેલ છે. સ્વ. લાખુભા જાડેજા હાલના સૂકી સાજડિયાળી ગામના સરપંચ ધર્મેન્દ્રસિંંહ લાખુભા જાડેજાના પિતાજી તથા પ્રતિપાલસિંહ જાડેજા (સહકારી મંડળી, સરધાર) ના દાદા તેમજ દિવ્યરાજસિંહ ઝાલા (પોલીસ કોન્સ્ટેબલ તાલુકા પોલીસ સ્ટેશન) ના નાના થાય છે. સ્વ. લાખુભા જાડેજા પણ  સૂકી સાજડિયાળી ગામના એક  ટર્મ સરપંચ રહી ચુકયા હતા.

અવસાન નોંધ

હસમુખભાઇ બદ્રકીયા

રાજકોટઃ ગુર્જર સુથાર રાજપર વાળા હાલ રાજકોટ નિવાસી હસમુખભાઇ મોહનભાઇ બદ્રકિયા (ઉ.વ.૬પ), તે સ્વ.લાલજીભાઇ મોહનભાઇ બદ્રકિયાના નાનાભાઇ, તથા અજયભાઇ, અમિતભાઇ, અને પરેશભાઇના પિતાશ્રી, તથા નંદકિશોરભાઇ, રાજેન્દ્રભાઇ, રજનીકાંતભાઇ અને સ્વ.ભરતભાઇના કાકાનું તા.ર૯ના અવસાન થયેલ છે. સદ્દગત બન્ને પક્ષનું બેસણું તા.૩૧ને ગુરૂવારે સાંજે ૪-૦૦ થી પ-૩૦, સાધના સોસાયટી કોમ્યુનિટી હોલ ખાતે રાખેલ છે.

નિર્મળાબેન બાટવીયા

ખાખીજાળીયાઃ ખાખીજાળીયા નિવાસી હાલ રાજકોટ સ્વ.ચંદુલાલ પ્રાણજીવન બાટવીયાના ધર્મપત્ની નિર્મળાબેન (ઉ.વ.૮૮)તે સ્વ.રાયચંદ જેચંદ મોદીના પુત્રી તેમજ મીનાબેન દિલીપભાઇ દેસાઇ તથા નૈનાબેન ગિરીશભાઇ ભીમાણીના માતુશ્રી તા.ર૭ના અરિહંતશરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૩૧ના ગુરૂવારે સવારે ૧૦-૦૦ વાગ્યે કોઠારી જૈન ઉપાશ્રય ભકિતનગર સર્કલ પાસે રાખેલ છે. તેમજ તેમની પ્રાર્થના સવારે ૧૦-૩૦ કલાકે ઉપરોકત સ્થળે રાખેલ છે. સદ્દગતનું ચક્ષુદાન કરેલ છે.

ચંદ્રીકાબેન પારેખ

રાજકોટઃ ગો.વા. સોની શાંતિલાલ જમનાદાસ પારેખ (બાલાસીનોર વાળા)ના ધર્મપત્ની ગં. સ્વ. ચંદ્રિકાબેન શાંતિલાલ પારેખ (ઉ.વ.૮૧) તે દિનેશભાઇ, મુકેશભાઇ, પરેશભાઇ, નલીનીબેન, ભાવનાબેનના માતુશ્રી તથા ચિરાગભાઇ, પ્રતિકભાઇ, નીકેતભાઇ, રથીનભાઇ, કિંજલબેન, રિધ્ધીબેન, હેમાલીબેનના દાદીશ્રી તે ગીરધરલાલ નાનજીભાઇ ફીચડીયા (પડધરી વાળા)ના દિકરી તા.ર૮ના વૈકુંઠવાસ પામેલ છે. તેમનું બન્ને પક્ષનું બેસણું ગુરૂવાર તા.૩૧ના સાંજે ૪ થી પ, વાઘેશ્વરી વાડી યુનીટ નં.૩ રામનાથપરામાં રાખેલ છે. (લૌકિક પ્રથા બંધ રાખેલ છે)

ચમનભાઇ પરસાણા

રાજકોટઃ પરસાણા ચમનભાઇ કડવાભાઇ (ગુંદાવાડી) તે ધવલભાઇ તથા બંસી, વૈશાલી હિતેષકુમાર જોધાણીનાં પિતાશ્રી તેમજ અરજણભાઇના ભાઇ તેમજ ગોરધનભાઇ જીવાભાઇ ધામી (વરજાંગ જાળીયા - ઉપલેટા)ના જમાઇનું તા.ર૮ના અવસાન થયું છે. તેનું બેસણું તા.૩૧ના ગુરૂવારે ૪ થી ૬, ઇન્દ્રેશ્વર વાડી માસ્તર સોસાયટી ખાતે રાખેલ છે.

