Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020
મોટા ગુંદાળા લેઉવા પટેલ સમાજના પ્રમુખ ગોરધનભાઇ સાવલિયાનું અવસાન

ધોરાજીઃ મોટા ગુંદાળાના સમાજ શ્રેષ્ઠી અને સેવાભાવી અને લેઉવા પટેલ સમાજના પ્રમુખ ગોરધનભાઇ નાથાભાઇ સાવલીયા (ઉ.વ. ૭૦) નું ગઇકાલે ગુંદાળા ખાતે અવસાન થયેલ સદ્દગતના માનમાં ગામે બંધ રાખી શ્રધ્ધાસુમન અર્પણ કરેલ હતી સરપંચ વિઠ્ઠલભાઇએ જણાવેલ ગોરધનભાઇ સાવલીયાએ પોતાના ઘરના પૈસા વાપરી સમાજ સેવાઓ કરેલ છે લેઉઆ પટેલ સમાજ ભવનમાં પણ તેમનું મહત્વનું યોગદાન હતું. ગૌશાળામાં પણ તેમનું યોગદાન હતું. સરપંચ વિઠ્ઠલભાઇ ઢોલરીયા મંડળીના પ્રમુખ હિતેશભાઇ કોરડીયા તેમજ દુધ મંડળીના પ્રમુખ ધીરજભાઇ હિરપરા, દિપકભાઇ બાંભરોલીયા સહિતના અને ગ્રામજનોએ સ્વ. ગોરધનભાઇની સેવાઓ બીરદાવીને શ્રધ્ધાસુમન અર્પણ કરેલ હતાં.

જયશ્રીબેન રાઠોડ

રાજકોટ : નાથાભાઇ રાઠોડના ધર્મપત્નિ તેમજ રવિભાઇ રાઠોડના માતુશ્રી જયશ્રીબેન નાથાભાઇ રાઠોડનું તા. ૨૧ ના અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનિક બેસણું તા. ૨૪ ના રાખેલ છે. મો.૮૪૦૧૪ ૫૧૫૨૧, મો.૯૯૧૩૬ ૫૮૫૫૨ ઉપર સંપર્ક થઇ શકશે.

વિરપુરના નિવૃત શિક્ષક પ્રવિણચંદ્ર ભટ્ટનું અવસાન

જેતલસરઃ ઓદિચ્ય સહસ્ત્ર ચીભડીયા બ્રહ્મસમાજના સ્વ. પ્રભુલાલભાઇ જીવરામભાઇભટ્ટના પુત્ર વિરપુર (જલારામ) નિવાસી નિવૃત શિક્ષક પ્રવિણચંદ્ર પ્રભુલાલ ભટ્ટ (જેતલસરવાળા) (ઉ.વ.૭૭) તે ઋષિકેશભાઇના પિતાશ્રી, મહાસુખભાઇ ભટ્ટ (રાજકોટ) અને નરેન્દ્રભાઇ ભટ્ટ (વિરપુર)ના મોટાભાઇનું તા. ૨૧ના દુઃખદ અવસાન થયું છે.

અવસાન નોંધ

એડવોકેટ જે.સી.સોરઠીયા - નિલેષ સોરઠીયાના પિતાશ્રીનું અવસાન : ટેલીફોનીક બેસણું

રાજકોટઃ છગનભાઇ મિઠાભાઇ સોરઠીયા તે જગદીશભાઇ સોરઠીયા અને નિલેશભાઇ સોરઠીયા - એડવોકેટના પિતાશ્રી તે પાર્થ અને દ્વીજના દાદાનું તા.૨૧ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણું મો.૯૯૭૯૪ ૭૦૧૧૭, ૯૯૨૪૫ ૪૮૦૪૬ ઉપર રાખેલ છે.

