અવસાન નોંધ
અંજનાબેન ગોંધિયા
રાજકોટ : અંજનાબેન ચંદ્રકાન્તભાઇ ગોંધિયા (ઉ.વ.૬ર) તે સ્વ. ચંદ્રકાન્તભાઇ લક્ષ્મીદાસભાઇ ગોંધિયાના પત્ની (જુનાગઢવાળા) તે લક્ષ્મીદાસ હરિલાલ કેશવજીના પુત્રવધુ તે શૈલેષભાઇ, હરેશભાઇ, મહેશભાઇ, કેતનભાઇના ભાભી તે છગનલાલ પ્રાગજીભાઇ કારીયાના દીકરી તથા રાજૂભાઇ છગનલાલ કારીયા, ભાનુબેન, અલ્કાબેનના બહેન તા. ૧પ ને શ્રીજીચરણ પામેલ છે. સદ્્ગતની પ્રાર્થના સભા તથા પિયર પક્ષની સાદડી તા. ૧૭ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ લોહાણા મહાજનવાડી, સાંગણવા ચોક, ખાતે રાખેલ છે.
મધુબેન બગથરીયા
ગોંડલ : સ્વ. સુખલાલભાઇ રાજાભાઇ બગથરીયાના પત્ની મધુબેન તે સ્વ. જીતેન્દ્રભાઇ, હિતેષભાઇ, સ્વ. જયેશભાઇ, પરેશભાઇ, યોગેશભાઇના માતુશ્રી તેમજ તુલસીદાસ ગોવિંદજી ભટ્ટી (ધોરાજી) ના બેન તેમજ મનસુખલાલ ગોંડલીયા અને હેમંતલાલ હીરાણીના સાસુ તેમજ સંદીપ, વીરેન, હાર્દિકના દાદીમાનું તા. ૧પ ને બુધવારે અવસાન થયેલ છે. બેસણું તા. ૧૭ ને શુક્રવારે, બપોરે ૪ થી ૬, શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર, નગર શેરી, ગોંડલ ખાતે રાખેલ છે.
હંસાબેન જોષી
રાજકોટ : ગુજરાતી શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ મુળ મોટા મહીકા હાલ રાજકોટ કોઠારીયા સ્વ. ઉદયશંકર રેવાશંકર જોષીના પુત્રવધુ અને રમેશચંદ્રના પત્ની હંસાબેન (ઉ.વ.૬૭) તે શરદભાઇ અને મુકેશભાઇના ભાભી તે નિલેશભાઇ, શૈલેષભાઇ, અમિતભાઇના માતુશ્રી તે સ્વ. જયંતીલાલ જટાશંકર ભટ્ટ (ગુંદાવાડી)ના પુત્રી તે સ્વ. બીપીનભાઇ, સ્વ. અરૂણભાઇ, અરવિંદભાઇ, ગીરીશભાઇ, સ્વ. ધીરેન્દ્રભાઇ અને પ્રકાશભાઇના બહેનનું તા. ૧પ ના અવસાન થયેલ છે. બંને પક્ષનું ઉઠમણું અને બેસણું તા. ૧૭ ને શુક્રવારે સાંજે ૪ થી પ.૩૦ ગદાધર હનુમાનજી મંદિર, ગદાધર સોસાયટી, ગુજરાત સીએનજી પમ્પ, કોઠારીયા ગામ રાજકોટમાં રાખેલ છે.