બિપીનભાઇ રાચ્છ

રાજકોટઃ સ્વ. ચંદુભાઇ હરીભાઇ રાચ્છના પુત્ર બીપીનભાઇ (ઉ.વ.૫૩) તે રમેશભાઇ, ચેતનભાઇના ભાઇ અને કાંતીભાઇ રાચ્છ (નવાગામ)ના ભત્રીજાનું તા.૨૮ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તા.૩૧ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫ રાતીયા હનુમાન મંદિરે આમ્રપાલી પાછળ રૈયા રોડ ખાતે રાખેલ છે.

હેમલતાબેન પાબારી

જામજોધપુર : સ્વ. ગોપાલભાઇ દેવચંદભાઇ પાબારીના ધર્મ પત્ની હેમલતાબેન (ઉ.વ. ૮૫) તે નરેનભાઇ તથા મહેનભાઇ તેમજ હંસાબેન પ્રકાશકુમાર ના માતુશ્રી નું તા. ૨૯ નારોજ અવસાન થયેલ છે. જેમની પ્રાર્થના સભા તા. ૩૧ ને ગુરૂવારે સાંજે ૪.૦૦ થી ૪.૩૦ કલાકે  સન્યાસ આશ્રમ જામજોધપુર ખાતે રાખેલ છે.

ઙ્ગગિરધરલાલ જોશી

જુનાગઢ : માંગરોળ નિવાસી ગિરધરલાલ  ચુનીલાલ જોશી(ઉ.વ.૮૨) તે પ્રવિણાબેનના પતિ તથા સ્વ. જયસુખલાલ, સ્વ. કનૈયાલાલ,હંસાબેન કમલેશકુમાર અને સ્વ. ઇન્દુબેન લક્ષ્મીશંકર રાજયગુરૂના ભાઇ તેમજ મહેશભાઇ અને ઉમેશભાઇના પિતા તથા શૈલેષભાઇ, મયંકભાઇ અને હાર્દિકભાઇના કાકાનું તા. ૨૮ ના મુંૅબઇમાં અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા તા.૧ ના સાંજે ૪ થી ૬ કલાકે હરિકિર્તનાલય, બહારકોટ, માંગરોળ ખાતે રાખેલ છે.

ઇકબાલભાઇ  જેઠવા

જુનાગઢ : ઇકબાલભાઇ હસનભાઇ જેઠવા (ઉ.વ. ૫૮) તે  યાસીનભાઇ અગવાનના બનેવી તથા મકબુલભાઇ મકવાણાના સસરાનુ  ંતા. ૨૮ ના અવસાન થયેલ છે. જીયારતના સીપારા તા. ૩૦ ના રોજ બપોરે ૩ થી ૪ કલાકે ઢાલ રોડ મસ્જીદ, જુનાગઢખાતે રાખેલ છે.

વજુભાઇ કુંભાણી

કેશોદ : વજુભાઇલ ગોવિંદભાઇ કુંભાણી (ઉ.વ.૭૩) તે  અરજણભાઇબાબુભાઇ તથા પોપટભાઇ ના ભાઇ તેમજ રાજુભાઇ વજુભાઇ કુંભાણી ના પીતાબ્ીનું તા. ૨૩/૧/૧૯ ના રોજ સુરત મુકામે અવસાન થયેલ છે., બેસણું તા. ૩૧/૧/૧૯ ના રોજ ૪ થી ૬ નગર પાલીકા સોસાયટી, સુધરાઇનાકુવા પાસે તેમના નિવાસસ્થાને કેશોદ ખાતે રાખેલ છે.

મંજુલાબેન યાદવ

રાજકોટ :  મોચી લવજીભાઇ ગોકળભાઇ યાદવના પત્ની સ્વ. મંજુલાબેન લવજીભાઇ યાદવ તે નરેન્દ્રભાઇ, દિલીપભાઇ,  દેવેન્દ્રભાઇ, સોનલબેન નિલેશભાઇ મકવાણાના માતુશ્રીનું તા. ૨૮ અવસાન થયેલ છે., બેસણું તા. ૩૧ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે રામાપીર (મોચી) મંદિર, રામાપીર ચોકડી પાસે, ૧૫૦ ફૂટ રીંગ રોડ,રાજકોટ ખાતે રાખેલ છે.

