Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019
ખાંટ બધીબેન ગોબરભાઇ સોલંકીનું ૧૦૭ વર્ષની વયે દુઃખદ અવસાનઃ કાલે બેસણું: ઉત્તરક્રિયા

રાજકોટ : ખાંટ સ્વ. બધીબેન ગોબરભાઇ સોલંકી (ઉ.વ.૧૦૭) તે ધીરૂભાઇ (અકિલા) તથા બેબીબેન તથા લાભુબેન તથા સવિતાબેનના માતુશ્રીનું તા. ૧૧-૧-ર૦૧૯ શુક્રવારના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૧૩-૧-ર૦૧૯ ને રવિવાર સાંજે ૪ થી ૬ તથા તેમની ઉત્તરક્રિયા તા. ૧૯-૧-ર૦૧૯ ને શનીવારે  તેમના નિવાસ સ્થાને 'આર્શિવાદ', બી.-પપ, શેરી નં. ૧૧, શિવ-શકિત કોલોની યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. (મો. નં. ૯૭રપ૦ ૪૦પ૪૦)

વિસાવદરના પત્રકાર મુકેશ રિબડીયાના બહેન નિતાબેનનું અવસાન

વિસાવદરઃ વિસાવદરના સ્થાનિક પત્રકાર મુકેશ રિબડીયાના બહેન નિતાબેનનું અવસાન થતા ઘેરા શોકની લાગણી વ્યાપી છે.

વિસાવદર તાલુકાના શાપર નિવાસી નિતાબેન દિનેશભાઇ ત્રાપસિયા (ઉ.વ.૪૨) તે કાળુભાઇ તથા હરજીભાઇનાં નાનાભાઇ સ્વ.દિનેશભાઇ બચુભાઇ ત્રાપસિયાના ધર્મપત્નિ, ભૌતિક-નિકુંજના માતા, પાંચાભાઇ રિબડીયા (વિસાવદર)ની પુત્રી, મુકેશ રિબડીયા (પત્રકાર) ના બહેનનું તા.૧૧ના રોજ અવસાન થયેલ છે. તેમની દશાહ તા.૧૬ના રોજ તથા ઉત્તરક્રિયા તા.૧૭ના રોજ શાપર તા.વિસાવદર ખાતે તેમના નિવાસસ્થાને રાખેલ છે.

અવસાન નોંધ

શ્રીમાળી યજુર્વેદ બ્રાહ્મણ ગીરીશભાઇ શુકલ (પાણી પુરવઠા બોર્ડ)નું દુઃખ અવસાનઃ સોમવારે બેસણું

શ્રીમાળી યજુર્વેદ બ્રાહ્મણ મુળ જામનગર નિવાસી હાલ રાજકોટ સ્વ. લાભશંકર હરિશંકર શુકલના જયેષ્ઠ પુત્ર ગીરીશભાઇ (પાણી પુરવઠા બોર્ડ) (ઉ.વ. ૬૬) તે યોગેશ અને હિરેનના પિતાશ્રી તેમજ સ્વ. હરેન્દ્રભાઇ અને ઇન્દુબેન તેમજ નીલમબેનના મોટાભાઇ તે વિહા અને ધાત્રીના દાદાનું તા. ૧૧ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૧૪ ને સોમવારે સવારે ૮થી ૧૦ 'અતુલ્યમ' એવન્યુ-યોગેશ્વર પાર્ક મેઇન રોડ, ગંગોત્રી ડેરી વાળી શેરી, સાધુવાસવાણી રોડ તેમના નિવાસ સ્થાન રાજકોટ ખાતે રાખેલ છે.

