Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021
'હરીઆતા' તરીકે જાણીતા આગેવાનના નિધનથી ઘેરોશોક

જસદણ માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન હરીભાઇ સાવલીયાનું અવસાન

 

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા.૨૬ : જસદણતાલુકાના સહકારી ક્ષેત્રના આગેવાન અને જસદણ માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન હરીભાઇ રામજીભાઇ સાવલીયાનું ૮૮ વર્ષની વયે અવસાન થતા તાલુકાના સહકારી ક્ષેત્રે અને જીવાપર ગામમાં શોક છવાઇ ગયો છે.હરીઆતાના હુલામણા નામે ઓળખાતા આ આગેવાન અગાઉ જસદણ માર્કેટ યાર્ડના પ્રમુખ પણ રહી ચૂકયા છે.

જસદણ તાલુકામાં દરેક રાજકીય પક્ષના આગેવાનો પણ હરીઆતાને માન આપતા હતા. તેમના વ્યાજબી સુચનને આજ દિવસ સુધી દરેક આગેવાનો માનતા હતા.ગઇકાલે સવારે જીવાપર ગામે તેમની સ્મશાન યાત્રામાં જીવાપર તેમજ આજુબાજુના ગામના લોકો અને રાજકીય, સામાજીક અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

હરીઆતાના અવસાનથી સહકારી ક્ષેત્રે શોક છવાઇ ગયો છે.

ડો. સુનીલભાઇ અને ડો. વિપુલભાઇના ટોલીયાના માતુશ્રીનું નિધનઃ ગુરૂવારે ટેલીફોનીક બેસણું : નવૃત ડેપ્યુટી કલે. એલ.પી. ટોલીયાના ધર્મપત્નિ તથા

રાજકોટઃ સ્થાનકવાસી જૈન સમાજના ટોલીયા પરિવારના મોભી ગં.સ્વ. શ્રીમતી જયાબેન ટોલીયા (ઉ.વ.૮૬) તા.૨૫ના અરિહંત શરણ પામેલ છે. તેઓ નિવૃત ડેપ્યુટી કલેકટરશ્રી સ્વ. લાલચંદભાઇ પાનાચંદભાઇ ટોલીયાના ધર્મપત્નિ, તેઓ શ્રી ડો. સુનીલભાઇ ટોલીયા, ડો. વિપુલભાઇ ટોલીયા, ગં.સ્વ. શ્રીમતી વર્ષાબેન નરેશભાઇ પારેખ, શ્રીમતી નીતાબેન મયુરભાઇ કપાસી (ભાવનગર)ના માતુશ્રી તથા શ્રીમતી હર્ષાબેન ટોલીયા, શ્રીમતી નિપાબેન ટોલીયાના સાસુજી, તેમજ મીત ટોલીયા (ઓસ્ટ્રેલીયા), આકાશ ટોલીયા (અમદાવાદ), નિસર્ગ ટોલીયા (કેનેડા), અને ઇષીતા હર્ષલ દોશીના દાદીશ્રીનું ટેલીફોનીક બેસણું ગુરૂવારે તા.૨૮ના રોજ સાંજના ૪ થી ૬ રાખવામાં આવેલ છે. ડો. સુનીલ ટોલીયા મો.૯૪૨૭૩ ૬૩૭૮૦, ડો. વિપુલ ટોલીયા મો.૯૪૨૭૨ ૦૯૯૩૨

જાણીતા ઓર્થોપેડીક સર્જન ડો. ધરમ ચંદ્રાણીના પિતાશ્રીનું દુઃખદ અવસાન : ગુરૂવારે સાંજે ૪ થી ૬ બેસણું

રાજકોટઃ જાણીતા ઓર્થોપેડીક સર્જન ડો. ધરમ ચંદ્રાણીના પિતાશ્રી અને ગાયનેકોલોજીસ્ટ ડો. આરતી ચંદ્રાણીના સસરા શ્રી પ્રફુલભાઇ ચંદ્રાણી શ્રીજી ચરણ પામેલ છે. શ્રી પ્રફુલભાઇ ચંદ્રાણી મુળ વેરાવળના હતા. અને છેલ્લા ૬ વર્ષથી રાજકોટ સ્થિત હતા. તેઓ વેરાવળ લોહાણા સમાજના  અગ્રણી વ્યકિત હતા. તેઓને કેન્સરની બિમારી હતી. સદગતનું બેસણું તા.૨૮ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ ડો. ધરમ ચંદ્રાણીના નિવાસ સ્થાને (આદિનાથ ટાવર્સ, ગેલેકસી સિનેમાની બાજુમાં) રાખેલ છે.

અવસાન નોંધ

રાણા હરીશ્ચન્દ્રસિંહ

વાંકાનેરઃ મુળ ગામ ખાંડીયા, હાલ વાંકાનેર નિવાસી રાણા હરીશ્ચન્દ્રસિંહ નારૂભા ભીખુભા (ઉ.પ૮) તેઓ તા.રપ, આસોવદ પાંચમને સોમવારના રોજ રામચરણ પામેલ છે. બેસણું તા.ર૮ મીએ શુક્રવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન ભાટીયા સોસાયટી વાંકાનેર ખાતે રાખલ છે. ઉત્તરક્રિયા તા.૩૧ને રવિવારે રાખેલ છે. લખધીરસિંહ ભીખુભા રાણા (મો.૯૪ર૮ર ૮૧૦૮૧)

સૌરભ ભટ્ટ

રાજકોટઃ બારડોલી નિવાસી હાલ રાજકોટ, નચિકેત નિયંતાના  પિતાશ્રી અને વંદનાબેનના પતિ સૌરભ ચંદ્રકાન્ત ભટ્ટ (સૌરાષ્ટ્ર યુનિવર્સીટી-બાયો સાયન્સ ડીપા.)નું તા.૨૪ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૮ને ગુરૂવારે સાંજે ૫ થી ૬ કલાકે અમરનાથ મહાદેવ મંદિર, જગન્નાથ પ્લોટ મેઇન રોડ બીગ બજાર વાળી શેરી રાજકોટ ખાતે રાખેલ છે.