ચંદુલાલ ચંદે

મોરબીઃ મૂળ ભચાઉ હાલ મોરબી ચંદુલાલ ચંદે (ઉ.વ.૭૬) તે સ્વ. પદમશી માધવજીના પુત્ર તથા સ્વ. વિમળાબેનના પતિ તેમજ નવીનભાઈ, કાન્તીભાઈ, ચંપકભાઈ, સ્વ. કાશીબેન, કમુબેન, ભગવતીબેનનાં ભાઈ તેમજ કિશન, દીપક, નીતા, ઇન્દ્રીરા, ટીનુંના પિતા તથા ભરતકુમાર, હિતેશકુમાર, રાજેશકુમાર, ગોપી અને કલ્પનાના સસરા તથા સ્વ. ધનજીભાઈ દેવચંદ (હારીજ) ના જમાઈનું તા. ૨૮ ના રોજ રામચરણ પામ્યા છે પ્રાર્થનાસભા તા. ૦૧-૦૨-૧૯ ને શુક્રવારના રોજ રામેશ્વર મંદિર, અંકુર સોસાયટી, શનાળા રોડ મોરબી ખાતે રાખેલ છે.

હંસાગૌરી ત્રિવેદી

કાલાવડ (શીતલા): જગદીશભાઇ જયંતીલાલ ત્રિવેદીના ધર્મપત્ની હંસાગૌરી (ઉ.વ.૭૦) તા. ર૯ના અવસાન થયેલ છે. ઉઠમણું તા. ૩૧ ને ગુરૂવારે સાંજે ૪ થી પ વાગ્યે કૈલાસનગર તેમના નિવાસ સ્થાને કાલાવડ મુકામે રાખેલ છે.

વનીતાબેન વઢવાણા

જામકંડોરણા : મુંબઇ નિવાસી વનીતાબેન દ્વારાકાદાસ વઢવાણા (ઉ.વ.૮૦) તે સ્વ. દ્વારકાદાસ નંદલાલ વઢવાણાના ધર્મપત્ની અને ધીરજલાલ નંદલાલ વઢવાણાના ભાભીનું તા. ર૭-૧-ર૦૧૯ના રોજ મુંબઇ (વસઇ) મુકામે અવસાન થયેલ છે. તેમનું બેસણુ જામકંડોરણા ખાતે તા. ૩૧-૧-ર૦૧૯ને ગુરૂવારે સાંજે ૩ થી પ ધીરજલાલ વઢવાણાના નિવાસ સ્થાને રાખેલ છે.

નર્મદાબેન તલસાણીયા

મોરબીઃ ગુર્જર સુતાર નર્મદાબેન દેવકરણભાઈ તલસાણીયા તે કાંતિભાઈ, જયંતીભાઈ, રમાબેન મણીલાલ બદ્રકીયા, કુંદનબેન ચંદુલાલ ભાડેશીયા, તથા પ્રવિણાબેન વિજયભાઈ બદ્રકીયાના માતાનું તા. ૨૯ ના રોજ અવસાન થયું છે બેસણું તા. ૩૧ ને ગુરુવારના રોજ બપોરે ૦૩ ૅં ૩૦ થી ૫ કલાક શ્રી સિદ્ઘિ વિનાયક હોલ, સત્યમ પાનવાળી શેરી, શનાળા રોડ મોરબી ખાતે રાખેલ છે.

રાધિકાબેન રાયગગલા

મોરબી : નવગામ ભાટિયા રાધિકા વિશાલભાઈ રાયગગલા (ઉ.વ.૧૬) તે ગોપાલભાઈ, સ્વ. ખટાવભાઈ, સ્વ. જયંતીભાઈ અને હસમુખભાઈ (નાની બચત એજન્ટ)ની પૌત્રી તેમજ આશિષભાઈ, મેહુલભાઈ અને હિતેશભાઈની ભત્રીજી, તથા વિવેકભાઈ અને નીલભાઈની બહેન તેમજ પ્રીતેશ સુધીરભાઈ સંપટ રાજકોટની ભાણેજનું તા. ૨૯ ના રોજ અવસાન થયું છે સદગતનું ઉઠમણું તા. ૩૧ ને ગુરુવારે સાંજે ૫ કલાકે નવગામ ભાટિયા મહાજન વાડી, ઝવેરી શેરી, મોરબી ખાતે રાખેલ છે.

