Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018
અવસાન નોંધ

ખીરસરા સેવા સહકારી મંડળીના પ્રમુખ જયેન્દ્રસિંહ જાડેજાનું અવસાન

ખીરસરા : લોધીકા તાલુકાના ખીરસરા સેવા સહકારી જૂથ મંડળી પ્રમુખ અને ખીરસરા ગામના અગ્રણી જયેન્દ્રસિંહ જશુભા જાડેજાનું અવસાન થયેલ છે.

ખીરસરા ગામના મોભી ખીરસરા ગામના હર એક વ્યકિતના દુઃખ દર્દમાં હર હંમેશ સાથે રહેનાર તેમજ સ્વામી નારાયણ સંપ્રદાયના ચુસ્ત અનુયાયી ખીરસરા સેવા સહકારી જૂથ મંડળીનાં છેલ્લા પંદર વર્ષથી પ્રમુખપદ શોભાવે છે અને આ મંડળીમાં મોટી સંખ્યામાં ખેડૂત સભ્યો ધરાવે છે. વાર્ષિક કરોડનું ટર્ન ઓવર ધરાવતી આ મંડળીને રાજકોટ જીલ્લાના પ્રથમ નંબરે રાખવામાં જયેન્દ્રસિંહ જાડેજા બાપુનો સિંહ ફાળો છે આવા ગામના આગેવાન સહકારી ક્ષેત્રના અગ્રણીઓ દુઃખદ અવસાનથી ખેડૂત વર્ગ ગ્રામજનો તેમજ આજુ બાજુના ગામડાના લોકોમાં શોકની લાગણી પ્રસરી ગયેલ છે.

વલ્લભીપુરનાં પૂર્વ રાજવી ઠાકોર પ્રવિણસિંહજી ગોહિલનું અવસાન

ભાવનગર તા. રરઃ વલ્લભીપુરનાં માજી રાજવી અને બે ટર્મ કોંગ્રેસનાં ધારાસભ્ય રહી ચુકેલા શ્રી દાદાબાપુ (વળાસ્ટેટ)નું નિધન થયું છે.

વલભીપુરનાં રાજવી મહારાજા ઠાકોર પ્રવિણસિંહજી ગોહિલ (દાદાબાપુ-વળાસ્ટેટ) નું દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતની અંતિમ યાત્રા વલ્લભીપુર દરબારગઢથી સોમવારે સવારે ૯ વાગે નીકળી હતી. સદ્દગત રાજવી શ્રી દાદાબાપુ ૧૯૬૭ અને ૧૯૭ર માં બે ટર્મ માટે વલભીપુર-બોટાદ વિધાનસભા બેઠક ઉપરથી કોંગ્રેસનાં ઉમેદવાર તરીકે ચુંટાયા હતા. તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ જયારે ભાવનગરનાં પ્રવાસે આવેલા ત્યારે તેઓની સાથે રહ્યા હતા.

વિનયભાઇ મહેતા

જામનગર : ગુજરાતી શ્રી ગોૈડ માળવિયા બ્રાહ્મણ મુળ સમાણા હાલ જામનગર સ્વ. પ્રમોદરાય શાંતિલાલ મહેતાના સુપુત્ર ભત્રીજા દીપકભાઇ મહેતાના લઘુબંધુ વિનયભાઇ (એડવોકેટ) (ઉ.વ.૫૨) તે દોલતરાય શાંતિલાલ મહેતા (જામજોધપુર) ના ભત્રીજા તે હર્ષાબેન હરેશકુમાર ભટ્ટના ભાઇ તે વિનયચંદ્ર અમૃતલાલ જોષી(ખાંડાધાર)ના જમાઇનું તા. ૨૧-૧૦-૨૦૧૮ના રોજ અવસાન થયું છે. તેમનું બન્ને પક્ષનું બેસણું તા. ૨૫-૧૦-૧૮ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ દરમિયાન પટેલ કોલોની શેરીનં. ૯ના છેડે, વિજયાબા હોલ, શાંતિનગર શેરીનં.૧, જામનગર ખાતે રખાયા છે.

