Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018
અવસાન નોંધ

અમદાવાદના ડાહ્યાભાઈ પાઠકનું અવસાનઃ સોમવારે સાંજે બેસણુ

રાજકોટઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ અમદાવાદ નિવાસી ડાહ્યાભાઈ પ્રાણજીવનભાઈ પાઠક (ઉ.વ.૭૨) તે ગીતાબેનના પતિ તથા રાજેશભાઈ અને અલ્પેશભાઈના પિતાશ્રી તથા મેઘ પાઠકના દાદા, ઉમેશભાઈ પાઠક (રાણીપ)ના કાકા, ઉમેશભાઈ જે. જોષી (વલારડી)ના બનેવી તથા મણીભાઈ ભટ્ટ, ગીજુભાઈ ભટ્ટ (રાણસીકી)ના ભાણેજ જમાઈનું તા. ૨૨ના અવસાન થયેલ છે. બેસણુ તા. ૨૭ને સોમવારે સાંજે ૪ થી ૬ બી-૬૦૨ દેવ ઓરમ, વૃંદાવન હાઈટસની પાછળ, એસબીઆઈ બેન્કની સામે, ગોતા રોડ, ગોદરેજ ગાર્ડન સીટી-અમદાવાદ ખાતે રાખેલ છે.

વાંકાનેરના રમણીકલાલ જાનીનું દુઃખદ અવસાનઃ સોમવારે ઉઠમણુ

વાંકાનેર : ચા.મ.મોઢ બ્રાહ્મણ મૂળ ખાનપર હાલ વાંકાનેર રમણીકલાલ કલ્યાણજી જાની (ઉ.વ.૮૭) તે રાજુભાઇ (બી.ઓ.બી.) મહેશભાઇ (જિ.પં. મોરબી), હરેશભાઇ તથા સનતભાઇ તેમજ (સ્વ.) કુંન્દનબેન મહેશકુમાર દવેના પિતાશ્રી તેમજ (સ્વ.) ક્રિપાશંકરભાઇ (સ્વ.) દેવશંકરભાઇ, (સ્વ.) મગનભાઇના ભાઇ તેમજ (સ્વ.) દલપતરામ રામજીભાઇ પંડયા (વાંકાનેર)ના જમાઇ, (સ્વ.) કિશોર ચંદ્ર ડી. પંડયા તથા દિનેશ ચંદ્ર ડી. પંડયાના બનેવીનું તા. ૨૪-૮-૧૮ ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા શ્વસુર પક્ષનું બેસણું તા. ૨૭ને સોમવાર સાંજેે પ કલાકે ચા.મ.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, ભાટિયા, સોસાયટી વાંકાનેર ખાતે રાખેલ છે.

જયંતભાઈ મહેતા

રાજકોટઃ જયંતભાઈ જગદીશભાઈ મહેતા (રીટાયર્ડ કર્મચારી એલઆઈસી, રાજકોટ) (ઉ.વ.૭૦) તે જીતેન્દ્રભાઈ તથા અશોકભાઈ અશ્વીનભાઈ મહેતા તથા પિયુષભાઈ જગદીશભાઈ મહેતાના ભાઈ મીતુલભાઈના પિતાશ્રી તથા જયમનભાઈના ભાઈજી તે હરીભાઈ કલ્યાણજીભાઈ શેઠના જમાઈનું તા.૨૩ ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું સરદારનગર ઉપાશ્રય ખાતે તા.૨૭ સોમવારના સાંજે ૪:૩૦ વાગ્યે રાખેલ છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

સુમીત્રાબેન ભરતીયા

રાજકોટઃ સ્વ.પ્રહલાદરાય ભરતીયા (મુરાલીલાલ એન્ડ કંપની)ના ધર્મપત્ની સુમીત્રાબેન (ઉ.વ.૮૫) તે સુશીલાબેન પવનકુમાર મોર, અનુરાધાબેન પ્રહલાદરાય ભરતીયા (દીપશીખા એકટીવીટી સેન્ટર) તથા અલ્કાબેન દિનેશભાઈ પુજારાના માતુશ્રીની તા.૨૫ને શનિવારના રોજ અવસાન થયેલ છે. તેમનું પ્રાર્થનાસભા તા.૨૭ સોમવાર, સાંજે ૫ થી ૬:૩૦ કલાકે, પારસ કોમ્યુનીટી હોલ, પારસ સોસાયટી, નીર્મલા સ્કુલ સામે, રાજકોટ ખાતે રાખેલ છે.

