અવસાન નોંધ
સુરેન્દ્રનગરનાં રમેશભાઇ ચંદારાણાનાં પત્નિનું અવસાન
વઢવાણ : સુરેન્દ્રનગર શહેરના સ્વામી નારાયણ મંદિર પાસે આવેલા સ્વામી નારાયણ ડેલામાં રહેતા રમેશભાઇ (બાબાલાલ) ભેળવાળાના ધર્મપત્ની પુષ્પાબેન ચંદારાણાનું હૃદય રોગના હૂમલામાં અવસાન થતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઇ જવા પામ્યો છે.
સ્વામી નારાયણ મંદિરના કૃષ્ણવલ્લભદાસ સ્વામી પ્રેમજીવનદાસ સ્વામી ત્યાગ વલ્લભદાસ સ્વામી અને હરીભકતોએ પણ શોક વ્યકત કર્યો હતો.
ત્રણ પુત્રી પુનમબેન, મીનાબેન, સ્વ. અમિતાબેન તેમજ પુત્ર અર્જુન તેમજ કાંતીલાલ મણીલાલ ચંદારાણા, પરસોતમભાઇ, ધીરૂભાઇ, રમેશભાઇ (બાબાલાલ), નારાયણભાઇ, કનુભાઇ, હરીશભાઇ સહિતના બહોળા પરિવારજનોને વિલાપ કરતા છોડી ગયા છે. બેસણુ ગુરૂવારે લોહાણા મહાજનવાડી ખાતે ૪ થી ૬ રાખેલ છે.
ઘનશ્યામભાઈ પરમાર
રાજકોટ : શ્રી ઝાલાવાડી સઈ - સુથાર (દરજી) જ્ઞાતિના સ્વ.ઘનશ્યામભાઈ રતિભાઈ પરમાર (મેસરીયાવાળા) (ઉ.વ.૫૫) તે જયેશભાઈ, વિવેકભાઈ, અક્ષયભાઈના પિતા તેમજ વિજયભાઈ બળવંતભાઈ પરમાર (કોઠીવાળા)ના કાકાનું તા.૨૪ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૬ને શુક્રવારે સાંજે ૪ થી ૬ કલાકે શ્રવિજયભાઈ બળવંતભાઈ પરમારના નિવાસસ્થાન કુવાડવા રોડ, ગ્રીનલેન્ડ ચોકડી, બીએમડબલ્યુના શોરૂમ પાછળ, મણીનગર શેરી નં.૩ના ખૂણે રાજકોટ ખાતે રાખેલ છે.મો. ૭૯૯૦૨ ૧૨૧૦૦.
મંજુબેન વાઘેલા
રાજકોટ : મંજુબેન જયંતિલાલ વાઘેલા (રહે. રિદ્ધિ સિદ્ધિ સોસાયટી, શેરી નં.૧ એ, ગોંડલ રોડ, રાજકોટના નિવાસી) તે જયંતિલાલ હીરાલાલ વાઘેલાના પત્નિ અને ચિરાગભાઈ અને મેહુલભાઈના માતુશ્રી તથા સ્વ.રમણીકભાઈ હીરાભાઈ વાઘેલા અને દિનેશભાઈ હિરાભાઈ વાઘેલા તથા નીતીનભાઈ હીરાભાઈ વાઘેલાના ભાભી અને દક્ષ ચિરાગભાઈ વાઘેલાના દાદી અને રાજકોટના નામાંકિત એડવોકેટનું તા.૨૩ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૫ના રોજ સાંજે ૪ થી ૬ અટીકા ફાટક પાસે, ધોબી સમાજની વાડી, અલ્પેશ રોડવેઝની સામે, રાજકોટ ખાતે રાખેલ છે.