મગનભાઇ મહેતા

મોરબી : મગનભાઇ કાશીદાસ મહેતા તે સ્વ. રમણીકભાઇ સ્વ. કાન્તીભાઇ અને ગુણવંતભભાઇના નાનાભાઇ તેમજ પીયુષભાઇ અને પંકજભાઇના પિતાનું તા. ૨૧ના અવસાન થયેલ છે. બેસણું તા. ૨૫ને ગુરૂવારે સવારે ૧૦ થી ૧૧ કલાકે જૈન દશાશ્રી માળી વાડી, બેંક ઓફ બરોડા સામે મોરબી ખાતે રાખેલછે.

અબ્દેઅલી દલાલ

ખંભાળિયા : અબ્દેઅલી ગુલામઅલી દલાલ (ઉ.વ.૭૪) તે અલીહુશેનભાઇ તથા ફકરૂભાઇના ભાઇ તેમજ જુલ્ફીકારભાઇ, સૈફુભાઇ, શબ્બીરભાઇના બનેવી તથા મુર્તુજાભાઇ, ઇસ્માઇલભાઇ, હુશેનીભાઇ, જોહરભાઇના બાવાજી તા. ૨૧ના અલ્લાહની રહેમતમાં પહોંચી ગયેલ છે. મરહુમના જિયારતના સિપારા તા. ૨૩ના રોજ બપોરે ૧૨ કલાકે બદરી મસ્જીદ કડિયાવાડ ખંભાળિયામાં રાખેલ છે.

રમેશગીરી અપારનાથી

કેશોદઃ રમેશગીરી શામગીરી અપારનાથી (ઉ.વ.૫૮) તે ભવાનગીરી, ધીરૂગીરીના ભાઇ તથા મહેન્દ્રગીરી તથા બિંદીયાબેન ભાવેશનાથના પિતાશ્રી એન જીતેન્દ્રગીરી, મનોજગીરી, કેતનગીરી તથા હેતલબેન દીલીપજતીના કાકાનું તા. ૧૯ના અવસાન થયેલ છે. બેસણું જુની શાકમાર્કેટ રબારીવાડા કેશોદના તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

માલતીબેન વ્યાસ

જામકંડોરણા :.. માલતીબેન જયંતિલાલ વ્યાસ (ઉ.૮૦) તે સ્વ. જયંતિલાલ મોહનલાલ વ્યાસના ધર્મપત્ની અને નટુસાહેબ, મુન્નાસાહેબ, સ્વ. ગીતા તથા કાશ્મીરાના માતુશ્રીનું તા. ર૧ ને રવિવારે અવસાન થયેલ છે. ઉઠમણું તા. રપ ને ગુરૂવારે સાંજે ૩ થી પ લોહાણા મહાજન વાડી જામકંડોરણા ખાતે રાખેલ છે.

ઉદયશંકર ભટ્ટ

રાજકોટ : ગુજરાતી શ્રીગૌડ માલવીય બ્રાહ્મણ મુળ ગૌરીદડ હાલ રાજકોટ ઉદયશંકર ત્રંબકલાલ ભટ્ટ (ઉ.૮૬) તે સ્વ. વસંતભાઇ (ગૌરીદડ)ના લઘુબંધુ તે રેખાબેનના પિતાશ્રી તે ધર્મેશભાઇ જનાર્દનભાઇ જોષીના સસરા તે ગજેન્દ્રભાઇ વસંતભાઇ ભટ્ટના કાકા તે રમણીકલાલ જેઠાલાલ જોષી (શાપર વેરાવળ) ના બનેવીનું તા. ર૦-૧૦ ના રોજ અવસાન થયું છે. સદ્ગતનું બંને પક્ષનું ઉઠમણું અને બેસણુ તા. રર મીએ સોમવારે સાંજે ૪ થી ૬ રામેશ્વર મહાદેવ મંદિર, જીવનનગર શેરી નં. ૩, અનિલ જ્ઞાન મંદિરવાળી શેરી, બ્રહ્મ સમાજ ચોક રૈયા રોડ, રાજકોટ ખાતે રાખ્યું છે.

