અવસાન નોંધ
કાંતાબેન મકવાણાનું દુઃખદ અવસાનઃ ગુરૂવારે બેસણું
રાજકોટઃ કાંતાબેન મુળજીભાઇ મકવાણા તે મનુભાઇ તથા ભરતભાઇના માતુશ્રીનું તા. ૬ ને મંગળવારે દુઃખદ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. ૮ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન ગાંધી સ્મૃતિ સોસાયટી, પેડક રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
લીલાવતીબેન સાંચલા
રાજકોટઃ ખંભાળાવાળા સ્વ.પ્રભુદાસ માવજી પીઠડિયાની દિકરી તથા વસંતભાઈ તથા ચમનલાલના બહેન લીલાવતી દામજીભાઈ સાંચલા મુંબઈ નિવાસી (ઉ.વ.૮૫)નું અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૮ ગુરૂવારે સાંજે ૫ થી ૬ ભવનાથ મહાદેવ મંદિર, શિવમપાર્ક- ૨, રૈયા ચોકડી, અમૃત હોસ્પિટલવાળી શેરી રાજકોટ ખાતે રાખેલ છે.
નીતિનકુમાર શાહ
રાજકોટઃ શ્રમજીવી કાચના જિનાલયનાં ટ્રસ્ટી નીતિનકુમાર નટવરલાલ શાહ (ઉ.વ. ૬૪) તે હાર્દિકભાઈ તથા સ્વાતીબેન સુનયકુમારનાં પિતાશ્રી તેમજ હેમાંગીબેન શાહનાં પતિશ્રી તથા પ્રમોદભાઈનાં નાનાભાઈ નીતિનકુમારનું અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું ૩/ શ્રમજીવી કાચનાં જિનાલય, ગુરૂકુળ પાછળ ઢેબરરોડ ખાતે કાલે તા.૮ના ગુરૂવારે સાંજે ૪:૩૦ કલાકેરાખેલ છે.
હિમતલાલ છાટબાર
રાજકોટઃ બગસરા નિવાસી બ્રહ્મક્ષત્રિય સ્વ.ભાવિનભાઈ પીતાંબરભાઈ છાટબારના પુત્ર વડીયા સ્થિાત હિમતલાલ ભાવિનભાઈભાઈ છાટબાર(ઉ.વ.૮૨) તે સ્વ.દુર્લભજીભાઈ (અંજનગાવ), શાંતિલાલ (બગસરા), નટવરલાલ (મુંબઈ)નાભાઈ તે કિશોર (સુરત) ગીરીશ (રાજકોટ), અ.સૌ.પ્રેમીલાબેન મામતોરા વડીયા, અ.સૌ.કિરણબેન કકૈયા(જેતપુર) પિતાશ્રી તેમજ ગોંડલ નિવાસી બ્રહ્મક્ષત્રિય સ્વ.ઝવેરચંદભાઈ શીરાજભાઈ નિર્મળના જમાઈ તા.૩ના રોજ સુરત મુકામે શ્રીજીચરણ પામેલ છે. તેઓશ્રીની પ્રાર્થનાસભા તા.૧૯ના રાજકોટ મુકામે રાખેલ છે.
અમરેલી : ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજના અગ્રણી મુકુંદભાઇ જોષીનું અવસાન : કાલે બેસણું
રાજકોટ-અમરેલી : આજીવન બુધવારના દિવસે મૌન વ્રત પાળનાર તેમજ કરોડો ગાયત્રી મંત્ર, ઁ નમઃ શિવાયના મંત્ર તેમજ મહામૃત્યુંજ્ય મંત્રના અનેક વખત અનુષ્ઠાન કરનાર અને ધાર્મિક વૃત્તિ તેમજ ભકિતમય જીવન જીવનાર મૂળ ખાંભાના હાલ અમરેલી નિવાસી ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજના અગ્રણી અને સત્સંગી સેવક મુકુંદભાઇ ભાયલાલભાઇ જોષી (નિવૃત જમીન વિકાસ બેંક-ઉ.વ.૭ર) તે પ્રભાકરભાઇ (ખાંભા), છેલશંકરભાઇ (અમદાવાદ) તથા ચંદ્રકાંતભાઇ (ખાંભા)ના ભાઇ તેમજ આશુતોષભાઇ (સુરત), પ્રવિણભાઇ (રાજકોટ) તેમજ હિરેનભાઇ (ચેન્નાઇ) અને અલ્પાબેન રોહિતકુમાર મહેતા (અમરેલી)ના પિતાશ્રીનું તા. પ ને સોમવારના રોજ અમરેલી ખાતે અવસાન થયેલ છે.
