અવસાન નોંધ
નિર્મલાબેન જોષી
રાજકોટ : મુળ મોટીગોપ નિવાસી હાલ દેવગામ રાજગોર બ્રાહ્મણ ધીરજલાલ રામજીભાઈ જોષીના ધર્મપત્નિ નિર્મલાબેન (ઉ.વ.૪૫) તે વશરામભાઈ, રામજીભાઈ, પરસોતમભાઈના પુત્રવધુ તે વ્રજલાલ ભીખાભાઈ દવે (ધ્રાફા)ના બહેનનું તા.૬ના બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની લૌકિકક્રિયા મોટીગોપ ખાતે રાખેલ છે.
નારણદાસ દત્તાણી
રાજકોટ : જામખંભાળીયા નિવાસી હાલ રાજકોટ નારણદાસ મુળજીભાઈ દતાણી (ઉ.વ.૮૭) તે કિરીટભાઈ તથા વિજયભાઈ રાજકોટ તેમજ ચેતનભાઈ, સાધનાબેન વિજયકુમાર મોરઝરીયાના પિતા તા.૭ના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૮ના રોજ તેમના નિવાસસ્થાને સાંજે ૪ થી ૫ 'સ્મિત' ૩૬ ન્યુ જાગનાથ પ્લોટ રાજકોટ ખાતે રાખેલ છે.
રવિશંકરભાઈ ભટ્ટ
રાજકોટ : શ્રી ગુ.હા.સ.ચા. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના મુળ ધ્રોલ હાલ રાજકોટ રવિશંકરભાઈ પુરૂષોતમભાઈ ભટ્ટ (પ્રો.આર.પી. ભટ્ટ) (ઉ.વ.૮૬) તે હરેશભાઈ, જયેશભાઈ, શેખરભાઈ, પરેશભાઈના પિતા, સ્વ.દેવશંકરભાઈ મયાશંકરભાઈ ત્રિવેદીના જમાઈનું તા.૬ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું અને સ્વસુરપક્ષનું બેસણું તા.૯ના શનિવારે સાંજે ૪:૩૦ થી ૫ ભકિત આશ્રમ મંદિર, રૂડાનગર - ૧ના ગેઈટની અંદર, એ.જી.ચોક, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
દિલીપભાઈ લુહાર
રાજકોટ : રાણાવડવાળા હાલ રાજકોટ લુહાર ભીખુભાઈ પરસોતમભાઈના પુત્ર દિલીપભાઈ તે નરેશભાઈ, મુકેશભાઈના ભાઈ, આનંદીબેન તથા શ્રેયાબેનના પિતાનું તા.૫ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૮ને શુક્રવારે સાંજે ૪ થી ૬ ઓમકારેશ્વર મંદિર, સ્વાતી પાર્ક, રાજકોટ ખાતે રાખેલ છે.
ભીખાલાલ સાંગાણી
રાજકોટ : દશા સોરઠીયા વણિક ભીખાલાલ રામજીભાઈ સાંગાણી (ઉ.વ.૮૬) તે સ્વ. વલ્લભદાસ ગોવિંદજી ચુડાસમા બગસરાવાળાના જમાઈ, તે મંજુલાબેનના પતિ, તે ચંદુભાઈ, ભુપેન્દ્રભાઈ, સ્વ.લલીતભાઈ, પ્રવિણભાઈ, સ્વ.શારદાબેન, પુષ્પાબેન, સરલાબેનના બનેવી, મુકેશભાઈ, ચંદ્રાબેન, હર્ષાબેનના પિતા તા.૩૧ના મુંબઈ મુકામે શ્રીજીચરણ પામેલ છે. મો. ૯૩૩૨૩૯ ૧૦૯૧૯.
તારાબેન દવે
રાજકોટ : શ્રી યજુર્વેદી શ્રીમાળી બ્રાહ્મણ સ્વ. હસમુખરાય છોટાલાલ દવે ધર્મપત્નિ ગં.સ્વ.તારાબેન હસમુખરાય દવે તે વિજયભાઈ, મુકેશભાઈ નવીનભાઈના માતા તેમજ હિરેન, હિમાંશુ, કુલદીપના દાદીમાનું તા.૫ને મંગળવારે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૭ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ આશાપુરા મંદિર, ૨ અહીરનગર ગાંધીગ્રામ રાજકોટ ખાતે રાખેલ છે.
