અવસાન નોંધ
મોરબીના વાડીલાલભાઇનું અવસાનઃ ચક્ષુદાન
મોરબીઃ જેતપર નિવાસી હાલ મોરબી દિપચંદભાઇ અંદરજીભાઇ ખંડોરના પુત્ર વાડીલાલભાઇ (ઉ.વ.૭૯) તે વિનોદભાઇ, ભાવીકભાઇ, બીનાબેન ચેતનભાઇ મહેતા તથા કલ્પનાબેન જીતેશભાઇ મહેતાના પિતાશ્રી તા.૯ના અરીહંત શરણ પામેલ છે. સદ્દગતના ચક્ષુઓનું દાન કરેલ છે.
અમીનાબેન લક્ષ્મીધર
જસદણઃ રાજકોટ નિવાસી દાઉદી વ્હોરા અમીનાબેન (ઉ.વ.૮૦) તે મર્હુમ મોહમંદઅલી યુસુફઅલી લક્ષ્મીધરના પત્ની, મુલ્લા મોહંમદઅલી કમરૂદ્દીનના પુત્રી ડો.કુતુબભાઇ, તુરાબભાઇ, સાબેરાબેનના માતા શબ્બીરભાઇ મોહંમદભાઇ ભારમલના સાસું તા.૯ને ગુરૂવારના રોજ રાજકોટ મુકામે વફાત થયેલ છે મર્હુમાના સિયુંમના સિપારા (કુરાનખ્વાની) તા.૧૧ને શનિવારના રોજ બપોરે ૧-૩૦ કલાકેએવન કેટરસ, સદરબજાર રાજકોટ રાખેલ છે.
ધનલક્ષ્મીબેન શાહ
રાજકોટઃ સુલતાનપુર નિવાસી હાલ રાજકોટ સ્વ.ઇશ્વરલાલ અમીચંદ શાહનાં ધર્મપત્ની શ્રીમતી ધનલક્ષ્મીબેન ઇશ્વરલાલ શાહ (ઉ.વ.૭૭) તે સ્વ.હિતેષ, સંજય, કિરણ ભરતભાઇ સંઘવી, મીના અજીતકુમાર શાહ તથા દેવિકા અભયભાઇ મહેતાનાં માતુશ્રીતથા ઉમેદભાઇ, મહેન્દ્રભાઇ, ભરતભાઇ, ઇન્દુબેનનાં ભાભી તથા કિશોરભાઇ રામાણીનાં બહેન તા.૯ના અરિહંત શરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સદ્દગતનું ચક્ષુદાન કરેલ છે.
કિશોરભાઇ ડોડીયા
રાજકોટઃ એડવોકેટ સ્વ.શાંતિલાલ કાનજી ડોડીયાના પુત્ર તેમજ મનસુખભાઇ શાંતિલાલ ડોડીયા તેમજ નલીનભાઇ શાંતિલાલ ડોડીયાના નાના ભાઇ કિશોરભાઇ શાંતિલાલ ડોડીયા (ઉ.વ.૪૭)નું તા.૮ના અવસાન થયેલ છે. જેનું બેસણું તા.૧૧ના શનિવારે સાંજે ૪ થી પ, બોલબાલા મંદીર લક્ષ્મીવાડી, ખાતે રાખેલ છે.
કંચનબેન ભડીયાદરા
રાજકોટઃ આટકોટ નિવાસી કંચનબેન મોહનભાઇ ભડીયાદરા (ઉ.વ.૧૦૮) તે હરગોવિંદભાઇ, માણેકભાઇ, ચંદુભાઇ, મનસુખભાઇ, જગદિશભાઇ, વિનુભાઇ મોહનભાઇ ભડીયાદરાનાં માતુશ્રી તા.૧૦ના શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૩ને સોમવારે સાંજે ૪ થી ૬, ગ્રામ પંચાયત, આટકોટ ખાતે રાખેલ છે.
રામજીભાઇ સોલંકી
રાજકોટઃ ખાંટ રામજીભાઇ કાળાભાઇ સોલંકી (ઉ.વ.૯૦) તે બાબુભાઇ (મિલન પ્રિન્ટર્સ), નરશીભાઇ (વિમલ પ્રિન્ટર્સ), જયંતિભાઇ (વૃંદ આર્ટ) તથા રાજુભાઇ (ગેરેજ વાળા)ના પિતાશ્રીનંુ તા.૯ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૧ને શનિવારે સાંજે ૪ થી ૬, ૪-શ્રમજીવી સોસાયટી, ગુરૂકુળ પાસે, ઢેબર રોડ, શાળા નં.૬પ સામે, મિલન પ્રિન્ટર્સ, ખાતે રાખેલ છે.