કોકિલાબેન ચૌહાણ

રાજકોટઃ ટંકારાવાળા મચ્છુ કઠિયા સઇ સુતાર જ્ઞાતિના સ્વ.ચીમનભાઇ ચકુભાઇ ચૌહાણના ધર્મપત્ની કોકિલાબેન (ઉ.વ.૭૯) તેઓ સ્વ.શિરીષભાઇના માતુશ્રી, માલિનીબેનના સાસુ, કોમલના દાદી, તેમજ સ્વ.શાંતિભાઇ, સ્વ.નવિનચંદ્ર તેમજ નરેન્દ્રભાઇના ભાભી તેમજ સ્વ.ગોરધનભાઇ, નાગજીભાઇ, પીઠડીયાના દિકરીનું તા.ર૮મીએ અવસાન થયું છે. બેસણું તેમજ પીયર પક્ષની સાદડી તા.૧ શુક્રવારે સવારે ૯-૩૦ થી ૧૦-૩૦ વાગ્યે સુભાષનગર રાતીયા હનુમાન મંદિર આમ્રપાલી પાસે રાખેલ છે.

નરોતમદાસ ડાયાલાલ મેર

રાજકોટ : બ્રહ્મક્ષત્રિય ડાયાલાલ નાનજીભાઇ મેર બાબરા વાાળના પુત્ર નરોતમદાસ મેર (ઉ.વ.૭ર) તે સ્વ. નંદલાલભાઇ, સ્વ. રમણીકલાલ, સ્વ. હિંમતલાલ, સ્વ. શાંતિભાઇના નાનાભાઇ તથા સ્વ. પ્રતાપભાઇના મોટાભાઇ તથા મનોજભાઇ, હર્ષાબેન, નિશાબેન, મીતાબેનના પિતાશ્રી તા.૩૦-૧ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા.૩૧-૧ સવારે ૧૦.૩૦ થી ૧૧ના શીતળા માતાના મંદિર, પટેલવાડીની સામે, ભાવનગર રોડ, રાજકોટ મુકામે રાખેલ છે.

નર્મદાબેન તલસાણીયા

મોરબીઃ ગુર્જર સુતાર નર્મદાબેન દેવકરણભાઇ તલસાણીયા (ઉ.વ.૮૬) તે કાંતીભાઇ, જયંતભાઇ, તથા રમાબેન મણીલાલ બદ્રકીયા તથા કુંદનબેન ચંદુલાલ ભાડેશીયા, પ્રવિણાબેન વિજયભાઇ બદ્રકીયાના માતુશ્રીનું તા.ર૯ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૩૧મીએ ગુરૂવારે શ્રી સિધ્ધી વિનાયક હોલ, સત્યમ પાન વાળી શેરી સરદાર બાગ પાસે શનાળા રોડ મોરબી ખાતે બપોરે ૩-૩૦ થી પ-૦૦ રાખેલ છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

ડાયાલાલભાઇ પોપટ

રાજકોટઃ બાબરા નિવાસી ડાયાલાલ વાલજીભાઇ પોપટ (ઉ.વ.૬૮) (નિવૃત એસ.ટી. કંડકટર) તે ચેતનભાઇ, પારૂલબેન, દિપાલીબેનના પિતાશ્રી તેમજ બાબરાવાળા નંદલાલભાઇ તથા હિંમતભાઇના નાનાભાઇ, તથા ચેતનભાઇ નટવરલાલ રાછ અને મયુરભાઇ લલીતભાઇ મૃગના સસરા તેમજ અમરેલી વાળા મોહનભાઇ દામજીભાઇ અટારાના જમાઇનું તા.ર૭ના અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૩૧ને ગુરૂવારે સાંજે ૪ થી પ, રામેશ્વર મહાદેવ મંદિર, પુનીત સોસાયટી, કોઠારીયા મેઇન રોડ સુતા હનુમાન મંદિરની બાજુમાં રાખેલ છે.