સતીષભાઈ મહેતા
રાજકોટ : ચેન્નાઈ નિવાસી હાલ રાજકોટ સ્વ.ભોગીલાલ ન્યાલચંદ મહેતાના પુત્ર તથા સ્વ.તનસુખલાલ દલપતરાય શેઠ (ઉપલેટાવાળા)ના જમાઈ, નયનાબેનના પતિ અને દિયાના પિતા સતીષભાઈ ભોગીલાલ મહેતા, તે મહેશભાઈ, દિનેશભાઈ, કિશોરભાઈ, ગીરીશભાઈ, સ્વ.મુકેશભાઈ અને અશ્વિનભાઈના ભાઈ તેમજ અશ્વિનભાઈ અને મનોજભાઈ શેઠના બનેવીનું તા.૬ના બુધવારે અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૮ના શુક્રવારે સાંજે ૪ થી ૫ વાગ્યે શેઠ ઉપાશ્રય, ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે રાખેલ છે.
લીલાવંતીબેન
રાજકોટ : થાનગઢવાળા પરશુરામ વલ્લભદાસ સચદેવના બહેન લીલાવંતીબેન (ઉ.વ.૯૮) તે તેજસ ચંદુલાલ પોપટ, ભારતીબેન તથા હિનાબેનના નાનીમા તા.૬ને બુધવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૭ના ગુરૂવારે સાંજે ૫ કલાકે આનંદેશ્વર મહાદેવ મંદિર, આનંદનગર મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
નવનીતભાઈ શેઠ
રાજકોટ : ધોરાજી નિવાસી સ્વ.શાંતિલાલ ધારશીભાઈ શેઠના પુત્ર નવનીતભાઈ (ઉ.વ.૬૦) તે બ્રિજેશ તથા બૈજુના પિતા તેમજ કેયુરભાઈ, કાજલબેન તથા ધ્રુવાબેનના કાકા તથા વિજયભાઈ શેઠના નાનાભાઈ તેમજ કાલાવડ નિવાસી સ્વ.દલીચંદ નવલચંદ મહેતાના જમાઈ તા.૬ના રોજ અરિહંત શરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૮ના સવારે ૧૦ કલાકે તથા પ્રાર્થનાસભા સવારે ૧૧ કલાકે ધોબી સમાજની વાડી, જમનાવડ રોડ, પેટ્રોલપંપ સામે, ધોરાજી મુકામે રાખેલ છે.
ભાનુશંકર વ્યાસ
રાજકોટ : ભાનુશંકર મણીશંકર વ્યાસ મુળ બંગાવડી, હાલ રાજકોટ (ઉ.વ.૮૭) (દેના બેંક)નું તા.૬ના બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું આજે તા.૭ના ગુરૂવારે સાંજે ૫ થી ૬ કલાકે તેમના નિવાસસ્થાન ''શ્રી રામકૃષ્ણ'', અમૃતનગર શેરી નં.૨, જયોતિનગર ચોક, કાલાવડ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.
મારકંડરાય શુકલ
રાજકોટ : ભરૂચ નિવાસી વડનગરા નાગર, બ્રાહ્મણ, મુ.વ. મંદાકિનીબેન એમ. શુકલના પતિ મારકંડરાય ન્યાલશંકર શુકલનું તા.૪ના રોજ ભરૂચ મુકામે અવસાન થયેલ છે.
ઈલાબેન પરમાર
રાજકોટ : ઈલાબેન રાજેશકુમાર પરમાર (ઉ.વ.૪૫) તે પ્રવિણભાઈ નાનજીભાઈ ગાલોરીયાના પુત્રીનું તા.૬ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૯ના શનિવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને રામ - રક્ષા કુટીર, પુષ્કરધામ સામે રાખેલ છે.
વર્ષાબા જાડેજા
રાજકોટ : વડાળી હાલ રાજકોટના દિગ્વિજયસિંહ વનરાજસિંહ જાડેજાના ધર્મપત્નિ અ.સૌ.વર્ષાબા જાડેજા (ઉ.વ.૩૯)નું તા.૬ના બુધવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૮ના શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે સાધના સોસાયટી કોમ્યુનિટી હોલ, આનંદનગર મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે
અશોકભાઈ ટોપણ
રાજકોટ : અશોકભાઈ જયંતિલાલ ટોપણ (કતીરા) (ઉ.વ.૬૨) તે રાજેશ વાસણ ભંડારવાળા કૌશિકભાઈ, શિતલબેન મિતેષકુમાર, વૈશાલીબેન પ્રકાશકુમાર તથા દિપ્તીબેનના પિતાનું તા.૬ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૮ના શુક્રવારના રોજ સાંજે ૫ વાગ્યે ધારેશ્વર મંદિર ભકિતનગર સર્કલ ખાતે રાખેલ છે. તેમજ સસરા પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.
