અવસાન નોંધ
રૂદ્રરાજસિંહ ચૌહાણ
મોરબીઃ રૂદ્રરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ (ઉ.વ.૧૦) તે ધર્મેન્દ્રસિંહ હરિસિંહ ચૌહાણના પુત્ર તથા સ્વ હરીસિંહ ગજસિંહ ચૌહાણ (નિવૃત શિક્ષક ધી વી સી હાઇસ્કુલ) તેમજ હાડવૈધ પૃથ્વીસિંહ ગજસિંહ તથા ઉમેદસિંહ ગજસિંહના પૌત્ર નું તા.૮ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૯ને સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન ની બાજુમાં વ્યાસ જ્ઞાતિની વાડી અંબિકા રોડ મોરબી રાખેલ છે.
શિવરાજસિંહ ઝાલા
વાંકાનેરઃ ભાયાતી જાંબુડીયા વારા શિવરાજસિંહ (બકુભા) તેજુભા ઝાલા (ઉ.વ.૬૮) તે અર્જુનસિંહ તથા રાજેન્દ્રસિંહના ભાઇ તેમજ દશરથસિંહ અને નરપતસિંહના પીતાશ્રી તથા છોટુભા, ઘનશ્યાસિંહ અને પ્રદ્યુમનસિંહના કાકા તથા વિશ્વરાજસિંહ જયદીપસિંહ અને જન્મરાજસિંહના દાદાશ્રીનુ તા.૮ના અવસાન થયેલ છે.
લક્ષ્મીબેન અગ્રાવત
ધોરાજીઃ છાડવાવદરના બાવાજી કાનદાસ જેરામદાસ અગ્રાવતના ધર્મપત્નિ લક્ષ્મીબેન ઉ.વ.૯૫ તે સુર્યદાસ તથા ધીરજલાલના માતૃશ્રી ત્થા અશોકબાપુ ડીશવાળાના નાનીમાં તા.૬ના રોજ રામચરણ પામેલ છે.
સાફિયાબેન ભારમલ
ગોંડલઃ સાફિયાબેન અબ્દુલહુશૈન ભારમલ ઉ.૯૮ તે મર્હુમ તાહેરલીના પત્ની સલમાબેન (જૂનાગઢ) મહંમદભાઇ ફાતેમાબેન, ખદીજાબેન, જુંબેદાબેન, મેકુજા બેન, અલીભાઇ મેતાજીના માતુશ્રીનું તા.૭ ના રોજ અવસાન થયેલ છે. બેસણુ તા.૯ સાંજે ૪:૩૦ થી ૫:૩૦ તેમના નિવાસ સ્થાન સરવૈયા શેરી, ગોંડલ રાખેલ છે.
તનસુખભાઇ જોશી
જેતલસરઃ મૂળ અમરેલી જિલ્લાના રંગપુર વડેરાના વતની, હાલ મુંબઇ નિવાસી ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજ, તનસુખભાઇ ખીમજીભાઇ જોશી (ઉ.વ.૭૩) તે સ્વ.ખીમજીભાઇ વેલજીભાઇ જોશીનાં પુત્ર, સ્વ. કાંતિલાલ ભાઇના ભાઇ, અમરીશભાઇ અને મનીષભાઇ પિતા તા.૯ના રોજ અવસાન પામ્યા છે.
ચંપાબેન તેરૈયા
જેતલસરઃ જેતપુરઃ સ્ટેશન વાવડી નિવાસી ચંપાબેન બાબુલાલ તેરૈયા તે જગદીશભાઇ, વસંતભાઇ, ભાનુબેન રમેશકુમાર જોષી (સનાળા), ઇન્દુબેન ઘનશ્યામકુમાર દવે (બાલાપુર) તથા મનિષાબેન કિશોરકુમાર દવે (વિસાવદર) ના માતા તા.૭ના રોજ અવસાન પામ્યા છે.
ધીરજલાલ લોઢીયા
જુનાગઢઃ ધીરજલાલ કાન્તીભાઇ લોઢીયા (ઉવ.૭૦)તે પ્રભુદાસ કાન્તીલાલ લોઢીયા (જીતુભાઇ)ના મોટાભાઇ તથા ભાવેશ. ભરત લોઢીયા (રાધે પાન)ના પિતા શ્રીનું તા.૭ના અવસાન થયેલ છે. ઉઠમણું તા.૯ને સોમવારે હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.
લલીતાબેન રૂઘાણી
રાજકોટઃ નિવાસી જગજીવનભાઈ, તુલશીદાસ અને સ્વ.વંદ્રાવનભાઈ મોહનભાઈ રૂઘાણીના ભાભી સ્વ.લલીતાબેન મગનલાલ રૂઘાણીનું તા.૭ના રોજ મુંબઈ મુકામે અવસાન થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૯ સોમવારે શ્રી નીલકંઠ મહાદેવ મંદિર, જલારામ-૨ પાછળ, આફ્રિકા કોલોની શેરીનં.૩, મુકામે સાંજે ૪:૩૦ થી ૫ વાગ્યે રાખેલ છે.
