Gujarati News

Gujarati News

News of Friday, 4th November 2022
પરજીયા પ્રજાપતિ ગંગાબેન ચાવડાનું દુઃખદ અવસાનઃ આજે બેસણું

રાજકોટઃ પરજીયા પ્રજાપતિ અશોકભાઇ, કૌશિકભાઇ, સંજયભાઇ, હિતેષભાઇના માતુશ્રી ગંગાબેન જીવરાજભાઇ ચાવડા તા. ૧-૧૧-૨૦૨૨ને મંગળવાર કારતક સુદ આઠમના રોજ દૂખદ અવસાન થયેલ છે તેમનું બેસણું તા.  ૪-૧૧-૨૦૨૨ ને શુક્રવારના સાંજે ૪ થી ૬  જીગર એસ્‍ટેટ ૪-ચૂડાસમા પ્‍લોટ રૈયા રોડ, ખોડીયાર ડેરીની બાજુમાં રાજકોટ ખાતે રાખેલ છે

અવસાન નોંધ

ભારતીબેન વલેરા

રાજકોટ : બ્રહ્મક્ષત્રીય કિરીટકુમાર નાનાલાલ વલેરાના ધર્મપત્ની ભારતીબેન (ઉ.વ.૬૧) જે અમિતભાઇ અને કુશલભાઇના માતુશ્રી તથા જેતપુર નિવાસી પ્રતાપરાય દેવચંદરાય જગડના દિકરી તા. ૩ ના શ્રીજીચરણ પામેલ છે. ઉઠમણુ તા. પ ને સોમવારે સાંજે પ થી ૬ કલાકે ગોવિંદેશ્વર મહાદેવના મંદિર કુવાડવા રોડ જુના જકાતનાકા પાસે રાખેલ છે.

હસુમતીબેન સાંગાણી

રાજકોટઃ વારાસમડી નિવાસી હાલ બોરીવલી ગં.સ્‍વ.હસુમતીબેન (ઉ.વ.૮૩) તે સ્‍વ.અમૃતલાલ કાનજી સાંગાણીના ધર્મપત્‍નિ તે વસંત, શૈલેષ, હર્ષિકા, મીનાના માતુશ્રી, કલ્‍પના, પલ્લવી, પ્રકાશ ડી. મેહતા, સુનીલ બી. કાપડીયાના સાસુ તે મગનલાલ વલ્લભદાસ શેઠના દીકરી, સ્‍વ.રમણીકભાઈ, સ્‍વ.શશીભાઈ, કકૂભાઈ, ભરતભાઈ, સ્‍વ.ભાનુબેન, ઉષાબેન, કુસુમબેનના બહેન તે વિનીત ભુપતાણી, જય મેહતા, રિધ્‍ધિ સાંગાણીના દાદી સાસુ તા.૨ના શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થના સભા શનિવાર તા.૫ સાંજે ૪ થી ૬, કોરાકેન્‍દ્ર હોલ, આર.એમ. ભટ્ટડ માર્ગ, બોરીવલી વેસ્‍ટના રાખેલ છે. 

મીનાબેન ત્રિવેદી

રાજકોટઃ મૂળ ગોંડલ નિવાસી,(હાલ રાજકોટ), શ્રીમાળી સામવેદી બ્રાહ્મણ સ્વ.ગિરજાશંકર ચુનીલાલ ત્રિવેદીના પુત્રવધુ મીનાબેન અશ્વિનભાઇ ત્રિવેદી તે કૌશલ(કિશન) જયભાઇ શાસ્ત્રી તથા જીગરના માતુશ્રી તેમજ ભરતભાઇ, હરિશભાઇ, ધર્મનભાઇ, કમલેશભાઇ, વિભાબેન તેમજ હિનાબેન વી. ત્રિવેદીના ભાભી તેમજ સ્વ.રજનીકાંત અને મધુબેન ઓઝાના પુત્રી, સ્વ.કમલભાઇ તથા નિલમબેન ત્રિવેદી, પ્રિતીબેન ઓઝાના મોટાબેનનું તા.૩ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૫ના શનિવાર સાંજના ૫થી ૬ તેમના નિવાસસ્થાને, રૈયા ટેલીફોન એક્ષચેન્જ રોડ, તુલસીબાગ, રાજકોટ ખાતે રાખેલ છે.