ખંભાળીયા લોહાણા સમાજના વેપારી અગ્રણી પ્રાણજીવનભાઇનું નિધન

જામખંભાળીયા : સ્વ. રણછોડદાસ કેશવજીભાઇ હિંડોચાના પુત્ર તથા લોહાણા સમાજના અગ્રણી વેપારી પ્રાણજીવનભાઇ (ચના શેઠ) (ઉ.૬૪) તે બ્રિજેશભાઇ અને કૌશલભાઇના પિતા, દિલીપભાઇ અને પ્રતાપભાઇના મોટાભાઇ તેમજ સ્વ. પરષોતમભાઇ ઓધવજીભાઇ સોનેચા (કલ્યાણપુર)ના જમાઇનું તા. ર૧ મીએ અવસાન થયું છે. ટેલીફોનિક પ્રાર્થના સભા તા. રર મીએ સાંજે ૪ થી ૬ રાખેલ છે. બ્રીજેશભાઇ મો. ૯૮૭૯૦ પ૯૩૬૬, કૌશલભાઇ મો. ૯૯૧૩પ ૩૦૯૦૮, દિલીપભાઇ મો. ૯૮રપ૮ ૮૦૪૮૧, પ્રતાપભાઇ મો. ૯૮રપ૬ રપ૭૩ર

પ્રવિણચંદ્ર ભટ્ટ

જેતલસર : ઔદિચ્ય સહસ્ત્ર ચીભડીયા બ્રહ્મસમાજના સ્વ. પ્રભુલાલભાઇ જીવરામભાઇ ભટ્ટના પુત્ર વિરપુર (જલારામ) નિવાસી નિવૃત શિક્ષક પ્રવિણચંદ્ર પ્રભુલાલ ભટ્ટ (જેતલસર વાળા) (ઉ.વ.૭૭) તે સ્વ. ઋષિકેશભાઇના પિતા મહાસુખભાઇ ભટ્ટ (રાજકોટ) અને નરેન્દ્રભાઇ ભટ્ટ (વિરપુર)ના મોટાભાઇનું તા.ર૧ના અવસાન થયેલ છે.

મહેશભાઇ ચાવડા

જેતપુર : ગુજરાતી મ.ક. દરજી મહેશભાઇ અમૃતલાલ ચાવડા (ગોલાધરવાળા) (ઉ.વ.૬૩) તે મયુરભાઇ, કિરણબેન, તુલસીબેનના પિતાશ્રી તથા સ્વ. હરીભાઇ, સ્વ. ધીરજલાલ, સ્વ. જગદીશભાઇ, કિશોરભાઇ, કાંતિભાઇના ભાઇ, ચંદુભાઇ હેમતભાઇ ચૌહાણના બનેવી તા. ર૦ના રોજ અવસાન પામેલ છે. સદ્ગતનું આજે ટેલીફોનિક બેસણું રાખેલ છે.

રમાબેન બગથરીયા

ગોંડલઃ રમાબેન વિનુભાઇ બગથરીયા (ઉ.વ.૬૦) તે વિનુભાઇના પત્ની તથા હિરેનભાઇ અને મિતેશભાઇ (ટીલો)ના માતુશ્રી તથા ધીરૂભાઇ, રામજીભાઇ, મધુભાઇ, મનહરભાઇના ભાઇના પત્નીનું તા.ર૦ના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણું તા.રરને શનિવારના રોજ રાખેલ છે. મો. ૯૦૯૯૩ ૭૦૯૦૯, ૯૯૯૮૭ ૮૩૬૬૧, ૮૮૪૯૮ ૭પ૦૭પ, ૯૩ર૮૬ ૩પર૯૯.

ભોગીલાલ દોશી

રાજકોટઃ નિવાસી હાલ મીરા રોડ, ધારશી શામજી ઘી વાળાના પુત્ર ભોગીલાલ શાંતિલાલ દોશી (ઉ.વ.૮૯) તા.ર૦ના હૈદ્રાબાદ મુકામે અરિહંત શરણ પામ્યા છે. તેઓ રાજેન્દ્રભાઇ અને મિલનભાઇના મોટાભાઇ, દીપકભાઇ, પિયુષભાઇ, કિરણબેન દિલીપભાઇ મહેતા તથા સ્વ.બિન્દુબેન કમલેશભાઇ શાહના પિતાશ્રી, તથા શ્રી લીલાધરભાઇ અમૃતલાલ જસાણીના જમાઇ થાય છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે. મો. નં. ૮૦૮૦ર૬૬પપ૩ તથા મો.  ૯૯૮૭૦૦૮ર૪ર અને  મો. નં. ૯ર૪૬૭૧રર૮૧ છે.