ચંદ્રસિંહ જાડેજા
મોરબીઃ મુળ ફાટસર હાલ મોરબી નિવાસી ચંદ્રસિંહ પ્રભાતસિંહ જાડેજા (મોમાઇ રોડ લાઇન્સ) તે અશોકસિંહ, નવલસિંહ અને ઇન્દ્રસિંહના ભાઇ તેમજ જયપાલસિંહ અને પુષ્પરાજસિંહના કાકા તથા વિરભદ્રસિંહના પિતાશ્રી તા.ર૦ના રોજ અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.રપને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેઓના નિવાસસ્થાન આશાપાર્ક સોસાયટી, સર્કિટ હાઉસની પાસે, સામાકાંઠે મોરબી-ર ખાતે રાખેલ છે.
જકીયુદીનભાઇ કપાસી
ઉપલેટાઃ દાઉદી વોહરા મ. અબ્બાસભાઇ સુલેમાનજી કપાસીના દિકરા જકીયુદીનભાઇ તે અલીઅસગરભાઇ તથા અલ્ફીયાબેન (વિસાવદર)ના બાવાજી અને નસીફાબેન (ચલાળા), ઝાકીરભાઇ, મહમદભાઇના મોટાભાઇ તા.ર૩ મંગળવારે વફાત થયા છે. તેના જીયારતના સિપારા તા.રપ ગુરૂવારે સવારે ૧૧ વાગ્યે વોરા મસ્જીદમાં રાખેલ છે.
સુશીલાબેન કળસારા
ઉપલેટાઃ ભીખાભાઇ જેરાજભાઇ કળસારાના ધર્મપત્ની સ્વ.સુશીલાબેન ભીખાભાઇ કળસારા (ઉ.વ.૭પ) તે રાજેશભાઇ ભીખાભાઇના માતુશ્રી તથા ધાર્મીક તેમજ સાગરભાઇના દાદીમાંનું તા.રરના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.રપને ગુરૂવારના રોજ નિવાસસ્થાન નવા લેઉવા પટેલ સમાજની પાસે સર્વોદય સોસાયટી ઉપલેટા ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.
જેન્તીલાલ દત્તાણી
ખંભાલીયાઃ ચપરવાળા સ્વ. જમનાદાસ મેઘજી દત્તાણીના પુત્ર (હાલ ખંભાલીયા) જેન્તીલાલ જમનાદાસ દત્તાણી (ઉ.વ.૭૩) તે ભાવેશભાઇ, રમણીકભાઇ (વૈભવ પાન) તથા શિલ્પાબેન પ્રકાશકુમાર મજીઠીયા (રાજકોટ)ના પિતાશ્રી, તે કાન્તીલાલ, તે સ્વ.સુરેશભાઇ (યુ.કે.)ના નાનાભાઇતથા ગોરધનભાઇ (જામનગર, મશીનરી સર્વિસ કોર્પોરેશન)ના મોટાભાઇ તથા નિખિલ, હર્ષ અને નક્ષના દાદા, તે સ્વ.નરોત્તમભાઇ હરિદાસ (દ્વારકા)ના જમાઇ તા.ર૩ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.રપને ગુરૂવારે સાંજે પ થી પ-૩૦ વાગ્યે જલારામ મંદિર પ્રાર્થના હોલ, જામ-ખંભાલીયા ખાતે રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.