રમણીકભાઈ રાયઠઠ્ઠા
રાજકોટઃ ઠા.રમણીકભાઈ એમ. રાયઠઠ્ઠા (ધ્રાફાવાળા) (ઉ.વ.૭૩) તે જયોત્સનાબેનના પતિ તથા ચંદ્રેશભાઈ, પ્રીતીબેન શ્યામકુમાર મશરૂ, દિપ્તીબેન યતીનકુમાર મોનાણી, કિંજલબેન પિયુષકુમાર તન્નાના પિતાશ્રી તા.૧૫ના શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું તથા પિયર પક્ષની સાદડી ગુરૂવાર તા.૧૬ના સાંજે ૪ થી ૫ રાતીયા હનુમાન મંદિર શંખેશ્વર મહાદેવ મંદિર ધ્રુવનગર- આમ્રપાલી સિનેમાવાળી શેરી રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
કુંદનબેન શેઠ
મુંબઈઃ દ.સો. વૈ. વ. વેરાવળ નિવાસી સ્વ. જયંતિલાલ નાનચંદ વખારીયા તથા ગુણવંતી (ગુલાબ)બેનના પુત્રી ગં.સ્વ. કુંદનબેન તે સ્વ. છબીલદાસ કરમચંદ શેઠ (મુંબઈ)ના ધર્મપત્ની, રાજેશ, હીના ભરતકુમાર ગગલાણી , ફાલ્ગુની રાજેશ જોષીના માતુશ્રી, કેતનાના સાસુમા, સ્વ.સુશીલાબેન,જ્યોત્સનાબેન નીતિનકુમાર પારેખ ના મોટાબેન, ડો. ઉત્સવ પારેખ, ડો. મલય પારેખ, હર્ષ ના માસી નું મુંબઈ (અંધેરી)મુકામે રવિવાર તા.૧૨ના રોજ અવસાન થયેલ છે.તેની ટેલીફોનીક સાદડી તા ૧૬ ગુરૂવાર ના રોજ ૪ થી ૬ રાખેલ છે. ડો. ઉત્સવ પારેખ (ફોરેનસીક ડિપાર્ટમેન્ટ, એઇમ્સ, રાજકોટ) (+૯૧૯૫૮૬ ૮૫૫૩૩૩)
ભારતીબેન રાણપરા
રાજકોટઃ ગો.વા.સોની સ્વ.ભોગીલાલ સુખલાલ રાણપરાના ધર્મપત્ની ભારતીબેન તે સ્વ.ચંદુલાલ વાલજીભાઈ આડેસરાના પુત્રી તે મહેશભાઈ ચંદુલાલ આડેસરાના બહેન તેમજ ધર્મેશભાઈ અને સ્વ.હિતેષભાઈના માતુશ્રી તે મૌલિકભાઈ તથા મિલનભાઈના દાદીમાંનું તા.૧૫ને બુધવારના રોજ અવસાન થયેલ છે. બન્ને પક્ષનું બેસણું તા.૧૬ને ગુરૂવારના રોજ બપોરે ૩:૩૦ થી ૫ સોની સમાજની વાડી નં.૧, ખીજડા શેરી, સોની બજાર, કોઠારીયાનાકા, રાજકોટ ખાતે રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.
પ્રફુલભાઇ વ્યાસ
ગોંડલ : વાલમ બ્રાહ્મણ ગોંડલ નિવાસી દિગસર વાળા વ્યાસ પરિવારના પ્રફુલભાઇ જયસુખલાલ વ્યાસ (ઉ.વ.૮૩) તે ઉર્મિલાબેનના પતિ તથા નિલેશભાઇ, તૃપ્તિબેન આર. જોષી (પોરબંદર), મેઘલબેન, શીતલબેન તથા સત્યેનના પિતાશ્રી ત સ્વ. જશુબેન નવનીતભાઇ વ્યાસ, સ્વ. રંજનબેન ઠાકર, સ્વ. રશ્મિભાઇ જયસુખલાલ વ્યાસના નાનાભાઇ તથા દુર્ગાબેન જયસુખલાલ વ્યાસ, દર્શનભાઇ જયસુખલાલ વ્યાસ, સ્વ. નરેન્દ્રભાઇ જયસુખલાલ વ્યાસના મોટાભાઇ તથા સ્વ. પ્રભાકરભાઇ નિર્ભયશંકર ઉપાધ્યાયના જમાઇ તથા રાજેશભાઇ આર. જોષી (પોરબંદર) ના સસરાનું તા. ૧પ ને બુધવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૧૭ ને શુક્રવારે બપોરે ૪ થી ૬, હેમવાડી, જુનો સિમેન્ટ રોડ, સ્ટેશન પ્લોટ, ગોંડલ ખાતે રાખેલ છે.
અવસાન નોંધ
ધર્મિષ્ઠાબેન જોષી
અમરેલી : કંડોળિયા બ્રાહ્મણ જાફરાબાદ વાળા હાલ ભાઇંદર નિવાસી સ્વ. રામચંદ્ર કરૂણાશંકર જોષીનાં પત્ની ગં. સ્વ. ધર્મિષ્ઠાબેન (ઉ.વ.૮૧) તે અં. સૌ. છાયાબેન કપિલભાઇ લાભશંકર ભટ્ટના માતુશ્રી ગં. સ્વ. રંજનબેન હસમુખભાઇ ભટ્ટના ભાભી તથા સ્વ. છગનલાલ પ્રભુરામ અધ્યારૂના ભાણેજ મંગળવારે તા. ૧૪ ના કૈલાશવાસી થયેલ છે. સંયુકત બેસણું તા. ૧૬ ને ગુરૂવાર સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. કપિલભાઇ લાભશંકર ભટ્ટ (૯૪ર૮૯ ૬૮૦૦૬) તપોવન મંદિર સામે, સાંઇનગર, ચિતલ રોડ, અમરેલી ખાતે રાખેલ છે. (પ-૧૦)