Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022
ભાવનગરનાં ઉદ્યોગપતિ વલ્લભદાસ સવાણીનું અવસાનઃ દેહદાન

(મેઘના વિપુલ હિરાણી દ્વારા), ભાવનગરઃ ભાવનગરના ઉદ્યોગપતિ સવાણી વલ્લભદાસ જીવાભાઈનું અવસાન થતાં તેમના પરિવારજનો દ્વારા સ્‍વજનનું ચક્ષુદાન અને દેહદાનનું પુણ્‍ય કાર્ય કર્યું હતું ઈન્‍ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા  દેહદાનનો સ્‍વીકાર કરીને ભાવનગર મેડિકલ કોલેજ ખાતે તબીબી પરીક્ષણ અર્થે મોકલી આપેલ છે.       

સ્‍વ.વલ્લભભાઈ સવાણી અનેક સામાજિક સેવાઓ સાથે સંકળાયેલ હતા અને ભાવનગરના સાહસિક ઉદ્યોગકારો પૈકી નામના ધરાવતા હતા તેમણે દસ વર્ષ પહેલાં તેમના મળત્‍યુબાદ ચક્ષુદાન અને દેહદાનનો સંકલ્‍પ કર્યો હતો. રેડક્રોસ દ્વારા ભાવેણાનું આ ૯૫૬મું દેહદાન સ્‍વીકારવા માં આવ્‍યું હતું. ભાવનગરના અનેક લોકો એવા છે જે પોતાના મળત્‍યુ પહેલા રેડક્રોસ ખાતે આવી ને અથવા કેમ્‍પના માધ્‍યમથી પોતે ચક્ષુદાન અને દેહદાનનો અને હાલમાં અંગદાન માટે સંકલ્‍પ કર્યો હોય છે અને નોંધણી કરાવેલ હોય છે નોંધણી કરનાર ને રેડક્રોસ દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે રેડક્રોસ દ્વારા ચક્ષુદાન, દેહદાન,અને અંગદાન જાગૃતિ માટેનું અભિયાન ચલાવવામાં આવે છે અને સ્‍વીકારવામાં પણ આવે છે. રેડક્રોસ દિવનપરા રોડ, બાર્ટન લાઈબ્રેરી સામે , ભાવનગર ખાતે થી સંકલ્‍પપત્ર મેળવી શકાય છે અને સંકલ્‍પ ન પણ કરેલ હોય તો પણ સ્‍વજનના અવસાન સમયે તેમના પરિવારજનોની સંમતિથી ચક્ષુદાન અને દેહદાન કરી શકાય છે જે માટે રેડક્રોસ દ્વારા ૨૪ કલાક સેવા ચાલી રહી છે જેનો સંપર્ક - ૯૪૨૯૪ ૦૬૨૦૨, ૯૮૨૫૫ ૬૬૬૪૨ અને (૦૨૭૮) ૨૪૨૪૭૬૧, ૨૪૩૦૭૦૦ ઉપર સંપર્ક કરી શકાય છે.

એક નવતર અનુક્રમ પ્રમાણે  સ્‍વ.વલ્લભભાઈ સવાણીની પ્રાર્થના સભા તા.૨૭મે શુક્રવારે સવારે ૯ થી ૧૨ કલાક સુધી રોટરી હોલ, ઘોઘાસર્કલ,ભાવનગર ખાતે રાખેલ હોય ત્‍યાં પણ આવનાર લોકો માટે ચક્ષુદાન, દેહદાન અને અંગદાનના સંકલ્‍પપત્ર ભરવાની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે.

ડો.જનેશભાઇ જોશીનું દુઃખદ અવસાનઃ રવિવાર રાજકોટમાં બેસણું : જેતપુરના બાળરોગ નિષ્‍ણાંત હાલ અમેરિકા

રાજકોટઃ જેતપુરના બાળરોગ નિષ્‍ણાંત હાલ અમેરિકા ડો.જનેશભાઇ જે.જોશી (ઉ.વર્ષ ૬૭) તે સ્‍વ. જાદવરાય સુંદરજી જોશી અને સ્‍વ. જયાલક્ષ્મીબેન જે. જોશીના સુપુત્ર, રાજકોટ સ્‍વ. કનુભાઇ એમ.વ્‍યાસ તથા સ્‍વ.વિનોદબેન કે.વ્‍યાસના જમાઇ, તે મીનાબેન ના પતિ, તે નિધિબેન તેજસભાઇ પંડયા USA અને માર્ગીબેન કુનાલભાઇ શાહ USA ના પિતાશ્રી, સ્‍વ.અતુલભાઇ અને રાહુલભાઇ વ્‍યાસના બનેવી તથા ડો. ઉષાબેન રાજેશભાઇ પટેલUSA અને દક્ષાબેન સંજીવભાઇ શુકલ UK ના ભાઇનું તા.૨૨ ને રવિવાર ના રોજ અમેરિકા મુકામે દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું રાજકોટ મુકામે તા.૨૯ને રવિવારે સવારે ૧૦થી ૧૨ વાગ્‍યે મેસોનિક હોલ ભઁુતખાના ચોક એસ.ટી.બસ સ્‍ટેન્‍ડની બાજુમાં ઢેબર રોડ રાજકોટ ખાતે રાખેલ છે. રાહુલભાઇ વ્‍યાસ મો. ૯૮૨૪૦ ૫૬૫૫૩

 

