Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018
અવસાન નોંધ

રેસકોર્ષ સ્નાનાગારના સંચાલક બંકીમભાઈ જોષીના પિતાશ્રીનું દુઃખદ અવસાન

રાજકોટઃ નિવાસી સ્વ.જેન્તીલાલ મગનલાલ જોષી (ચોગઠવાસી) (રીટાયર્ડ મ્યુનસીપલ કર્મચારી) (ઉ.વ.૮૩) જે બંકીમભાઈ જોષી (સ્નાનગર સંચાલક રેસકોર્ષ) (મો.૯૪૨૮૨ ૬૬૨૯૬)ના પિતાશ્રી તેમજ જોષી ગાર્ગીબેન (ભાવનગર), તરલ્લીકાબેન (શિહોર) રાજયગુરૂ હિનાબેન નીલેષકુમાર રાજકોટના પિતાશ્રીનું આજે તા.૨૧ના દુઃખદ અવસાન થયેલ છે. જેઓની સાદડી તા.૨૩ને શનિવારનાં સાંજના ૪ થી ૬ મ્યુનસીપલ કો.સોસાયટી, કિશાનપરા આશીષ- ૩૬ તેમના નિવાસસ્થાને રાખેલ છે.

મારુ કંસારા કેશવલાલ પરમારનું અવસાન : આવતીકાલે ઉઠમણું

રાજકોટઃ મારુ કંસારા કેશવલાલ પરમાર (ઉ. વર્ષ ૮૪) તે ચત્રભુજ પરમાણંદદાસના પુત્ર, તે ચેતનભાઇ ત્થા વિમલભાઇના પિતાશ્રી તા. ર૧/૬/૧૮ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું: શુક્રવાર તા. રર/૬/૧૮ના રોજ સવારે ૧૦ વાગે, શ્યામકુંવરબાઇ વાડી, દરબારગઢ પાસે રાખેલ છે.

દિલીપભાઈ ઠાકરીયા

રાજકોટઃ દિલીપભાઈ હરદાસભાઈ ઠાકરીયા (ગઢવી) જેઓ રિતેશભાઈ (દિલપભાઈના પિતા) ડો.પ્રતાપભાઈ હરદાસભાઈ ઠાકરીયાના ભાઈ, હસમુખભાઈ, સુરેશભાઈ, શાંતીભાઈ લક્ષ્મણભાઈ ઠાકરીયા (મોટાભાઈ)નું તા.૧૯ના દુઃખદ અવસાન થયેલ છે. સરનામું આનંદનગર- બેમાળ કવા.નં.૩૪૦ ખોડીયાર ચોક રાજકોટ ખાતે રાખેલ છે.

નલિનીબેન જોષી

રાજકોટઃ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ નલિનીબેન મગનલાલ જોષી (ઉ.વ.૮૩) તે સ્વ.મગનલાલ નાનાલાલ જોષીના ધર્મપત્ની તેમજ સ્વ.રસિકલાલ પ્રાગજીભાઈ વ્યાસના પુત્રી તેમજ ભારતીબેન, શૈલેષભાઈ, અજયભાઈ તથા મનીષાબેનના માતુશ્રીનું તા.૨૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૨૨ શુક્રવારના રોજ સાંજે ૬ કલાકે એ.જી.સોસાયટી કોમન પ્લોટ, ઓમકારેશ્વર મંદિર, કાલાવડ રોડ, રાજકોટ ખાતે બંને પક્ષનું રાખેલ છે.

