Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021
પોરબંદરના ભાનુમતીબેન પાડલીયાનું દુઃખદ અવસાન

રાજકોટ : પોરબંદરનાં ભાનુમતીબેન પ્રભુદાસભાઇ પાડલીયા (ઉ.વ.૬૮) તે સ્વ. રામજીભાઇ કચરાભાઇ પાડલીયાના નાનાભાઇના પત્નિ તથા હેમરાજભાઇ અને બલરાજભાઇ રામજીભાઇ પાડલીયાના કાકી તથા પુનીતભાઇ, ધવલભાઇ અને નરેશભાઇના માતુશ્રીનું અવસાન થયેલ છે.

અંતિમયાત્રા આજે બપોરે ૩ વાગ્યે ઓમ સાંઇ પેલેસ પોરબંદર ખાતેથી નીકળી હતી. પુનિતભાઇ પાડલીયા (મો.૯૭ર૬ર ૪૮૬૪૬) ભાવેશભાઇ ચૌહાણ (મો. ૭૯૯૦૩૭૭૦૦૪)

અવસાન નોંધ

સરલાબેન જાની

રાજકોટઃ શ્રી સાતોદડિયા શ્રીગોડ મેડતવાડ બ્રાહ્મણ સરલાબેન જગદીશચંદ્ર જાની તે સ્વ.કાશીરામભાઈ નરસિંહભાઈ જાનીના દીકરી તથા રમેશભાઈ કાશીરામભાઈ જાનીના મોટા બહેન તથા નીતાબેન રમેશભાઈ જાનીના નણંદ તથા જીતેનભાઈ ,અવનીબેન (એડવોકેટ)ના ફઈબાનું દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૧ના સવારે ૮ થી ૯ રાખેલ છે. રમેશભાઈ કે.જાની મો.૯૯૭૪૯ ૭૪૨૨૧, જીતેનભાઈ આર. જાની મો.૯૭૨૪૪ ૬૬૩૫૩, અવનીબેન જે. જાની (એડવોકેટ) મો.૯૯૯૮૬ ૬૯૭૮૭

દક્ષાબા પરમાર

રાજકોટઃ દક્ષાબા ઘનશ્યામસિંહ પરમાર તે ઘનશ્યામસિંહ નટુભા પરમારના પત્નિ તથા ધર્મદિપસિંહના માતુશ્રીનું તા.૮ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૧ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. અમારા નિવાસસ્થાને, વિજયનગર-૧, આશાપુરા હુડકો, રાજકોટ ઉત્તરક્રિયા તા.૧૪ને રવિવારે રાખેલ છે.

કુંતાબેન લખલાણી

રાજકોટઃ મૂળ સરાડીયા હાલ રાજકોટ નિવાસી કુંતાબેન દામોદરભાઈ લખલાણી જે અનિલભાઈ (ભીખુભાઈ) ઉષાબેન તથા ભૂમીબેનના માતુશ્રી તથા મૌલિકભાઈના દાદીનું તા.૯ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૨ના રોજ સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી રાખવામાં આવેલ છે. અનિલભાઈ મો.૯૨૨૭૫ ૭૪૦૧૨, મૌલિકભાઈ મો.૮૯૦૫૧ ૫૮૯૪૫

મનજીભાઈ શિશાંગીયા

રાજકોટઃ મુળ ભગત ખીજડીયાવાળા, હાલ રાજકોટ નિવાસી સ્વ.વેલજીભાઈ લવજીભાઈ શિશાંગીયાના પુત્ર મનજીભાઈ (ઉ.વ.૭૨)નું તા.૮ના રોજ અવસાન થયેલ છે. તે સ્વ.રમેશભાઈ તથા સ્વ.ગીરધરભાઈ, જયેશભાઈ અને મહેશભાઈના મોટાભાઈ  અને  બીપીનભાઈ અને મુકુંદભાઈના પિતાશ્રી તેમનું બેસણું તા.૧૧ ગુરૂવારે સાંજે ૪ થી ૬, અક્ષરધામ સોસાયટી-૩, ઠાકર ચોક, મોરબી રોડ, જકાતનાકા પાસે રાખેલ છે.