પુષ્પાબેન ચાવડા
રાજકોટઃ પુષ્પાબેન શશીકાન્તભાઇ ચાવડાનું તા.૯ના અવસાન થયેલ છે. જેમનું બેસણું તા.૧૩ના સોમવારે સાંજે ૪ થી ૬ કોલવા હનુમાન દાદાના મંદિરે ઢેબર કોલોનીમાં રાખેલ છે.
તારાબેન દૈયા
રાજકોટઃ કચ્છ(આદીપુર): કચ્છી લોહાણા ગં.સ્વ. તારાબેન જમનાદાસ દૈયા (ઉ.વ.૮૩)નું તા.૮ના રોજ અવસાન થયેલ છે. તે જયેન્દ્ર જમનાદાસ દૈયા, ભારતબેન જીતેન્દ્રભાઇ ગણાત્રા, નિમિષબેન જયંતકુમાર ઠક્કરના માતુશ્રી, વિજયાબેન જયેન્દ્રભાઇ દૈયાના સાસુ તથા વિકાસ જયેન્દ્ર દૈયાના દાદીમાં, જ્યોત્સનાબેન વિકાસ દૈયાના દાદી સાસુ તથા આશાનંદ પરસોત્તમ ચંચલ (ભાડરાવાળા) હાલ રાજકોટની દિકરી તે મુળરાજભાઇ, વંસતભાઇ, ઓધવજીભાઇ, વલ્લભભાઇ, ડુંગરશીભાઇ, રમેશભાઇ તથા સ્વ. દમયંતીબેન મગનલાલ મજેઠીયા (અમદાવાદ) વાળાના બહેન. સદ્ગતની બંને પક્ષની સભા તા.૧૧ને શનિવારના રોજ સાંજે ૪ થી ૫ લોહાણા મહાજનવાડી, આદીપુર ખાતે રાખેલ છે. (
રાજેશભાઇ ગાલોરીયા
રાજકોટ : વાણંદ મુ. ધોરાજી હાલ રાજકોટ નિવાસી બળવંતભાઇ ગાલોરીયાના પુત્ર તથા કાનાભાઇ ગાલોરીયાના મોટાભાઇ તેમજ મયુરભાઇ તથા હાર્દિકભાઇના પિતા રાજેશભાઇ બળવંતભાઇ ગાલોરીયા (ઉ.વ.૫૬)નું તા. ૯ને ગુરૂવારે અવસાન પામેલ છે. જેનુ બેસણુ તા.૧૧ને શનિવારે સાંજે ૪ થી ૬ ૧૫૦ ફુટ રીંગરોડ, બાલાજી હોલની પાછળ, વલ્લભવિદ્યાનગર શેરીનં. ૨, કોમનપ્લોટ શંકરના મંદિરે રાખેલ છે.
પૂજાબેન ભેંસાણીયા
રાજકોટ : પુજાબેન તે હિરેનભાઇ પોપટભાઇ ભેંસાણીયાના ધર્મપત્ની, તથા પોપટભાઇ ભેંસાણીયા (પટેલ પેકેજીંગ)નાં પુત્રવધુ તથા વિમલભાઇ ભેંસાણીયાનાં ભાભીનું તા.૯ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જેમનું બેસણું તા.૧૧ને શનિવારે, સાંજે ૩ થી ૫ વાગ્યે, વિદ્યુતનગર કો.ઓ. સોસાયટી હોલ, વિદ્યુતનગર શેરીનં.૨, એસ્ટ્રોન સોસાયટી સામે, રાજકોટ ખાતે રાખેલ છે.
સોની બચુભાઇ જમનાદાસ ધીનોજા
રાજકોટઃ લુણીધારવાળા સોની બચુભાઇ જમનાદાસ ધીનોજા (ઉ.વ-૮૮) તે ભગવાનભાઇ, સ્વ.દિનેશભાઇ, મનહરભાઇના મોટાભાઇ તથા રેખાબેન, ઇલાબેન, ભાવનાબેનના પિતાશ્રી તેમજ બાબુલાલ છગનલાલ(આટકોટ)ના જમાઇનું તા.૯ને ગુરૂવારનાં રોજ અવસાન થયુ છે.સદ્દગતનું ઉઠમણુ તથા પ્રાર્થનાસભા બન્ને પક્ષનુ તા.૧૦નાં બપોરે ૩થી૪ કલાકે પુરીબેન હોલ, જીલ્લા ગાર્ડન, રાજકોટ ખાતે રાખેલ છે.