કાંતાબેન મકવાણા

રાજકોટઃ જસદણ નિવાસી હાલ રાજકોટ કાંતાબેન તુલસીભાઈ મકવાણા (ઉ.વ.૭૭) તે સ્વ.તુલસીભાઈ કુકાભાઈ મકવાણાના પત્ની, તે મનસુખભાઈ (આકાશવાણી), જીજ્ઞેશભાઈ (એલઆઈસી), દિપકભાઈ (એલઆઈસી), હંસાબેન હિરાભાઈ તલસાણીયા,  દક્ષાબેન નગીનભાઈ ગોહેલ, ચેતનાબેન નરેશભાઈ ડાભીના માતુશ્રી તથા દેવરાજભાઈના ભાભી, વાલાભાઈ મેરના દિકરી તા.૨૦ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૨૨ને શુક્રવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬ તેમના નિવાસસ્થાને ''જય શ્રી ચામુંડા કૃપા'', જીવંતીકાનગર મેઈન રોડ, ખોડીયાર પાન સામે, ગાંધીગ્રામ, રાજકોટ ખાતે રાખેલ છે.

મનસુખલાલ દોશી

રાજકોટઃ જેતપુર નિવાસી સૌરાષ્ટ્ર દશા મોઢ માંડલીયા મનસુખલાલ અમૃતલાલ દોશી (ઉ.વ.૭૯)નું તા.૧૯ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૧ને ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૬ દરમ્યાન કોટડીયા વાડી, વિભાગ-૨, ગાયત્રી મંદિર પાસે, જેતપુર ખાતે રાખેલ છે.

અશોકભાઈ મહેતા

રાજકોટઃ રાજગોર બ્રાહ્મણ (કાઠી) અશોકભાઈ રામજીભાઈ મહેતા (ઉ.વ.૬૨) તે લાભશંકરભાઈ રામજીભાઈ મહેતાના નાનાભાઈ અને વિશાલભાઈ મહેતા અને ધવલભાઈ મહેતાના પિતાશ્રી તેમજ અનિલભાઈ લાભશંકર મહેતા (મોરબી પોલીસ)ના કાકા તેમજ મગનભાઈ બોધાભાઈ મહેતાના ભત્રીજા તથા જનકભાઈ, શાંતિભાઈ, પ્રવિણભાઈ, ભુપતભાઈ, ભરતભાઈના ભાઈનું તા.૨૦ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૨ને શુક્રવારે સાંજે ૫ થી ૭ આશાપુરા મંદિર, આશાપુરા મેઈન રોડ લાખના બંગલાથી આગળ એરોડ્રામ દીવાલની સામે, ગાંધીગ્રામ રાજકોટ ખાતે રાખેલ છે.

નારાયણભાઈ ભગતાણી

રાજકોટઃ નિવાસી સિંધી લોહાણા નારાયણદાસ ખેમચંદ ભગતાણી (ઉ.વ.૭૯) તે જેઠાનંદભાઈ, ભગવાનદાસ મુરલીધર તથા ભોજરાજભાઈના પિતાશ્રીનું તા.૨૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું (પધડીયુ) તા.૨૨ના શુક્રવારના રોજ સાંજે ૬ કલાકે તેમના નિવાસસ્થાને જુલેલાલનગર શેરીનં.૪, જુલેલાલ મંદિરની પાછળ રાજકોટ ખાતે રાખેલ છે.

છગનભાઇ રૈયાણી

ગોંડલઃ છગનભાઇ અરજણભાઇ રૈયાણી (ઉ.વ.૬પ) તે શૈલેશભાઇ તથા સુભાષભાઇના પિતાશ્રીનું તા.ર૦ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.ર૩ના રોજ સાંજે ૪ થી ૬ લોહાણા બોર્ડીંગ ભોજરાજપરા ૯/ર૪ ગોંડલ ખાતે રાખેલ છે.

કિશોરભાઇ વડગામા

રાજકોટઃ ગુર્જર સુથાર સણોસરા વારા હાલ રાજકોટ કિશોરભાઇ દામજીભાઇ વડગામા તે પ્રાણલાલ સ્વ.રમણીકભાઇ, વૃજલાલભાઇ તથા સ્વ.જેન્તિભાઇ વડગામા તથા સ્વ.દયાબેન ધીરજલાલ ખંભાયતાના ભાઇ તથા તુષાર, વૈશાલી બીપીનકુમાર વઘાડીયા (મોરબી)ના પિતાશ્રી તથા જીવરાજભાઇ ધરમશીભાઇ બકરાણીયા, દેવજીભાઇ મેઘજીભાઇ કથરેચાનાં જમાઇ તા.ર૦ના શ્રીજી ચરણ પામેલ છે. સ્વ.નું બેસણું તા.રરના શુક્રવારે સાંજે પ થી ૬, રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ ૭/૧૦ ભકિતનગર સ્ટેશન પ્લોટ ખાતે રાખેલ છે.

