Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018
ધોરાજી સિંધી સમાજના અગ્રણી દિલીપકુમાર સાંભવાણીનું અવસાન : સાંજે બેસણુ

ધોરાજી : સમસ્ત સિંધી સમાજના અગ્રણી દિલીપકુમાર હરિરામ સાંભવાણી (ઉ.૪૮) તે રાજકોટ નાગરિક બેંકના સલાહકાર સભ્ય અને વેપાર ઉદ્યોગ મહામંડળના અગ્રણી ચુનિભાઇ સંભવાણીના ભાઇ તેમજ કિંમતરાય, સામદાસ, મોતીલાલ, સ્વ. રમેશકુમાર તથા પ્રકાશકુમારના ભાઇ તેમજ અનિલકુમાર, વિશાલકુમારના કાકાનું તા. ૧૧ ને મંગળવારે અવસાન થયેલ છે. બેસણું આજે ગુરૂવારે સાંજે પ થી ૬, આકાશ હોલ જમનાવડ રોડ, ધોરાજી ખાતે રાખેલ છે.

અજરામર સંપ્રદાયના વડેરા સાધ્વીજી પૂ.કળાબાઈ મહાસતીજી કાળધર્મ પામ્યા : પાલખીયાત્રા નીકળીઃ પૂ.ધીરગુરૂદેવની નિશ્રામાં રવિવારે ગુણાનુવાદ સભા

રાજકોટ : લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્ય પૂ.ભાવચંદ્રજી મ.સા.ના આજ્ઞાનુવર્તી સાધ્વી શિરોમણી, સ્થવીર પૂ.કળાબાઈ મહાસતીજી (મહાત્મા) ૮૮ વર્ષની વયે ૬૬ વર્ષના દીક્ષા પર્યાય સહિત તા.૧૨ને બુધવારના સાંજે ૪:૩૦ કલાકે કાળધર્મ પામ્યા છે.

પાલખીયાત્રા આજે તા.૧૩ને ગુરૂવારે સવારે ૬:૩૦ કલાકે ભાંડુપ વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, ઈશ્વરનગર ઉપાશ્રયેથી નીકળી હતી. સદ્દગત કુન્દ્રોણી ગામના પાનબાઈ ધારશી છેડાના સુપુત્રી અને સમાધોધાના વેલબાઈ પ્રેમજી મોના ગાલાના પુત્રવધુ હતા. ૨૦ વર્ષની વયે દીક્ષા અંગીકાર કરેલ. વિલેપારણામાં તા.૧૬ને રવિવારે સવારે ૯:૩૦ કલાકે પૂ.શ્રી ધીરગુરૂદેવની નિશ્રામાં ગુણાનુવાદ સભા યોજાશે.

જીતેન્દ્રભાઈ મનસુખલાલ વૈદ્યનું અવસાન : કાલે પ્રાર્થનાસભા

રાજકોટ : દશા સોરઠીયા વણિક સ્વ.મનસુખલાલ ભગવાનજી વૈદ્યના પુત્ર જીતેન્દ્રભાઈ મનસુખલાલ વૈદ્ય તે સ્વ.પ્રભુદાસ પાનાચંદ વખારીયાના જમાઈ અને મિત્સુ - તન્મય અરવિંદભાઈ વેકરીયા અને અંકિતા - બ્રિજેશ દિલીપભાઈ કાચલીયાના પિતાશ્રી અને યોગેન્દ્રભાઈ વૈદ્ય, અનિલાબેન જશાપરા, નયનાબેન કોઠારી, વીણાબેન પારેખ તથા ચંદ્રિકાબેન મૈયાણીના ભાઈ તા.૧૧ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૧૪ને શુક્રવારે સવારે ૧૦ થી ૧૨ યોગી સભાગૃહ ''બી.એ.પી.એસ.સ્વામીનારાયણ મંદિર, કાલાવડ રોડ) રાજકોટ ખાતે રાખેલ છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

અવસાન નોંધ

કિર્તીભાઈ સુરેલીયા

રાજકોટઃ કુતિયાણા- ગામ ચૌટા (વેકરી) નિવાસી ગુર્જર સુથાર સ્વ.મેઘજીભાઈ કુરજીભાઈ સુરેલિયાના પુત્ર ર્કિતીભાઈ (ઉ.વ.૫૨) તે અશોકભાઈ તથા પંકજભાઈના ભાઈ તથા સ્વ.વલ્લભભાઈ વિઠ્ઠલભાઈ મેમદાવાદિયા (ભાયાવદાવાળા)ના જમાઈનું તા.૧૨ને બુધવારે દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૪ને શુક્રવારના સાંજે ૪થી ૬ ચૌટા નિવાસ સ્થાને રાખેલ છે. (સાસરા પક્ષનું બેસણું સાથે રાખેલ છે.)