ભગીરથસિંહ ચુડાસમા

રાજકોટ : નવલસિંહ હરીસીહ ચુડાસમાના પુત્ર ભગીરથસિંહ (ઉ.વ.૨૮) તે ખોડુભા, ગોવિંદસિંહ, કનકસિંહ તથા ભુપતસિંહના ભત્રીજા, સંજયસિંહ, ઘનશ્યામસિંહ, ધ્રુવપાલસિંહ, ભવદીપસિંહ તથા સિદ્ધાર્થસિંહના ભાઈ, કિશોરભાઈ મુકુંદભાઈ કથ્રેચાના જમાઈ તા.૨૪ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૭ને સોમવારે સાંજે ૪ થી ૬ કોરડીયા રાજપૂત સમાજની વાડી, મવડી ચોકડી, ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે રાખેલ છે.

અસ્મિતાબેન વણઝારા

રાજકોટ : સ્ટેશન વાવડી નિવાસી હાલ રાજકોટ ઠા. મનસુખલાલ વેલજીભાઈ વણઝારાના પુત્રવધુ, તે ભરતભાઈના ધર્મપત્નિ અમિસ્તાબેન (ઉ.વ.૪૪) તે વૃજલાલ ભીમજીભાઈ મસરાણી (વીજપડી)ના પુત્રીનું તા.૨૫ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૭ને સોમવારે સાંજે ૪ થી ૫ વિશ્વેશ્વર મહાદેવ મંદિર, મવડી મેઈન રોડ, ખાતે રાખેલ છે. મો. ૯૮૨૪૨ ૮૮૮૦૧.

મનહરભાઈ પોપટ

રાજકોટ : સ્વ. દ્વારકાદાસભાઈ કલ્યાણજીભાઈ પોપટના પુત્ર મનહરભાઈ (બટુકભાઈ) તે ભરતભાઈ, બાલુભાઈ, પુષ્પાબેન, હર્ષાબેન તથા રેખાબેનના મોટાભાઈ જયોત્સનાબેનના પતિ અમદાવાદ નિવાસી સ્વ. લાલજીભાઈ રામજીભાઈ ઠક્કરના જમાઈનું તા.૨૪ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૭ સોમવારે સાંજે ૫ વાગ્યે ગાયત્રી મંદિર (બગીચા)માં આનંદનગર કોલોની, નિલકંઠ ટોકીઝ પાસે રાખેલ છે. બંને પક્ષનું લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

લક્ષ્મીબેન પોપટ

બાબરાઃ ઠા.ભીખુભાઇ નરસીંહભાઇ પોપટના ધર્મપત્ની લક્ષ્મીબેન ઉ.વ.૮૨ તેઓ ભરતભાઇ ના માતુશ્રી જેનીલભાઇના દાદીમાં નું તા.૨૫ના અવસાન થયુ છે. ઉઠમણું તા.૨૭ સોમવાર સાંજે ૫ કલાકે લોહાણા મહાજન વાડી બાબરા ખાતે રાખેલ છે.