દયાબેન ભાડેશિયા

ટંકારાઃ માધાપર (સામપર) નિવાસી ગુર્જર સુથાર ભાડેશિયા સ્વ.મનજીભાઇ સવજીભાઇના પત્ની દયાબેન મનજીભાઇ (ઉ.વ.૭૭) તે રમણીકભાઇ જસુબેન વિસાવડીયા, જોસનાબેન ગોવિંદયાના માતુશ્રી તેમજ નિશાંત અને પાર્થના દાદીમા તથા ટંકારાના કરમસીભાઇ જીવાભાઇનાં પુત્રી તથા સ્વ.નરસીભાઇ રામજીભાઇ તથા ચંદુભાઇના મોટાબેનનું તા.૧૯ના અવસાન થયેલ છે. બંને પક્ષનું બેસણું તા.રરને શુક્રવાર ૩ થી ૬ માધાપર (સામપર)માં રાખેલ છે.

હેબતુલ્લાહભાઇ વજીહી

રાજકોટઃ હેબતુલ્લાહભાઇ મુસાજી વજીહી (માંકડા), તે ઝહરાબેન ઉપલેટાવાલાના શોહર, તે મહંમદભાઇ, ખદીજાબેન (કીલ્લાપારડી), ફાતેમાબેન (લંડન), મ. શીરીનબેન (મુંબઇ)ના ભાઇ, ઝોયેબભાઇ, બુરહાનુદ્દીનભાઇના બાવાજી, ગુજરી ગયા છે, તેમની જયારતના સીપારા તા.રરના બપોરે ૧-૩૦ કલાકે મરદો-બૈરાઓના સાથે મવાઇદ, સૈફીકોલોનીમાં રાખેલ છે.

જયશ્રીબા ગોહિલ

ભાવનગર : સોસિયા નિવાસી સુખદેવસિંહ મખુભા ગોહિલ (ગુરૂકુળ-સોસિયા)ના ધર્મપત્ની જયશ્રીબા સુખદેવસિંહ ગોહિલ (ઉ.વ.૪૭) તા. ર૦ ને બુધવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેઓ મખુભા માનસંગજી ગોહિલના પુત્રવધુ થાય તેમજ રાજેન્દ્રસિંહ મખુભાઇ ગોહિલ (રાજભા-સોસિયા)ના ભાભશ્રી થાય તથા મનમીતસિંહ અને ધૈર્યદીપસિંહના માતૃશ્રી થાય તથા ધર્મરાજસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલના મોટા મમ્મી થાય. સદ્ગતનો લૌકીક વ્યવહાર સોસિયા મુકામે રાખેલ છે. સ્વર્ગસ્થની ઉત્તરક્રિયા નિજ જેઠ સુદ ૧૪ ને તા. ર૬ મંગળવારના રોજ સોસિયા (તા. તળાજા) મુકામે અમારા નિવાસસ્થાને રાખેલ છે.

લલીતાબેન બગડાઇ

ગોંડલ : ઠા. જાદવજી ભગવાનજી બગડાઈ ના પુત્રવધુ સ્વ. દુર્લભજીભાઈ ના પત્ની લલીતાબેન ઉ. ૮૨ તે હરજીવનભાઇ, સ્વ. હેમંતભાઈ ના ભાભી, જયશ્રી ક્રુષ્ણભાઈ, હંસાબેન પાઉં, મધુબેન સેજપાલ, નયનાબેન કોટક, દક્ષાબેન પોપટ, ઇલાબેન બલદેવ, નીલાબેન પોબારુ, છાયાબેન કક્કડ ના માતા ખુશી, ઓમ ના દાદી માં નું તા. ૧૮ ના રોજ અવસાન થયેલ છે. બેસણું ૅં તા. ૨૨ ને સાંજે ૫ થી ૬, શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન, ૨૨/૯ ભોજરાજપરા, ગોંડલ રાખેલ છે.

