Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018
અવસાન નોંધ

વાસંતીબેન જાની

મોરબી : વાસંતીબેન રમેશચંદ્ર જાની (ઉ.૯૦) તે રમેશચંદ્ર છોટાલાલ જાનીના પત્ની તેમજ સ્વ. આશાબેન જાની (એસ.ટી.વાળા) અને યોગેશભાઇ (એસ.ટી. વાળા)ના માતાનું તા. ર૦ ના રોજ અવસાન થયેલ છે. બેસણુ તા. રર ને બુધવારે સાંજે ૪ થી પ-૩૦ કલાકે ઔદિચ્ય બ્રાહ્મણની વાડી, વાંકાનેર દરવાજા, મોરબી સબ જેલ પાછળ, મોરબી ખાતે રાખેલ છે.

રમણીકભાઇ જોશી

ગુંદાળા : રમણીકભાઇ પોપટભાઇ જોશી (ઉ.૬૦) તે જડેશ્વર મહાદેવ મંદિરના પૂજારી ભુવનેશ્વરભાઇ, કિશોરભાઇના ભાઇનું તા. ૧૯ ના રોજ અવસાન થયેલ છે.

દિવાળીબેન શિશાંગીયા

રાજકોટઃ મુળ ગામ હડમડિયા નિવાસી હાલ રાજકોટના રહીશ વાણંદ છગનભાઇ ધરમશીભાઇ શીશાંગિયાના પુત્ર ભીખુભાઇના ધર્મપત્ની દિવાળીબેન (ઉ.વ.૬૮) તે રાજુભાઇ તથા સંજયભાઇના માતુશ્રી તથા વાછરાડાડાના મઢના પુજારી રસીકભાઇ તથા દયાળજીભાઇના ભાભીશ્રી તથા વીકીના દાદીમાં તથા પાંચ પીપળાવાળા સુરેષકુમાર હીરાણીના સાસુનું તા.૧૯ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.ર૩ના ગુરૂવારે સાંજના ૪ થી ૬, મવડી રોડ, ઉદયનગર-૧, શેરી નં.૧૬, વાછરા ડાડાના મઢે રાખેલ છે.

હંસાબેન હરીયાણી

વાંકાનેરઃ સ્વ. અંદરજીભાઇ રતનશીભાઇ માણેકના પુત્રી હંસાબેન વિનોદરાય હરીયાણી (ઉ.વ.૭૪) નું તા. ૧૯ના અવસાન થયેલ છે. ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા. ૨૪ના સાંજે ૪ થી પ શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર, જડેશ્વર રોડ વાંકાનેરમાં રાખેલ છે.

 સુંદરદાસ ગોંડલીયા

 રાજકોટઃ સાધુ સુંદરદાસ ભીમદાસજી ગોંડલીયા (ચુનીલાલ) તે સ્વ. છગનદાસ, રમેશભાઇ, મુકેશભાઇ, રાજુભાઇના પિતા તેમજ નાનાલાલ ભીમદાસજીના મોટાભાઇ તા.૧૯ને રવિવારના રોજ રામચરણ પામેલ છે. સદ્ગતનું બેસણું તા.૨૩ને ગુરૂવારે તેમના નિવાસ સ્થાન કનકનગર-૨, રાજકોટ ખાતે રાખેલ છે.

હસમુખભાઈ ભટ્ટ

વિસાવદરઃ જેન્તિલાલ ભાઈશંકર ભટ્ટના સુપુત્ર હસમુખભાઈ ભટ્ટ (ઉ.વ. ૬૮)નું તા. ૨૦ને સોમવારે અવસાન થયેલ છે.