Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018
જુનાગઢમાં પૌરાણીક વસ્ત્રાપથેશ્વર મહાદેવ મંદિરનાં મહંત અનિરૂધ્ધ ગીરીજી મહારાજ બ્રહ્મલીન

જુનાગઢ, તા., ૧૯: ભવનાથ ખાતેના વસ્ત્રાપથેશ્વર મહાદેવ મંદિરના મહંત અનિરૂધ્ધગીરીજીનો આજે સવારે દેહવિલય થતા સંતોમાં ગમગીની વ્યાપી ગઇ છે.

ગીરનાર તળેટીમાં ભવનાથ મહાદેવ મંદિર પાસે આવેલ પૌરાણીક વસ્ત્રાપથેશ્વર મહાદેવ મંદિરના મહંત અનિરૂધ્ધગીરીજી (ઉ.વ.૪પ)નું આજે સવારે હાર્ટ એટેકથી નિધન થયું હતું. અગાઉ પણ મહંતશ્રીને હ્ય્દયરોગનો હુમલો આવેલ અને જે અંગેની રાજકોટ ખાતે દવા અને સારવાર પણ ચાલી રહી હતી.

દરમ્યાનમાં આજે સવારે વસ્ત્રાપથેશ્વર મંદિર ખાતે ફરી હાર્ટ એટેકનો હુમલો આવતા મહંત અનિરૂધ્ધગીરીજી માટે જીવલેણ નિવડયો હતો.

મહંતશ્રીના નિધનના સમાચાર મળતા સંતો-મહંતો શિવાલય ખાતે દોડી ગયા હતા. અનિરૂધ્ધગીરીજીના દેહ વિલયથી સંત સમાજ ઉપરાંત શિવભકતો સહીત સેવકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

અમૃતલાલ ટાંકનું દુઃખદ અવસાનઃ શુક્રવારે બેસણું

રાજકોટઃ અમૃતલાલ નાગજીભાઇ ટાંક (ઉ.વ.૬પ) તે શૈલેષભાઇ ટાંકનાં પિતાશ્રી તેમજ વિનુભાઇ મનજીભાઇ ટાંક તથા નરેશભાઇ દેવજીભાઇ ટાંકના ભાઇનું તા.૧૮ના દુઃખદ અવસાન થયું છે. સદગતનું બેસણું  તા.રરને શુક્રવારે બપોરે ૪ થી ૬ જુનુ સુર્યોદય સોસાયટી, શેરી નં. ર, (ર) ગોવિંદનગર મેઇન રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

ચંદ્રીકાબેન ઝવેરી

રાજકોટઃ શ્રી દશા સોરઠીયા વણિક જ્ઞાતિ ચંદ્રીકાબેન નાનાલાલ ઝવેરી (ઉ.વ.૭૨) તે નાનાલાલ પ્રેમચંદ ઝવેરીના ધર્મપત્નિ તે સ્વ.હરિલાલભાઈ, સ્વ.હરસુખભાઈ, જેન્તીલાલ પ્રેમચંદભાઈ ઝવેરીના ભાઈના પત્ની તેમજ દેવેનભાઈ, દિપ્તીબેન મહેશભાઈ સાંગાણી, નિશાબેન સતિષભાઈ ગગલાણી (જુનાગઢ)ના માતુશ્રી તે સ્વ.ગીરધરલાલ નાથાલાલ ધાબલિયા (મુંબઈ)ના પુત્રીનું તા.૧૬ શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૨૧ ગુરૂવારના રોજ સાંજે ૫ કલાકે ધારેશ્વર મહાદેવ મંદિર, ભકિતનગર સર્કલ રાજકોટ ખાતે રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

બીપીનભાઈ જોષી

રાજકોટઃ ચા.મ.મોઢ બ્રાહ્મણ સોલાપુર વાળા (હાલ રાજકોટ) સ્વ.પ્રભુલાલ નંદલાલ જોશીના પુત્ર બીપીનભાઈ જોષી (ઉ.વ.૭૫) જે પુનમબેન તથા અલ્પાબેનના પિતાશ્રી તથા પ્રકાશભાઈ ભટ્ટ તથા શાસ્ત્રી કિરીટભાઈ ભટ્ટના સસરા તથા ગુલાબબેન વીણાબેન રીટાબેન ઉષાબેનના ભાઈ તેઓ તા.૧૮ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જેમનું ઉઠમણું તા.૨૧ને ગુરૂવારે સાંજે પાંચ વાગ્યે નટેશ્વર મહાદેવ મંદિર ૮૦ ફુટ રોડ શેઠ હાઈસ્કૂલની બાજુમાં રાજકોટ ખાતે રાખેલ છે.