હિરાબેન ટંકારીયા
રાજકોટઃ શ્રી મચ્છુ કઠીયા સઇ સુતાર જ્ઞાતિ મુળ ગામ પડધરી (જામનગરવાળા)હાલ રાજકોટ ગં.સ્વ. હીરાબેન વલ્લભદાસ ટંકારીયા (ઉ.વ.૮૫) તે સ્વ. છગનભાઇ ત્રિકમજી જાખરીયાના દિકરી તથા જગદીશભાઇ તથા પ્રવિણભાઇ તથા સ્વ. ડોલરભાઇના બેન તથા ભરતભાઇ, કુમુદબેન મંજુલાબેન, માલતીબેન, ચંદ્રીકાબેનના માતુશ્રી તથા સ્વ. છગનભાઇ ગીરધરભાઇ ટંકારીયાના કાકી તથા આનંદભાઇ છગનભાઇ ટંકારીયાના દાદી તા.૬ને બુધવારે શ્રીજી ચરણ પામેલ છે. તેમનુ બેસણું તા.૮ને શુક્રવારે સાંજે ૪ થી ૫ પિયરપક્ષનું બેસણું સાથે બ્રહ્મસમાજ મહાદેવ મંદિર તિરૂપતિ શેરી નં.ં૬, રૈયા રોડ, હનુમાન મઢી પાસે રાજકોટ ખાતે રાખેલ છે.
રંજનબેન ડાભી
રાજકોટ : બળવંતભાઇ તુલસીભાઇ ડાભીના ધર્મપત્ની રંજનબેન બળવંતભાઇ ડાભીનું તા. ૫ ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૮ ના સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન કેવડાવાડી શેરી નં. ૨૨ નો ખુણો, લુહારવાડીની બાજુમાં રાખેલ છે. તેમની ઉત્તરક્રિયા પાણી ઢોળ તા. ૧૪ ના ગુરૂવારે સવારે રાખેલ છે.
મેઘજીભાઇ સોલંકી
રાજકોટ : મેઘજીભાઇ ગીરધરભાઇ સોલંકી (ઉ.વ.૭૭) તે હેમંતભાઇ, સ્વ. બાબુભાઇ, લક્ષ્મણભાઇ, સ્વ. મોહનભાઇ, જશુબેનના ભાઇ તેમજ સ્વ. મુકતાબેનના પતિ તેમજ રાજેશભાઇ, દેવજીભાઇ, ભાનુબેન, રસિલાબેન, શીલાબેન, સ્વ. દક્ષાબેનના પિતાશ્રીનું તા. ૫ ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૮ ના શુક્રવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન, શકિત સોસાયટી શેરી નં.૭ (છપ્પનીયુ) કુવાડવા રોડ, પોલીસ સ્ટેશન પાસે (નવા ગામ આણંદપર) ખાતે રાખેલ છે.
અરૂણાબેન મહેતા
રાજકોટઃ સૌરાષ્ટ્ર બાજખેડાવાળ બ્રાહ્મણ શ્રી હર્ષદરાય વનમાળીભાઇ મહેતાના ધર્મપત્નિ અરૂણાબેન (ઉ.વ.૭૧) તે બીપીનભાઇ વનમાળીભાઇ મહેતાના ભાભી તે મહેશભાઇ મહેતા (એચડીએફસી) હરેશભાઇ મહેતાના માતુશ્રી તે સ્વ. જટાશંકર મોહનલાલ જોષીના પુત્રીનું તા.૬ના બુધવારના રોજ રાજકોટ મુકામે દુઃખદ અવસાન થયેલ છે. તેમનુ બેસણુ તા.૯ને શનિવારના રોજ અલ્કેશ્વર મહાદેવ મંદિર અલ્કાપુરી શેરી નં.૧ રૈયા રોડ રાજકોટ મુકામે સાંજે ૪ થી ૬ દરમિયાન રાખેલ છે.