રમણીકલાલ જાની

વાંકાનેરઃ ચા.મ.મોઢ બ્રાહ્મણ મૂળ ખાનપર હાલ વાંકાનેર નિવાસી રમણીકલાલ કલ્યાણજી જાની (ઉ.વ. ૮૭) તે રાજુભાઇ (બી.ઓ.બી.), મહેશભાઇ (જીલ્લા પંચાયત મોરબી), હરેશભાઇ, સનતભાઇ, સ્વ. કુંદનબેન મહેશકુમાર દવેના પિતા, સ્વ. ક્રિપાશંકરભાઇ, સ્વ. દેવશંકરભાઇ, સ્વ. મગનભાઇના ભાઇ, સ્વ. દલપતરામ રામજીભાઇ પંડયા (વાંકાનેર)ના જમાઇ, સ્વ. કિશોરચંદ્ર ડી. પંડયા અને દિનેશચંદ્ર ડી. પંડયાના બનેવી તા. ર૪ના અવસાન થયેલ છે. ઉઠમણું તથા શ્વસુર પક્ષનું બેસણું તા. ર૭ને સોમવારે સાંજે પ-૦૦ કલાકે, ચા.મ. મોઢ, બ્રાહણ જ્ઞાતિની વાડી, ભાટિયા સોસાયટી વાંકાનેર ખાતે રાખેલ છે.

રણજીતસિંહ ઝાલા

મોરબીઃ મુ.નેકનામ નિવાસી હાલ મોરબી ઝાલા રણજીતસિંહ શીવુભા (ઉ.વ.૬૪) (નિવૃત એએસઆઇ)ને ભીખુભા , પ્રવિણસિંહ, વિક્રમસિંહ, મહીપતસિંહના મોટાભાઇ તથા અશ્વીનસિંહ તથા મહેન્દ્રસિંહના પિતાનું તા.ર૪ ના અવસાન થયેલ છે. બેસણું તા.ર૭ને સોમવારે સાંજે ૪ થી ૬ સતવારા નવગામની વાડી કાલીકા પ્લોટ ખાતે રાખેલ છે તેમજ તેમની ઉતરક્રિયા તા.૪-૯-૧૮એ ઉપરોકત સરનામે રાખેલ છે.

હંસાબેન ધારૈયા

જામકંંડોરણા : મુળ કુકાવાવ હાલ જામકંડોરણા નિવાસી  હંસાબેન અરવિંદભાઇ ધારૈયા (ઉ.વ. ૫૨) તે  અરવિંદભાઇ ધારૈયાના ધર્મપત્ની તેમજ રવિ તથા મનિષના માતુશ્રી અને વલ્લભભાઇ તથા દિનેશભાઇના  બહેનનું તા. ૨૩ ને ગુરૂવારે અવસાન થયેલ છે. બેસણું તા. ૨૭ ને સોમવારે તેમના નિવાસ સ્થાને રાખેલ છે

શિલાબેન પંડયા

ધોરાજી : ઔદીચ્ય ગઢિયા બ્રાહ્મણ હાલ મુન્દ્રા શિલાબેન કનુભાઇ પંડયા (ઉ.વ.૬૯) તે મહેશભાઇ દેવયાનીબેન અશોકકુમાર ભટ્ટૃ, જયોતિકાબેન અભયકુમાર પંડયા, ભાવિકાબેન અંબરીશકુમાર મહેતાના માતાનું તા. ર૪ ના અવસાન થયેલ છે. બેસણું તા. ર૭ સોમવાર સાંજે ૪ થી ૬ સુવાસ વાડી, આશાપુરા ગોંડલ ખાતે રાખવામાં આવેલ છે.

દામોદરભાઇ મહેતા

ગોંડલ : મુળ મંડલિકપુર નિવાસી હાલ જુનાગઢ દોલતપરા સ્વ. દામોદર ભાઇ પોપટલાલ મહેતા (ઉ.વ.૮૩) તે ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ સંજય અદા (બહુચરાજી મંદિર ધોરાજીના પૂજારી) જગદીશભાઇ, હિતેશભાઇ, લાભશંકરભાઇ, ધર્મેન્દ્રભાઇ, ના કાકા, તેમજ રવી, અર્જુન, ચિંતન, ઋત્વિકના દાદાનું તા. ર૧ના અવસાન થયુ છે.