રીટાબેન

રાજકોટ : નાના વડાળા શ્રી હાલારી વાળંદ જ્ઞાતિના મલુબાઈ માતાજીની જગ્યાના મહંત શ્રી ભવાનીદાસબાપુના પુત્ર મનહરદાસ (મુનાભાઈ)ના ધર્મપત્નિ રીટાબેન (ઉ.વ.૪૪) તે અક્ષયભાઈ તથા ભરતભાઈના માતુશ્રી તા.૧૨ના શ્રીરામચરણ પામેલ છે.

શારદાબેન આડેસરા

રાજકોટ : સ્વ.ખુશાલદાસ રણછોડદાસ આડેસરા (નાથુભાઈ મીનાવાળા)ના ધર્મપત્નિ શારદાબેન (ઉ.વ.૮૭) તે સ્વ.સુરેશભાઈ, અશ્વિનભાઈ, જગદીશભાઈ, હરેશભાઈ, કિરીટભાઈ તથા ઈલાબેન, હર્ષાબેનના માતુશ્રી તેમજ સ્વ.કુંવરજીભાઈ મોતીચંદ પારેખ, સ્વ.ધનજીભાઈ મોતીચંદ પારેખ, સ્વ.નટવરલાલ મોતીચંદ પારેખના બેનનું તા.૧૩ના અવસાન થયેલ છે. સદ્દગતનું બંને પક્ષનું બેસણું તા.૧૪ને શુક્રવારે સવારે ૧૦:૩૦ થી ૧૨ કલાકે સોની સમાજની વાડી, યુનિટ નં.૨, કોઠારીયા નાકા, ખીજડાવાળી શેરી, રાજકોટ ખાતે રાખેલ છે.

કંચનબેન લીયા

રાજકોટ : બ્રહ્મક્ષત્રિય ગં.સ્વ. કંચનબેન મોહનલાલ લીયા (ઉ.વ.૮૮) તે વિઠ્ઠલદાસ કલ્યાણજી મચ્છરના દિકરી તેમજ હિરેન ડાઈંગવાળા જયંતિભાઈ, નરેન્દ્રભાઈ, નવીનભાઈ, સુરેશભાઈ, જવાહરભાઈ, હરીશભાઈ, હિતેષભાઈ, ભરતભાઈ તથા મંજુલાબેન પ્રવિણચંદ્ર કાકુના માતુશ્રી તા.૧૩ના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૧૪ના શુક્રવારે સાંજે ૫ થી ૬ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી પેડક રોડ ખાતે રાખેલ છે.

સલીમભાઈ ઠેબા

રાજકોટઃ નિવાસી સલીમભાઈ ઓસમાણભાઈ ઠેબા (ઉ.વ.૫૯) તે મરહુમ ઓ.એમ. ઠેબા (આકાશવાણી)ના પુત્ર, વૈદ્ય ઈસ્માઈલભાઈ એમ.થીબાના ભત્રીજા, યુશુફભાઈ ઠેબા (નિવૃત સૌ.યુનિ.) આસીફભાઈ ઠેબા (દુરદર્શન કેન્દ્ર રાજકોટ), ડો.આસીફ થીબાના ભાઈ, સોહેલભાઈ તથા ઈદ્દીસભાઈના કાકા, વસીમ ઠેબા (અતુલ મોટર્સ)ના પિતાનું તા.૧૨ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. મરહુમની જીયારત તા.૧૪ શુક્રવારે સવારે ૯:૩૦ કલાકે ગામેતીહોલ, લાખાજીરાજ સોસાયટી, સહકારી દુધની ડેરી સામે રાજકોટ ખાતે ભાઈઓ અને બહેનોની રાખવામાં આવી છે. હિન્દુ ભાઈઓ માટે બેસણું તા.૧૪ શુક્રવાર સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન હાથીખાના રામમઢી પાસે રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