રસીલાબેન દવે
જૂનાગઢઃ વકીલ અને મહિલા કોંગ્રેસી અગ્રણી મનિષાબેન દવેના માતુશ્રી રસીલાબેન કાંતિલાલ દવે (ઉ.વ.૮૮) તે કાંતિલાલ ગુલાબશંકર દવે (રેલ્વે) ના પત્ની તથા કરૂણાશંકર દેવજીભાઇ મહેતાના પુત્રી તેમજ જ્યોતિબેન એ.મહેતા, અમરદીપ કે.દવે (એસટી) કિરણબેન એમ.મહેતા (રાજકોટ)ના માતૃશ્રી તથા બ્રહ્મ યુવા અગ્રણી વિશાલ એ.મહેતાના નાનીમા તથા સેતુભાઇ દવેના દાદીમાનુ તા.૮ને બુધવારે અવસાન થયેલ છે. પ્રાર્થના સભા તા.૧૨ ને રવિવારને બપોરના ૩ થી ૫ દરમિયાન નાથળિયા ઉનેવાળ બ્રહ્મસમાજની વાડી, ગાંધીગ્રામ, જૂનાગઢ રાખેલ છે.
રમાલક્ષ્મીબેન વાંઝા
ધોરાજીઃ જુનાગઢ નિવાસી વાંઝા રમાલક્ષ્મીબેન શાંતિલાલ માંડલીયા (ઉમર વર્ષ ૮૬)તે પ્રદીપભાઇ તથા યોગેશભાઇના માતૃશ્રીનું અવસાન થયેલ છે બેસણું તા.૧૦ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ સિદ્ધેશ્વર મહાદેવ મંદિર જોષીપુરા શાકમાર્કેટ પાસે જૂનાગઢ ખાતે રાખેલ છે.
લીલાબા વાળા
જામકંડોરણાઃ લીલાબા કેશુભા વાળા (ઉ.વ.૯૦) તે ભરતસિંહ કેશુભા વાળાના માતૃશ્રી તથા હરદેવસિંહ બી.વાળા (માં કૃપા ટ્રાવેલ્સ-જામકંડોરણા) અને સુરેન્દ્રસિંહ બી.વાળા (પ્રમુખ જામકંડોરણા તાલુકા કોંગ્રેસ સમિતિ)ના દાદીમાંનું તા.૭ને મંગળવારના રોજ અવસાન થયેલ છે બેસણું તા.૧૩ને સોમવારે સાંજે ૩ થી ૬ તેમના નિવાસ સ્થાન તળાવ પ્લોટ, જામકંડોરણા ખાતે રાખેલ છે.
રમણીકલાલ રાણપરા
રાજકોટઃ વેજલપરવાળા હાલ રાજકોટ સ્વ.શિવલાલ નરસીભાઈ રાણપરાના પુત્ર રમણિકલાલ શિવલાલભાઈ રાણપરા (ઉ.વ.૮૧) તે સ્વ.પ્રાણજીવનભાઈ તથા સુરેશભાઈ (મોરબી)ના ભાઈ તથા ડો.વિક્રમભાઈ રાણપરા, અપૂર્વભાઈ રાણપરા, ઈલાબેન જીતેન્દ્રકુમાર રાધનપરા તથા નિશાબેન ગોપાલકુમાર પાટડીયાના પિતાશ્રી તથા મગનલાલ ઝવેરચંદ કાત્રોડીયાના જમાઈ તા.૯ના રોજ ગૌ.વા.થયેલ છે. બન્ને પક્ષનું બેસણું તા.૧૧ને શનિવારે સાંજે ૪ થી ૬ નિલકંઠ હોલ બીએસપીએસ સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
પિયુષભાઈ ગામી
રાજકોટઃ નિવાસી પિયુષભાઈ ચમનભાઈ ગામી તે સ્વ.ચમનભાઈ રામજીભાઈ ગામીના પુત્ર તે વૃષભના પિતાશ્રીનું તા.૯ને ગુરૂવારના રોજ શ્રીરામચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા.૧૧ને શનિવારનાં રોજ સાંજે ૪ થી ૬, ભવનાથ મહાદેવ મંદિર, ઈન્દિરાનગર મેઈન રોડ, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
અનસુયાબેન અનામી
મોરબીઃ ગં.સ્વ. અનસુયાબેન ધીરજલાલ અનામી (ઉ.વ. ૭૨) તે સ્વ. વિઠ્ઠલદાસ હિરજીભાઈ પંડીતના જયેષ્ઠ પુત્રી અને નટવરલાલના મોટા બહેન તેમજ દેવાંગ, હેમાંગ અને પ્રિયાંગના મોટા ફૈબા તા. ૮ના રોજ અમદાવાદ મુકામે શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતની પિયરપક્ષની સાદડી (બેસણુ) તા. ૧૧ને શનિવારે સાંજે ૪ થી ૫ શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ મોરબી ખાતે રાખેલ છે.