જયોત્સનાબેન ઉમરાણીયા

ગોંડલ : જયોત્સનાબેન રમેશભાઇ ઉમરાણીયા (ઉ.વ.૬૫) હાલ મોરબી તે સ્વ. ગીરધરલાલ ધરમશીભાઇ પિત્રોડા, નટુભાઇ પિત્રોડા, કિશોરભાઇ પિત્રોડાના બહેનનું તા. ૨૪ના અવસાન થયેલ છે, બેસણું તા. ૨૭ સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે મચ્છુ કઠિયા લુહાર જ્ઞાતિની વાડી, સ્ટેશન પ્લોટ, ગોંડલ ખાતે રાખેલ છે.(મોસાળ પક્ષ)

પુષ્પાબેન અઘારા

રાજકોટઃ ગુર્જર સુથાર અ.સૌ. પુષ્પાબેન (જશુબેન) અઘારા (ઉ.વ.૭૩) તે ચત્રભુજભાઇ (બચુભાઇ) વિઠ્ઠલભાઇ અઘારાના ધર્મપત્ની તથા પ્રદિપભાઇ, ભૂપેન્દ્રભાઇ, પ્રફુલભાઇના માતુશ્રી તેમજ સ્વ.કનકબેન, મનુભાઇના કાકી તથા જુબીન, ઇશ્વા, રૂચિ, હિરલના દાદી તથા પૂજાના નાની તેમજ મોહનભાઇ જેઠાભાઇ કડેચા મોરબી (લજાઇવાળા)ના દિકરીનું તા.રરના અવસાન થયેલ છે. સદ્દગતનું બન્ને પક્ષનું સંયુકત બેસણું તા.રપને શનિવાર સાંજે ૪ થી ૬ શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ, ૭/૧૦ ભકિતનગર સ્ટેશન પ્લોટ, ખાતે રાખેલ છે.

જયોતીબેન કામાણી

રાજકોટઃ કલકત્તા નિવાસી સ્વ.લીલાધર હિરાચંદ કામાણીના પુત્રવધુ જયોતિબેન ડોલરભાઇ કામાણી (ઉ.વ.૭૮) તે નિતા, માધવી, ભાવીનના માતુશ્રી, તે જયેન, સંજય તથા મોનાના સાસુ, તે રમેશભાઇ, રોહિતભાઇ, બકુલભાઇ, સ્વ.મધુબેન, આશાબેન, ઇન્દુબેનના ભાભી, તે રમાબેન, સ્વ.નિધિનભાઇ, તુષારભાઇ મણીલાલ ઝવેરીના બહેન શુક્રવાર તા.ર૪ના બેંગલોર મુકામે અરિહંત શરણ પામેલ છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.

શારદાબેન જોષી

રાજકોટઃ ઔદિચ્ય ગઢિયા બ્રહ્મસમાજના શારદાબેન ચંપકલાલ (નર્મદાશંકર) જોષી (ઉ.વ.૯૩) તે ડો.વિનોદરાય, ડો.વસંતરાય, સ્વ.ડો. ભુપતભાઇ, ડો.અનીલભાઇના માતુશ્રી તથા ડો. દીક્ષીતભાઇ, અમીતભાઇ, સમીરભાઇ, મોહીતભાઇ, સ્વ. નિહારભાઇ, ડો.પ્રતીકભાઇના દાદીશ્રીનું તા.ર૪ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.ર૭ને સોમવારે સાંજે ૪ થી ૬, 'સમીર', ર/૬ બાલમુકુંદ પ્લોટ, નિર્મલા કોન્વેન્ટ સ્કુલ રોડ, જયોતિ એપાર્ટમેન્ટ પાછળ, ખાતે રાખેલ છે.

