Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018
અવસાન નોંધ

શાંતાબેન વરસાણી

રાજકોટઃ કરશનભાઇ ગીગાભાઇ વરસાણીના ધર્મપત્ની તે જેંતીભાઇ તથા ભરતભાઇના માતુશ્રી શાંતાબેન તા.૧૦/પ/ર૦૧૮ ના રોજ અવસાન પામેલ છે, તેમનું બેસણું તા.૧ર/પ/ર૦૧૮ ના શનિવારે સાંજે પ થી ૭ તેમના નિવાસસ્થાન 'શ્રીનાથજી પાર્ક'-શેરી નં.ર, રામધણની પાછળ-મવડી રાજકોટ ખાતે રાખેલ છે.

જામભા પ્રભાતસિંહ વાળા

ઢાંક : ઢાંક નિવાસી જામભા પ્રભાતસિંહ વાળા (ઉ.વ. ૮૬) તે વિજયસિંહ અને જયેન્દ્રસિંહ વાળાના ીપતા તેમજ અર્જુનસિંહ અને ઉપેન્દ્રસિંહ વાળાના દાદાનું તા. ૭ના રોજ અવસાન થયેલ છે. ઉતરક્રિયા તા. ૧૮ શુક્રવારના રોજ તેમના નિવાસ સ્થાન ઢાંક રાખેલ છે.

ઇન્દ્રસિંહજી ઝાલા

વાંકાનેર : મુળ ગામ ખેરવા હાલ રાજકોટ નિવાસી ઇન્દ્રજીતસિંહજી મંગળસિંહજી ઝાલા, સબ ઇન્સપેકટર (હોમગાર્ડઝ) તે સ્વ. મંગળસિંહજી કે. ઝાલા (નિવૃત DYSP) ના પુત્ર તથા પ્રદ્યુમનસિંહજીના લઘુબંધુ તેમજ નવદિપસિંહજી ઝાલા (RTO ઇન્સપેકટર, વેરાવળ) ના પિતા તથા પ્રશાંતસિંહ વિજયસિંહજી ના કાકા અને દિલીપસિંહજી બી. જાડેજા (નિવૃત પોલીસ ઇન્સપેકટર), અનિરુધ્ધસિંહ એન. જાડેજા (સબ ઇન્સપેકટર, હોમગાર્ડઝ) ના સાળા તા. ૭-૫ ના સ્વર્ગવાસી થયેલ છે. તેઓનું બેસણું તા. ૧૧ ના શુક્રવારના રોજ વાંકાનેર, ગાયત્રી મંદિર ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે

જયસુખલાલ પાટડીયા

 ગોંડલ : મુળ વતાળીયા હાલ ગોંડલ સોની જયસુખલાલ ગીરધરલાલ પાટડીયા (ઉ.વ.૭૩) તે મનસુખલાલ, મુકેશભાઇ તથા ભરતભાઇના ભાઇ, કાર્તિકના પિતાનું તા. ૯ ના અવસાન થયેલ છે, બેસણું તા.૧૦ ગુરુવાર સાંજે ૩:૩૦ થી ૫:૩૦ દરમ્યાન વિશા શ્રીમાળી સોન સમાજ ની વાડી સ્ટેશન પ્લોટ, શેરી નંે ૭, ગોંડલ ખાતે રાખેલ છે

લતાબેન દિક્ષીત

ઉનાઃ તાલુકાના ભાચા ગામના શ્રી ગોડ મેડતવાળ બ્રાહ્મણ લતાબેન ઉમીયાશંકર દિક્ષીત (ઉ.વ.૫૮) તે હરેશભાઇ, પરેશભાઇ ના માતૃશ્રી તથા મણીશંકરભાઇ, ચંદ્રકાન્તભાઇ બીપીનભાઇ, જગદીશભાઇ રાજુભાઇ ના ભાભી તથા સુરેશભાઇ જાનીના સાસુનુ તા. ૯ ના અવસાન પામેલછે. ઉઠમણું તા. ૧૧ શુક્રવારે સાંજના ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન ભાયા રાખેલ છે.

સમજુબેન જોધાણી

રસનાળઃ (તા. ગઢડા) સ્વ.સમજૂબેન નારણભાઇ જોધાણી (ઉ.વ.૧૦૮) તે નારણભાઇના પત્ની તથા નબુબેન, ઘનશ્યામભાઇ, બાબુભાઇ, પ્રવિણભાઇ તથા દિનેશભાઇના માતુશ્રીનું તા.૯ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૪ સોમવારે સવારે ૮ થી પ-૦૦ નિવાસ સ્થાને રસનાળ ખાતે રાખેલ છે.