દક્ષાબેન ભટ્ટ

રાજકોટઃ ગુજરાતી શ્રીગૌડ માળવિય બ્રાહ્મણ મુળ ગૌરીદળ હાલ બેડી નિવાસી પ્રવિણચંદ્ર મનસુખલાલ ભટ્ટના ધર્મપત્ની દક્ષાબેન (દયાબેન) (ઉ.વ.૬૫) તે સ્વ.દિનકરરાય એમ ભટ્ટ તથા દિલીપચંદ્ર એમ ભટ્ટના ભાઈના પત્ની તથા વેકરીયા નિવાસી સ્વ.શાંતિલાલ બી ભટ્ટના પુત્રી તેમજ ગૌતમભાઈ પી.ભટ્ટના માતુશ્રીનું તા.૧૭ને રવિવારે કૈલાશવાસ થયેલ છે. સદ્દગતનું બેસણું તથા ઉઠમણુ તા.૨૧ને ગુરૂવારે સાંજે ૪ થી ૫ વાગ્યા દરમ્યાન વૈલનાથ બાપુની જગ્યા બેડી ગામ ખાતે રાખેલ છે.

પદ્માવતીબેન ગેરીયા

રાજકોટઃ પ્રભાસપાટણ નિવાસી હાલ રાજકોટ સ્વ.સોની કુંદનલાલ કરશનદાસના પત્નિ પદ્માવતીબેન કુંદનલાલ ગેરીયા (ઉ.વ.૭૫) તે સ્વ.રજનીકાંત, યોગેશભાઈ, અતુલભાઈ, પ્રિતીબેનના માતુશ્રી તા.૧૭ને રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણુ તા.૨૧ને ગુરૂવારના રોજ તેમના નિવાસસ્થાને સાંજે ૪ થી ૬ જયદર્શન એપાર્ટમેન્ટ શ્રીરામપાર્ક શેરીનં-૩, કેન્દ્રીય વિદ્યાલય પાછળ કાલાવડ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

સરોજબેન રાઠોડ

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડિયા ગં. સ્વ. સરોજબેન અનિલભાઇ રાઠોડ (ઉ.વ.૬ર) તે સચીનભાઇ, અમિતભાઇ તથા કેતનભાઇના માતુશ્રી તા.૧૮ના શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.ર૧ને બુધવારે સાંજે પ થી ૭ 'ચામુંડા કૃપા', ગાંધીગ્રામ, શેરી-૩-બી રામ ડેરી વાળી શેરી ખાતે રાખેલ છે.

રમાબેન શુકલ

ગોંડલ : રમાબેન વિનોદરાય શુકલ ઉ.વ. ૮૦ તેઓ મહેશભાઇ તથા સુરેશભાઇના માતાનું તા.૧૮ના અવસાન થયેલ છે. બેસણું તા. ૨૧ ગુરૂવાર સાંજે ૪ થી ૬ કલાકે વોરાકોટડા રોડ  રામજી મંદિર પાસે ગોંડલ ખાતે નિવાસ સ્થાને રાખેલ છે.

અંજનાબેન પીપળીયા

રાજકોટ : નિલેશભાઈ લક્ષ્મણભાઈ પીપળીયાના (દાત્રાળાવાળા, હાલ રાજકોટ) ધર્મપત્નિ અંજનાબેન નિલેશભાઈ પીપળીયા (ઉ.વ.૪૦)નું તા.૧૮ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૧ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ મેવાડા સુતાર જ્ઞાતિની વાડી, મવડી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

જીવીબેન નંદાણીયા

જૂનાગઢ : જીવીબેન મેરામણભાઇ નંદાણીયા (ઉ.વ.૮૦) તે બંસીધર વિદ્યાલય-દોલતપરા, જૂનાગઢના આચાર્યશ્રી એમ.એમ. નંદાણીયાના માતૃશ્રીનું તા. ૧૬ ને શનિવારે અવસાન થયેલ છે. તેનુ બેસણું (દરરોજ ગ્રામ્ય રિવાજ મુજબ ઉતરક્રિયા સુધી), ઉતરક્રિયા તા. રરમીએ શુક્રવારે તેમના વતન ટીટોડી, તા. કેશોદ ખાતે રાખેલ છે.