અવસાન નોંધ
બિપીનચંદ્ર વ્યાસ
ગોંડલ : મીઠાપુરના ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ મુળ વરવાળા હાલ મીઠાપુર બીપીનચંદ્ર હિંમતલાલ વ્યાસ (નિવૃત કર્મચારી સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક) (ઉ.વ.૬ર) તે વંદનાબેનના પતિ અને કશ્યપભાઇ (રીલાયન્સ) તથા પ્રતિકભાઇના પિતા તેમજ વૈદિકના દાદાનું તા. ૭ ના અવસાન થયેલ છે. બેસણું તા. ૧૧ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે સીધનાથ મહાદેવ મંદિર, જય અંબે સોસાયટી, આરંભડા ખાતે રાખેલ છે.
રચનાબેન ચૌહાણ
ગોંડલઃ અ.સૌ.રસનાબેન કિતીભાઇ ચૌહાણ (ગોંડલ) (ઉ.વ.પ૯) તે કિતીભાઇ શામજીભાઇ ચૌહાણના ધર્મપત્ની, દર્શિતા, પ્રિયંક, ગાયત્રીના માતુશ્રી અને ચિરાગકુમાર, વિરેન્દ્રકુમાર, નિધીબેનના સાસુશ્રી, ચંદ્રિકાબેન, હરિષભાઇ, રાજેન્દ્રભાઇના ભાભીશ્રી તા.૬ના પ્રયાગરાજ મુકામે દત્તશરણ પામેલ છે. તેના અંતિમ સંસ્કાર, ઉત્તરક્રિયા કાશીમાં પૂર્ણ કરેલ છે. તેનું બેસણું તા.૧૧ના સાંજે ૪ થી ૬, ગોંડલ ખાતે રાજપૂત સમાજની વાડી (દરબાર વાડી) રેલ્વેસ્ટેશન લાલપુલ પાસે, યુનિટ-૧માં રાખેલ છે. અને લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.
લીલાબેન ભટ્ટ
ધારીઃ ઓૈદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ અશોકભાઇ બાબુલાલ ભટ્ટ તથા રજનીકાંત બાબુલાલ ભટ્ટના માતુશ્રી તા.સ્વ. ગણપતરાય ભાયશંકરભાઇ ભટ્ટ (અમરેલી) દિલીપભાઇ ભાયશંકરભાઇ ભટ્ટ (અમરેલી)ના ભાભી લીલાબેન બાબુલાલ ભટ્ટનું તા.૮ ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા. ૧૧ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ મોચી જ્ઞાતિની વાડીમાં (મધુવન-સોસાયટી-ધારી) રાખેલ છે.
રસનાબેન ચૌહાણ
ગોંડલઃ કિર્તીભાઇ શામજીભાઇ ચૌહાણનાં પત્ની રસનાબેન (ઉ.વ.પ૯) તે દર્શીતા, પ્રિયાંક, ગાયત્રીના માતુશ્રી તથા ચિરાગકુમાર, વિરેન્દ્રકુમાર તથા નીધીબેનનાં સાસુ તથા ચંન્દ્રીકાબેન, હરીષભાઇ તથા રાજેન્દ્રભાઇના ભાભીશ્રીનું તા.૬ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૧ના રોજ સાંજે ૪ થી ૬, રાજપુત સમાજ વાડી (દરબાર વાડી) યુનીટ નંબર-૧, લાલપુલ પાસે ગોંડલ ખાતે રાખેલ છે.
તારાબેન નિમાવત
મોરબીઃ ગં. સ્વ. તારાબેન જયસુખલાલ નિમાવત (ઉ.વ.૭૩) તે સ્વ.જયસુખલાલ છગનલાલ નિમાવત (નિવૃત ઇન્કમટેકસ ઓફિસર)ના ધર્મપત્ની તથા જે કશ્યપ, પ્રમિત, તથા રીનાબેન સંદિપભાઇ રામાનુજના માતુશ્રી તેમજ દજ્ઞેશ, સચીનના કાકીનું તા.૯ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૧ને ગુરૂવારે સાંજે ૪-૩૦ થી ૬-૩૦ તેમના નિવાસસ્થાન એવન્યુ પાર્ક બ્લોક નં.૩૧ રવાપર રોડ મોરબી ખાતે રાખેલ છે.
વલ્લભભાઇ મુળાશીયા
રાજકોટઃ વલ્લભભાઇ કાનજીભાઇ મુળાશીયા આકોલવાડી (ગીર વાળા) હાલ રાજકોટનું તા.૭ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૧ના ગુરૂવારે ૪ થી ૬ ધરમનગરમાં વરિયા વંશ જ્ઞાતિની છાત્રાલય ખાતે રાખેલ છે.