ઇલાબેન પાણેરી

ગોંડલ : વાલમ બ્રાહ્મણ કિશોરભાઇ પાણેરી (ઉ.૭૦) તે કિશોરભાઇ દયાશંકરભાઇ પાણેરી ધર્મપત્ની, જે જગદીશભાઇ (અમરેલી) અશોકભાઇ (ગોંડલ)ના ભાભી, કીરીટભાઇ પંડયા (શાપર), દિવ્યેશકુમાર જયંતીભાઇ ઉપાધ્યાય (રાજકોટ), મનીષકુમાર વિનુભાઇ જોશી (રાજકોટ)ના સાસુ તથા હિતેશભાઇ જગદીશભાઇ પાણેરી (અમરેલી) તથા ચિરાગ અશોકભાઇ પાણેરી ગોંડલના ભાભુનું અવસાન થયેલ છે. બેસણું તા. રર સોમવાર સાંજે ૪ થી ૬ કલાકે, હેમવાડી, સ્ટેશન પ્લોટ, ગોંડલ ખાતે રાખેલ છે.

ભીખુભાઇ માઢક

જસદણ : રાજગોર બ્રાહ્મણ મુળ વરસડા હાલ જસદણ ભીખુભાઇ રણછોડભાઇ માઢક (ઉ.૭ર) તે ગીરીશભાઇ, સ્વ. મનોજભાઇના પિતા અને રમેશભાઇ માઢકના કાકાનું તા. ર૧ ના અવસાન થયેલ છે. બેસણું તા. રર ને સોમવારે સાંજે ૪ થી ૬ તેમજ તેમની દશાવિધી તા. ૩૧ અને ઉત્તરક્રિયા તા. ૧-૧૧ ના રોજ તેમના નિવાસ સ્થાન મફતીયાપરા, પોલીસ સ્ટેશન પાસે, જસદણ ખાતે રાખેલ છે.

પ્રભાબેન સોલંકી

ભાણવડ : સ્વ. પ્રભાબેન અરજણભાઇ સોલંકી તે પ્રફુલભાઇ અરજણભાઇ સોલંકી (વછરાજ ટેઇલરવાળા) ના માતા તથા મોહિલભાઇના દાદીમાં તા ૨૦ ના ગોપાલ ચરણ પામેલ છે. જેમનું ઉઠમણું તા. ૨૨ ના સોમવારે સાંજે ૪ થી ૪.૩૦ વાગ્યે રઘુનાથજી મંદિરે (દરજી સમાજ) ભાઇઓ અને બહેનોનું સાથે રાખેલ છે.

અશ્વિનભાઇ ગોહેલ

ભાણવડ : સ્વ. અશ્વિનભાઇ લક્ષ્મીદાસ ગોહેલનું તા. ૨૦ ના અવસાન થયેલ છે. ઉઠમણું તા. ૨૨ ના સોમવારે સાંજે પ થી પ.૩૦ વાગે રઘુનાથજી મંદિરે (દરજી સમાજ) ભાઇઓ અને બહેનોનું સાથે રાખેલ છે.

નર્મદાબેન ગોહેલ

રાજકોટઃ સ્વ.નર્મદાબેન હીરાભાઇ ગોહેલ (ઉ.વ.૮પ) તે કીશોરભાઇ તથા વિનુભાઇના માતુશ્રી તેમજ નટુભાઇ, ઘેલાભાઇ, બાબુભાઇ તથા ધીરૂભાઇના ભાભીશ્રી તથા વજુભાઇ, બટુકભાઇ, તેમજ કીરીટભાઇના કાકી તથા રાહુલભાઇ, કૈલાશના દાદીમાંનું તા.ર૦ના રોજ અવસાન થયેલ છે. જેમનું બેસણું તા.રર સોમવારે સાંજે ૪ થી ૬, રાજકોટ સંત કબીર રોડ રાજારામ સોસાયટી શેરી નં.૬ કીશોરભાઇ હીરાભાઇ ગોહેલના નિવાસસ્થાને રાખેલ છે. ઉતરક્રિયા તા.ર૬ શુક્રવારે રાખેલ છે.

