Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018
અમેરિકા નિવાસી અરવિંદભાઇ ખેતીયાનું અવસાન : કાલે રાજકોટમાં સાદડી

 

રાજકોટ : રાજ્‍યપુરોહિત બ્રામ્‍હણ અરવિંદભાઇ કે.ખેતિયા (યુએસએ) (ઉ.વ.૮૭), તે સ્‍વ. કેશવલાલ જે. ખેતીયા ના પુત્ર તે અન્નપુર્ણાબહેન (સોનલબહેન)ના પતિ અને ડો. પ્રેમલભાઇ (યુએસએ) તથા ડો. એરિક (યુએસએ) ના પિતાશ્રી તે સ્‍વ. હરિપ્રસાદભાઇના નાના ભાઇ તથા સ્‍વ. નોતમલાલ સ્‍વ. મનહરલાલ તથા જયંતભાઇ તથા હર્ષદભાઇના મોટાભાઇ નું તા.૧૨ને મંગળવારના રોજ યુએસએ મુકામે ર્સ્‍વગવાસ થયેલ છે. તેમની સાદડી તા. ૧૬ના શનિવાર સાંજના ૫-૦૦ થી ૬-૦૦ રંગનાથ મહાદેવ મંદિર સત્‍સંગ હોલ , રંગઉપવન સોસાયટી , હનુમાન મઢી પાસે, રૈયા રોડ , રાજકોટ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

જયાબેન પિત્રોડા

રાજકોટઃ સ્વ. અ. સૌ. જયાબેન (ઉ.વ.૬૦) તે હેંમતભાઇ છગનભાઇ પિત્રોડા (સાગર એન્જી.)ના ધર્મપત્ની, તે વિમલભાઇ, પંકજભાઇ, મોહીતભાઇના માતુશ્રીનું તા.૧૩ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૬ને શનિવારે સાંજે ૪ થી ૬ રામ મંદિર, રામનગર મેઇન રોડ, પી.ડી. માલવીયા કોલેજ પાસે રાખેલ છે.

મોહિતભાઇ કવા

રાજકોટઃ મુળ નિવાસી જેતપુર (હાલ રાજકોટ) લુહાર જ્ઞાતિના અમૃતભાઇ કાનજીભાઇ કવાના પુત્ર મોહિતભાઇ (ઉ.વ.ર૮) તેઓ ભારતીબેનના પુત્ર, ભાવિનભાઇના નાનાભાઇનું તા.૧૪ના રોજ અવસાન થયેલ છે. જેનું બેસણું તા.૧૬ને શનિવારે ૪ થી ૬ શાંતેશ્વર મહાદેવ મંદિર, ગોવિંદનગર મેઇન રોડ મુકામે રાખેલ છે.

લાભુબેન વાણીયા

મેંદરડાઃ આહીર લાભુબેન બચુભાઇ વાણીયા (ઉ.વ.૯૦) તા.૧૬ના રોજ અવસાન પામેલ છે. તેમની દશા તા.રર તથા ઉતરક્રીયા તા.ર૩ના રોજ ભરવાડ શેરી મેંદરડા ખાતે રાખેલ છે.

રંભાબેન ચાવડા

રાજકોટ : મ.ક.સ.સુ જ્ઞાતિ શાંતિલાલ રામજીભાઈ રાઠોડના બહેન તથા કિશોરભાઈ, દિનેશભાઈ, જયસુખભાઈ, પંકજભાઈ, કમલેશ, અનિલ, દિલીપ, ભુપેન્દ્રના ફૈબા ધોરાજી મુકામે રંભાબેન પરસોતમભાઈ ચાવડાનું દુઃખદ અવસાન તા.૧૨ના રોજ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૬ને શનિવોર ૫થી ૬ ગૌરેશ્વર મહાદેવ મંદિર, જંકશન કો.ઓપ. હાઉસીંગ સોસાયટી, રાજકોટ ખાતે રાખેલ છે.

