Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018
જસદણના નયનાબેન બ્યુટીપાર્લર વાળાના બહેનનું અવસાન

જસદણઃ પરજિયા સોની મંજુલાબેન લાલજીભાઇ જગડા (ઉ.વ. ૭૦ લાઠી) તે સ્વ. જેરામભાઇ નારણભાઇ કાગદડાના પુત્રી રમેશભાઇ, સ્વ. ભાવનાબેન, કતીરા (ઉપલેટા) હિનાબેન ઘઘડા (રાજકોટ) સ્વ. જયશ્રીબેન ચલ્લા (રાજુલા) તથા સામાજિક કાર્યકર નયનાબેન બ્યુટીપાર્લર વાળાના બહેનનું તા. ૧૦ના રોજ જસદણ ખાતે નિધન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું: તા. ૧૧ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ શ્રી જયતાબાપુની જગ્યા સમાતરોડ એસ.ટી. ડેપો પાછળ જસદણ રાખવામાં આવેલ છે.

ભાવનગરના બાલુબેન બારડનું અવસાનઃ આવતીકાલે બેસણું

ભાવનગરઃ પ્રદેશ કોંગ્રેસના મહામંત્રીશ્રીના માતુશ્રી બાલુબેન વીરસીંગભાઇ બારડ (ઉ.વ. ૯પ) તા. ૯ ને મંગળવારના રોજ રામચરણ પામેલ છે. તેઓ સ્વ. વીરસીંગભાઇ ઘુસાભાઇ બારડના પત્ની, પ્રતાપસિંહ તથા રાયસિંહના માતુશ્રી તથા ગૌતમસિંહ તથા પ્રશાંતસિંહ તથા અભયસિંહના દાદી તથા મગજીબેન પોપટભાઇ પરમાર તથા પુરીબેન હરિસિંહ ગોહિલ તથા અનુબેન પરશોતમભાઇ મોરીના માતુશ્રી તથા રણુભાઇ હમલભાઇ વાળા તથા નારસીંગભાઇ સુરસીંગભાઇના ફઇબા થાય છે. બેસણું તા. ૧ર ને શુક્રવારના રોજ સાંજના ૪-૦૦ થી ૬-૦૦ રાખેલ છે. તથા ઉત્તરક્રિયા તા. ૧૯ શુક્રવારના રોજ રાખેલ છે. પીયરપક્ષનું બેસણું સાથે રાધેક્રિષ્ન એપાર્ટમેન્ટ, હરિદ્વાર રિસોર્ટની સામે, અખીલેશ સર્કલ, સુભાષનગર, ઘોઘા જકાતનાકા, ભાવનગર રાખેલ છે.

ગુજરાત હજ્જ કમિટીના પૂર્વ ચેરમેન, ભાજપના સક્રિય કાર્યકર, સુરેન્દ્રનગરના યુનુસભાઇ શેખનું નિધન

વઢવાણ તા. ૧૧ :.. લીંબડી તાલુકાના શિયાણી ગામના વતની અને ઘણાં જ લાંબા સમયથી સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં સ્થાઇ થયેલા. અને લોક ઉપયોગી કાર્ય કરી લોકોના હૃદયમાં પોતાની ઓળખ બનાવી બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા અને સુરેન્દ્રનગર ભાજપના સક્રિય કાર્યકર તેમજ ગુજરાત હજ્જ સમિતિના પુર્વ ચેરમેન યુનુસભાઇ શેખને ગત મોડી રાત્રીના એકા-એક હૃદયમાં દુખાવો થતા તેઓને નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર કારગત ન નિવડતા યુનુસભાઇ શેખનું અવસાન થયેલ હતું.