અવસાન નોંધ

વિણાબેન શુકલ
રાજકોટ : રાજકોટ નિવાસી ઔદિચ્‍ય ગુજરાતી સાડાચારસો જ્ઞાતિ બ્રાહ્મણ વિણાબહેન ગીરીશકુમાર શુકલ, ઉ.વ.૭૦ તે સ્‍વ. શ્રી ગીરીશભાઇ છોટાલાલ શુકલ (જીઇબી), ના ધર્મપત્‍નિ તથા માધવીબહેન પરાગકુમાર આચાર્ય (શુકલ)ના માતૃશ્રીનું તા. ર૪ ને મંગળવારે અવસાન થયેલ છે. બેસણુ તા. ર૮ ને શનિવારે સાંજે ૪.૩૦ થી ૬.૩૦ રાધાકૃષ્‍ણ મંદિર, આશાપુરા મંદિરની પાસે, એરપોર્ટની દિવાલ સામે, લાખના બંગલાવાળા રોડ, પ્રજાપતિની વાડી પાછળ, ગાંધીગ્રામ, રાજકોટ ખાતે રાખેલ છે.

કુદંનબેન પંડયા

રાજકોટઃ વાલમ બ્રાહ્મણ અ.સૌ. કુંદનબેન મુકુંદભાઇ પંડયા જેઓ મુકુંદભાઇ વનમાળીદાસ પંડયાના ધર્મ પત્ની (ઉ.વ.૮૬) તથા મોહનભાઇ ઇશ્વરલાલ વ્યાસના સુપુત્રી તેમજ નયનાબેન જનકભાઇ ઉપાધ્યાય, જયશ્રીબેન સતિષભાઇ વ્યાસ, નરેશભાઇ મુકુંદભાઇ પંડયા તથા દિવ્યેશભાઇ મુકુંદભાઇ પંડયાના માતૃશ્રી તથા પુજા, આશુતોષ, ભાર્ગવી, હેમાદ્રી, પુજનનાં દાદીમાં તથા રૃષી, રાહુલ, ધ્વનિ, ધારા તથા નિધિનાં નાનીમાં તથા ભાવનાબેન નેરશભાઇ પંડયા અને નીતાબેન દિવ્યેશભાઇ પંડયાનાં સાસુનું તથા મંજુલાબેન ઉપેન્દ્રભાઇ તથા ઉર્મીલાબેન પ્રદીપભાઇ ઉપાધ્યાયના મોટા બહેનનું તા.૨૬ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૨૮ ના રોજ સાંજે ૫.૩૦થી ૬.૩૦ તેમના નિવાસસ્થાને ''શિવમ'', ૭૦બી ન્યુ બહાદુર કો.ઓ.હા.સોેસાયટી, ઢેબર રોડ(સાઉથ), રાજકોટ ખાતે રાખેલ છે.

મનનભાઇ વ્યાસ

રાજકોટ: ઔ. ખરેડી સમવાય બ્રાહ્મણ મનન નિરંજનભાઇ વ્યાસ (ઉ.વ.૪૧) તે સ્વ. નિરંજનભાઇ ગુલાબરાય વ્યાસના પુત્ર, મયુરભાઇના ભાઇ તેમજ ભૂમિકાબેન વ્યાસના દિયર, દેવાંગીબેનના પતિ, તેમજ ભરતભાઇ જયસુખલાલ જોષી (રાજકોટ) ના જમાઇ, કોમલબેન પ્રયાગરાજ ભટ્ટ (ગોંડલ)ના બનેવીનું તા. રપ ના અવસાન થયેલ છે. બેસણુ તા. ર૮ ને શનિવારે સાંજે પ.૩૦ થી ૬.૩૦ વાગ્યે પાબારી હોલ, જામનગર ખાતે રાખેલ છે. મો. ૯૪ર૯ર ૭ર૧૯ર.

ભીખુભાઇ દાવડા

જેતલસર:.. દેવકીગાલોળ નિવાસી ભીખુભાઇ વિરજીભાઇ દાવડા તે મહેશભાઇ, સંજયભાઇના પિતાશ્રી તથા હકુભાઇ, બાબુભાઇના મોટાભાઇનું તા. રપ ના અવસાન થયું છે. બેસણું તા. ર૭ ને શુક્રવારે તેમના નિવાસસ્થાને સાંજે ૪ થી ૬ છે.

વિણાબેન શુકલ

રાજકોટ: રાજકોટ નિવાસી ઔદિચ્ય ગુજરાતી સાડાચારસો જ્ઞાતિ બ્રાહ્મણ વિણાબહેન ગીરીશકુમાર શુકલ, ઉ.વ.૭૦ તે સ્વ. શ્રી ગીરીશભાઇ છોટાલાલ શુકલ (જીઇબી), ના ધર્મપત્નિ તથા માધવીબહેન પરાગકુમાર આચાર્ય (શુકલ)ના માતૃશ્રીનું તા. ર૪ ને મંગળવારે અવસાન થયેલ છે. બેસણુ તા. ર૮ ને શનિવારે સાંજે ૪.૩૦ થી ૬.૩૦ રાધાકૃષ્ણ મંદિર, આશાપુરા મંદિરની પાસે, એરપોર્ટની દિવાલ સામે, લાખના બંગલાવાળા રોડ, પ્રજાપતિની વાડી પાછળ, ગાંધીગ્રામ, રાજકોટ ખાતે રાખેલ છે.