સવિતાબેન પાદરીયા

ગોંડલ : સવિતાબેન નારણભાઇ પાદરીયા (ઉ.વ.૮૨) તે સ્વ. મગનભાઇ, કિશોરભાઇ, પ્રકાશભાઇના માતુશ્રીનું તા. ૧૨ને બુધવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૧૪ને શુક્રવારના રોજ સાંજે ૭:૩૦ થી ૯:૩૦ તેમના નિવાસ સ્થાન 'ઓમ' ખોડલ ધામ રેસીડેન્સી, પટેલ કારની પાછળ, ગુંદાળા રોડ, ગોંડલ ખાતે રાખેલ છે.

લાલજીભાઇ અમૃતિયા

ત્રાકુડા : લાલજીભાઇ મોહનભાઇ અમૃતિયા (ઉ.વ.૬૫) તે ચીમનભાઇ, રમેશભાઇ, સુરેશભાઇ, વિનુભાઇના મોટાભાઇ તેમજ ઉમેદભાઇના પિતા શ્રી નું તા. ૧૨ને બુધવાર ના રોજ અવસાન થયેલ છે.

માયાબેન અમલાણી

રાજકોટઃ શ્રીમતિ માયાબેન લક્ષ્મણભાઇ અમલાણીનું તા.૧૧ના અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.૧૪ના સાંજે પ વાગ્યે મુદીત હાઇટસ, અયોધ્યા ચોક, એચસીજી  હોસ્પીટલની બાજુમાં, ૧પ૦ ફુટ રીંગ રોડ, ખાતે રાખેલ છે.

દેવયાની બેન ખંઢેરીયા

ગોંડલ : દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન ગોંડલ નિવાસી હાલ મુંબઇ દેવયાનીબેન (જશુબેન) (ઉ.વ.૮૩) તે સ્વ. સુરેન્દ્રકુમાર ચંદ્રકાંત ખંઢેરીયાના પત્ની, સુનિલભાઇના માતા, તૃપ્તિબેનના સાસુ, રિચિત, શ્વેતાના દાદી, સ્વ. વસંતભાઇ, રમેશભાઇ, સ્વ. રાજેન્દ્રભાઇ, ભરતભાઇ, હંસાબેન, સ્વ. ઉષાબેનના ભાભી, માંગરોળ નિવાસી સ્વ. રતનજી નેમચંદ શાહના પુત્રી, તે સ્વ. નીતિરંજનભાઇ, નિરંજનભાઇ, વીપીનભાઇના બેનનું તા. ૧૦ના અવસાન થયેલ છે, પ્રાર્થના સભા તથા લોૈકિક વ્યવહાર બંધ રાખેલ છે. સ્થળ ઇ-૩૨ બ્લોક, તારાબાગ એસ્ટેટ, ચર્ની રોડ, મુંબઇ.

પુષ્પાબેન ગોહેલ

મોરબી : પુષ્પાબેન રમણીકભાઇ ગોહેલ (ઉ.વ.૭૫) તે અનિલભાઇ ગોહેલ અને જયેશભાઇ ગોહેલના માતાનું તા. ૧૧ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૧૩ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે દરજીની વાડી, લખધીરવાસ ચોક મોરબી મુકામે રાખેલ છે.

જયોત્સનાબેન ઝાટકીયા

રાજકોટઃ સેન્ટ્રલ ટોકીઝ ગોંડલના માલિક સ્વ. જયંતિલાલ ઉતમચંદ ઝાટકીયાના પુત્ર સ્વ.અનિલભાઇ જયંતિલાલ ઝાટકીયાના ધર્મપત્ની જયોત્સનાબેન (ઉ.વ.૬૬), અ.સૌ. કાજલબેન મહેતા, અ.સૌ. હેતલબેન રાવલના માતુશ્રી, ચોરવાડ નિવાસી સ્વ.મગનલાલ ઓધવજીભાઇ મીઠાણીની પુત્રી તેમજ  સ્વ. મહેન્દ્રભાઇ તથા રા.મુ. પ્રફુલભાઇ મીઠાણીની બહેનનું પુના મુકામે તા.૧૦ના અરિહંત શરણમ પામેલ છે. સ્વ.ની પ્રાર્થનાસભા શનિવાર તા.૧પના સવારે ૧૦ થી ૧ર શ્રીમાળી સોની સમાજની વાડી, ૭,સ્ટેશન પ્લોટ, ગોંડલ ખાતે રાખેલ છે.