જયાબેન વિન્ડા

ગોંડલઃ જયાબેન જમનાદાસ વિન્ડા (ઉ.૮૮)(ધ્રાફાવાળા) તે રસિકભાઇ, દિનેશભાઇ, અશોકભાઇ, ચેતનભાઇ (આફ્રિકા), વનિતાબેન પ્રદીપકુમાર ઠકરાર (અમેરિકા) કંચનબેન કિશોરકુમાર ઠકરાર, જયશ્રીબેન મધુસુદન પારેખના માતુશ્રી તથા દ્વારકાદાસ હરિદાસ બથિયાના બહેનનું તા.૧૧ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તા. ૧૨ને શનિવારે સાંજે ૪ થી પ, જલારામ મંદિર, ૯/૧૦ ભોજરાજપરા, ગોંડલ મુકામે રાખેલ છે.

કલ્પનાબેન વાઘેલા

ગોંડલઃ લુહાર દિનેશભાઇ વાઘજીભાઇ વાઘેલાના પત્ની કલ્પનાબેન (ઉ.વ.૪૮) તે યાજ્ઞિકભાઇ, હાર્દિકભાઇના માતાનું તા. ૧૧ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૧૨ને શનિવારે સાંજે ૪ થી ૬, તેમના નિવાસ સ્થાન સહજાનંદ નગર સર્વેશ્વર મંદિર પાસે ગોંડલ મુકામે રાખેલ છે.

લાલજીભાઇ પોપટાણી

રાજકોટઃ વાળંદ સ્વ. લાલજીભાઇ બચુભાઇ પોપટાણી (ગામ નાના માડીકા, હાલ રાજકોટ) તે વશરામભાઇ તથા ભીખુભાઇના નાનાભાઇ તથા આશિષભાઇના પિતાશ્રી તેમજ પોપટભાઇ દાળીયા વારાના જમાઇ તથા મુકેશભાઇના બનેવી તેમજ ધવલકુમારના સસરાનું  દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૧૪ને સોમવારે  બપોરે ૩ થી ૬ તેમના નિવાસ સ્થાને પ્રજાપતિ સોસાયટી ૨/૬નો ખુણો રાજકોટ ખાતે રાખેલ છે.

ભગવાનજીભાઇ પરમાર

રાજકોટ ઃ ભગવાનજીભાઇ મોહનભાઇ પરમાર (ઉ.વ.૭૦) તે સ્વ. ધીરજલાલ મોહનલાલ મકવાણાના જમાઇ તેમજ હસમુખભાઇ, નરેન્દ્રભાઇ, પ્રતાપભાઇ, ચંદુભાઇના બનેવીનું તા. ૧૧ ના રાજકોટ મુકામે અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૧૪ ના સોમવારે સાંજે ૪ થી ૬ બાલા હનુમાનજી મંદિર, રણછોડનગર, ગોંડલ મુકામે રાખેલ છે.

ભાનુબેન કતિરા

કેશોદઃ સ્વ. ગીરધરલાલ કાનજીભાઇ કતિરાના ધર્મપત્ની ભાનુબેન (ઉ.વ.૬૨) તે સંજયભાઇ, કેતનભાઇ, વિમલભાઇ (પેંડાવાળા), નયનાબેન ભરતકુમાર તથા ઇલાબેન જયેશકુમારના માતુશ્રીનું તા. ૧૨ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા. ૧૪ને સોમવારના રોજ સાંજે ૪ થી પ દરમ્યાન શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર, કૃષ્ણનગર સોસાયટી, વેરાવળ રોડ, કેશોદ ખાતે તેમના નિવાસ સ્થાનની સામે રાખેલ છે.

બળવંતભાઇ જયસ્વાલ

જસદણઃ બળવંતભાઇ જીવનલાલ જયસ્વાલ (ઉ.વ.૭૩) તે અતુલભાઇ તથા કમલેશભાઇના પિતાશ્રી તેમજ ચિરાગ,નિર્મલ અને નેવીલના દાદાનું તા. ૧૦-૧ના રોજ અવસાન થયું છે.

