-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
(વિનુ જોશી) જુનાગઢ તા. ર૧ :.. આહિર સમાજના અગ્રણી જુનાગઢના પૂર્વ મેયર કેપ્ટન સતિષકુમાર વિરડાનું તા. ૧૯ ના રોજ અવસાન થતા સદ્્ગતનું બેસણુ તા. ર૩ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ જાગનાથ મહાદેવ મંદિર જલારામ સોસાયટી જુનાગઢ ખાતે રાખેલ છે તેમ તેના પુત્રો પાર્થ વિરડા અને હેરી વિરડાએ જણાવ્યું છે.
શાંતાબેન દામાણી
રાજકોટઃવ.શાંતિલાલ ઝુંઝાભાઇ દામાણીના ધર્મપત્ની શાંતાબેન શાંતિલાલ દામાણી (ઉ.૮૮)તે જયેશભાઇ તથા અજયભાઇના માતુશ્રી, સ્વ.મગનલાલ ગોવિંદજી ટીલીયા ગોંડલના સુપુત્રી અને સ્વ.નયનાબેન તથા ઉર્મિલાબેનના સાસુ, હિરેન, ખુશ્બુ, ખ્યાતિ, વિશાખા, જૈનમના દાદીમાં તેમજ મોનિકા હિરેન દામાણી, પ્રતિકભાઇ પીલોજપરા અને જયદીપભાઇ કથરેચાના મોટા સાસુ તા.૨૦ના સોમવારના રોજ વહેલી સવારે નવકારમંત્રનું સ્મરણ કરતા અરિહંતશરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા.૨૪ને શુક્રવારે સવારે ૧૦.૩૦ કલાકે તથા પ્રાર્થનાસભા ૧૧ કલાકે વિરાણીવાડી, કોઠારીયા નાકા પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.
ઈન્દુમતીબેન દોશી
રાજકોટઃ સ્વ.ચંદ્રકાંતભાઈ ડુંગરશીભાઈ દોશી (કુંદલીવાળા) એડીસ અબાબાવાળાના ધર્મપત્નિ ઈન્દુમતીબેન (ઉ.વ.૮૫) તે છોટાલાલ ધરમશી રવાણી (કાલાવડ)ના દિકરી, સ્વ.મુકેશભાઈ તથા ધીરેનભાઈ (ચંદ્ર ઈલેકટ્રોનીકસ)ના માતુશ્રી તથા નિશાબેન તથા રૂપલબેનના સાસુ અને ઋષભ તથા વિવેકના દાદીનું તા.૨૦ને સોમવારના રોજ અરિહંત શરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૩ને ગુરૂવારના રોજ બપોરે ૪ થી ૭ કલાકે રાખેલ છે. ધીરેન ચંદ્રકાંતભાઈ દોશી મો.૯૮૨૫૬ ૦૯૩૩૫, ઋષભ મુકેશભાઈ દોશી મો.૭૦૨૨૧ ૭૮૩૭૦, નીશાબેન મુકેશભાઈ દોશી મો.૯૯૭૦૪ ૩૭૩૧૧, રૂપલ ધીરેનભાઈ દોશી મો.૯૪૦૮૦ ૪૧૯૯૭
સાવિત્રીબેન ઉપાધ્યાય
રાજકોટઃ મુળ ગોંડલ હાલ રાજકોટ વાલમ બ્રાહ્મણણ સતીમાતાજી ઉપાધ્યાય પરિવાર (મોવિયા)ના સાવિત્રીબેન વિનયચંદ્ર ઉપાધ્યાય (ઉ.વ.૮૨) તે સ્વ.વિનયચંદ્ર કાંતિલાલ ઉપાધ્યાયના ધર્મપત્નિ તે સ્વ.પંકજભાઈ, કિર્તીદા પ્રદિપભાઈ શુકલ, કિરણ દિવ્યેશભાઈ ત્રિવેદી, કાશ્મીરા શૈલેષભાઈ સોલંકી તથા હીના દુષ્યંતભાઈ જાડેજાના માતુશ્રી તે દેવર્ષના દાદી તે સ્વ.હરીલાલ પ્રાણશંકર પંડયા (ગોંડલ)ના દિકરી તે સ્વ.ગીરીશચંદ્ર તથા શરદચંદ્રના ભાભી તે રાજેશભાઈ, હેમલભાઈ અને કમલેશભાઈના ભાભુનું તા.૧૯ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બન્ને પક્ષનું બેસણું તા.૨૩ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ દરમ્યાન નાગર બોર્ડિંગ, ટાગોર માર્ગ, વિરાણી સ્કૂલ સામે રાજકોટ ખાતે રાખેલ છે.
રસીકભાઇ ચીતલીયા
રાજકોટ : નિવાસી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન સ્વ. જીવરાજભાઇ ન્યાલચંદ ચીતલીયાના સુપુત્ર રસીકલાલ જીવરાજભાઇ ચીતલીયા (ઉ.વ.૮૬) તે ગં. સ્વ. કુસુમબેનના પતિ તથા જયોતીબેન કુમારભાઇ પરિખના પિતાશ્રી તે કુમારભાઇના સસરા તથા રીયાના નાના તા. ૧૯ ને રવિવારે અમદાવાદ મુકામે અરિહંત શરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.