પ્રફુલાબેન દોશી
રાજકોટઃ મોઢ વણિક પ્રફુલ્લાબેન વિનોદરાય દોશી તે સ્વ. વિનોદરાય દુલેરાય દોશીના ધર્મપત્નિ જીજ્ઞેશ દોશી, ઉર્વી ચેતનકુમાર વડગામાના માતુશ્રી, પાયલબેનના સાસુ, પ્રતાપભાઇના ભાભી રવિ અને વૈશાલી મિલનકુમાર કનેરીયાના ભાભુ તા.૭ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદ્ગતનું બેસણું તા.૮ને શુક્રવારના સાંજે ૫ થી ૬, રામમંદિર, ૨ રામનગર, ગોંડલ રોડ , રાજકોટ ખાતે રાખેલ છે.
હીરાબેન પઢીયાર
ધોરાજી : સુખડિયા સ્વ. દલપતરાય કલ્યાણજીભાઇ પઢીયારના ધર્મપત્ની હીરાબેન ઉંમર વર્ષ ૮૭, તે કનુભાઇ પઢિયાર, ભરતભાઇ પઢિયાર અને દિનેશભાઇ પઢિયાર (આદિનાથ સ્વીટ માર્ટ વાળા) ના માતુશ્રી નું તા. ૫ ને ેમંગળવારના રોજ અવસાન થયેલ છે. (લોૈકિક વ્યવહાર બંધ રાખેલ છે) સદગતનું બેસણું તા. ૭ ને ગુરૂવારના રોજ બપોરે ૩ થી પ કોટેશ્વર મહાદેવ મંદિર, દરબારગઢ રોડ, ધોરાજી ખાતે રાખેલ છે.
સરોજબેન ધોળકીયા
ઉપલેટા : સોની કાંતિલાલ વિઠ્ઠલભાઇ ધોળકીયાના ધર્મપત્ની સરોજબેન (ઉ.વ.૫૭) તે જીજ્ઞેશભાઇના માતુશ્રી તા. ૫ મંગળવારના રોજ અવસાન પામ્યા છે બેસણુ ં તા. ૭/૨ ગુરૂવારે ૪ થી ૬ નવાપરા ચોરા (રામજી મંદિર) ઉપલેટા મુકામે રાખેલ છે.
પોપટલાલ વલ્લભદાસ
કેશોદઃ સ્વ.વલ્લભદાસ ડાયાભાઇ પોપટ (સુત્રેજવાળા) ના પુત્ર ઠા.પોપટલાલ વલ્લભદાસ પોપટ (ઉ.વ.૭૯) પ્રવિણ ટ્રેડીંગ-કેશોદ તે સંજયભાઇ, દિપેનભાઇ, રીટાબેન સંજયકુમાર ખખ્ખર (રાજકોટ) પ્રિતીબેન સંજયકુમાર દત્તા(ભરૂચ)ના પિતાશ્રી તથા જયંતિભાઇ, રમેશભાઇ (રાજકોટ), પ્રફુલભાઇ (રાજકોટ)ના ભાઇ તથા શાંતીભાઇ પોપટ (ખુશ્બુ ગેસ્ટ હાઉસ) કેશોદનાં કાકા સ્વ. મોહનલાલ ડાયાભાઇ રાયઠઠ્ઠા-વેરાવળના જમાઇ અને રસિકભાઇ રાયઠઠ્ઠાના બનેવી તા. ૩ના રોજ અક્ષરનિવાસી થયેલ છે. ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી તા. ૭ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી પ વાગ્યે લોહાણા મહાજન વાડી -કેશોદ રાખેલ છે.
હસમુખભાઇ કોટેચા
અમરેલી : નેસડી નિવાસી સ્વ. હરિલાલ જાદવજીભાઇ કોટેચાના પુત્ર હસમુખભાઇ હરિલાલ કોટેચા (ઉ.વ.૬ર) તે દિનેશભાઇ નેસડી, વિનુભાઇ સાવરકુંડલા, ધીરૂભાઇ સાવરકુંડલા, કંચનબેન કાંતીલાલ સરૈયા, ધજડીયાળા તથા રસીલાબેન વાડીલાલ વસાણી, ઘુઘરાળાવળાના ભાઇનું ૭ મીએ અવસાન થયેલ છે. ઉઠમણુ તા. ૮ ને શુક્રવારે નિવાસ સ્થાને નેસડી બપોરે ૪ થી પ રાખેલ છે.