એમની જનાજા યાત્રામાં ભાજપ કાર્યકરોથી લઇ અને વેપારીઓ સગા-સ્નેહીજનો બહોળી સંખ્યામાં જોડાયા હતાં. ત્યારે યુનુસભાઇ શેખના પરિવારમાં પત્ની હાજીયાણી જુલેખાબેન, પુત્ર, બે પુત્રી જમાઇ, સહિતના બહોળા પરિવારજનોને વિલાપ કરતા છોડી ગયા છે. જયારે ભાજપના ધારાસભ્યો અને કાર્યકરો, સાંસદો દ્વારા તેમના આ અચાનક અવસાનથી પરીવાર અને પક્ષને પડેલ ખોટ સાથે પરિવારના સભ્યોને આશ્વાસન આપ્યું હતું. (પ-ર૧)

અવસાન નોંધ

અમદાવાદના સ્પે. પોલીસ કમિશ્નર જે.કે.ભટ્ટના બનેવીનું નિધનઃ કાલે સ્મશાનયાત્રા

રાજકોટઃ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના  સ્પેશ્યલ પોલીસ કમિશ્નર જે.કે.ભટ્ટના બનેવી દિલીપકુમાર રાવલનું તા.૧૦ના રોજ નિધન થયેલ છે. સ્વ.ની સ્મશાનયાત્રા તેમના નિવાસસ્થાન ૩૭, સંસ્કાર ભારતી સોસાયટી,  અંકુર સોસાયટી પાસે, નારણપુરા  અમદાવાદથી કાલે શુક્રવારે સવારે ૮.૩૦  વાગ્યે નિકળશે. દધીચી બ્રીજ વાડજ સ્મશાન ખાતે સ્વર્ગસ્થના અંતિમ સંસ્કાર થશે.

નર્મદાબેન મેર

જેતપુર : બ્રહ્મક્ષત્રિય સ્વ. છગનલાલ પ્રેમજીભાઇ મેરના પત્નિ નર્મદાબેન (ઉ.વ.૯૦) તે ફુલચંદભાઇ, સ્વ. રાજુભાઇ, સુનીલભાઇના માતુશ્રી તેમજ કિશોરભાઇ, મહેન્દ્રભાઇ દિપેશ ભાવેશ, હાર્દિકના દાદીમાં તા. ૧૦ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થના સભા તા. ૧૧ ને ગુરૂવાર સાંજે પ થી ૬-૩૦ બ્રહ્મક્ષત્રીય જ્ઞાતિની વાડી ફુલવાડી, ભાદર રોડ, જેતપુર ખાતે રાખેલ છે.

ગોપાલદાસ પાલા

રાજકોટઃ સ્વ.સોની ગોપાલદાસ ઠાકરશી પાલા (ઉ.વ.૭૭) (માળીયા હાટીના વાળા) પેન્ટર પાલા બટુકભાઈ, હિતેષ પાલા, નિલેસ પાલાના પિતાશ્રી શ્રીકાંન્ત, પીનાંક, દેંવાસના દાદા તા.૧૦ના રાજકોટ મુકામે શ્રીજીચરણ પામેલ છે. તેમનું સદ્દગત બેસણું તા.૧૨ શુક્રવારે સાંજે ૪ થી ૬ ધારેશ્વર મહાદેવ મંદિર ભકતીનગર સર્કલ ખાતે રાખેલ છે.

કંચનબેન લાખાણી

રાજકોટઃ કચંનબેન મગનલાલ લાખાણી તે મગનલાલ લાલજીભાઈ લાખાણીના ધર્મપત્ની તેમજ સ્વ.નાથાલાલ ધનેશા (મુંબઈ)ના બહેન તથા હિતેષભાઈ (કાળુભાઈ) તથા ધનસુખભાઈ (બકાભાઈ)ના માતુશ્રી તેમજ મહેન્દ્રભાઈ લાખાણીના ભાભીનું અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૨ને શુક્રવારના રોજ સાંજે ૪:૩૦ થી ૫:૩૦ નાગરરીડ ગણેશ ફળયામા રાખેલ છે.