લતાબેન ચૌહાણ

રાજકોટઃ સિધ્ધપુરીયા બારશાખ રાજપૂત લતાબેન રણજીતભાઈ ચૌહાણ (ઉ.વ.૬૯) તે રણજીતભાઈ (ભયલુભાઈ) કેશરભાઈ ચૌહાણ (જી.ઈ.બી.નિવૃત્ત)ના ધર્મપત્ની તથા જગદીશભાઈ, નારણભાઈના ભાભી તથા રોહીતભાઈ, જયેશભાઈ, ચંદ્રેશભાઈના માતુશ્રીનું તા.૨૭ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. બેસણું તા.૧ શુક્રવાર સાંજે ૪ થી ૫:૩૦ કલાકે તેમના નિવાસસ્થાન મવડી મેઈન રોડ, ૨- ઉદયનગર, શેરી નં.૫, સુખસાગર ડેરી વાળી શેરી, રાજકોટ ખાતે રાખેલ છે.

જીતેન્દ્રભાઈ શેઠ

રાજકોટઃ મોટી પાનેલી નિવાસી હાલ રાજકોટ જીતેન્દ્રભાઈ લવચંદ શેઠ (ઉ.વ.૮૧) તે બાલુભાઈ શેઠના મોટાભાઈ, ઈલાબેન રાજેશભાઈ શેઠ, દીનાબેન અશોકકુમાર મહેતા, મીતાબેન અજયકુમાર મહેતાના પિતાશ્રી, સિદ્ધાર્થ, કિંજલ, નૈતિક, આયુષીના નાના, દિપુભાઈ શેઠ અને પિયુષભાઈ શેઠના બાપા, ગુંદાવાળા મણીલાલ જશરાજ મહેતાના જમાઈનું તા.૨૯ને મંગળવારે દુઃખદ અવસાન થયું છે. તેમનું બેસણું- પ્રાર્થનાસભા તા.૩૧ને ગુરૂવારે સાંજે ૪ થી ૫:૩૦ કલાકે, આદિત્ય હાઈટ્સ, 'ઈ' વિંગ, ગોપાલ ચોક, સાધુ વાસવાણી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

નિર્મળાબેન બાટવીયા

રાજકોટઃ ખાખીજાળીયા નિવાસી હાલ રાજકોટ સ્વ.ચંદુલાલ પ્રાણજીવન બાટવીયાના ધર્મપત્નિ નિર્મળાબેન (ઉ.વ.૮૮) તે સ્વ.રાયચંદ જેચંદ મોદીના પુત્રી તેમજ મીનાબેન દિલીપભાઈ દેસાઈ તથા નૈનાબેન ગિરીશભાઈ ભીમાણીના માતુશ્રી તા.૨૭ને રવિવારના રોજ અરિહંતશરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૩૧ને ગુરૂવારના રોજ સવારે ૧૦ કલાકે કોઠારી જૈન ઉપાશ્રય ભકિતનગર સર્કલ પાસે રાખેલ છે. તેમજ તેમની પ્રાર્થના સવારે ૧૦:૩૦ કલાકે ઉપરોકત સ્થળે રાખેલ છે. સદ્દગતનું ચક્ષુદાન કરેલ છે.

શાંતિલાલ દેસાઈ

રાજકોટઃ શાંતીલાલ કસ્તુરચંદભાઈ દેસાઈ (ઉ.વ.૮૪) તે નિર્મળાબેનના પતિ તથા પ્રદીપભાઈ, જયેશભાઈ, શૈલેષભાઈ, દિલીપભાઈ તથા નયનાબેન, પીયુષભાઈના પિતાશ્રીનું તા.૨૯ના રોજ અરિહંતશરણ પામેલ છે. તેમનું બેસણું તા.૩૧ના ગુરૂવારે, સવારે ૯ થી ૧૦ કલાકે, વિશા શ્રીમાળી જૈન સમાજની નવી વાડી, ૧૧ કરણપરા, રાજકોટ ખાતે રાખેલ છે.