રાજ બેંકના સીઈઓ સત્યપ્રકાશ ખોખરાના કાકાનું અવસાન : સાંજે બેસણું
રાજકોટ : ધ્રાંગધ્રા નિવાસી (હાલ રાજકોટ) કંસારા સુરેશભાઈ છગનલાલ ખોખરા તે ગૌ.વા. છગનલાલ ગોકળદાસ ખોખરાના પુત્ર, ગૌ.વા. બાબુલાલ, ગૌ.વા. મહેન્દ્રના નાનાભાઈ તેમજ દિલીપકુમાર છગનલાલ ખોખરા (કવિતા સ્ટીલ સેન્ટર)ના નાનાભાઈ, સત્યપ્રકાશ બાબુલાલ ખોખરા (સીઈઓ - રાજ બેંક), હરેશ બાબુલાલ ખોખરા (બેન્ક ઓફ ઈન્ડિયા) તેમજ જીજ્ઞેશ દિલીપકુમાર ખોખરાના કાકાનું તા.૫ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું આજે તા.૭ને ગુરૂવારના રોજ કંસારા મહાજનવાડી, જયપુર ગોલ્ડન પાસે, સાંજે ૪ થી ૬ દરમિયાન રાખેલ છે.
જુનાગઢના મગનલાલ સાંગાણીનું અવસાન : સાંજે ઉઠમણું-સાદડી
જુનાગઢ : સ્વ. કાન્તિલાલ ગોપાલજી સાંગાણી (દાત્રાણાવાળા) ના પુત્ર મગનલાલ કાંન્તિલાલ ઉ.વ. ૫૭ તે રવિ, હિરેન તથા ક્રિષ્નાબેનના પિતાશ્રી, વિશાલકુમાર પ્રભુદાસ સોનેચા જામનગરના સસરા, ચંદુભાઇ, ધીરૂભાઇ તથા જયસુખભાઇના નાનાભાઇ, દ્વારકાદાસ રામજી રાયચુરા (સાસણવાળા)ના જમાઇ નું તા. ૬ ના અવસાન થયેલ છે.આજે ઉઠમણું તથા સસરા પક્ષની સાદડી તા. ૭ ને ગુરૂવારે જાગનાથ મંદિર, તળાવ દરવાજા, જુનાગઢ ખાતે સાંજે ૪.૩૦ થી પ.૩૦ રાખેલ છે.
મુકતાબેન અગ્રાવત
રાજકોટઃ મુળ ગામ ભડીયાદ (મોરબી) નિવાસી સ્વ.પ્રાણજીવનદાસ ગોકળદાસ અગ્રાવતના પત્ની ગ. સ્વ. મુકતાબેન પ્રાણજીવનદાસ અગ્રાવત (ઉ.વ.૬૬) તે શુભાષભાઇ તથા ચેતનભાઇના માતુશ્રી તેમજ રૂત્વીકના દાદીનંુ તા.પના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૮ને શુક્રવારે સવારના ૯ થી ૧૧ રાખેલ છે.
કાંતાબેન ખંભાયતા
રાજકોટઃ કાન્તાબેન જીવનભાઇ ખંભાયતા (મુળ દેવગામ હાલ રાજકોટ) (ઉ.વ.૮પ) તે શાન્તીલાલ ખંભાયતા તથા વિનોદભાઇ ખંભાયતાના માતુશ્રીનું તા.૪ના અવસાન થયું છે. તેમનું બેસણું તા.૮ના સાંજે ૪ થી ૬, આંગન સીટી વાવડી ગામ પાછળ બ્લોક નં. ૧૦ર, ૧પ૦ ફુટ રીંગ રોડ ખાતે રાખેલ છે. તેમજ ઉતરક્રિયા તા.૧૪ના ગુરૂવારે રાખેલ છે.
ઉમેદલાલભાઇ ધ્રુવ
રાજકોટઃ દશા સોરઠીયા વણીક, ઉમેદલાલ રામજીભાઇ ધ્રુવ તે યમુનાબેનના પતિ, તે સ્વ.દેવીદાસભાઇ, સ્વ.નરોતમભાઇ સ્વ.ચુનીભાઇ, સ્વ.મનુભાઇ તથા હરકિશનભાઇ, સ્વ.નર્મદાબેન વૈદ્ય (લંડન), વિજીયાબેન શાહ સ્વ.દિનુબેન માધાણીના ભાઇ તેમજ શ્રીમતી દિપતીબેન કુરાણી અને કાશ્મીરાબેન મલકાણના પિતા તે હરેશભાઇ કુરાણી અને પરેશભાઇ મલકાણના સસરા તેમજ જય, વિદ્યા, દેવાશી અને રિધમના નાના તે સ્વ.સૂર્યકાન્તભાઇ વખારીયાના બનેવી તે મનિષભાઇ તથા નિલેષભાઇ વખારીયાના ફુવાનું તા.૬ના અવસાન થયેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.