ઘનશ્યામસિંહ રાણા

રાજકોટઃ ઘનશ્યામસિંહ સામતસિંહ રાણા (નિવૃત અધિક્ષક ઈજનેર સિંચાઈ વિભાગ), (ગામ કંથારીયા) (ઉ.વ.૮૪) તે ચૈતન્યસિંહ ઝાલા (રાજકોટ), રાજેન્દ્રસિંહ ઝાલા (સુરેન્દ્રનગર) તથા મયુરધ્વજસિંહ ઝાલા (આણંદ)ના કાકાશ્રી તથા ગંભીરસિંહ ગોહીલ (તાજપર), રઘુવિરસિંહ જાડેજા (કાળીપાટ), રાજવિરસિંહ જાડેજા (રાજપરા), મિહીરસિંહ જાડેજા (કુંતાશી)ના સસરાનું તા.૯ને મંગળવારના રોજ અવસાન થયું છે. તેમનું ટેલીફોનીક બેસણું શુક્રવાર તા.૧૨ને સાંજે ૪ થી ૬ રાખેલ છે. ચૈતન્યસિંહ મો.૯૭૨૭૯ ૭૭૫૫૧, ગંભીરસિંહ મો.૯૯૭૮૪ ૪૩૫૦૫, રઘુવિરસિંહ મો.૯૮૨૫૩ ૮૦૬૮૯

હરગોવિંદભાઈ પોપટ

રાજકોટઃ હાલ ધોરાજી નિવાસી હરગોવિંદભાઈ દેવજીભાઈ પોપટ (ઉ.વ.૮૦ નિવૃત કર્મચારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી) તે સ્વ.હરજીવનભાઈ તથા સ્વ.ભોગીભાઈ પોપટના લઘુબંધુ, સ્વ.હરિલાલ ડાયાલાલ સોઢાના જમાઈ, રીનાબેન ભરતકુમાર દક્ષિણી, કુંજલબેન ભાર્ગવકુમાર ઉનડકટ, કેતનભાઈ (ડ્રીમ સ્કૂલ- ધોરાજી)નાં પિતાશ્રી તા.૮ને સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા.૧૨ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૫ કલાકે જલારામ મંદિર, જૂનાગઢ રોડ પર રાખેલ છે. કેતન પોપટ મો.૯૯૯૮૯ ૩૩૦૨૪

અનિલકુમાર વડોદરીયા

રાજકોટઃ મોરબી નિવાસી હાલ રાજકોટ મોઢવણીક સ્વ.અનિલકુમાર રસિકલાલ વડોદરીયા (ઉ.વ.૫૯) તે સ્વ.રસિકલાલ ચીમનલાલ વડોદરીયાના પુત્ર તથા જયંતભાઈ, દેવેનભાઈના ભાઈ તથા કેયુર અને પ્રિયંકાના પિતાશ્રી તથા સ્વ.રમણિકલાલ કરમચંદ બોચીયા (મુંબઈ)ના જમાઈનું તા.૮ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૧ ગુરૂવાર, સાંજે ૪ થી ૬ વાગ્યે રાખેલ છે. પિયરપક્ષનું બેસણું પણ તે જ દિવસે રાખેલ છે. કેયુરભાઈ મો.૮૮૨૮૦ ૩૦૭૭૭, જયંતભાઈ મો.૯૩૭૪૧ ૨૮૮૭૭, દેવેનભાઈ મો.૯૬૮૭૬ ૨૮૪૨૬, હરેશભાઈ બોચીયા (મુંબઈ) મો.૯૯૬૭૫ ૩૮૨૯૮