બેસણું તા. ૮ ને ગુરૂવારે સાંજના ૪ થી ૬ કલાક દરમિયાન 'સહજ' હોલ, ચક્કરગઢ રોડ, અમરેલી ખાતે રાખેલ છે.
ચોથીબેન આંબાભાઇ તાળાનું ૧૦૫ વર્ષની વયે દુઃખદ નિધનઃ શુક્રવારે બેસણું
રાજકોટઃ બગધરા નિવાસી ચોથીબેન આંબાભાઇ તાળા (ઉ.વ.૧૦૫) તે રાજકોટ નિવાસી નરશીભાઇ આંબાભાઇ તાળાના માતુશ્રી તથા પ્રતીકભાઇ નરશીભાઇ તે મગનભાઇ કરશનભાઇના દાદીમાનું તા.૪ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૯ને શુક્રવારના રોજ સાંજે ૮ થી ૯:૩૦ દરમિયાન બ્લોક નં.૧૪, કર્મચારી સોસાયટી, પ્રદ્યુમન ગ્રીનસીટીની બાજુમા, રાણી ટાવરની પાછળ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
પુષ્પેન્દ્રબાળા માંકડ
રાજકોટઃ સુત્રાપાડા-વડનગરા નાગર પુષ્પેન્દ્રબાળા માર્કન્ડભાઇ માંકડ (ઉ.વ.૮૭) તે સ્વ. કાંતિભાઇ વૈદ્ય (પોરબંદર)નાં પુત્રી અને ઉપમન્યુ (જી.એચ.સી.એલ.) ભાવના, સાધનાનાં માતુશ્રીનું તા.૪ના અવસાન થયું છે. તેમની પ્રાર્થનાસભા તા.૮ના ગુરૂવારે સાંજના પાંચ થી સાડા છ, જી.એચ.સી.એલ. ઓફિસર્સ કોલોની, સંજયનગર સુત્રાપાડા ખાતે રાખેલ છે.
જયંતભાઇ રૂપારેલીયા
રાજકોટઃ જયંતભાઇ લીલાધરભાઇ રૂપારેલીયા (નાઇરોબી, હાલ રાજકોટ) તે લીલાધરભાઇ ગોકળદાસ રૂપારેલીયા (માધવપુર-ઘેડ)નાં પુત્ર તે મેનાબેનનાં પતિ તે સુનિલભાઇ તેમજ સોનાલીબેનનાં પિતાશ્રી તે દિપાલીબેનનાં સસરા તા.૪ના શ્રીજી ચરણ પામેલ છે. સ્વર્ગસ્થનું બેસણું તા.૮ને ગુરૂવારે સાંજે પ થી ૬ ગંગનાથ મહાદેવ, યોગીપાર્ક શેરી નં.૭, ક્રિસ્ટલ મોલની સામેની શેરી, રાણી ટાવર પાછળ રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ છે.
કાજલબેન લશ્કરી
રાજકોડઃ ડો.હસમુખભાઇ એ. કુબાવતની દીકરી કાજલબેન નરેન્દ્રભાઇ લશ્કરી (ઉ.વ.૩)નું તા.પના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૮ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, કામનાથ હોલ કામનાથ ચોક લધુભાના ઉતારા પાસે રાખેલ છે.
જયોતીબેન સેજપાલ
રાજકોટઃ સ્વ.જયોતીબેન અશ્વિનભાઇ સેજપાલ (ઉ.વ.પર) તે સ્વ.ચંદુલાલ વિઠ્ઠલદાસ સેજપાલના પુત્રવધુનું તા.રના કેનેડા ખાતે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૮ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, અમરેલી ખાતે જીવન મુકતેશ્વર મંદિરે, સ્ટેશન રોડે રાખેલ છે.