ભરતભાઇ ડોડીયા

રાજકોટઃ સ્વ.કેશવજી કાનજીભાઇ ડોડીયાના પુત્ર ભરતભાઇ તે અનિલભાઇ તથા હરસુખભાઇના મોટાભાઇ તથા જયેશભાઇ અને નિરજભાઇના પિતાશ્રીનું તા.ર૦ના રોજ અવસાન થયું છે. તેમનું ઉઠમણું તા.રરને સોમવારે સાંજે ૪ થી ૬, બોલબાલા મંદિર લક્ષ્મીવાડી ખાતે રાખેલ છે.

જગજીવનદાસ ધૃણા

જામનગરઃ સ્વ.જગજીવનદાસ કરશનદાસ ધૃણા (ઉ.વ.૯૧) રે. મૂળ મીઠાપુર તે જિતેન્દ્રભાઇ, (તાતા કેમિકલ્સ) તથા જયંતકુમાર રે. જામનગર (જીએસએફસી)ના પિતા તથા ચિરાગ, સાગર, વિવેક, અને ચિંતનના દાદાનું તા.ર૦ના અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.રર સોમવારે ૪ થી ૪-૩૦ પાબારી હોલ, તળાવની પાળ, જામનગર ખાતે ભાઇઓ તથા બહેનો માટે રાખેલ છે.

હિરબાઇબેન શીલું

રાજકોટઃ રાજગોર બ્રાહ્મણ પાળીયાદ નીવાસી હાલ અમદાવાદ હિરબાઇબેન ટપુભાઇ શીલુ (ઉ.વ.૯૦) તે પદમાબેન નરેન્દ્રભાઇ જોષીના માતુશ્રી, નરેન્દ્રભાઇ, ભાનુભાઇ જોષી (ચીફ ઓફિસર આણંદ)ના સાસુ તથા લાભશંકરભાઇ ઉકરડાભાઇ, રાઘવભાઇ તથા સ્વ.નરશીભાઇ શીલુના કાકીનું તા.ર૦ના રોજ અવસાન થયું છે. બેસણું તા.રરના રોજ સવારે ૯ થી ૧૧ કલાકે સ્વસ્તીક બંગ્લોઝ - ૧, સત્યમ કોમ્પલેક્ષની પાછળ, સાયન્સ સીટી સોલા અમદાવાદ ખાતે તથા તા.રપના ગુરૂવારે ૯ થી ૧૧ ભોજનશાળા, બસ સ્ટેન્ડ પાસે, પાળીદ ખાતે રાખેલ છે.

લાભુબેન પરમાર

રાજકોટ : મચ્છુ કઠીયા સઇ સુથાર (કુતિયાણાવાળા) હાલ રાજકોટ સ્વ. ત્રિભોવનભાઇ વૃજલાલ પરમારના ધર્મપત્ની લાભુબેન (ઉ.વ.૭૫) તે વૈભવ સિલેકશનવાળા ગિરીશભાઇ, જીતેન્દ્રભાઇ, ગિતાબેન વાલજીભાઇ પીઠડીયા ચોરવાડના માતુશ્રી તેમજ કેશોદ સ્વ. પ્રાગજીભાઇ ભુરાભાઇ ધામેચાની દિકરીનું તા. ૨૦ ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૨૨ સોમવારે સાંજે ૪ થી ૬ સહકાર સોસાયટી મેઇન રોડ, સહકારેશ્વર મહાદેવ મંદિર, રાજકોટ ખાતે રાખેલ છે.

મૃદુલાબેન વિસાવડીયા

રાજકોટઃ સ્વ.મનુભાઈ અમરશીભાઈ વિસાવડીયા (ગજજર)ના ધર્મપત્ની સ્વ.મૃદુલાબેન મનુભાઈ વિસાવડીયા (ઉ.વ.૮૦) (હાલ રાજકોટ) તે દિલીપભાઈ મનુભાઈ વિસાવડીયાના માતુશ્રી ધવલ અને મીતેષના દાદીમા તેમજ લતાબેન નિતીનભાઈ ઈસબાણીયાના માતુશ્રી, પ્રભુભાઈ કાનજીભાઈ બદ્રકીયાની દિકરી તથા અમુભાઈ, દયાળજીભાઈ, ગણેશભાઈ, વિનોદભાઈના બહેન તા.૨૧ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૨૨ને સોમવારે રાખેલ છે. શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ, ૭/૧૦ ભકતિનગર સ્ટેશન પ્લોટ સમયઃ ૪:૩૦ થી ૬ સુધી રાખેલ છે.