કમળાબેન સેદલીયા
રાજકોટઃ શ્રી ઝાલાવાડી સઇ સુથાર (દરજી) જ્ઞાતિનાં સ્વ. ડો. ભીખુભાઇ મહાદેવભાઇ સેદલીયાનાં ધર્મપત્ની કમળાબેન ભીખુભાઇ સેદલીયા (ઉ.વ.૯ર)નું તા.૯ના અવસાન થયેલ છે. તેઓ સંદિપભાઇ નવનીતભાઇ સોલંકીના ફૈબા તથા પ્રહલાદભાઇ નાનજીભાઇ ગોહેલ તેમજ અશોકભાઇ ગોહેલના મામી સ્વ.કમળાબેન સેદલીયાનું બેસણું જનકલ્યાણ હોલ, જનકલ્યાણ સોસાયટી શે.૪ સામે, તા.૧૧ના ગુરૂવારે સાંજે પ થી ૬ કલાકે બેસણું રાખેલ છે. સ્વ.કમળાબેનનું ચક્ષુદાન થયેલ છે. તેમની લૌકિક વ્યવહાર તથા ઉતરક્રિયા બંધ રાખેલ છે.
મધુવંતીબેન બખાઇ
રાજકોટ : મૂળ કુતિયાણા નિવાસી હાલ રાજકોટ મોઢ વાણિક ગં.સ્વ. મધુવંતીબેન કાંતિલાલ બખાઇ (ઉ.વ.૭પ) તે ઇલાબેન યજ્ઞેશભાઇ મહેતા, કલ્પનાબેન રાજુભાઇ મહેતા, પ્રીતિબેન કમલેશભાઇ મહેતા, તૃપ્તિબેન જીજ્ઞેશભાઇ જાનીના માતુશ્રી અને અરૂણભાઇ બખાઇના ભાભી, વસુમતીબેન જયસુખભાઇ વોરાના બેન તા. ૯ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદ્ગતનું બેસણું તા. ૧૧ ને ગુરૂવારે સાંજે પ થી ૬, રામેશ્વર મંદિર, સુભાષનગર, રામેશ્વર ચોક પાસે રાજકોટ ખાતે રાખેલ છે. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સુશીલાબેન પાંડે
ફલ્લા : મુળ ગામ સીક્કા હાલ જામનગરના રહીશ સુશીલાબેન રામગોપાલ પાંડે (ઉ.વ.૮૪), તે રાજેશભાઇ પાંડે, રાકેશભાઇ પાંડે, સુશીલભાઇ પાંડેના માતુશ્રીના માતુશ્રીનું તા. ૯ના રોજ અવસાન પામેલ છે. સદ્ગતનું બેસણું તા. ૧૧ ગુરૂવારના રોજ બપોરે પ થી પ-૩૦ તેમના નિવાસસ્થાન વ્રજ રેસીડન્સી, ૯-પટેલ લોકોની રોડ નં. ૧, ગોરી, હાઇસ્કૂલની સામે રાખેલ છે.
કિશોર પરમાર
રાજકોટઃગુ.ક્ષ. કડીયા સ્વ. ચુનીલાલ કાનજીભાઇ સોલંકીના જમાઇ કિશોર જયંતિભાઇ પરમાર (હાલ અમદાવાદ) તે દિનેશભાઇ, પ્રકાશભાઇ, જગદીશભાઇ, હરેશભાઇ, ગીતેશભાઇ હીરાબેન, બકુલાબેન, ભારતીબેનના બનેવીનું તા.૬ના રોજ અવસાન થયેલ છે. તેમનું પિયરપક્ષનું બેસણું તા.૧૨ને શુક્રવારે સાંજે ૫ થી ૬ 'કાનજી ગોવિંદ' મીલપરા મેઇન રોડ, રાજહંસ ફરસાણની બાજુમાં રાજકોટ ખાતે રાખેલ છે.
અરવિંદભાઇ સોલંકી
રાજકોટઃ માધાપર મચ્છુ કઠીયા સઇ સુથાર દરજી અરવિંદભાઇ લાલજીભાઇ સોલંકી (ઉ.વ.૭૧) તે કમલેશભાઇ તથા મુકેશભાઇના પિતા તેમજ સ્વ. ચમનભાઇ તથા જયસુખભાઇ તથા સતીષભાઇ તથા નાનુભાઇના ભાઇનું તા.૮ને સોમવારના રોજ અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા.૧૧ના રોજ સાંજે ૫ થી ૬ માધાપર ગામ નિલકંઠ મહાદેવ મંદિરે રાખેલ છે.