ગીતાબેન પંડ્યા

રાજકોટઃ ઔદિચ્ય ગઢીયા બ્રહ્મસમાજ રાજકોટનાં મનસુખલાલ ભાનુશંકર પંડ્યા (ગોંડલ નિવાસી તથા એસબીએસવાળા)નાં ધર્મપત્ની તથા ચિરાગ મનસુખલાલ પંડ્યા (હાલ અમદાવાદ નિવાસી)નાં માતુશ્રી ગીતાબેન એમ.પંડ્યાનું (ઉ.વ.૭૨) તા.૨૮ના રોજ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનું બેસણું તા.૩૧ને ગુરૂવારના રોજ બપોરના ૪ થી ૬ વાગ્યે 'ઉત્સવ' સૌરાષ્ટ્ર યુનિવર્સીટી કર્મચારી સોસાયટી, યુનીવર્સીટી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. મો.૯૪૨૯૧ ૩૨૧૩૫

વર્ષાબેન મહેતા

રાજકોટઃ શ્રી ગુજરાતી શ્રીગૌડ માલવીયા બ્રાહ્મણ સ્વ.દુર્ગાશંકરભાઈ ભાઈશંકરભાઈ મહેતાના પુત્રવધુ વર્ષાબેન દિલીપભાઈ મહેતા (ઉ.વ.૫૨) તે દિલીપભાઈ ડી.મહેતાના ધર્મપત્ની તથા વિજયભાઈ અને અતુલભાઈના ભાભી, મયંકભાઈના માતુશ્રી, યોગેનકુમાર વ્રજલાલ જોશી તથા રાજુભાઈ ઉમેદલાલ જોશીના બહેન તા.૨૯ મંગળવારના રોજ કૈલાસવાસ થયેલ છે. બંને પક્ષનું ઉઠમણું / બેસણું તા.૩૧ને ગુરૂવાર સાંજે ૩ થી ૫, નિવાસસ્થાને ૧૦/૧૧, કૈલાસબાગ સોસાયટી, ગોંડલ મુકામે રાખેલ છે.

હિતેન્દ્રભાઇ શાહ

રાજકોટઃ જૈન દશાશ્રીમાળી જ્ઞાતિના સ્વ. અનુપલાલ સૌભાગ્યચંદ શાહના પુત્ર હિતેન્દ્રભાઇ અનુપલાલ શાહ (ઉ.વ.પ૯) તેઓ અલ્કાબેન, જયશ્રીબેન, ગિરાબેનના ભાઇ તથા જયુભાઇના મામા તા.ર૮ના

અરીહંત શરણ પામેલ છે. જેઓ બેસણું તા.૩૧ના ગુરૂવારે સાંજે ૪ થી પ-૩૦, માં, આલાપ હેરિટેજ, બ્લોક નં. ડી. ૮૬, શ્રી સત્યસાંઇ હાર્ટ હોસ્પીટલ મેઇન રોડ, નાનામવા રોડ ખાતે રાખેલ છે.

રમાબેન પરમાર

રાજકોટઃ લુહાર રમાબેન નવીનચંદ્ર પરમાર (ઉ.વ.૭૦) તે રાજેષભાઇ, અરવિંદભાઇ, મમતાબેન જીતેન્દ્રકુમાર પંચાલ, ભાવનાબેન પ્રકાશકુમાર સિધ્ધપુરાના માતુશ્રીનું તા.ર૯ના અવસાન થયેલ છે.સ્વ.નું બેસણું તા.૩૧ના ગુરૂવારે સાંજે ૪ થી ૬, ગોકુલનગર-ર, પ૦ ફુટનો રોડ, જય અંબે, મયુર પાન સામેની શેરી ખાતે રાખેલ છે.

રાજેશભાઈ ચૌહાણ

 રાજકોટઃ નિવાસી રાજપૂત રાજેશભાઈ ગગજીભાઈ ચૌહાણ (ઉ.વ.૪૫) તે સ્વ.ગગજીભાઈ રામજીભાઈ ચૌહાણ જે એસબીઆઈ કલાર્કના પુત્ર, તે પ્રાગજીભાઈ, મનસુખભાઈ અને કાળુભાઈના ભત્રીજાનું તા.૨૮ને સોમવારના અવસાન થયુ છે. સદ્દગતનું બેસણું તા.૩૧ના રોજ સાંજે ૪ થી ૬ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે, સમર્પણ પાર્ક-૨, રેલનગર નિવાસસ્થાને રાજકોટમાં રાખેલ છે.

સુધીરભાઈ શુકલ

રાજકોટઃ રાજકોટ નિવાસી ઔ.ઝાલા. બ્રાહ્મણ સ્વ.ગિરીજાશંકર વિસનજી શુકલના પુત્ર સુધિરભાઈ (ઉ.વ.૭૨) તે સ્વ.અશ્વિનભાઈ, હરિશભાઈ, કિરીટભાઈ તથા બિમલભાઈના ભાઈ અને કમલભાઈ (પી.જી.વી.સી.એલ.) તથા વિશાલભાઈ (અભિનવ માર્કેટિંગ)ના પિતાનું તા.૩૦ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનું બેસણું તા.૩૧ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬, દરમ્યાન અજન્તા ફલેટ, બ્લોક નં.બી ૩/૪ સાધુ વાસવાણી રોડ, ગંગોત્રી ડેરી પાછળ રાજકોટ તેમના નિવાસસ્થાને રાખેલ છે.