હંસાબેન થીયાદ

રાજકોટઃ કારડીયા રાજપુત સ્વ.હંસાબેન ઉમેદસિંહ થીયાદ તે ભુપતસિંહ થીયાદના માતુશ્રી તેમજ રાજેશભાઈ ચૌહાણ તથા અજીતસિંહ પરમારના સાસુનું તા.૨૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૨ને સોમવારના રોજ ગણેશ મંદિર, વિશ્વેશ્વર મંદિરની બાજુમાં, મવડી રોડ, રાજકોટ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

કેશવલાલ પોપટ

રાજકોટઃ ધ્રાફા નિવાસી હાલ (રાજકોટ) કેશવલાલ વલ્લભદાસ પોપટ (ઉ.વ.૮૫) તે કુમારભાઈ તથા સંજયભાઈના પિતાજીનું તા.૨૦ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનુ બેસણું તા.૨૨ને સોમવારના રોજ સાંજે ૪ થી ૫ વાગ્યે વિશ્વેશ્વર મહાદેવ મંદિર, મવડી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ભરતભાઈ ડોડીયા

રાજકોટઃ લુહાર સ્વ.કેશવજી કાનજીભાઈ ડોડીયાના પુત્ર ભરતભાઈ કેશવજીભાઈનું અવસાન તે અનિલભાઈ તથા હરસુખભાઈના મોટાભાઈ તથા જયેશભાઈ તથા નિરજભાઈના પિતાશ્રીનું તા.૨૧ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણુ તા.૨૨ લક્ષ્મીવાડીએ સાંજે ૪ થી ૫ રાખેલ છે.

મીનાબેન સાતા

રાજકોટઃ શ્રી સારસ્વત બ્રાહ્મણ પડધરી નિવાસી હાલ રાજકોટ મીનાબેન પ્રદીપભાઈ સાતા (ઉ.વ.૫૨) તે પ્રકાશભાઈના નાનાભાઈના પત્ની અને ધવલ અને હેતલના માતુશ્રી તેમજ દેવેન્દ્રભાઈ, વિમલભાઈ, પરેશભાઈ, અજયભાઈના ભાભીનું દુઃખદ અવસાન તા.૧૯ના રોજ થયેલ છે. તેમનું ઉઠમણું તા.૨૨ના રોજ સાંજે ૫ થી ૬ શ્રી ધારેશ્વર મહાદેવ મંદિર ભકિતનગર સર્કલ ખાતે રાખેલ છે.

મહેન્દ્રભાઈ સંઘાણી

રાજકોટઃ ગોંડલ નિવાસી સ્વ.જીવનલાલ દુર્લભજી સંઘાણીના પુત્ર મહેન્દ્રભાઈ (મયુરભાઈ) તે અશ્વીનભાઈ, સ્વ.રંજનબેન વોરા, પલ્લવીબેન ગાંધી, સ્વ.તરૂલતાબેન સંઘાણી, દિક્ષીતાબેન ધોળીયાના ભાઈ તથા ધવલ, શ્રુતિના કાકાનું તા.૧૮ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તા.૨૨ના રોજ સવારે ૧૦ કલાકે નવાગઢ જૈન ઉપાશ્રય, નાનીબજાર, ગોંડલ ખાતે રાખેલ છે.