મુકતાબેન ગોહેલ
ખંભાળીયાઃ સ્વ.જાદવજીભાઇ હિરજીભાઇ ગોહેલના નાનાભાઇ સ્વ. રામજીભાઇ ગોહેેલના ધર્મપત્ની મુકતાબેન(ઉ.વ.૯૧)તે ડો.દિનેશભાઇ (એમડી નિવૃત જીજી હોસ્પીટલ જામનગર) જયસુખભાઇ,મુકેશભાઇના માતુશ્રી દિવ્યેશ અને કિશનના દાદી તા. ૯ના રોજ શ્રીજીચરણ પામેલ છે. ઉઠમણું તા.૧૧ ને શનીવારે ૪.૩૦ થી પ.૦૦ શરણેશ્વર મહાદેવ મંદિર ખંભાળીયા ખાતે રાખેલ છે.
જયંતિલાલ કાનાણી
ખંભાળીયા : સ્વ. રણછોડભાઇ પ્રધાનભાઇ કાનાણીના પુત્ર જયંતિલાલ કાનાણી ઉ.૭૧ (પૂર્વ પ્રમુખ ખંભાળીયા બાર એસો. પૂર્વ સેક્રેટરી, લોહાણા મહાજન, પૂર્વ કાઉન્સીલર) તે અમિતકુમાર કાનાણી (એડી. ડી.જજ વડોદરા), પ્રીતિબેન (પીનકી સંજીવભાઇ બારાઇ (હૈદરાબાદ) તથા શ્વેતા (સ્વીટી) આનંદકુમાર બારાઇ (કેનેડા)ના પિતા તા. ૯ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. સદ્ગતની પ્રાર્થના સભા શનિવારના રોજ સાંજે ૪-૩૦થી પ-૩૦ ખંભાળીયામાં ગણાત્રા હોલ રામનાથ સોસાયટી ખાતે ભાઇઓ તથા બહેનો માટે રાખવામાં આવી છે.
મંજુલાબેન સંઘાણી
રાજકોટઃ મંજુલાબેન વૃજલાલ સંઘાણી (ઉ.વ.૭૩) તે શ્રી મનીષ ટ્રેડીંગ કાું વાળા વૃજલાલ ત્રિકમજી સંઘાણી (ફુવા) ના ધર્મપત્નિ, મનોજભાઇ તથા મનીષભાઇ (દર્શન એન્જીનીયરીંગ કોલેજ) ના માતુશ્રી કોડીનાર મુકેશ એન્ટરપ્રાઇઝ તથા અંકીતા એન્ટરપ્રાઇઝ વાળા શશીકાંતભાઇ તથા વિનોદભાઇના કાકીશ્રી તા.૧૦ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા.૧૧ને શનિવારના રોજ સાંજે ૪ થી ૫ નુતનનગર કોમ્યુનીટી હોલ, રાજકોટ ખાતે રાખેલ છે. (૪૦.૧૧)
રણજીતસિંહ ઝાલા
રાજકોટઃ રાજના ધનાળા હાલ રાજકોટ નિવાસી રણજીતસિંહ માનસિંહ ઝાલા તે ધર્મેન્દ્રસિંહ (એસટી) તેમજ ડી.આર. ઝાલા (આઇ.ટી.આઇ) ના પિતા તેમજ ભવદિપસિંહ (આર.એમ.સી) ના દાદાનું તા.૯ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૧૩ને સોમવારના રોજ સાંજે ૪ થી ૫:૩૦ સુધી સોમનાથ મહાદેવ મંદિર, ગૌરવ પાર્ક, પુષ્કરધામ મેઇન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
શાંતિલાલ ડોડીયા
રાજકોટ : કિશોરભાઇ શાંતિલાલ ડોડીયા તે કાંતિભાઇ લાધાભાઇ વાઘેલાના જમાઇ તેમજ કમલેશભાઇના બનેવીનું તા. ૮ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ૧૧ ને શનિવારના રોજ સાંજે ૪ થી પ કલાકે બોલબાલા મંદિર, લક્ષ્મીવાડી, રાજકોટ ખાતે રાખેલ છે.