પ્રવિણભાઇ સટોડિયા

ગોંડલઃ પ્રવીણભાઈ બચુભાઈ સટોડિયા ઉ.વ.૬૨ તે હસુભાઈ ના ભાઈ નિરલ, નિશાલ ના પિતા જલવ, કાવ્ય ના દાદા તા. ૨૦ ના અવસાન થયેલ છે. બેસણું ૅં તા. ૨૨ ને શુક્રવારે સાંજે ૪ થી ૬, ગુર્જર સુતાર જ્ઞાતિ ની વાડી, પેલેસ રોડ ગોંડલ મુકામે રાખેલ છે.

ચંપાબેન પીપળીયા

ગુંદાળાઃ રામજીભાઈ બાવાભાઈ પીપળીયા ના પત્ની ચંપાબેન ઉ.૬૯ તે દર્શનભાઈ ના માતા નું તા. ૨૦ ના અવસાન થયું છે બેસણું ૅં તા. ૨૨ ને શુક્રવારે સાંજે ૪ થી ૬, અમારા નિવાસ સ્થાન મુ. ગુંદાળા (તા. ગોંડલ) ખાતે રાખેલ છે.

મંજુલાબેન સાદરાણી

મોટી કુકાવાવ : સ્વ. ધનજીભાઇ તુલશીદાસ ખટારાના પુત્રી મંજુલાબેન જયંતીલાલ સાદરાણી (ઉ.વ.૭૧) તે મનસુખભાઇ, વિનોદરાય, અરવિંદભાઇ, નટવરલાલ તેમજ હસમુખભાઇ ના બહેનનું તા. ૧૯/૬/૧૮ ના રોજ જુનાગઢ મુકામે અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૨૨/૬/૧૮ ને શુક્રવારે સાંજે ૪ થી ૫ લોહાણા મહાજનની વાડી મોટી કુકાવાવ ખાતે રાખેલ છે.

અજીતસિંહ ઝાલા

ઉપલેટા નિવાસી અજીતસિંહ ડુંગરસિંહ ઝાલા (ઉ.વ.૭૮) તે રામદેવસિંહ જાલા તથા બ્રિજરાજસિંહ જાલા ના પિતાશ્રીનું તા. ૨૦ ના અવસાન થયેલ છે. સદગતનું બેસણુ : તા. ૨૨-૬-૨૦૧૮ના શુક્રવારના રોજ સાંજના પ થી ૭ દરમ્યાન નિવાસ સ્થાન ખાતે રાખેલ છે. તેમજ તેમની ઉત્તરક્રિયા :- તા. ૧-૭-૨૦૧૮ના રોજ રાખેલ છે.

 વિશ્નુભાઇ પુરોહિત

જૂનાગઢઃ ગિરીનારાયણ બ્રાહ્મણ વિશ્નુભાઇ વ્રજદાસ પુરોહિત એ જનકભાઇ પુરોહિત - ભામિનીબેનના મોટાભાઇ સંજયભાઇ - પૂર્ણેન્દુભાઇ (પપુ) - રાખીબેનના પિતા તથા માતંગભાઇ - આનંદભાઇના મોટા બાપુજી તે તા.૨૦-૬-૨૦૧૮ને બુધવારના રોજ શ્રીજી ચરણ પામ્યા છે. તેમની અંતિમયાત્રા  તા. ૨૧-૬-૨૦૧૮ને ગુરૂવારે સવારે ૮-૦૦ કલાકે તેમના નિવાસ સ્થાન 'દિપક' સરકારી કર્મચારી સોસાયટી , ગાંધીગ્રામ , જૂનાગઢ ખાતે રાખેલ છે. બેસણુ / ઉઠમણું તા. ૨૧-૬-૨૦૧૮ ગુરૂવારના રોજ સાંજે ૫-૦૦ થી ૬-૩૦ ભુતનાથ મંદિર ખાતે રાખેલુ છે.