મુકુંદભાઇ જસાણી

ઉનાઃ મુંબઇ નિવાસી મુકુંદકુમાર બાબુલાલ જસાણી કે જેઓ જગદીશચંદ્ર ગંગાદાસ શાહ (સુખડીયા)ના જમાઇનું તા. ૧૧ના રોજ મંુબઇ મુકામે અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૨-૦૧-૨૦૧૯ના રોજ સાંજે ૪ થી પ વાગ્યે કેસરબાગ ઉના રાખેલ છે.

રમણીકલાલ કાનાણી

 મીઠાપુર ઃ ઓખા નિવાસી મુળ મીઠાપુર ટાટા કેમિકલ્સ નિવૃત કર્મચારી સ્વ. રમણીકલાલ પરસોતમભાઇ કાનાણી (ઉ.વ.૫૮)  તેઓ ચારૃલતાબેન, જયંતીભાઇ અને રીટાબેનના પિતાશ્રી કલાસીસવાળા શ્રી કવીતાબેન ના સસરા તેમજ પ્રીતાના દાદા શ્રીજીચરણ પામેલ છે, સદ્ગતની પ્રાર્થના સભા તા. ૧૨ ના શનીવારે ઉષેશ્વર મહાદેવ મંદિર, દાવડા હોલ, રેલ્વે સ્ટેશન સામે ઓખા ખાત    સાંજે ૫.૦૦ થી ૫.૩૦ વાગ્યે ભાઇઓ તથા બહેનોનું સાથે રાખેલ છે. સસરા પક્ષની સાદળી સાથેરાખેલ છે.

જયેશભાઇ પરમાર

કેશોદઃ પ્રવિણભાઇ શામજીભાઇ પરમારના પુત્ર જયેશભાઇ (ઉ.વ.૪૯) તે અર્જુનના પિતાજી, શૈલેષ અને અનિલભાઇના મોટાભાઇ તથા ડો.સંદિપભાઇ વાજા રાજકોટના સાળાનું તા.૯ના રોજ અવસાન થયેલ છે.

જાનવીબેન રાઠોડ

જુનાગઢઃ કાનજીભાઇ રામજીભાઇ રાઠોડની પૌત્રી તેમજ ચેતનભાઇ નંદલાલ ટાંક (પી.એ.ટુ.મેયર, મ.ન.પા. જુનાગઢ)ના ભાણેજ રાઠોડ જાનવીબેન પરેશભાઇ, (ઉ.વ.૧૪)નું તા.ક્ષ્ક્ષ્ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧રના રોજ સાંજે ૪ થી ૬ કલાકે નાગબાઇ મંદિર, ગાંધીગ્રામ, પોસ્ટ ઓફીસ પાછળ, જૂનાગઢ ખાતે રાખેલ છે.

વિજયાબેન ઠાકર

જુનાગઢઃ માંડાવડ નિવાસી ગં. સ્વ. વિજયાબેન જટાશંકર ઠાકર (ઉ.વ.૮૬) તે કિરીટભાઇ પંડયા (ગાયત્રી ન્યુઝ)ના સાસુમા તથા મુકુંદભાઇ પંડયા, (શાસ્ત્રી) હાર્દિકભાઇ પંડયા (ગજાનન ગ્રુપ)ના નાનીમાનું તા.૧૧ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧ર શનિવારે સાંજે ૪ થી૬ નિવાસ સ્થાને રાખેલ છે.

કમલભાઇ રાવલ

મોરબીઃ કમલભાઇ પ્રતાપરાય રાવલ (ઉ.વ.પ૦) તે સ્વ.પ્રતાપરાય નરભેરામભાઇ રાવલના પુત્ર અને સંજયભાઇના ભાઇ તેમજ વિશાલભાઇના પિતાશ્રી અને આશિષભાઇના કાકા તા.૧૧ના રોજ કૈલાસવાસ પામેલ છે. બેસણું તા.૧રને શનિવારે સાંજે ૪ થી પ કલાકે શ્રી જડેશ્વર મહાદેવના મંદિર, સ્ટેશન રોડ મોરબી રાખેલ છે.