ઠા. પોપટલાલ કારિયા

ગોંડલ : ઠા. પોપટલાલ જાદવજીભાઇ કારિયા (ઉ.૯૬) તે સ્વ. જાદવજીભાઇ વલ્લભજી કારિયાના પુત્ર, સ્વ. રમણીકભાઇ, હસુભાઇ, મનીષાભાઇ, સ્વ. જસુમતીબેન મગનલાલ કટારિયા (પડધરી), સ્વ. સવિતાબેન શાંતિલાલ પલાણ (ધોરાજી), જયશ્રીબેન શશીકાંતભાઇ જીવરાજાની (ગોંડલ), જયોતિબેન વસંતરાય ઉનડકટ (જુનાગઢ) અને અરૂણાબેન ઘનશ્યામભાઇ વસાણી (વિસાવદર) ના પિતા, માધવભાઇ અને ફેનીના દાદા, તેમજ સ્વ. અમૃતલાલ, ચમનલાલ, સ્વ. કસુંબાબેન શાંતિલાલ પોઇન્ટર (જુનાગઢ) અને સ્વ. બેનેકુબેન મોહનલાલ પોઇન્ટર (મુંબઇ)ના મોટાભાઇનું તા. ૮ ના અવસાન થયું છે. ટેલિફોનિક ઉઠમણું તા. ૧૧ સાંજે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે. મો. ૯૪ર૮૪ ૬રપ૭૬, મો. ૯૪ર૯૩ ૧પ૯૭૯

જગદીશભાઇ રૈયાણી

ગોંડલ : જગદીશભાઇ લાધાભાઇ રૈયાણી (ઉ.૭૪) તે (પરેશ એન્ટરપ્રાઇઝ વાળા), રાજેશભાઇ, દિવ્યેશભાઇના પિતા એલ્વીશના દાદા રમેશભાઇ, મુકેશભાઇ, ધીરૂભાઇ, પ્રફુલભાઇ, પંકજભાઇ, દિનેશભાઇ, ચંદ્રેશભાઇ, બકુલભાઇના મોટાભાઇનું તા. ૮ ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૧૧ ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન કુંભાર વાળો દરિયા પીરવાળી શેરી ગોંડલ રાખેલ છે.

ચંપાબેન બાટીયા

રાજકોટ :.. મુળ વસ્તડી હાલ રાજકોટ નિવાસી ચંપાબેન નરશીભાઇ બાટીયા તે સ્વ. સાગરભાઇ, ઘનશ્યામભાઇ, જેરામભાઇ, ચતુરભાઇ તથા નટુભાઇના માતાનું તા. ૯ ના અવસાન થયું છે. બેસણું તા. ૧૧ ને ગુરૂવાર સાંજે ૪ થી ૬, તેમના નિવાસસ્થાન કૃષ્ણનગર ૩-પ નો ખુણો, પોપટપરા મેઇન રોડ ખાતે રાખેલ છે.

લલીતભાઇ કુબાવત

રાજકોટ : રાજકોટ સાધુ લલીતભાઇ અમૃતલાલ કુબાવતનું તા. ૩ ના અવસાન થયેલ છે. બેસણું તા. ૧૧ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ બેડીનાકે રાખેલ છે. તે મયુરના પિતાશ્રી હસુભાઇ, રાજેશભાઇના ભાઇ તથા તેજશભાઇ ટેલીફોન મો. ૯૬૬૪૬ ૦૬૯૯ર

સુનીલભાઇ ચાવડા

ઉપલેટા : મચ્છુ કઠીયા ગુજરાતી દરજી સુનીલભાઇ (બકુલભાઇ) ભરતભાઇ ચાવડા (ઉ.૫૫) તે પરેશભાઇ (જનતા કલોથ), રાજેશભાઇ રાજેશ્વરી એન્જીનિયરીંગ નાનાભાઇ કરણ (પોલીસ સમન્વય) ના પિતાશ્રી અને જયપાલ તથા ધવલના કાકાનું તા.૮ સોમવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૨ શુક્રવારે બપોરે ૪ થી ૬ (મો. ૯૮૯૮૪ ૫૬૪૮૪) રાખેલ છે.