વાલીબને ગોસ્વામી
જામનોધપુર ઉ રબારીકાના વાલીબેન હેમપુરી ગોસ્વામી ઉ.વ. ૮૫ તે કેશવપુરી, હસમુખપુરી, બાબુપુરી, મુકેશપુરીના માતુશ્રીનું તા. ૮ ને સોમવારે કૈલાશગમન થયેલ છે. શંખઢોળ વિધી તા. ૧૮ ના રબારીકા, તા. જામજોધપુરમાં રાખેલ છે.
ઋષિકુમાર વ્યાસ
જામનગર : શ્રી ઓૈદીચ્ય ખરેડી બ્રાહ્મણ સ્વ. ભુપેન્દ્રભાઇ રમણીકલાલ વ્યાસના પુત્ર ઋષીકુમાર ભુપેન્દ્રભાઇ વ્યાસ (ઉ.વ.૪૨), તે જામનગર નિવાસી જલ્પેશભાઇ વ્યાસના મોટાભાઇ તથા ધ્રોલ નિવાસી પ્રવીણભાઇ નવલશંકર જોષીના જમાઇનું તા. ૯ મીએ અવસાન થયું છે. બેસણું તા. ૧૧ ગુરૂવારના રોજ સાંજના ૫ થી ૬ કલાકે નર્મદેશ્વર મહાદેવના મંદીરે, પંચવટી સોસાયટી, જામનગર ખાતે રાખેલ છે. પિયર પક્ષનું બેસણું પણ સાથે રાખેલ છે.
ડોલરબેન નિર્મળ
રાજકોટઃ ગોંડલ નિવાસી બ્રહ્મક્ષત્રિય ભગવાનજી રૂગનાથ નીર્મળના પુત્રવધુ તે ભોગીલાલ ભગવાનજીભાઈ નિર્મળના ધર્મપત્નિ ડોલરબેનનું અવસાન તા.૯ને મંગળવારના રોજ થયેલ છે. તે ચિ.ચેતનભાઈ તથા આશીષભાઈ તથા પ્રિતીબેન પરેશભાઈ સિંધવડ (મુંબઈ)ના માતુશ્રી તેમની પ્રાર્થનાસભા તા.૧૧ને ગુરૂવારે સાંજે ૫ થી ૬:૩૦ વાગ્યે બ્રહ્મક્ષત્રીય જ્ઞાતિની વાડી, વેરી દરવાજા પાસે, મોટી બજાર, ગોંડલ ખાતે રાખેલ છે.
જયપ્રકાશ વિંછી
રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય સ્વ.શશિકાન્ત જેચંદભાઈ વિંછી (વાંકાનેર વાળા)ના પુત્ર જયપ્રકાશ (ઉ.વ.૬૨) તે સ્વ.ભરતભાઈ, અતુલભાઈ, ચેતનભાઈના મોટાભાઈ તેમજ સ્વ.કેશવલાલ રામજી આશરાનાં દોહિત્ર તા.૯ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૧ ગુરૂવારે સાંજે ૫:૩૦ કલાકે સ્થળઃ શિતળામાતાનું મંદિર, ભાવનગર રોડ, પટેલવાળી સામે રાજકોટ ખાતે રાખેલ છે.
રંજનબેન લાખાણી
જેતપુરઃ રંજનબેન પ્રભુદાસ લાખાણી (બરોડા) (ઉ.વ.૬૫) તે પ્રવિણચંદ્ર, મનસુખભાઇ તુલસીદાસ દત્તાણીના બહેન તા. ૮મીએ સોમવારે અવસાન પામેલ છે. પીયરપક્ષની સાદડી તા. ૧૧ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ જુની લોહાણા મહાજન વાડી ફુલવાડી રોડ જેતપુર ખાતે રાખેલ છે.