નિર્મળાબેન બાટવીયા
રાજકોટઃ ધોરાજી નિવાસી નિર્મળાબેન નવીનચંદ્ર બાટવીયા, તે નવીનચંદ્ર ખુશાલચંદ બાટવીયાના ધર્મપત્નીનું તા.૫ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૯ને સોમવારે સવારે ૯ થી ૧૧ કલાકે, ગાંધીવાડી, સ્ટેશન પ્લોટ, ધોરાજી મુકામે રાખેલ છે.
હસનઅલી માંકડા
રાજકોટઃ હસનઅલી આદમઅલી માંકડા (ગલ્લાભાઈજી) તે મુસ્તુફા, હકીમ, હોઝેફા, ફાતેમાબેન (ભાવનગર)ના બાવાજી તા.૭ના ગુજરી ગયેલ છે. તેના ઝીયારતના સિપારા તા.૧૦ મંગળવારના રોજ રાખેલ છે. ફુલની ચાદરનો સવારે ૧૧:૩૦ વાગ્યે કબરસ્તાન પર રાખેલ છે. ઝીયારતના સિપારા જોહર - અસરની નમાઝ બાદ (૧:૩૦ વાગ્યે) મવાઈદ (સૈફીકોલોની) ખાતે રાખેલ છે.(૩૦.૨)
જેન્તીલાલ શીશાંગીયા
રાજકોટઃ મૂળ હરમડીયા નિવાસી વાણંદ જેન્તીભાઈ ભવાનભાઈ શીશાંગીયા (ઉ.વ.૭૫) તે ભીખુભાઈ ભવાનભાઈના નાનાભાઈ તથા ચીમનભાઈ, વીઠલભાઈના મોટાભાઈ, મનિષભાઈના પિતાશ્રી, અરવિંદભાઈ, કેશુભાઈ, અશ્વીનભાઈના કાકા અલ્પેશભાઈ, ધવલભાઈના અદા, બકુલભાઈ પ્રભુભાઈ પાડલીયા (જામનગર), દિલીપભાઈ જાદવભાઈ અઘારા (મોરબી)ના સસરા, નીતાબેન, હર્ષાબેનના પિતાશ્રી અને સ્વ.હીરાલાલ દેવશીભાઈ પરમારના જમાઈ સ્વ.કિશોરભાઈ, અશોકભાઈ, ગીરીશભાઈ, પ્રકાશભાઈના બનેવીનું તા.૮ના દુઃખદ અવસાન થયેલ છે. બન્ને પક્ષનું બેસણું સાથે તા.૯ સોમવારના રોજ તેમના નિવાસસ્થાન પાસે મહાદેવ મંદિરે ૩ થી ૫ ‘‘રમણ'' રવિપાર્ક મેઈન રોડ, પ્રેમ મંદિર પાછળ, એજી ચોક પાસે રાજકોટ ખાતે રાખેલ છે.
આનંદભાઈ કાપડી
રાજકોટઃ આનંદભાઈ રામદાસભાઈ કાપડી (ઉ.વ.૭૫)નું તા.૬ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૯ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે પોપટપરા શેરી નં.૧૪ ખાતે રાખેલ છે.
ગુલાબબેન મોદી
રાજકોટઃ ગુલાબબેન (ઉ.વ.૮૮) તે સ્વ.પોપટલાલ વિઠ્ઠલદાસ મોદીના ધર્મપત્નિ તે ડો.ભરત મોદી, મહેન્દ્ર મોદી (એસ્ટેટ બ્રોકર), અ.સૌ.પ્રમોદીની દિલીપકુમાર આહ્યા, અ.સૌ.ચેતના બિહારી ભોજાણીના માતુશ્રીનું તા.૭ના શનિવારે અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૯ના સોમવારે સાંજે ૪:૩૦ થી ૫:૩૦ વાગ્યા સુધી કાશીવિશ્વનાથ મહાદેવ મંદીર, કાશીવિશ્વનાથ પ્લોટ, હરીહર ચોક, સદરબજાર, રાજકોટ ખાતે રાખેલ છે.
સવિતાબેન જોટંગીયા
રાજકોટઃ મુળ કોલીથડ નિવાસી હાલ રાજકોટ વાળંદ સવિતાબેન વિઠ્ઠલભાઈ જોટંગીયા (ઉ.વ.૯૫) તે અરવિંદભાઈ તથા નાથુભાઈના માતુશ્રી જયસુખભાઈ તથા જયદિપભાઈના દાદીનું તા.૮ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૨ને ગુરૂવારના રોજ સમય સાંજે ૪ થી ૬ શ્રીનાથજી સોસાયટી શેરી નં.૫ ઉદેશ્વર મહાદેવના મંદિરે રાખેલ છે.