તૃપ્તિબેન પરમાર
રાજકોટઃ રમેશભાઇ વી. પરમારના પત્ની તૃપ્તિબેન રમેશભાઇ પરમાર (ટીચર) જે વિપુલભાઇ પરમાર (કટારીયા ઓટોમોબાઇલ) તથા ભાવેશભાઇ પરમાર (ઓમ માર્કેટીંગ)ના માતુશ્રીનું તા.ર૮ના અવસાન થયેલ છે. તેનું બેસણું તા.૮ના ગુરૂવારે સાંજે ૪ થી ૬, મામાસાહેબના મંદિર ખાતે, રૈયા મેઇન રોડ, રૈયા ચોકડીથી આગળ ગાયત્રી પાનની સામે રાખેલ છે.
પ્રભાબેન ભટ્ટાસણા
મોરબીઃ નાના દહીંસરા (અનુપમનગર) નિવાસી ચતુરભાઇ લાલજીભાઇ ભટાસણાના પત્ની પ્રભાબેન (ઉ.વ.પ૦) તે ધવલના માતુશ્રી અને ભુદરભાઇ, કાંતિભાઇ તથા હરીભાઇના બહેન અને સ્વ.અમરશી કેશભાઇ ભીમાણીની પુત્રી તથા બાબુભાઇ, રામજીભાઇ અને નિતિનભાઇના બહેન તા.પના રોજ અવસાન પામેલ છે. તેઓનું બેસણું (સાદડી) તા.૮ને ગુરૂવારે સવારે ૮ થી ૧૦, સતનામ, ર-વિજયનગર, રવાપર રોડ, રામદેવપિર મંદિર પાસે, આલાપ રોડ મોરબી ખાતે તેમજ તા.૮ને ગુરૂવારે રાત્રે ૮ થી ૧૦ કલાકે તેઓના નિવાસસ્થાન નાના દહીંસરા (અનુપમનગર) તા. માળીયા (મીં.) જી. મોરબી ખાતે રાખેલ છે.
હર્ષવીણાબેન ભંડારી
ગોંડલઃ ઔદિચ્ય ખરેડી સમવાયી બ્રાહ્મણ હર્ષવીણાબેન (નાની બેન) (ઉ.વ.૭૦) તે સ્વ.પ્રભાશંકર ડી. ભંડારીના પુત્રી, અવિનાશ ભંડારી (રાજકોટ ગોપાલ ડેરી), અરૂણ ભંડારી (એ.જી. ઓફિસ રાજકોટ), અશોક ભંડારી (ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ રાજકોટ)ના મોટા બેન તથા જયશ્રીબેન ભટ્ટના નાનાબેન, અર્જુન, અક્ષય, આદિત્ય, અંગદના ફાઇબા તથા મનીષ, મિલન, આશુતોષના માસીબાનું તા.પના અવસાન થયેલ છે. બેસણું તા.૮ ગુરૂવારે સાંજે ૪ થી પ, રામેશ્વર મંદિર મહાદેવ વાડી, શેરી નં.ર, ગોંડલ ખાતે રાખેલ છે.
જયાબેન તલસાણીયા
રાજકોટઃ (મોટી મારડ વાળા) હાલ રાજકોટ નિવાસી સ્વ.ભાણજીભાઇ રામજીભાઇ તલસાણીયાના ધર્મપત્ની જયાબેન ભાણજી તલસાણીયાનું તા.પના અવસાન થયેલ છે. તે દિનેશભાઇ, દિલીપભાઇ, તથા અશોકભાઇના માતુશ્રીનું બેસણું તા.૯ના શુક્રવારે ગોંડલ રોડ જકાતનાકા પાસે પ્રગતી મંડળ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.