વિનોદરાય જોષી

રાજકોટઃ મહારાજ શ્રી ઔવદીચ્ય ઘેલારામજી બ્રાહ્મણ જ્ઞાતિના સ્વ.દુર્લભજી અંબારામ જોષીના જયેષ્ઠ પુત્ર વિનોદરાય દુર્લભજી જોષી (ઉ.વ.૮૧) (રીટાયર્ડ પોસ્ટ ઓફિસ)નું તા.ર૪ના શુક્રવારના રોજ કૈલાસવાસ પામેલ છે તે જીતેષભાઇ તથા અલ્પેશભાઇ તથા નીનાબેનના પિતાશ્રી તથા અરૂણકુમાર રાજયગુરૂના સસરા તથા પ્રમોદભાઇ જોષી ગોંડલ, શુશીલાબેન રાવલ રાજકોટ સ્વ.કંચનબેન ધોરાજી શોભનાબેન અમરેલી તથા પ્રફુલાબેન સુરેન્દ્રનગરના મોટાભાઇ તથા વાવડીવાળા શાંતિભાઇ હીરજીભાઇ વ્યાસના જમાઇનું બેસણું તા.ર૭ને સોમવારે સાંજે ૪ થી ૬માં શ્રી ઘેલારામજી જ્ઞાીતની વાડી જયંત કે.જી. મેઇન રોડ ઉપર રાખેલ છે.

હીંમાશુભાઇ માટલીયા

રાજકોટઃ આજીવન અનસન આરાધન હીંમાશુભાઇ હસમુખરાય માટલીયા (ઉ.વ.૩૬) સંથારાની ઉંચી આરાધના કરી તેમની પાલખી યાત્રા શ્રી ઋષભાનન સ્થા. જૈન ઉપાશ્રયથી નિકળી હતી. જેમાં સેંકડો શ્રાવક - શ્રાવિકાઓએ ભાગ લીધેલ. તેમની ગુણાનુવાદસભા સોમવારે સવારે ૯-૧પ કલાકે શ્રી ઋષભાનન સ્થા. જૈન ઉપાશ્રય, ૧,તિરૂપતિનગર ખાતે તેમજ મંગળવારે સવારે ૯-૧પ કલાકે શ્રી આનંદનગર સ્થા. જૈન ઉપાશ્રય, સાધના સોસાયટી ખાતે રાખેલ છે.

સવીતાબેન ચૌહાણ

છોડવડીઃ મોચી સ્વ.સવીતાબેન બાબુભાઇ ચૌહાણ તે રમેશભાઇ, ભરતભાઇ તથા ધીરૂભાઇના માતુશ્રી તથા બટુકભાઇ કાનજીભાઇ ચૌહાણના ભાભી તા.ર૪ના શુક્રવારે રામ ચરણ પામેલ છે. તેમની ઉતરક્રિયા તા.૧ને શનિવારે તેમના નિવાસ સ્થાને  છોડવડી, તાલુકો ભેંસાણ, જીલ્લો જુનાગઢ ખાતે રાખેલ છે.

મિનાબેન વ્યાસ

મોટી કુંકાવાવઃ નિવાસી (હાલ ભાવનગર) સ્વ.અતુલભાઇ શિવલાલભાઇ વ્યાસના પત્ની મિનાબેન (ઉ.વ.પ૩) તે મયુરભાઇ વ્યાસ (એન. એમ. શેઠ કુમાર હાઇસ્કુલ કુંકાવાવ - કલાર્ક)ના ભાભી તેમજ કવીભાઇ, રવિભાઇ, પ્રતિકભાઇના માતુશ્રીનું તા.ર૧ના ભાવનગર મુકામે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.ર૭ને સોમવારે સાંજે ૪ થી ૬, સમસ્ત બ્રહ્મ સમાજની વાડી મોટી કુંકાવાવ ખાતે રાખેલ છે.

હરિલાલભાઇ ખખ્ખર

રાજકોટઃ ગોંડલ નિવાસી હાલ રાજકોટ હરિલાલ મોહનલાલ ખખ્ખર (ઉ.વ.૭૪) તે મનુભાઇના મોટાભાઇ તથા પરાગભાઇના પિતાશ્રી તા.ર૩ને ગુરૂવારે શ્રીજી ચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.