ઇન્દુભાઇ ખંભાયતા

રાજકોટઃ ગુર્જર સુથાર ઇન્દુભાઇ અમૃતભાઇ ખંભાયતા (ઉ.વ.૭૪) રહેવાસી લંડન કે જેઓ નીશાબેન (નીમુબેન)ના પતિ તેમજ લીનેયભાઇ, અલ્પાબેન અને મીતલબેન ભાવેશભાઇ વિશારોલિયાના પિતાજી, તથા પાયલબેન અને ભાવેશભાઇના સસરા તથા પ્રદિપભાઇ અને ગીતાબેન ચંદુભાઇ વાલંભીયાના મોટાભાઇ તથા સ્વ.જેન્તીભાઇ, ભુપતભાઇ, સ્વ.જયશુખભાઇ અને પ્રવીણભાઇ અમરશીભાઇ ભાડેશીયાના બનેવી તા.૧૮ના શ્રીજી ચરણ પામેલ છે. ફકત ટેલીફોનીક બેસણું અલ્પાબેન નં. ૭૦૬૯૩  ૮પપ૭૦ ઉપર રાખેલ છે. રૂબરૂ મુલાકાત બંધ રાખેલ છે.

હસમુખરાય પારેખ

રાજકોટઃ ગૌ. વા. સોની દુર્લભજીભાઇ રૂગનાથભાઇ પારેખ (રીબડા વાળા)ના પુત્ર હસમુખરાય (ઉ.વ.૭પ) તે ગૌ.વા. છોટાલાલભાઇ, ગૌ. વા. વિનોદરાય તથા ગૌ. વા. સવિતાબેન જમનાદાસભાઇ આડેસરાના લધુબંધુ તે પ્રતિભાબેન દિપકકુમાર સ્વદાસ, રશ્મીબેન ધીરેનકુમાર આડેસરા, હીનાબેન સંજયકુમાર આડેસરા, ઉર્વીબેન પ્રતિકકુમાર કોંઢીયાના પિતાશ્રી તે ગૌ. વા. લીલાધરભાઇ રવજીભાઇ કાત્રોડીયા (વાંકાનેર વાળા)ના જમાઇ તા.ર૦ના શ્રીજી ચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.  ટેલિફોનીક બેસણું તા.રર ને શનિવાર સાંજે પ થી ૬, શ્રી કૃષ્ણ કુંજ, લક્ષ્મીવાડી શેરી નં.૪ ખાતે રાખેલ છે. નરેન્દ્રભાઇ - ૯૮ર૪૮ ૮૦૯૪૮, રાજેન્દ્રભાઇ ૯૪ર૮ર ૬૬૪૬૩.

સુરેશભાઇ ભટ્ટ

જુનાગઢ :.. સોરઠીયા શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ સુરેશભાઇ રેવાશંકર ભટ્ટ (ઉ.૭૦, ડાયરેકટર - કેશવ કો. ઓપ. ક્રેડિટ સોસાયટી લી. જુનાગઢ)  તે સ્વ. રેવાશંકર ગૌરીશંકર ભટ્ટના પુત્ર તથા ધવલભાઇના પિતા તેમજ વિનોદરાય (જુનાગઢ), મંજૂલાબેન પ્રભુલાલ દવે (વિરપુર) અને પ્રવિણાબેન ચીમનલાલ પુરોહિત (સાવરકુંડલા) ના ભાઇ તથા ભાવેશકુમાર મહાશંકર પુરોહિત (સુરત) ના બનેવીનું તા. ર૦ ના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઇને તેમનું ટેલીફોનિક બેસણુ તા. રર ના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

શારદાબેન નિર્મળ

જુનાગઢ : શારદાબેન સુરેશભાઇ નિર્મળ તે સુરેશભાઇ ઇશ્વરલાલ નિર્મળ (ઇશ્વરલાલ- જુનાગઢ)ના પત્ની, આકાશભાઇ તથા પ્રિતીબેન અનુપકુમાર વિઠ્ઠલાણીના માતુશ્રી સ્વ. દામોદરલાલ કેશવજી પાબારી (ભણગૌરવાળા) ના પુત્રી ર૧ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક શોકાંજલી સુરેશભાઇ મો. ૯૪ર૮૦ ૩૮૩૩૩, આકાશભાઇ ૯૪ર૮૩ ૪૬૩૩૩ ઉપર પાઠવવી.