 ગુલામ હુશેન કાજી

વાંકાનેર : આઝાદ સાઇકલવાળા ગુલામહુશેન અહમદભાઇ કાજી (ગુલાભાઇ) (ઉવ.૫૮) તે મુનાફભાઇ અને સદામભાઇના પિતાનું અવસાન થયું છે. દફનવિધિ સાંજે પાંચ વાગ્યે રાખેલ છે. ઝીયારત મદિના મસ્જિદ ગ્રીન ચોક ખાતે શુક્રવારે સવારે ૯:૩૦ થી ૧૦:૩૦ રાખેલ છે.

વિનોદરાય શાહ

ભાવનગર : વિનોદરાય મોહનલાલ શાહ (ઉવ.૮૪) તેઓ સ્વ. ચંદ્રિકાબેનના પતિ, સ્વ. શશીકાન્તભાઇ ભદ્રાબેન ભુપતરાય પટણી, અને પ્રેમીલાબેન પ્રકાશચંદ્ર શાહના મોટા ભાઇ, ચંદ્રેશભાઇ (ટેક્ષ કન્સલટન્ટ, લાયન્સકલબ -સીટી તથા જૈન  જાગૃતિ સેન્ટર) સુનીલભાઇ (સી.એ.દુબઇ) તથા શ્રીમતિ ભાવિકાબેન ચંદ્રેશભાઇ શાહ તથા શ્રીમતી સેજલબેન સુનીલભાઇ શાહના સસરા તેમજ ગ્રીષ્મા, કરણ, હેનીલ તથા ધ્રુવીના દાદા, તેમજ કીરીટભાઇ ચીમનભાઇ વોરા તથા સુમનલાલ ધીરજલાલ શાહના વેવાઇ તેમજ સ્વ. ખીમચંદ ચાંપશીંભાઇ શાહ પરિવારનાં જમાઇનું તા. ૮ સોમવારે અરિહંત શરણ થયેલ છે. સ્વર્ગસ્થની તમામ પક્ષોની સંયુકત પ્રાર્થના સભા (આજે) દિ. ૧૦ ના બુધવારે સાંજે ૪:૩૦ થી ૬: ૩૦ દિપક હોલ, સંસ્કાર મંડળ રાખેલ છે.

રમણીકલાલ નાંઢા

ઉપલેટા : રમણીકલાલ મોહનલાલ નાંઢા (રીટાયર્ડ એકઝીકયુટીવ ઇજનેર) (ઉવ.૮૧) કે જેઓ અનસુયાબેન આર.નાંઢાના પતિ, ડો.પરેશ આર.નાંઢા (ઓર્થો સર્જન -પરમ હોસ્પિટલ, રાજકોટ) ના પિતાશ્રી કિશોરભાઇ એમ.નાંઢા, રમાબેન જે ગોહેલ, ગં.સ્વ. વનિતાબેન વી.જેઠવાના મોટાભાઇ અતુલ ગુલાબભાઇ નાંઢા, પંકજભાઇ જી.નાંઢા, ડો.દિલીપ જી.નાંઢા, મોનીલ કે.નાંઢા ના મોટા બાપુજી, રાજ પી. નાંઢાના દાદાશ્રી તા. ૮ને સોમવારના રોજ ઉપલેટામાં શ્રી ગોપાલચરણ પામ્યા છે.બેસણુ તા.૧૨ ને શુક્રવારે સાંજના ૪ થી ૬ દરમ્યાન શ્રી લક્ષ્મી વિલા ટાગોર રોડ સ્પાન લેબોરેટરી સામે ઉપલેટા તેમજ ટેલીફોનીક બેસણુ મો. ૯૮૨૫૦ ૧૦૪૭૮ મો. ૯૮૨૫૨ ૭૭૨૯૪ રાખેલ છે.