મનોરમાબેન કડેચા
જેતપુરઃ સોની નવનીતરાય હીરાચંદ કડેચાના ધર્મપત્ની મનોરમાબેન (ઉ.વ.૬૪) તે દિલીપભાઇ, દક્ષાબેન તથા કમલેશભાઇ (ભગત સોની)ના માતુશ્રીનું તા.પના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૮ના સાંજે ૪ થી ૬, મોઢ જ્ઞાતીની વાડી, મોટા ચોક, જેતપુર ખાતે રાખેલ છે.
અરવિંદભાઇ જોષી
રાજકોટઃ શ્રી ઔ સ ચિભડીયા બ્રહ્મસમાજના અરવિંદભાઇ કરૂણાશંકર જોષી (ઉ.વ.૮૪), સ્વ.દિનકરરાય કે. જોષીના મોટાભાઇ, તે હિતેશભાઇ એ. જોષી (પેઇન્ટર)ના પિતાશ્રી, તે ઉપેન્દ્રભાઇ તથા દિગંતભાઇના મોટા બાપુજી, તે રમણલાલ ત્રિવેદી, રાજેશકુમાર ઠાકર, વાસુદેવભાઇ વ્યાસ, દિનેશકુમાર ત્રિવેદીના સસરા, તે રવિના દાદાનું તા.૬ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૯ના શુક્રવારે ધારેશ્વર મહાદેવ મંદિર, ભકિતનગર સર્કલ, ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.
જલ્પાબેન રાચ્છ
રાજકોટઃ જગદીશભાઇ દુર્લભજીભાઇ રાચ્છના પુત્રવધુ તથા જીતેન્દ્રભાઇ રતિલાલ નથવાણીના પુત્રી અને ભાવિનભાઇ રાચ્છના ધર્મપત્ની જલ્પાબેન (ઉ.વ.ર૯)નું તા.પના અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૮ને ગુરૂવારે સાંજે ૪-૩૦ થી પ-૦૦ ભીમનાથ મહાદેવ મંદિર, ર/૮ ગાયત્રીનગર ખાતે રાખેલ છે.
તુલસીભાઇ ચૌહાણ
પડધરી : પડધરી નિવાસી તુલસીભાઇ નારણભાઇ ચૌહાણ તે ઉમેદભાઇના મોટાભાઇ તેમજ વિજય, રાજેશ અને જયેશના પિતાશ્રીનું તા. ૩ ને શનીવારે અવસાન થયેલ છે. બેસણું તા. ૯ ને શુક્રવારે સાંજે પ થી ૬ શ્રી પ્રગટેશ્વર મહાદેવ મંદિર ખાતે રાખેલ છે. ઉત્તરક્રિયા તા. ૧પ ને ગુરૂવારે રાખેલ છે.
ચમનલાલ ભટ્ટ
ગોંડલ : રાજય પુરોહિત બ્રાહ્મણ ચમનલાલ નારાયણજી ભટ્ટ તે સ્વ. કમળાબેન ના પતિ, સ્વ. જયંતીલાલ, ગિરજાશંકર, સ્વ. જયવંતભાઇ, નંદુબેન, સ્વ. પ્રભાબેન, દયાબેન, જયદેવીબેન, ચંદ્રીકાબેનના ભાઇ, હસુભાઇ, સુનંદાબેન (હંસાબેન), ગીતાબેનના બનેવી, દિવ્યા, ભારત, પૂર્વી, ચાંદની, દર્શનના પિતા, પુજાના સસરાનું અવસાન થયેલ છે. બેસણું તા. ૮ ને ગુરૂવારે સાંજે ૪ થી પ તેમના નિવાસ સ્થાન નાની બજાર, આર્ય શેરી, ગોંડલ ખાતે રાખેલ છે.
ચંદ્રિકાબેન રાજા
વાંકાનેર : દાડીયા (ગોંડલ) હાલ રાજકોટ સ્વ. વૃજલાલ જમનાદાસ રાજાના પત્ની ચંદ્રિકાબેન ઉ.વ.૭૧ તે કિશોર, સુરેશ અને અલ્પેશના માતુશ્રી તથા સ્વ. અમૃતલાલ ગોરધનદાસ કોટક (ખેરવા વાળાના) પુત્રી તથા મધુભાઇ, દાસભાઇ, જગદીશભાઇ અને શ્યામભાઇ કોટકના બહેનનું તા.પના અવસાન થયેલ છે. ઉઠમણું તથા પીયર પક્ષની સાદડી તા. ૯મીએ ને શુક્રવારે સાંજે ૪ થી પ, શ્રી કચ્છી લોહાણા વાડી, મોરબી જૂના જકાત નાકા રોડ, ધોળકીયા સ્કૂલની બાજુમાં-રાજકોટ રાખેલ છે.