પ્રવિણભાઇ વાઘેલા

રાજકોટઃ પ્રવિણભાઇ ગોવિંદભાઇ વાઘેલા (ઉ.વ.૬૭) તે ભાવેશભાઇ, ક્રિપાલભાઇ અને અમીતભાઇના પિતાશ્રી તથા અશોકભાઇ, જીતુભાઇના ભાઇનું તા.૨૧ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. બેસણું તા.૨૪ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬, ૧-દ્વારીકાધીશ સોસાયટી, ગોકુલધામ પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે.  (મો.૯૯૨૪૫ ૦૦૦૧૨)

રમણીકભાઇ જોટંગીયા

રાજકોટઃ સ્વ. રમણીકભાઇ બી. જોટંગીયા (નિવૃત એસ.ટી.) (ઉ.વ.૭૩) તે તુષાર તથા નમ્રતાના પિતાશ્રી, કાંતિભાઇ જોટંગીયા (રાજકોટ) નિવૃત સૌરાષ્ટ્ર યુનિ.ના નાનાભાઇ, મનુભાઇ (અમરેલી) કાંતિભાઇ (ગોંડલ) ના ભાઇ, મયુરકુમાર પાટડીયાના સસરા, બિન્દાભાઇ મારૂ, મહેન્દ્રભાઇ મારૂના બનેવી, દેવચડીવાળા મગનભાઇ તથા બટુકભાઇના ભાણેજ, જીજ્ઞેશ, નિમેશના કાકાનું તા. રરના રોજ અવશાન થયેલ છે. સ્વ.નું ટેલીફોનીક બેસણું તા. ર૪ સોમવારના રોજ રાખેલ છે. કોરોના મહામારીને કારણે લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. તુષાર જોટંગીયા-૮૯૮૦૦ ૪૮૯૯પ, કાંતિભાઇ જોટંગીયા (રાજકોટ) ૮૯૮૦પ ૪પર૯૭, નમ્રતા પાટડીયા-૯૪૦૮૭ પ૧૭૮૩, જીજ્ઞેશ જોટંગીયા-૯૮રપ૪ ૮૭૦૯૩, મનુભાઇ જોટંગીયા (અમરેલી) ૯૭૭૩૪ ૭પ૩૭૧, કાંતિભાઇ જોટંગીયા (ગોંડલ) ૮૭૩ર૯ ૧૧૩૪પ, મયુરકુમાર પાટડીયા-૯૪ર૬૧ ૬પ૮૭૧

માધવસિંહ ચૌહાણ

રાજકોટઃ માધવસિંહ ભીમજી ચૌહાણ (ઉ.વ.૮૭) (રેલ્વે ડી.આર.એમ. ઓફીસ ડ્રોઇંગ બ્રાંચ) તેઓ ઘનશ્યામસિંહ, ઇન્દ્રજીતસિંહ ચંદ્રજીતસિંહ (પેન્ટર), કલ્પનાબા, પુર્ણિમાબા (વડોદરા) ના પિતાશ્રી દિવ્જીતસિંહ, જયદ્રવ્યસિંહ, સુર્યજીતસિંહ, કરણસિંહના દાદા બાપુ ભગવાનજી ભીમજી ચૌહાણ (રીયા રેલ્વે)ના મોટાભાઇ, નરેન્દ્રસિંહ ચૌહાપણ એન.સી. (એન્જીનીયરીંગ બ્રાંચ) ના મોટાબાપુનું અવસાન તા. ર૦ને ગુરૂવારે થયેલ છે. તેમનું ઉઠમણું સોમવાર તા. ર૪ના સાંજે ો પ થી ૬ ટેલીફોનીકથી રાખેલ છે. કોરોના થકી લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. મો. ૯૯ર૪૧ ૯પપર૩, ૯૯રપ૭ ૭પ૧૧ર

શાંતાબેન મકવાણા

રાજકોટઃ ગુજરાતી મચ્છુ કઠીયા દરજી જ્ઞાતિના સ્વ. શાંતાબેન રતીલાલ મકવાણા (ઉંમર વર્ષ ૮પ) તે સ્વ. રતિલાલ પોપટલાલ મકવાણાના ધર્મપત્ની, ભરતભાઇ, મુકેશભાઇ, ઇલાબેન વિનોદભાઇ ચાવડાના માતૃશ્રી, ધર્મેશભાઇના દાદીમા, સ્વ. મોહનભાઇ નારણભાઇ ચૌહાણના પુત્રી, કુરજીભાઇ, વીરજીભાઇના બેન તા. ર૧ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદગતનું ટેલીફોનિક બેસણું સોમવાર તા. ર૪ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. ભરતભાઇ ૯ર૭૭૧ ૦ર૦૮૦, મુકેશભાઇ ૯૩૭૬ર ૪૧૪૦૯, ૯૯૦૯૭ પ૦૧૪૯