કુંદનબેન સોલંકી

રાજકોટઃ દરજી મચ્છુ કઠીયા સહી સુતાર પીઠડીયા ગોપાલભાઇ લવજીભાઇની પુત્રી તથા એસ.ટી. વાળા ખુશાલભાઇના બહેન કુંદનબેન તે કીરીટકુમાર સોલંકીના પત્નીનું તા.૧૦ના સુરત મુકામે અવસાન થયેલ છે. સદ્દગતનું પીયર પક્ષનું બેસણું તા.૧૪ને શુક્રવારે સાંજે ૪ થી ૬, બીલેશ્વર મહાદેવ મંદિર, શ્યામનગર-૧, ભારતીનગર મેઇન રોડ, ગાંધીગ્રામ, ખાતે રાખેલ છે.

મુકતાબેન ત્રિવેદી

ભાવનગર : મોઢ ચાતુર્વેદી બ્રા. (ખી.સ.) (અમદાવાદ), રામપુર નિવાસી હાલ અમદાવાદ (નિકોલ) ગં. સ્વ. મુકતાબેન હરિલાલ ત્રિવેદી (ઉ.૮પ) તે મહેન્દ્રભાઇ એચ. ત્રિવેદી (રાજકોટ) ભાસ્કરભાઇ એચ.  ત્રિવેદી નિકોલ અમદાવાદ) ના માતુશ્રી થાય. તેમજ હંસાબેન રમેશચંદ્ર ત્રિવેદી (અમદાવાદ), મીનાબેન બીપીનચંદ્ર ત્રિવેદી (ભાવનગર), ગીતાબેન વિજયભાઇ ત્રિવેદી (પાલીતાણા) ના માતુશ્રી ત્થા સ્વ. નિલાબેન તથા મમતાબેન ના સાસુ તથા ધર્મેન્દ્ર, અનીલ, આર્ચના, મયુરી ગૌરવકુમાર દેવાંગ તથા ગોપીના દાદીમાનું તા. ૧૧ ના અવસાન થયેલ છે. બેસણુ તા. ૧૩ ને ગુરૂવારે નિકોલ દેવનંદન રેસીડેન્સી ઇ-પ૦ર ગંગોત્રી સર્કલ પાસે નિકોલ અમદાવાદ તેમની ધાર્મિક ઉત્તર ક્રિયા તા. ર૦- અને ર૧-૯ નિકોલ મુકામે રાખેલ છે.

રાજેન્દ્રભાઇ જોષી

રાજકોટઃ ગુજરાતી શ્રીગૌડ માળવિય બ્રાહ્મણ સ્વ.અમૃતલાલ ત્રિભોવનભાઇ જોષી (માસ્તરદાદા)ના પુત્ર રાજેન્દ્રપ્રસાદ (ઉ.વ.૬૭)ના પ્રા.શિ.સ.ના શાળા નં.૬૨ના પૂર્વ આચાર્ય, નિવૃત કો.ઓર્ડિનેટર તે પ્રમોદભાઇ (જામનગર જિ.પં.) અને નરેન્દ્રભાઇ (લોહાણ મહિલા વિકાસ ગ્રુહ)ના ભાઇ તે બાંદ્રાવાળા સ્વ.ચંદુલાલ વિઠ્ઠલજી ભટ્ટના જમાઇનું તા.૧૨ને બુધવારના રોજ અવસાન થયું છે તેમનું બન્ને પક્ષનું ઉઠમણું અને બેસણુ તા.૧૩ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ મેઘાણી રંગભુવન ભકિતનગર સર્કલ પાસે રાજકોટ ખાતે રાખ્યું છે.