મનોરમાબેન રાજાણી
રાજકોટ : સ્વ. ધીરજલાલ મગનલાલ રાજાણીના પત્ની ગં.સ્વ. મનોરમાબેન ડી. રાજાણી તે પ્રકાશભાઇ (પીજીવીસીએલ), ચેતનભાઇ (દલાલ સી. સુધીર), કિરણભાઇ, પ્રદીપભાઇ (કોમ્પ્યુટર એકાઉન્ટન્ટ), અમિતભાઇ (એસ્ટ્રોલોજર)ના માતુશ્રી તથા ઇશાન, રોહન, તન્મય, સ્વીટી, અમી અને બંસરીના દાદીશ્રી તેમજ ઠા. ત્રિકમજીભાઇ પીતાંબરદાસ કારીયા (મોરબી)ના સુપુત્રીનું તા. ૬ ને મંગળવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થના સભા તા. ૮ ને ગુરૂવારે સાંજે પ થી ૬ રાષ્ટ્રીય શાળા પ્રાર્થનાસભા ખંડ, મનહર પ્લોટ, યાજ્ઞિક રોડ, રાજકોટ મુકામે (બહેનો તથા ભાઇઓની સાથે) રાખેલ છે.
ચંદુલાલ જોષી
જુનાગઢ : મુળ ચારણીયા હાલ જૂનાગઢ નિવાસી ચંદુલાલ રેવાશંકર જોષી (અંબિકા લોજ વાળા) તે કનુભાઇ અને બાબુભાઇના નાનાભાઇ તથા જયદેવ અને પાર્થના પિતાશ્રી તેમજ સંજયભાઇ અને જગદીશભાઇના સસરાનું તા. ૬ના રોજ અવસાન થયેલ છે. બેસણુ તા. ૮ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬, શ્રીનાથનગર સપના રેસીડેન્સી, બ્લોક નં. ૧૪, ટીંબાવાડી બાયપાસ ચોબારી દરગાહ સામે તેમના નિવાસ સ્થાને જુનાગઢ ખાતે રાખેલ છે.
વિનોદકુમાર મહેતા
રાજકોટ : નિવાસી હાલ અમદાવાદ સ્વ. મનસુખલાલ સોમચંદ મહેતાના પુત્ર સ્વ. વિનોદકુમાર મહેતા (ઉ.વ.૭૦) શાલીનભાઈ તથા વૈશાલીબેનના પિતા તેમજ હેમલતાબેન, પૂર્ણિમાબેન, રોહિતભાઈ અને જનકભાઈના ભાઈ, ભુપતભાઈ વોરાના બનેવીનું તા.૫ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૮ના રોજ સવારે ૯ થી ૧૧ શ્રી કામનાથ મહાદેવ હોલ, લોયેલા સ્કુલની સામે રાખેલ છે.
હિનાબેન પંડ્યા
વાલમ બ્રાહ્મણ હીનાબેન પંડ્યા (ઉ.વ. ૩૧), તેઓ મયંકભાઈ ભરતભાઇ પંડયાના પત્ની, સ્વ.ભરતભાઈ તથા જયશ્રીબેન પંડ્યા ના પુત્રવધુ, ભાસ્કરભાઈ પંડ્યા ના ભત્રીજા વહુ, મિહિરભાઈ( સેન્ટમેરી સ્કૂલ), નીતીનભાઇ (ભુવનેશ્વરી), જીતુભાઈ પંડયા (પત્રકાર)તથા પાર્થભાઈનાં નાનાભાઇના પત્ની નું તા.૬ અવસાન થયેલ છે, બેસણુ તા. ૮ ગુરૂવાર સાંજે ૪ થી ૬ કલાકે, રામનાથ મહાદેવ મંદિર ચોકસીનગર, ઉમવાળા ફાટક પાસે ગોંડલ ખાતે રાખેલ છે.