હિતેષભાઇ વાગડીયા

રાજકોટઃ ગૌ.વા. સોની કલ્યાણજીભાઇ લાલજીભાઇ વાગડીયાના પુત્ર મનીષભાઇ તથા સુનીલભાઇ તથા કિશન અને ધાર્મિના પિતાશ્રી હિતેશભાઇ તે બારભાયા પરસોત્તમભાઇ રતિલાલભાઇના જમાઇ તથા જીતુભાઇ પરસોત્તમભાઇના બનેવીનું અવસાન થયેલ છે.

બૈરાજબા ભટ્ટી

રાજકોટઃ બૈરાજબા દાનસીંગ ભટ્ટી (ઉ.વ.૭પ) તે ભગવતસિંહ તથા દિલીપસિંહ દાનસિંહ ભટ્ટી (આર.એમ.સી.)ના માતુશ્રીનું તા.૧૧ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧રના શનિવારે હુડકો કવાર્ટર ડી-૬ર, હરસિધ્ધી પાનવાળી શેરીમાં કોઠારીયા રોડ ખાતે સાંજના ૪ થી ૬ રાખેલ છે.

ભગવાનજીભાઇ પરમાર

રાજકોટઃ લુહાર ભગવાનજીભાઇ મોહનભાઇ પરમાર તે સ્વ.ત્રીભુવનભાઇ મોહનભાઇ પરમાર, ડાયાભાઇના નાનાભાઇ કાન્તીભાઇ તથા હસુભાઇ સ્વ.અતુલભાઇ તથા ધર્મેશભાઇના પિતાશ્રી ઉપેન્દ્રકુમાર માહસુખભાઇ મકવાણાના સસરા તથા જય, અભય, યશના દાદાજીનું તા.૧૧ના અવસાન થયેલ છે. સ્વ.નું બેસણું આજે તા.૧રના શનિવારે સાંજે ૪ થી પ, કોઠારીયા રોડ હુડકો કવાટર પાછળ વીશ્રાંતી સોસાયટી શેરી નં.ર રામજી મંદિર ખાતે રાખેલ છે.

સવિતાબેન સાપરીયા

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ ગામ ઃ રાજકોટ સવીતાબેન નરસીભાઇ સાપરીયા (ભગત ગુલ્ફીવાળા) (ઉ.વ.આ. ૮પ) તે માણેકપર નિવાસી હાલ રાજકોટ નરશેભાઇ રામજીભાઇ સાપરીયા (ભગત ગુલ્ફીવાળા)ના ધર્મપત્ની તથા જયંતીભાઇ નરશીભાઇ સાપરીયાના માતુશ્રી તથા વાલજીભાઇ (ભગત)ના ભાભીનું તા.૧૦ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૪ના સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે, સિલ્વરનેસ્ટ સોસાયટી, બંધ ેશેરી નં.ર, ભાવનગર રોડ, આર.એમ.સી. ઓફીસની સામે રાખેલ છે.

છબીલદાસ હિરાદાસ

મોરબીઃ મૂળ ગામ નાનીબરાર હાલ મોરબી વૈષ્ણવ છબીલદાસ હિરાદાસ (ઉ.વ. ૭૩) (નિવૃત શિક્ષક) તે મગનલાલ ભાણદાસ વૈષ્ણવના ભત્રીજા તથા મનસુખભાઈ (નિવૃત પોસ્ટ કર્મી)ના મોટાભાઈ તથા અનિરૃદ્ધભાઈ, જીતેન્દ્રભાઈ, સંજયભાઈ, વિપુલભાઈના પિતાનું તા. ૧૧ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૧૪ સોમવારે સાંજે ૪ થી ૫ શ્રી જડેશ્વર મહાદેવ મંદિર, સ્ટેશન રોડ મોરબી રાખેલ છે.