મુળજીભાઇ બગથરીયા

રાજકોટઃ વાળંદ મુળ કોઠારીયા વાળા હાલ રાજકોટ મુળજીભાઇ નાથાભાઇ બગથરીયા (ઉ.વ.૯૯) તા.૭ના અવસાન પામેલ છે. તે સ્વ.જગદીશભાઇ, દિનેશભાઇ, સ્વ.ભુપતભાઇ, ધનસુખભાઇ તથા શૈલેષભાઇના પિતાશ્રી તથા લક્ષ્મણભાઇ બાવાભાઇ લીંબાણીના સસરા તથા સંજયભાઇ, નિલેશભાઇ, નિરવભાઇ તથા સંદિપભાઇના દાદાશ્રીનું બેસણું તા.૧૧ને શુક્રવારે સાંજે પ થી ૭, જુના હુડકો કવાટર નં.૪૮, કોઠારીયા મેઇન રોડ ખાતે રાખેલ છે.

પ્રવિણભાઇ ધામેલીયા

રાજકોટઃ વાણંદ પ્રવિણભાઇ પ્રેમજીભાઇ ધામેલીયા (ઉ.વ.૭૦) તે સ્વ.રમેશભાઇ તથા વિનોદભાઇ તેમજ સવિતાબેન ભાયાણીના ભાઇ તે ભરતભાઇતથા જીતુભાઇના પિતાશ્રી દામજીભાઇ કેશવજીભાઇના કાકાના દિકરા, તથા મોહનભાઇ ગાંડુભાઇ ગોહેલના જમાઇ તે હસમુખભાઇ, કિશોરભાઇ રાજુભાઇના બનેવીનું  તા.૯ના અવસાન થયેલ છે. તેમનું બેસણું બન્ને પક્ષનું શુક્રવારે ૪ થી ૬, રિધ્ધી સિધ્ધી સોસાયટી અત્રેશ્વર મહાદેવ મંદિર, દુધ સાગર માર્ગના છેડે એચ. જે. સ્ટીલની સામેની શેરીમાં રાખેલ છે.

સ્વીટુ વરીયા

રાજકોટઃ વાટલીયા પ્રજાપતિ બાબુભાઈ માવજીભાઈ વરીયા (દિપક એન્જી.વર્કસ)ના પુત્ર કલ્પેશ બાબુભાઈ વરીયાના પુત્ર સ્વીટુ (ઉ.વ.૮)નું તા.૯ બધુવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૧ શુક્રવારે સાંજે ૪ થી ૬ કલાકે, અમારા નિવાસસ્થાન ૧૨, જાગનાથ પ્લોટ, નિર્મલ એપાર્ટમેન્ટ, જાગનાથ મંદિર પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે.

નાથીબેન વાડોલીયા

રાજકોટઃ વારયા વષ્ણવ પતિ રાજકોટ વારડા ગામના હાલ રાજકોટ સ્વ.નાથાબેન ઉકાભાઈ વાડોલીયા (ઉ.વ.૭૦) તે સુરેશભાઈ વિજયભાઈના માતુશ્રીનું તા.૯ના રોજ બુધવારે અવસાન થયેલ છે તેમનું બેસણું તા.૧૧ના શુક્રવારે પોપટપરા મેઈન રોડ નિવાસસ્થાને રાખેલ છે.

કુંદનબેન સોમૈયા

રાજકોટઃ સ્વ.મનહરલાલ પ્રેમજીભાઈ સોમૈયા (કુંતાશીવાળા)ના ધર્મપત્નિ ગં.સ્વ.કુંદનબેન મનહરલાલ સોમૈયા (ઉ.વ.૬૮) તેઓ અમરજયોતિ ટ્રેડિંગ ફંડ, માર્કેટિંગયાર્ડ વાળા યોગેશભાઈ (લાલાભાઈ)ના માતુશ્રી હર્ષાબેન મહેન્દ્રકુમાર સોઢા (ધ્રાફાવાળા)ના માતુશ્રી તેમજ સ્વ.ધીરજલાલ વશરામભાઈ અનડકટ (અગામી પીપળીયાવાળા)ના પુત્રીનું તા.૯ બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૧ શુક્રવારના રોજ સાંજે ૫ થી ૬ ''અમરજયોતિ'' ઓમ પાર્ક, શેરીનં.-૩ જડેશ્વરડેરીની સામે, મોરબી રોડ તેમના નિવાસસ્થાને રાખેલ છે. પીયરપક્ષની સાદડી રાખેલ છે.