ભરતભાઇ ચોકસી

 રાજકોટઃ ચોકસી હરીલાલ ચંદુલાલના પુત્ર ભરતભાઇ હરીલાલ (ઉ.વ.૬૨) તે રમેશભાઇના નાનાભાઇ તથા જયેશભાઇ ના મોટાભાઇ તથા આશિષ તથા વિજય ના ભાઇજી, વિનુભાઇ તથા બાસુભાઇના ભત્રીજા અને નટવરલાલ ચીમનલાલ પાટડીયા ના (જુલાસણવાળા) ના જમાઇ તે દિપકભાઇ અલ્પેશભાઇ ના બનેવી નું તા.૧૦ને બુધવાર ના રોજ શ્રીજી ચરણ પામેલ છે.  સદગતનું  બંને પક્ષનું બેસણું તા. ૧૧ નારોજ સવારે ૧૦-૩૦ થી ૧૨, શ્યામકુંવરબાઇ વાડી, હવેલી પાસે, દરબાર ગઢ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

શાંતાબેન  ગરાળા

 રાજકોટઃ શાંતાબેન ગીરધરભાઇ ગરાળા (ઉ.વ.૭૭) તે મુળ ત્રાકુડા નિવાસી સ્વ. ગીરધરભાઇ વાલજીભાઇ ગરાળાના ધર્મપત્નિ તથા અનીલભાઇ, અશોકભાઇ (આલાપ પાન), દિલીપભાઇ, કમલેશભાઇ ગરાળાના માતુશ્રીનું તા.૧૦  ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૧રને શુક્રવારના રોજ રાજકોટમાં તેમના નિવાસ સ્થાન બી-૧૦૭, આલાપ સેન્ચુરી, પુષ્કરધામ મેઇન રોડ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે સવારે ૮ થી ૧૦ કલાકે તથા ત્રાકુડા મુકામે સાંજે ૩ થી ૫ કડવા પટેલ પાટીદાર સમાજમાં રાખેલ છે.

મુકતાબેન શાહ

રાજકોટ : સ્વ.દલીચંદ પાનાચંદ શાહના ધર્મપત્નિ ગં.સ્વ.મુકતાબેન તે મહેન્દ્રભાઈ, યોગેશભાઈ તથા કીરીટભાઈના માતુશ્રી, કલ્પનાબેનના સાસુ તથા દૃષ્ટિના દાદી, તે શિવલાલ જગજીવન દોશીના પુત્રી તથા કિશોરભાઈ દોશીના બેન તા.૧૦ના અવસાન પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૨ને શુક્રવારે સવારે ૧૦:૩૦ વાગ્યે ગીતગુર્જરી ઉપાશ્રયે એરોડ્રામ પાસે તેમજ પ્રાર્થનાસભા નિરંજની સોસાયટી કોમ્યુ. હોલ ખાતે સવારે ૧૧ વાગ્યે રાખેલ છે.

ભુપેન્દ્રકુમાર પારેખ

રાજકોટ : સ્વ.સોની નટવરલાલ મોહનલાલ રાધાનપરા (નાગડાવાસવાળા)ના મોટાભાઈ જે મહેન્દ્રભાઈ તથા ભરતભાઈના બનેવી તથા નિલેશભાઈ પિતાશ્રી જે ભુપેન્દ્રકુમાર વૃજલાલ પારેખ (ઉ.વ.૫૪)નું તા.૯ના અમદાવાદ ખાતે દુઃખદ અવસાન થયેલ છે. તેમનું પિયર પક્ષનું બેસણું તા.૧૨ના શુક્રવારના બપોરે ૩:૩૦ થી ૪:૩૦ વાગ્યા સુધી સોની સમાજની વાડી ખીજડાવાળી યુનિટ નં.૧, કોઠારીયાનાકા ખાતે રાખેલ છે.