જયંતિલાલ શાહ

રાજકોટઃ ચોટીલા નિવાસી, સેવાભાવી અને બિન વારસી લાશના અંતિમ સંસ્કાર આપવાનું કાર્ય કરતા સ્વ.જયંતિલાલ ભગવાનજીભાઈ શાહ (ઉ.વ.૮૫) (મહેતાજી) તે સ્વ.ભગવાનજીભાઈ રઘુભાઈ શાહ તથા સ્વ.શાંતાબેન ભગવાનજીભાઈ શાહના પુત્ર, ધીરૂભાઈ ભગવાનજીભાઈ શાહ, સ્વ.કિશોરભાઈ ભગવાનજીભાઈ શાહ, કિરીટભાઈ ભગવાનજીભાઈના વડીલ બંધુ, શૈલેષ તથા શિલ્પાના પિતા, સિધ્ધાર્થકુમાર અજમેરાના સસરાનું તા.૨૧ના રોજ રાજકોટ મુકામે દુઃખદ અવસાન થયેલ છે. જેનું ટેલિફોનીક બેસણું શૈલેષભાઈ શાહ મો.૯૭૧૪૯ ૦૪૮૦૫, તા.૨૪ના સાંજે ૫ થી ૬ રાખેલ છે.

પ્રાગજીભાઈ વરુ

રાજકોટઃ પ્રાગજીભાઈ પ્રેમજીભાઈ વરુ મૂળ ગામ જીરાગઢ (હાલ- રાજકોટ) તે શાંતિભાઈ પ્રાગજીભાઈ વરુ, ધીરૂભાઈ પ્રાગજીભાઈ વરુ, હરેશભાઈ પ્રાગજીભાઈ વરુ, રૂક્ષ્મણીબેન પ્રવીણભાઈ કાચા, લાભુબેન સુરેશભાઈ સોલંકી તેઓના પિતાશ્રી તા.૨૦ના શ્રીજીચરણ પામેલ છે. કોરોના મહામારીની વર્તમાન પરિસ્થિતિને કારણે લૌકિક પ્રથા અને પ્રાર્થનાસભા રાખેલ નથી. શાંતિભાઈ મો.૯૮૨૪૮ ૪૪૩૭૫, ધીરજભાઈ મો.૯૦૧૬૯ ૦૦૨૬૨, હરેશભાઈ મો.૬૩૫૪૭ ૫૬૫૧૮, ટેલીફોનીક બેસણું તા.૨૪ સોમવારને રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

વિનોદરાય જોષી

રાજકોટઃ શ્રી ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજ રાજકોટ (મુળગામ પીઠવાજાળ) વિનોદરાય શાંતિલાલ જોશી (ઉ.વ.૬૭) તે સ્વ.શાંતિલાલ દિવેશ્વર જોશીનાં પુત્ર તથા યજ્ઞેશભાઈ, યોગેશભાઈ, કૌશિકભાઈના પિતાશ્રી તથા સ્વ.મધુબેન એમ.રાવલ (ગોંડલ), જીતેન્દ્રભાઈ નિલેશભાઈ (અમરેલી), બિપીનભાઈ (અમદાવાદ)ના મોટાભાઈ તેમજ સ્વ.ભવાનીશંકર અંબારામ રાવલ (મોવિયા)ના જમાઈ તથા અરવિંદભાઈ, દિનેશભાઈ (રાજકોટ), ઉમેશભાઈ (ભાવનગર), હરેશભાઈ (રાજકોટ)નાં બનેવીનું તા.૨૧ને શુક્રવારે દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૪ સોમવારે સવારે ૯ થી સાંજના ૫ કલાક સુધી રાખેલ છે. યજ્ઞેશભાઈ (મો.૯૯૭૯૧ ૪૪૪૧૧), યોગેશભાઈ (મો.૯૬૦૧૮ ૪૪૦૦૫)