મિતેષભાઈ ત્રિવેદી

રાજકોટ : ગુ.હા.સ.ચા. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ રસીકલાલ નાનજીભાઈ ત્રિવેદીના દોહિત્ર તે સુરેશભાઈ આર. ત્રિવેદી (આરએમસી) તથા સંજયભાઈ આર. ત્રિવેદીના ભાણેજ મિતેષભાઈ જયંતિલાલ ત્રિવેદી (ઉ.વ.૨૬)નું તા.૧૯ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૨ને શુક્રવારના રોજ સાંજે ૫ થી ૬ સ્વ.કલ્યાણજી નરશીભાઈ જાની કોમ્યુનિટી હોલ, ચંદન પાર્ક, રૈયા ચોકડી પાસે (જ્ઞાતિની વાડી)એ રાખેલ છે.

નીતાબેન દેવાણી

રાજકોટઃ મુળ ભાવનગર હાલ રાજકોટ નીતાબેન (જાગુબેન) પરેશકુમાર દેવાણી (ઉ.વ.૪૬) તે સ્વ.લક્ષ્મીદાસ ડાયાલાલ દેવાણીનાં પુત્રવધુ, તે રાજેશભાઈ દેવાણીનાં ભાભી તેમજ આકાશ તથા દિપીકા જીજ્ઞેશકુમાર સોનછાત્રાનાં માતુશ્રી, તે સ્વ.દામજીભાઈ કેશવજીભાઈ કોટેચાનાં દિકરી તેમજ સ્વ.મોહિતભાઈ તથા નિલેશભાઈ કોટેચાના બહેનનું દુઃખદ અવસાન તા.૧૮ને સોમવારનાં રોજ થયેલ છે. તેમનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા.૨૨ને શુક્રવાર સાંજના ૫ થી ૬ કલાકે ધારેશ્વર મહાદેવ મંદિર, ભકિતનગર સર્કલ, રાજકોટ ખાતે રાખેલ છે.

લલીતાબેન ચાવડા

રાજકોટઃ શ્રી ગુજરાતી મચ્છુકઠીયા દરજી જ્ઞાતિના સ્વ.મગનલાલ રવજીભાઈ ચાવડાના ધર્મપત્ની લલીતાબેન (ઉ.વ.૮૦) તે મહેશભાઈ (ટેક્ષ એડવોકેટ) અશ્વીનભાઈ, જે.એમ.ચાવડા (પી.આઈ. ભાવનગર), સ્વ.ભારતીબેન એચ.રાઠોડ, નયનાબેન આર.પરમાર (વડોદરા), પન્નાબેન આર.પરમાર, સોનલબેન એમ.પરમાર (ઉપલેટા), અમીતાબેન એમ.રાઠોડના માતા, દુર્ગેશ, સુરભી, શ્રુતી, વિશ્વાના દાદી તા.૨૦ બુધવારના રોજ અવસાન પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૨ શુક્રવારના રોજ સાંજે ૫ થી ૬, દરજીની વાડી, સાંગણવા ચોક, રાજકોટ ખાતે રાખેલ છે.

મિતેષભાઈ ત્રિવેદી

રાજકોટ : ગુ.હા.સ.ચા. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ રસીકલાલ નાનજીભાઈ ત્રિવેદીના દોહિત્ર તે સુરેશભાઈ આર. ત્રિવેદી (આરએમસી) તથા સંજયભાઈ આર. ત્રિવેદીના ભાણેજ મિતેષભાઈ જયંતિલાલ ત્રિવેદી (ઉ.વ.૨૬)નું તા.૧૯ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૨ને શુક્રવારના રોજ સાંજે ૫ થી ૬ સ્વ.કલ્યાણજી નરશીભાઈ જાની કોમ્યુનિટી હોલ, ચંદન પાર્ક, રૈયા ચોકડી પાસે (જ્ઞાતિની વાડી)એ રાખેલ છે.