કલ્પનાબેન શેઠ

રાજકોટઃ ઉપલેટા નિવાસી હાલ રાજકોટ ચીમનલાલ મોહનલાલ શેઠના પુત્ર ડો.કુમારભાઈ શેઠના ધર્મપત્ની અ.સૌ. કલ્પનાબેન (ઉ.વ.૭૨) તે બિરેન તથા જસ્મીનના માતુશ્રી તથા નમીતા, પાયલના સાસુ, તે અશ્વીનભાઈ, પંકજભાઈ, અરૂણાબેન તથા દીનાબેનના ભાભી તે વિનયચંદ જગભુવન પોપટાણીના પુત્રી તા.૨૦ને રવિવારના રોજ અરીહંતશરણ પામેલ છે. તેની પ્રાર્થનાસભા તા.૨૩ને મંગળવારના રોજ સવારે ૧૦ થી ૧૨ કલાકે પારસ કોમ્યુનિટી હોલ, નિર્મલા કોન્વેન્ટ સ્કુલ સામે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

માલતીબેન વ્યાસ

રાજકોટઃ માલતીબેન જયંતિલાલ વ્યાસ તે સ્વ.જયંતિલાલ મોહનલાલ વ્યાસના ધર્મપત્ની અને નટુસાહેબ તથા મુન્નાસાહેબ, સ્વ.ગીતા અને કાશ્મીરાના માતુશ્રીનું તા.૨૨ના રવિવારના રોજ જામકંડોરણા મુકામે દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૨૫ ગુરૂવારના રોજ, બપોરે ૩ થી ૫, શ્રી લોહાણા મહાજન વાડી ખાતે રાખેલ છે. સદ્દગતની ઉત્તરક્રિયા રાખેલ નથી.

જયેન્દ્રસિંહ જાડેજા

રાજકોટ : મુળ ખીરસરા (રણમલજી) હાલ રાજકોટ જયેન્દ્રસિંહ જસુભા જાડેજા (ઉ.વ.૭૮) (પ્રમુખ ખીરસરા સહકારી મંડળી) તે સામતસિંહ જસુભા જાડેજા (નિવૃત્ત એસ.ટી. ડેપો મેનેજર રાજકોટ) ના નાનાભાઇ તેમજ અજીતસિંહ, લક્ષ્મણદેવના મોટાભાઇ તેમજ રાજેન્દ્રસિંહના પિતાશ્રી તેમજ નિલદિપ, વિરમદેવ, રૂષિરાજના મોટાબાપુ તેમજ નરેન્દ્રસિંહ, ઇન્દ્રજીતસિંહ, ધર્મેન્દ્રસિંહના કાકા તેમજ કુલદિપ, જયદિપ, કિશન, યજ્ઞદિપ, યજ્ઞ, પરમ તથા યુગના દાદાનું તા. ૨૧ ના અવસાન થયેલ છે. તેમની ઉત્તરક્રિયા તા. ૨૯ ના સોમવારે રાખેલ છે. બેસણું તા. ૨૫ ના ગુરૂવારે સાંજે ૪.૩૦ થી ૬ રાધે હોલ પારિજાત સોસાયટી, આલાપ સેન્ચ્યુરીની પાછળ, રૂડાનગરની સામે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ધીરજબેન દવે

જામનગરઃ ઔદિચ્ય ઝાલાવાડી સિધ્ધપુરિયા  બ્રાહ્મણ સ્વ. જયંતભાઈ નારણજી દવે (મૂળ મીઠાપુર, નિવાસી હાલ મોટી ખાવડી) ના ધર્મપત્ની ગં.સ્વ. ધીરજબેન તે  બેટ નિવાસી કાંતિલાલ નાગજી વ્યાસના સુપુત્રી, હસમુખભાઈ, દિનેશભાઈ, સુભાષભાઈ, વિજયભાઈ વ્યાસના મોટા બહેન તથા દીપકભાઈ દવે, ભાવેશભાઈ, નીતાબહેનના માતુશ્રી, ભાસ્કર એચ. પંડયાના સાસુનું અવસાન તા.૧૮ ગુરૂવારે મોટી ખાવડી ખાતે થયેલ છે. પ્રાર્થના સભા તા.૨૨ સોમવારે સાંજે ૪ થી ૫  કલાકે તેમના નિવાસસ્થાનઃ સેકટર-૬, બ્લોક નં.૧૭, રિલાયન્સ ટાઉનશીપ, મોટી ખાવડી મુકામે રાખેલ છે.