હર્ષદકુમાર મહેતા
ગોંડલ : રાજગોર બ્રાહ્મણ હર્ષદકુમાર રામશંકર મહેતા ઉ.વ. ૬૬, મૂળ દેવળકી હાલ મુંબઈનું તા. ૨૭ના અવસાન થયેલ છે, બેસણુ તા ૮ ગુરુવારે આશાપુરા ફાટક પાસે રૈયારાજ સોસાયટી, રામનાથ કૃપા, ગોંડલ ખાતે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.
નવલબેન સીમેજીયા
ધોરાજીઃ પાનાચંદ ગોરધનભાઈના પુત્રી માણાવદર નિવાસી નવલબેન મગનલાલ સીમેજીયાઙ્ગ તે સ્વ. અમૃતલાલ પાનાચંદ તથા વલ્લભભાઈ તથા સ્વ. શાંતિલાલ તથા સ્વ. ભાઈલાલભાઈ, તથા અનંતભાઈ ના મોટા બહેન નું તા. ૦૫. ને સોમવારે અવસાન થયેલ છે
માવતર પક્ષ ની સાદડી તા.૦૯.ને શુક્રવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને ધાણીકોઠા રોડ,કામદાર શેરી ના નાકે ધોરાજી ખાતે રાખેલ છે.
ગંગદાસભાઇ પટેલ
રાજકોટઃ રાજકોટ નિવાસી શ્રી ગંગદાસભાઇ નારણભાઇ પટેલ (સભાયા) તે કિશોરભાઇ સભાયા (પટેલ એન્જી), અશોકભાઇ પટેલ (સભાયા) (ગાયત્રી એન્જી.) તથા હેમલતાબેન, તારાબેનના પિતાશ્રી તથા સ્વ. ચંદ્રકાંતભાઇ પટેલ અને ખીમજીભાઇ પાદરીયાના સસરા તા.૫ને સોમવારના રોજ શ્રીરામ ચરણ પામેલ છે. સદ્ગતનું બેસણું તા.૯ને શુક્રવારે, સવારે ૮:૩૦ થી ૯:૩૦ કલાકે શ્રી સોરઠીયા પ્રજાપતિ સમાજ વાડી, સુર્યનગર, ચંદ્રેશવાડી સામે, પંચવટી સોસાયટી મેઇન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. શાંતિ હવન સવારે ૧૦ થી ૧૨ તથા પ્રસાદી બપોરે ૧૨:૩૦ કલાકે
સુધાબેન દવે
રાજકોટઃ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ સ્વ. સુધાબેન મુળશંકરભાઇ દવે (ઉ.વ.૭૯) તે સ્વ. મુળશંકરભાઇ મોહનભાઇ દવેના પત્ની, અશ્વીનભાઇ, શૈલેષભાઇ, જયેશભાઇ (આર.એમ.એસ)ના માતુશ્રી તથા કાંતીભાઇ, ચંદ્રકાંતભાઇ, ભાસ્કરભાઇના ભાભીનું અવસાન થયેલ છે. જેનું ઉઠમણું કાલે તા.૮ ગુરૂવાર સાંજે ૪ થી ૬ '' કાશી ક્ષેત્ર'' લોહાણાપરા, ઔદિચ્ય ખરેડી જ્ઞાતિની વાડી, રાજકોટ ખાતે રાખેલ છે.
જગદીશભાઈ કારીયા
રાજકોટ : રાજકોટ નિવાસી જયદીશભાઈ કાંતિભાઈ કારીયા (ઉ.વ.૭૦) તે તુલસીદાસ મુળજીભાઈ કાનાબારના જમાઈ, તેમજ રમેશભાઈ અને જગદીશભાઈના બનેવી શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણુ કાલે તા.૮ને ગુરૂવારે સાંજે ૪ થી ૫ વાગ્યે ૩-મારૂતીનગર, ભીડભંજન મંદિર ખાતે રાખેલ છે.