અમૃતબેન સરવૈયા

ગોંડલ : અમૃતબેન સામતભાઇ સરવૈયા (ગોંડલ ન. પા.) ઉ.વ.૬૩ તે અનિલભાઇના માતાનું તા. ૮ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૧૧ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન, ૧૩/૩૦ ભોજરાજપરા, ગોંડલ મુકામે રાખેલ છે.

કાંતાબેન પરમાર

ગોંડલ : વાણંદ સ્વ. જેન્તીભાઇ દેવજીભાઇ પરમારના પત્ની કાંતાબેન (ઉ.વ.૮૩) તે હર્ષદભાઇ કલ્પેશભાઇ, અશોકભાઇ,નીતાબેનના માતા કલ્યાણજીભાઇ, બિપીનભાઇ, જીતુભાઇના ભાભીનું તા. ૧૦ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૧૨ શુક્રવારે સાંજે ૪ થી ૬ વાણંદ જ્ઞાતિની વાડી, પુનિતનગર ગોંડલ ખાતે રાખેલ છે.

ધુસાભાઇ પાડા

લાઠીઃ નિવાસી ધુસાભાઇ હરસુરભાઇ પાડા (ઉ.વ.૮૩) તા.૯ના રોજ રામચરણ પામેલ છે તેમની દશા વિધિ આસો સુદ ૧૦ ને શુક્રવાર તા. ૧૯ તેમજ ઉત્તરક્રિયા (પાણીઢોળ) આસો સુદ ૧૧ને શનિવારે તા.૨૦ના રોજ રાખેલ છે. તેમનું બેસણું તા.૧૧ ગુરૂવારે સમય ૪ થી ૬ પાવર હાઉસ રોડ, મુ.લાઠી જિ.અમરેલી ખાતે રાખેલ છે.

ચંદ્રેશભાઇ પંડયા

ગોંડલ : ચંદ્રેશભાઇ મગનલાલ પંડયા (ઉ.વ.૪૬) ભારતીબેન ત્રિવેદી, નયનાબેન રાવલ, ઉષાબેન પંડયા, ઉર્મિલાબેન જોશીના ભાઇ, રજનીભાઇ (ગણેશ ટ્રાન્સપોર્ટ), ભરતભાઇ, કપિલભાઇ, રાજેશભાઇ, દીપકભાઇ, વિજયભાઇ પંડયાના કાકાનું તા. ૧૦ના અવસાન થયેલ છે. બેસણું તા.૧૨ શુક્રવાર સાંજે ૪ થી ૬ કલાકે શ્રી મોહનેશ્વર મહાદેવ મંદિર, મોહનનગર, હરભોલે સોસાયટી, ગોંડલ ખાતે રાખેલ છે.

રશ્મીનભાઇ ધામેચા

ઉપલેટા : મચ્છુકડીયા સુથાર જ્ઞાતિના સ્વ. ગોરધનભાઇ કરશનભાઇ ધામેચાના પુત્ર રશિમનભાઇ (દહીસર મુંબઇ) તે કિશોરભાઇ ઉપલેટા દમયંતીબેન જુનાગઢ પ્રફુલાબેન દિવ્યાબેન (મુંબઇ) ઉષાબેન (રાજકોટ)  રીનાબેન (સુરત)ના નાનાભાઇ તા. ૭ ના રોજ દહીસર મુંબઇ મુકામે શ્રીજીચરણ પામ્યા છે. સાદડી તા. ૧ર શુક્રવારના રોજ ૪ થી પ કલાકે નિવાસ સ્થાને જવાહર રોડ સિધ્ધાર્થ ચેમ્બર પાસે ઉપલેટા રાખેલ છે.