કાનજીભાઇ ચોટલીયા
રાજકોટઃ ગુર્જર ક્ષત્રીય કડિયા મૂળ ગામ (સામપર માધાપર) હાલ રાજકોટ નિવાસી કાનજીભાઇ બેચરભાઇ ચોટલીયા (ઉ.વ.૯પ) તે અશોકભાઇના પિતાશ્રી તે ભાવિનભાઇ, ડિમ્પલબેનના દાદા તા.રરના અક્ષરનિવાસી થયા છે. તેમનું બેસણું તા.રપને ગુરૂવારે સાંજે ૪ થી ૬, ગોહેલ આર્કેટ, રૈયા મેઇન રોડ નક્ષત્ર-૭ની સામે રાખેલ છે. (૧૧.ર)
ચંદ્રકાંતભાઇ મહેતા
રાજકોટઃ ચન્દ્રકાંતભાઇ ધીરજલાલ મહેતા (ઉ.વ.૬ર) ગાયત્રી સહકાર સ્ટોર્સ વાળા તે સ્વ.ધીરજલાલ ડી. મહેતાના પુત્ર, જસ્મીનાબેનના પતિ દેવયાનીબેન, રાજુભાઇના મોટાભાઇ તથા સ્નેહલ અને અમીનાના પિતાશ્રી સ્વ. જયંતિલાલ અભેચંદભાઇ દોશીના જમાઇ, કેતનભાઇ દોશી (કોટેચા સ્કુલ) ભામીનેબેન, દિપાલીબેનના બનેવી તા.રરના અરીહંત શરણ પામેલ છે. સદ્દગતનું બેસણું અને પ્રાર્થનાસભા તા.રપના ગુરૂવારે સવારે ૧૦-૦૦ કલાકે પુતળીબા હોલ ગીતા મંદિર સામે, ભકિતનગર સર્કલ પાસે, રાખવામાં આવેલ છે.
નલીનીબેન
રાજકોટઃ ઉપલેટા નિવાસી હાલ રાજકોટ સ્વર્ગસ્થ દલસુખરાય જમનાદાસ બોઘાણીની પુત્રી નલીનીબેન (મોટીબેન) તે સ્વ.રેવાશંકર કરસનજી કોઠારીની દોહિત્રી તે કુમુદબેન જયવંતભાઇ ઉદાણી, અવનીબેન દિલીપભાઇ મહેતા, નયનાબેન ખૈલેષભાઇ સંધવી, કાજલબેન જયેશભાઇ દોશી, તથા દેવેનભાઇ બોઘાણીના બેન (ઉ.વ.૭ર)નું તા.ર૩ના અવસાન થયેલ છે. (લૌકિક વ્યવહાર બંધ છે)
ચૈતન્યભાઇ ત્રિવેદી
રાજકોટઃ સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ ચૈતન્યભાઇ પુરૂષોત્તમભાઇ ત્રિવેદી (ઉ.વ.પ૧) મુળ વતન વંડા, હાલ રાજકોટ, તે દિલીપભાઇ ત્રિવેદી (મહુવા) વિણાબેન ઉપાધ્યાય તથા રશ્મિબેન ઉપાધ્યાયનાં લધુબંધુ તેમજ મહર્ષિ, અર્ચનાના પિતાશ્રીનું તા.રરના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.રપને ગુરૂવારે સાંજે પ થી ૬-૩૦, વિરમેશ્વર મહાદેવ મંદિર, શિતલ સુપર માર્કેટ વાળી શેરી, રેસકોર્ષ પાર્ક, એરપોર્ટ રોડ ખાતે રાખેલ છે.
બીપીનચંદ્રભાઇ ધોળકિયા
રાજકોટઃ સોની બીપીનચંદ્ર હેમંતલાલ ધોળકિયા (ઉ.વ.૬૩) તે અભય તથા કુણાલના પિતાશ્રી અને કલ્પનાબેન જયેશભાઇ કાત્રોડીયાના ભાઇનું તા.રરના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.રપને ગુરૂવારે સવારે ૧૦ થી ૧ર, સત્યનારાયણ પાર્ક, ગેઇટ નં.૪, બ્લોક નં.૧૯૭, નાણાવટી ચોક પાસે, ગાંધીગ્રામ મુકામે રાખેલ છે.
નિતેષકુમાર રાજયગુરૂ
રાજકોટઃ મહારાજશ્રી નથુ તુલસી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ સમાજના સ્વ.સુખલાલ કેશવલાલ જોશીના જમાઇ નિતેષકુમાર પ્રતાપભાઇ રાજયગુરૂનું તા.૧૮ના અવસાન થયેલ છે. તેમનું શ્વસુર પક્ષનું બેસણું તા.રપને ગુરૂવારે સાંજે પ થી ૬ કડિયા પ્લોટ શેરી નં.૮, પોરબંદર ખાતે રાખેલ છે.