હરસુખભાઈ બેરા

રાજકોટ : મુળ ઈશ્વરીયા, તા.પડધરી હાલ રાજકોટ નિવાસી હરસુખભાઈ કરશનભાઈ બેરા (ઉ.વ.૭૮) તે ડુંગરભાઈ, મુળજીભાઈ, સ્વ. રવજીભાઈ, ભુરાભાઈ, શોભનાબેન મનસુખભાઈ ઘેટીયાના ભાઈ, ચંદ્રેશભાઈ (સી.એચ.પટેલ - એડવોકેટ), પ્રજ્ઞાબેન મુકેશભાઈ મણવર, ભાવનાબેન મનીષકુમાર ડેડકીયા, ઉર્મિલાબેન હેમલકુમાર આરદેશણાના પિતાશ્રી, મનીષાબેન ચંદ્રેશભાઈ બેરાના સસરા તથા અર્જુન એ દર્શિલના દાદાનું તા.૧૪ને ગુરૂવારના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૬ને શનિવાર સવારે ૮:૩૦થી ૧૦:૩૦ શાંતિવન ગાર્ડન, આલાપ એવન્યુ., યુનિ. રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

પ્રભાબેન અભાણી

મોરબીઃ સ્વ.ધીરજલાલ ખીમજીભાઇ અભાણીના ૫ત્ની ગં.સ્વ. પ્રભાબેન ઉ.વ.૭૫તે ભરતભાઇ, હીતેષભાઇ, મહેશભાઇ, જીતુભાઇના માતૃશ્રી અને સ્વ.રાજસીભાઇ મોરારજી પુજારાની દિકરીનું તા.૧૪ના અવસાન થયેલ છે. ઉઠમણુ તથા પિયરપક્ષની સાદડી તા.૧૫ને શુક્રવારે સાંજે ૫.૩૦ કલાકે જલારામ મંદિર અયોધ્યાપુરી રોડ ખાતે રાખેલ છે.

ચંદ્રીકાબેન ગઢીયા

રાજકોટઃ ધોરાજી નિવાસી અશોકકુમાર રમણીકલાલ ગઢીયાના ધર્મપત્ની તથા શરદભાઈના માતુશ્રી ચંદ્રીકાબેનનું અવસાન તા.૧૫ના રોજ થયેલ છે. સદ્દગતનું ઉઠમણુ તા.૧૬ શનિવારે સાંજે ૫ થી ૬ જુની લોહાણા મહાજન વાડી સ્વામી નારાયણ મંદિર પાસે ધોરાજી ખાતે રાખેલ છે. તે સ્વ.મથુરાદાસ કાલીદાસ તથા જયકિશનના બહેન વંથલીવાળા પીયરપક્ષનું બેસણું સાથે રાખેલ છે.

કોકીલાબેન સોલંકી

રાજકોટઃ અલંકાર ટેઈલરવાળા મોટી મોલડીવાળા સોલંકી ચમનલાલ અમૃતલાલ તથા સોલંકી અરવિંદભાઈ અમૃતલાલના બહેન અમદાવાદ સાયોનાસીટી વિ.૧માં રાઠોડ કાન્તીલાલ નિમજીભાઈના પત્નિ કોકિલાબેનનું તા.૧૦ના રોજ (ઉ.વ.૬૩)નું અવસાન થયેલ છે. તેમનું બેસણું સાદડી પીયરપક્ષની તા.૧૭ને રવિવારે સાંજે ૫ થી ૬ દરમ્યાન સત્યમપાર્ક શેરીનં-૪, ૮૦ ફુટનો રોડ હુંડાઈ શોરૂમ સામે રાજકોટ ખાતે રાખેલ છે.

વિનોદકુમાર દેસાઇ

 ઉનાઃ નાથળીયા ઉનેવાળ બ્રાહ્મણ વિનોદકુમાર બળવંતરાય દેસાઇ(ઉ.વ.૬૨) તે મહેશભાઇ (ઉના નગરપાલિકાના કર્મચારી) નાં નાનાભાઇ તા. ૧૩ મી નાં દુઃખદ અવસાન પામેલ છે.