ગોપાલદાસભાઇ ફીચડીયા

ટંકારા : હાલ ટંકારા, મૂળ જારીયાવાળા ગૌ.વ. વૃજલાલ સવજીભાઇ ફીચડીયાના પુત્ર ગોપાલદાસ (મુકેશભાઇ) (ઉ.વ.૬૩) તે કુંદનબેન, ઇન્દુબેન, વસંતભાઇના મોટાભાઇ તથા મયુરીબેન, ભાવીકાબેન, રવિભાઇના પિતાશ્રી, મૂળજીભાઇ સુંદરજીભાઇ પારેખ ટંકારાવાળાના જમાઇ તથા મહેન્દ્રભાઇ, જીતુભાઇના બનેવીનું તા. ૧૦ના રોજ શ્રીજીચરણ પામેલ છે. બંન્ને પક્ષનું બેસણુ ટંકારા મુકામે શ્રી કસ્ટભંજન હનુમાનજી મંદિરે તા. ૧ર ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ભાવનાબેન સુખડીયા

ગોંડલઃ કંદોઇ સુખડીયા મહેશભાઇ કાન્તીલાલ ખીલોસીયાના પત્ની ભાવનાબેન ઉ.વ. ૪પનું તા. ૮/૧૦ના રોજ અવસાન થયેલ છે.  તેમનું બેસણું તા. ૧૧ના રોજ સાંજે ૪ થી ૬ બેનાણી વાડી નાની બજાર ખાતે રાખેલ છે.

જાન ગજેરા

બીલીયાળા (તા. ગોંડલ) નિવાસી રાજેન્દ્રભાઇ ભીખાભાઇ ગજેરાના પૌત્ર જાન ભાવીનભાઇ ગજેરા (ઉ.વ. ૩)નું તા. ૮ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૧૧ના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને બીલીયાળા મુકામે રાખેલ છે.

મુકેશભાઈ નિમ્બાર્ક

રાજકોટ : કણકોટ (રાજકોટ) નિવાસી નિમ્બાર્ક જમનાદાસ નરસંગદાસના મોટા પુત્ર મુકેશભાઈ (ઉ.વ.૪૮) જે પલ્લવના પિતાશ્રી, હરેશભાઈના મોટાભાઈ તથા મોહિત અને જીજ્ઞેશના ભાઈજી તા.૧૧ને ગુરૂવારના રોજ રામચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૫ને સોમવારે સાંજે ૪ થી ૬ તેઓના નિવાસસ્થાને કણકોટ મુકામે રાખેલ છે.

રસીલાબેન વસાવડા

રાજકોટ : સ્વ.ગજેન્દ્રભાઈ બી. વસાવડા (એ.જી. ઓફીસ, રાજકોટ)ના ધર્મપત્નિ અને જીજ્ઞેશ જી. વસાવડા અને ધર્મિષ્ઠા જી. વસાવડાના માતુશ્રી ગં.સ્વ.રસીલાબેન ગજેન્દ્રભાઈ વસાવડાનું તા.૧૦ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૧૨ના રોજ સાંજે ૪ થી ૫ શ્રી નટેશ્વર મહાદેવ મંદિર, શેઠ હાઈસ્કુલ પાસે, ૮૦ ફૂટ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

લાભુબેન પરમાર

રાજકોટ : વાણંદ ગં.સ્વ. લાભુબેન કાંતિભાઈ પરમાર (ઉ.વ.૮૦) તે રમેશભાઈ, ગોપાલભાઈ, પ્રફુલભાઈ, રાજેશભાઈ તથા સ્વ.સુરેશભાઈના માતુશ્રી, તથા સ્વ. વીરજીભાઈ, ચુનીભાઈ, દયાળજીભાઈના ભાભી તથા ત્રિભુવનભાઈ, કાનજીભાઈ શીશાંગીયાના બહેનનું તા.૧૧ના ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૩ના શનિવારના રોજ કુટુંબ પક્ષ તથા પિયર પક્ષનું સાથે રાખેલ છે. તેમના નિવાસસ્થાને સાંજે ૪ થી ૬, રૂડાનગર - ૧, વૃંદાવન સોસાયટી પાછળ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.