હંસરાજભાઇ ગોહેલ
ધોરાજીઃ લુહાર હંસરાજભાઇ વેલજીભાઇ ગોહેલ (ઉ.વ.૭૭) તે સ્વ. વિપુલભાઇ ગોહેલના પિતા તેમજ દેવતણખીધામ મજેવડીના ટ્રસ્ટી ધીરજલાલ મોહનભાઇ ગોહેલ જમનાવડ તેમજ પ્રવિણભાઇ ભીખાભાઇના કાકા તેમજ નગીનભાઇ બાબુભાઇ સોલંકીના સસરાનું તા. ૮ને સોમવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૧૧ ને ગુરૂવાર સાંજે ૪ થી ૬ ધોબી સમાજની વાડી, જમનાવડ રોડ, ધોરાજી ખાતે તેમજ સુરતમાં તા. ૧૧ને ગુરૂવારના સાંજે ૮ થી ૧૦ રાજહંસ સ્વપ્ન પાર્ટી પ્લોટ સરથાણા જકાતનાકા પાસે રાખેલ છે.
જમકુબેન કાછડીયા
ધોરાજીઃ જમકુબેન ખીમજીભાઇ કાછડીયા તે સત્કાર હોટલવાળા અશોકભાઇ અને મહેશભાઇના માતુશ્રીનું તા. ૮ના રોજ અવસાન થયું છે. બેસણું તા. ૧૧ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ ઠે. પટેલ રંગ મંડપ (લિબર્ટી) જીનમીલ રોડ ધોરાજી રાખેલ છે.
માલીનીબેન બૂચ
જૂનાગઢઃ માલીનીબેન (ઉ.વ.૭૨) સ્વ. મનોરમભાઇ ભાનુરાય બુચના પત્ની, હરિત, ભદન્ત તથા પુનિતા પિનાકીનભાઇ નાણાવટીના માતુશ્રી, શીતલબેનના સાસુ, સ્વ. વિક્રમકિશોરભાઇ, મેઘાવિનભાઇ, અશોકભાઇના ભાભીનું તા. ૮ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તા. ૧૧ને ગુરૂવારના રોજ સાંજે પ થી ૬ અનંત ધર્માલય કાળવા ચોક પાસે, માંગનાથ રોડ, જૂનાગઢ રાખેલ છે.
રમેશચંદ્ર અધ્વર્યુ
રાજકોટઃ કંડોળિયા બ્રાહ્મણ મહુવાવાળા હાલ મુંબઈ રમેશચંદ્ર નાગરદાસ અધ્વર્યુ (ઉ.વ.૭૫) તે સ્વ.ચંપકલાલ નાગજી જોષીના વેવાઈ, મીતા હિતેષ જોષીના પિતાશ્રી, કાશ્મિરા રાજીવ અધ્વર્યુના કાકા તથા સ્વ.રજનીભાઈ ફૂલશંકર વ્યાસના મામાના દીકરીનું તા.૫ના મુંબઈ મુકામે કૈલાસવાસ થયેલ છે. તેમની સંયુકત સાદડી તા.૧૧ને ગુરૂવારે સાંજે ૫ થી ૭ 'અમરેશ્વર કૃપા', ૫ રામનગર, ગોંડલરોડ ખાતે રાખેલ છે.
ગોવિંદભાઈ વાજા
રાજકોટઃ ધોબી સ્વ.ગોવિંદભાઈ ખીમજીભાઈ બ્રમ્હાણી વાજાનું અવસાન તા.૯ને મંગળવારના રોજ થયેલ છે. તેમનું ઉઠમણું તા.૧૧ના રોજ ધોબી અટીકાની વાડી રાજકોટ ખાતે રાખેલ છે. માંગરોળ નિવાસી ભીખુભાઈ ખીમજીભાઈ બ્રમ્હાણીના નાનાભાઈ રાજકોટ નિવાસી રાજેશભાઈ ખીમજીભાઈ બ્રમ્હાણી તેમના મોટાભાઈ રાજકોટ સમય સાંજે ૫ થી ૬ રાખેલ છે.
ભાગીરથીબેન ભટ્ટ
રાજકોટઃ શ્રી ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજના મૂળગામ ગોંડલ હાલ રાજકોટ નિવાસી ભાગીરથીબેન લાભશંકર ભટ્ટ (ઉ.વ.૮૭) તે સ્વ.લાભશંકર છગનલાલના ધર્મપત્ની, તે ભુપેન્દરભાઈ, હરેશભાઈ, કિશોરભાઈ, સ્વ.હર્ષદભાઈના માતુશ્રીનું તા.૯ને મંગળવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૧ને ગુરૂવારે સવારે ૮:૩૦ થી ૧૦:૩૦ કલાકે તેમના નિવાસસ્થાન ઈસ્કોન રેસીડન્સી, સરદાર ચોક, બાપા સીતારામ ચોક પાસે, મવડી રોડ, અવધ ડી-૯ની બાજુમાં, રાજકોટ ખાતે રાખેલ છે.