વસંતબેન યાજ્ઞિક

રાજકોટઃ હડીયાણા ચોવીસીવાળા ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સ્વ. અમૃતલાલ યાજ્ઞિકના ધર્મપત્નિ શ્રીમતી વસંતબેન યાજ્ઞિક (ઉ.વ.૮૬) તે હરગોવિંદ લક્ષ્મીશંકર ઠાકરના પુત્રી, તે વિજય યાજ્ઞિકના માતુશ્રી, વીર યાજ્ઞિકના દાદીમાંનુ અવસાન તા.૨૮ના રોજ થયેલ છે. તેમની પીયરપક્ષની તથા સ્વસુરપક્ષની સાદડી તા.૩૧ના રોજ ૪:૩૦ થી ૫:૩૦ વચ્ચે શ્રી રામેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વર ચોક, શ્રીજીનગર, એરપોર્ટ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

રંજનબેન રાયચુરા

રાજકોટઃ ગં.સ્વ. રંજનબેન વિરચંદભાઇ રાયચુરા (ઉ.વ.૭૦) તે વિનુભાઇ અમૃતલાલ રાયચુરાના ભાભી તે સ્વ. કાંતીલાલ ભગવાનજીભાઇ રાયજાદાના પુત્રી  તથા સ્વ. યશવંતભાઇ (આરડીસી કર્મચારી બેંક) તથા રામભાઇ (આરએનએસબી બેંક)ના બહેન તા.૨૯ને મંગળવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું તેમજ પિયરપક્ષની સાદડી તા.૩૧ને ગુરૂવારે સાંજે ૫ થી ૬ રામવાડી મંદિર કરણપરા શેરી નંબર ૩ ખાતે રાખેલ છે.

નાનજીભાઇ વાજા

રાજકોટઃ સ્વ. નાનજીભાઇ મોહનભાઇ વાજા (ઉ.વ.૭૫) તે સ્વ. ભીખુભાઇ, સ્વ. નવલભાઇ, તથા મનહરભાઇ, કાનજીભાઇ, રસીકભાઇના મોટાભાઇ (એસટી નિવૃત કર્મચારી) નું તા.૨૮ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ સ્વ. ભીખુભાઇ મોહનભાઇ વાજા (ભુવા) ભોમેશ્વરવાડી, ૧/૫ ને ત્યાં ''કુળદેવી કુપા'' જામનગર રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

દિનેશભાઇ પારેખ

રાજકોટઃ  સોની દિનેશભાઇ મથુરદાસ પારેખ (ઉ.વ.૬૩) તે સ્વ. મથુરદાસ વનમાલીદાસ પારેખ (વાવડીવાળા)ના પુત્ર તે દિપકભાઇ ભાગ્યેશભાઇ મનોજભાઇના મોટાભાઇ કૌશલભાઇ, શીતલબેન, જીતેશકુમાર, પચીગરના પિતાજી તથા સ્વ. હરગોવિંદભાઇ ડાયાભાઇ રાણપરા, (જીબુટીવાળા)ના જમાઇનું આજરોજના તા.૩૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સ્વ.નું બંને પક્ષનું બેસણું ગુરૂવાર તા.૩૧ને સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦ વાઘેશ્વરીની વાડી યુનિટ નં.૩ રામનાથપરા ખાતે રાખેલ છે.

અજીતસિંહ સિસોદિયા

રાજકોટઃ અજીતસિંહ બી. સિસોદિયા (ઉ.વ.૮૪), નિવૃત કર્મચારી, જીઇબી તે વર્ષાબહેનના પિતાશ્રીનું આજરોજ તા. ૩૦-૦૧-૨૦૧૯ના રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા. ૩૧-૦૧-૧૯ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી પ કલાકે અમરનાથ મહાદેવ મંદિર, સ્વામિનારાયણ મંદિર પાછળ, કાલાવડ રોડ રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. તેમની લોૈકિક ક્રિયા રાખવામાં આવેલ નથી.