શારદાબેન ખાખી
રાજકોટઃ ગો.વા.નટવરલાલ એ.ખાખી (ટેકસ કન્સલટન્ટ)નાં ધર્મપત્ની શારદાબેન નટવરલાલ ખાખી તે ભાવિન, મિલન, મેહુલનાં માતુશ્રી અને હર્ષ, પાર્થ, અક્ષતના દાદી અમદાવાદ ખાતે તા.૨૧નાં રોજ શ્રી ઠાકોરજી ચરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થનસભા/ ભગવદ્ સ્મરણ તા.૨૫નાં રોજ સાંજે ૫ થી ૬:૩૦ સુધી નૂતન નગર કોમ્યુનીટી હોલ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
અરૂણભાઈ આડેસરા
રાજકોટઃ કનુભાઈ ગંગારામાભાઈ ઝવેરી (વાંકાનેરવાળા)ના જમાઈ તથા વિજયભાઈ કનુભાઈ ઝવેરીના બનેવી તે જમશેદપુર નિવાસી ગીરધરલાલ છગનલાલ આડેશરાના પુત્ર અરૂણભાઈ ગીરધરલાલ આડેશરા તા.૨૨ રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું ગુરૂવાર તા.૨૫ના રોજ બપોરે ૩:૩૦ થી ૫ વાગ્યા સુધી વાઘેશ્વરી વાડી, રામનાથપરા રાજકોટ ખાતે રાખેલ છે.
દયાબેન ભટ્ટી
રાજકોટઃ દયાબેન અરવિંદભાઇ ભટ્ટી તે અતુલભાઇ, અભયભાઇના માતુશ્રી બકુલભાઇ રતીભાઇના કાકી, કરણ, સાગર, વિમલ, સ્વીટીના દાદીનું દુઃખદ અવસાન તા.૨૩ ને મંગળવારના રોજ થયેલ છે. તેમનું બેસણું તા.૨૫ને ગુરૂવારે તેમના નિવાસ સ્થાને જામનગર રોડ નંદનવન અંદર મેરીગોલ્ડ સોસાયટી, શેઠનગરની બાજુમાં રાજકોટ ખાતે રાખેલ છે.
હરીલાલ વડેરા
મોરબીઃ હરીલાલ જીવરાજભાઇ વડેરા (ઉ.વ. ૭૦) તે મધુભાઇના પિતા તથા કેતનના દાદા તેમજ મુકેશભાઇ રાજેશભાઇ જોબનપુત્રા (મોરબી), ભાવનાબેન ઘેલાણી (મોરબી), ગીતાબેન કાછેલા (ધ્રાંગધ્રા) ના ફૂવાનું તા. ર૩ના રોજ અવસાન થયું છે. બેસણું તા. રપ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે શિવ મંદિર, ભાગ્યલક્ષ્મી સોસાયટી, વેજીટેબલ રોડ મોરબી-ર ખાતે રાખેલ છે.
ચંદ્રકાંતભાઈ મહેતા
રાજકોટઃ ચન્દ્રકાંતભાઈ ધીરજલાલ મહેતા (ઉ.વ.૬૨) ગાયત્રી સહકાર સ્ટોર્સવાળા તે સ્વ.ધીરજલાલ ડી.મહેતાના પુત્ર, જસ્મીનાબેનના પતિ દેવયાનીબેન, રાજુભાઈના મોટાભાઈ તથા સ્નેહલ અને અમીના પિતાશ્રી સ્વ.જયંતિલાલ અભેચંદભાઈ દોશીના જમાઈ, કેતનભાઈ દોશી (કોટેચા સ્કુલ), ભામીનીબેન, દિપાલીબેનના બનેવી તા.૨૨ સોમવારે અરીહંત શરણ પામેલ છે. સદ્દગતનું બેસણું અને પ્રાર્થનાસભા તા.૨૫ ગુરૂવારે સવારે ૧૦ કલાકે પુતળીબા હોલ ગીતામંદિર સામે, ભકિતનગર સર્કલ પાસે, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.