પુનમબેન પોપટાણી

રાજકોટઃ લીમધરા નિવાસી રતિલાલ છગનલાલ પોપટાણીની પૌત્રી પુનમ (ઉ.વ. ૩૫) તે ધીરજલાલ રતિલાલ પોપટાણીની સુપુત્રી તે પન્નાબેન સંદિપકુમાર દોશીની બહેન તે અરવિંદભાઈ, પ્રમોદાબેન તથા ચેતનભાઈના ભત્રીજી તે જગજીવન ભાઈચંદ કોઠારીની દોહિત્રી તે હેતલબેન, ચારૃબેન, ધર્મેશભાઈની બહેન તા. ૧૧ના રોજ અરિહંતશરણ પામેલ છે. સદગતનું ઉઠમણું તા. ૧૨ને શનિવારે સાંજે ૫ થી ૬ ભકિતનગર સોસાયટી, કોઠારી ઉપાશ્રય, પોસ્ટ ઓફિસ પાસે રાખેલ છે.

છબીલદાસ વૈષ્ણવ

મોરબીઃ મૂળ નાનીબરાર હાલ મોરબી નિવાસી નિવૃત શિક્ષક વૈષ્ણવ છબીલદાસ હીરાદાસ (ઉ.વ. ૭૩) જે વૈષ્ણવ મગનલાલ ભાણદાસના ભત્રીજા, મનસુખભાઈ હીરાલાલના મોટાભાઈ અને અનિરૃદ્ધભાઈ, જીતુભાઈ, સંજયભાઈ અને વિપુલભાઈના પિતાનું તા. ૧૧ના મોરબી મુકામે અવસાન થયેલ છે. બેસણુ તા. ૧૪ના સોમવારે સાંજે જડેશ્વર મહાદેવ મંદિર ખાતે સાંજે ૪ થી ૫ કલાકે રાખેલ છે.

શારદાબેન સૂચક

વેરાવળઃ સ્વ. ધરમસીભાઈ ઓધવજીભાઈ રતનધાયરા (સીમારવાળા)ના પુત્રી શારદાબેન (ઉ.વ. ૬૮) તે પ્રભુદાસભાઈ રવજીભાઈ સુચક (સીડોકરવાળા)ના પત્ની તથા ધીરૃભાઈ, અરવિંદભાઈના મોટાબહેન તેમજ સુજીતભાઈ, વિશાલભાઈ, આશિષભાઈ, જયદીપભાઈના ફૈબા તથા પ્રવિણભાઈ, ધીરૃભાઈ, ચંદુભાઈ, મનુભાઈ સુચકના ભાભી તા. ૧૦ના રોજ અવસાન પામેલ છે. સદ્ગતનું બેસણું તથા સાદડી તા. ૧૨ના સાંજે ૪ થી ૫ બીલેશ્વર મંદિર શિક્ષક કોલોની વેરાવળ ખાતે રાખેલ છે.

મણીબેન સુબા

વેરાવળ નિવાસી ઠા. દુર્લભજી ધરમશીભાઈ સુબાના પત્ની મણીબેન (ઉ.વ. ૮૪) તે પ્રફુલભાઈ, હીરેનભાઈના માતુશ્રી તથા નારણભાઈ ધરમશીભાઈ, સ્વ. વૃજલાલ ધરમશીભાઈ સુબાના ભાભીનું તા. ૧૧ના રોજ વાવડી (આદ્રી) ખાતે અવસાન થયેલ છે. ઉઠમણું તથા મોસાળ પક્ષ સાદડી તા. ૧૨ના રોજ સાંજે ૪ થી ૫ બિલેશ્વર મંદિર જલારામ ટોકીઝ રોડ વેરાવળ રાખેલ છે.

મુકુંદભાઇ જસાણી

ઉનાઃ મુંબઇ નિવાસી મુકુંદકુમાર બાબુલાલ જસાણી કે જેઓ જગદીશચંદ્ર ગંગાદાસ શાહ (સુખડીયા)ના જમાઇનું તા. ૧૧ના રોજ મંુબઇ મુકામે અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૨-૦૧-૨૦૧૯ના રોજ સાંજે ૪ થી પ વાગ્યે કેસરબાગ ઉના રાખેલ છે.