મોહનભાઇ કાછેલા
મોટી પાનેલીઃ કાછેલા મોહનભાઇ લાલજીભાઇ (ઉ.વ.૮૫) તે શ્રી અરવિંદભાઇ, સ્વ. નટવરલાલ તેમજ વિનોદભાઇના પિતાશ્રી તા.૪-૨-૨૦૧૯ના રોજ અવસાન પામેલ છે. જેમનું ઉઠમણું તા. ૮-૨-૨૦૧૯ને શુક્રવારના રોજ સાંજના ૪ થી પ કલાકે તેમના નિવાસ સ્થાન સરકારી હોસ્પિટલ પાછળ મોટી પાનેલી મુકામે રાખેલ છે.
લલીતાબેન ભુંડીયા
ઉપલેટાઃ કાથરોટા નિવાસી વાંઝા દરજી ભીખુભાઇ વેલજીભાઇભુંડીયાના ધર્મપત્ની લલીતાબેન ભીખુભાઇ ભુંડીયા (ઉ.વ.૬પ)નું તા.રના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૮ના રોજ કાથરોટા મુકામે રાખેલ છે.
કાંતીલાલભાઇ માંડાણી
રાજકોટઃ કાંતીલાલ ગીરધરલાલ માંડાણી (ઉ.વ.૭ર)નું તા.૬ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૮ના શુક્રવારે સાંજે ૪ થી પ, માલવીયાવાડી, ગોંડલ રોડ, મુકામે રાખેલ છે.
સવિતાબેન ગોંડલીયા
રાજકોટઃ સુરેશભાઇ લાલજીભાઇ ગોંડલીયા (પટેલ)ના ધર્મપત્ની સવિતાબેન તે વિમલભાઇ, રોશનીબેન, ભાવનાબેન, તૃપ્તિબેનના માતુશ્રી તથા નમ્રતાબેનના સાસુમાં પ્રિશાના દાદીમાનું તા.પના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૮ના શુક્રવારે સાંજે ૪ થી ૬, ભવનાથ મહાદેવ મંદિર, શિવમ પાર્ક-ર, અમૃતા હોસ્પીટલ વાળી શેરી, રૈયા ચોકડી પાસે રાખેલ છે.
જયાબેન વાડોદરીયા
ઉપલેટાઃ સ્વ.જયાબેન મોહનભાઇ વાડોદરીયા (ઉ.વ.૭૬)નું તા.પના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. અમરનગર ગામ અમારા નિવાસ સ્થાન ખાતે તા.૭ને ગુરૂવારે ૩ થી પ તેમજ ઉપલેટા ખાતે તા.૮ના શુક્રવારે જવાહર સોસાયટી, શેરી નં.ર ખાતે રાખેલ છે.
ચંદ્રકાંતભાઇ જોષી
રાજકોટઃ ઓખા ચા.મ.મો. બ્રાહ્મણ હાલ કોલ્હાપુર ચંદ્રકાંતભાઇ જયસુખલાલ જોષી (ઉ.વ.૬૪) તે સ્વ.જયસુખલાલ યુ. જોષીના પુત્ર તથા દિનકરભાઇ, સ્વ.ભાનુબેન, સ્વ.જયોતિબેન ગં. સ્વ. ભારતીબેન, વસંતબેનના લધુબંધુ તથા સ્વ.કાંતિલાલ દવે (રાજકોટ)ના જમાઇ તથા શ્રધ્ધાબેન અને ચિંતનભાઇના પિતાશ્રીનું તા.૪ના કોલ્હાપુર મુકામે અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું કોલ્હાપુર ખાતે તા.૮ને શુક્રવારે તેમજ બેસણું તા.૧૧ના સોમવારે સાંજે ૪ થી પ, ચા.મ.મો. બ્રાહ્મણ બોર્ડીંગ, ગુલાબવાડી, મીલપરા-૧ રાજકોટ ખાતે રાખેલ છે.
નિલેશભાઇ રાઠોડ
મોરબીઃ નિલેશભાઇ ઉર્ફે લીબંડ ધનજીભાઇ રાઠોડ (ઉ.વ.૩ર) નું તા.૬ ના રોજ અવસાન થયેલ છે. તેનું બેસણું તા.૮ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન બાજુમાં શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર ખાખરેચી દરવાજા પાસે મોચી શેરી મોરબી રાખેલ છે.