મહેન્દ્રકુમાર ચોટલીયા

ગોંડલઃ મહેન્દ્રકુમાર નરોત્તમભાઇ ચોટલીયા (ઉ.વ.૫૨) તે જયવંતભાઇ, દિનેશભાઇ, સ્વ.નવીનભાઇના નાનાભાઇ નું તા.૧૧ના અવસાન થયેલ છે, બેસણું તા.૧૩ ગુરૂવાર સાંજે ૪ થી ૬ કલાકે, નિવાસ સ્થાન સુખનાથ નગર, ચામુંડા કૃપા, ગોંડલ ખાતે રાખેલ છે.

દેવયાનીબેન ખંઢેરીયા

ગોંડલ : દશા શ્રીમાળી સ્થા.જૈન ગોંડલ નિવાસી હાલ ચર્ની રોડ મુંબઇ દેવયાનીબેન (જશુબેન) (ઉ.વ.૮૩ તે સ્વ. સુરેન્દ્રકુમાર ચંદ્રકાંત ખંઢેરીયા ના પત્ની, સુનીલભાઇના માતુશ્રી, તૃપ્તીબેન ના સાસુ, રિશીત,શ્વેતા ના દાદી, સ્વ. વસંતભાઇ, રમેશભાઇ, સ્વ. રાજુભાઇ, ભરતભાઇ (એડવોકેટ) હંસાબેન, સ્વ. ઉષાબેન ના ભાભી, માંગરોળ નિવાસી સ્વ. રતનજી નેમચંદ શાહ ના પુત્રી, સ્વ. મતીરંજનભાઇ, સ્વ. નિશંજનભાઇ, વિપીનભાઇ ના બેન સોમવાર તા.૧૦ ના અરિહંત શરણ પામેલ છે. પ્રાર્થના સભા તથા લોૈકિક વ્યવહાર બંધ રાખેલ છે

સવજીભાઈ વડગામા

રાજકોટ : મુળ ગામ પાંચાસીયા હાલ મુંબઈ બોરીવલી નિવાસી સવજીભાઈ વસતાભાઈ વડગામા (ઉ.૮૧) તેઓ અશોક, રાજેશ, રમેશ, અનિલ, ભરત તથા સ્વ.રમીલાબેનના પિતા પરીન, જીત, મિતશુ, નિધિ, ભૂમિ, ધ્વની, માધવીના દાદા, નાથુભાઈ, ભાનુબેન, સ્વ.હેમીબેનના ભાઈ, નયન, દક્ષા, જાગૃતિ, મીરા, કવિતા અને શૈલેષભાઈ જાદવાનીના સસરા ભાર્ગવ જાદવાણીના નાના તા.૧૦ના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૧૪ને શુક્રવારે સાંજે ૪ થી ૬ કલાકે શ્રી વિશ્વકર્મા ગુર્જર સુથાર બાગ બજાજ રોડ, વિલેપાર્લે (વેસ્ટ) મુંબઈ મુકામે રાખેલ છે.

પ્રફુલભાઈ સોલંકી

રાજકોટ : ગુર્જર ક્ષત્રિય કડીયા પ્રફુલભાઈ જેન્તીલાલ સોલંકી (ઉ.વ.૫૯) જે પિયુષભાઈ તથા ફાલ્ગુનીબેનના પિતા તથા સુરેશભાઈ, મહેશભાઈના મોટાભાઈનું તા.૧૦ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૪ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે શ્રી ધારેશ્વર મહાદેવ મંદિર, ભકિતનગર સર્કલ, રાજકોટ ખાતે રાખેલ છે.

શશીકાંતભાઇ વિઠલાપરા

ગોંડલ : વાળંદ શશીકાંતભાઇ કાંતિલાલ  વિઠલાપરા તે સ્વ. કાંતિલાલ વેલજીભાઇ વિઠલાપરાના પુત્ર ત્થા હસમુખભાઇ, સ્વ. નટુભાઇ, રાજૂભાઇ, બિપીનભાઇ, લલીતભાઇ, અશોકભાઇ, સુનિલભાઇના ભાઇ તથા સ્વ. લીલાધરભાઇ એમ. બગથરીયા (ગોંડલ)ના જમાઇ તા. ૧ર ના બુધવારના અવસાન પામ્યા છે. બન્ને પક્ષનું બેસણું તા. ૧૪ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ દરમિયાન તેમના નિવાસ સ્થાન આશાપુરા સોસાયટી, ગોંડલ ખાતે રાખેલ છે.