અશોકભાઈ પૂજારા
રાજકોટઃ અશોકભાઈ હીરાલાલ પુજારા (નિવૃત સેન્ટ્રલ બેંક) (ઉ.વ.૬૯) તે રાહુલ પુજારા તથા ઉર્મી દેવાંગકુમાર પલાણ (ખંભાળીયા)ના પિતાશ્રી તે ચેતન, વિપુલ અને હિતેષના કાકા તથા સ્વ.કાકુભાઈ જીણાભાઈ સવજાણીના જમાઈ તથા કિશોરભાઈ, રાજુભાઈ, દિપકભાઈના બનેવીનું તા.૧૮ને ગુરૂવારે અમેરિકા ખાતે અવસાન થયેલ છે. તેમનું બેસણું તથા પિયરપક્ષની સાદડી તા.૨૫ને સાંજે ૫ થી ૬, ભગવાનભુવન વાડી, ૬/૧૧ પંચનાથ પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.
ભાનુશંકર ત્રિવેદી
રાજકોટઃ મુળ અમદાવાદ હાલ ગોંડલ નિવાસી ભાનુશંકર શાંતીલાલ ત્રિવેદી (ઉ.વ.૮૨) તે સ્વ.દીનકરાય શાંતીલાલ ત્રિવેદીના નાનાભાઈ તથા રમેશભાઈ શાંતીલા ત્રિવેદીના મોટાભાઈ તથા જયશ્રીબેન વિજયકુમાર ઠાકરના પિતાશ્રી તથા વિજયભાઈ રતીલાલ ઠાકરના સસરાનું તા.૨૩ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૫ને ગુરૂવારે સવારે ૯ થી ૧૦:૩૦ તેમના નિવાસસ્થાને, 'જય ભવાની કૃપા' પોપટપરા-૧૪, રાજકોટ ખાતે રાખેલ છે.
જસવંતભાઈ રાઠોડ
રાજકોટઃ લુહાર જસવંતભાઈ પ્રભુદાસભાઈ રાઠોડ (ઉ.વ.૬૯) તે લુહાર સ્વ.પ્રભુદાસ રામજીભાઈ રાઠોડ (રામજી નાનજી એન્ડ સન્સવાળા), કાંતીભાઈ રાઠોડના મોટાભાઈ, જેન્તીલ, હાર્દિકના પિતાશ્રી તથા જામનગરવાળા સ્વ.વેલજીભાઈ પિત્રોડાના મોટા જમાઈનું તા.૨૪બુધવારે રાજકોટ મુકામે અવસાન થયુ છે. બેસણું તા.૨૫ ગુરૂવારે સાંજે ૫ થી ૬:૩૦ લુહાર બોર્ડીંગ, રાષ્ટ્રીય શાળા સામે, રાજકોટ ખાતે રાખેલ છે.
ઉર્મિલાબેન ખોલીયા
રાજકોટઃ નિવાસી ખોલિયા ઉર્મિલાબેન દામજીભાઈ (હુડકો, આશાપુરાનગર ૧/૧૦ કોઠારીયા રોડ)નું તા.૨૨ ચૈત્ર વદ ત્રીજ સોમવારે તા.૨૨ના સોમવારે શ્રી ગુરૂચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૫ ગુરૂવારે સાંજે ૫ થી ૭ કલાકે નિવાસસ્થાન પાસે મેલડી માતાજીના મંદિરે હુડકોમાં રાખેલ છે. તમામ લૌકિક પ્રથા બંધ છે.
બચુભાઈ ભાલોડીયા
રાજકોટઃ મુળ વાલાસણ હાલ રાજકોટ નિવાસી બચુભાઈ દેવરાજભાઈ ભાલોડીયા (ઉ.વ.૯૪)નું તા.૨૪ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૬ને શુક્રવારના રોજ સવારે ૮:૩૦ થી ૧૦ સુધી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, જનકપુરી, સાધુ વાસવાણી રોડ, ગંગોત્રી ડેરી પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.