Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018
રા.મ્યુ.કોર્પો.ના સુખુભા જાડેજાના માતુશ્રી ગં.સ્વ.વિજયાબાનું દુઃખદ અવસાન

રાજકોટઃ ગં.સ્વ. વિજયાબા રામભા જાડેજા તે પ્રદ્યુમનસિંહ રામભા જાડેજા (પીઆર), જયવીરસિંહ રામભા જાડેજા (માજી સરપંચ, સમઢીયાળા),  સુખદેવસિંહ રામભા જાડેજા (વિજીલન્સ ઇન્સ્પેકટર રા.મ્યુ.કો.), દિલીપસિંહ રામભા જાડેજા (રાજકોટ માર્કેટ યાર્ડ)ના માતુશ્રી નું તા.૩૧-૮-ર૦૧૮ને શુક્રવારના દુઃખદ અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા તા.૧૦-૯-ર૦૧૮ના ગામ-સમઢીયાળા, રાજકોટ તાલુકા ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

મોરબી નગરપાલિકાના ટેકસ સુપ્રી. નરેન્દ્રસિંહ જાડેજાનું અવસાન

મોરબી તા.૧: મોરબી નગરપાલિકા ના ટેકસ સુપ્રી.નરેન્દ્ર સિંહ બાલુભા જાડેજા (પ્રમુખ મોરબી મુનિસિપાલિટી એમ્પ્લો. યુનિયન) તેમજ દિલીપસિંહ, સ્વ.જગતસિંહ, રાજેન્દ્રસિંહ, ગજેન્દ્રસિંહના ભાઇ તથા પુષ્પરાજસિંહ,જયરાજસિંહના પિતાનું તા.૦૧ના રોજ અવસાન થયુ છે. બેસણુ તા.૬ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન કાલિકા પ્લોટ-૧ ખાતે રાખેલ છે.

ગોંડલના ઉજીબેન રૈયાણીનું ૧૦૦ વર્ષની વયે અવસાન

ગોંડલ : ઉજીબેન થોભણભાઇ રૈયાણી (ઉ.વ.૧૦૦) તે શામજીભાઇ,વલ્લભભાઇ, વિઠ્ઠલભાઇ, લવજીભાઇ તથા પ્રવિણભાઇના માતાનું તા. ૩૧ ના અવસાન થયેલ છે. બેસણું તા. ૧ શનિવારે સાંજે ૪ થી ૬ કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન, ભોજરાજપરા, શેરી નં. ૨૨, માર્ગ નં. ૯, ગોંડલ ખાતે રાખેલ છે

મનીષા બેન ભાગડીયા

 મોરબી : સારસ્વત અરવિંદભાઇ મોહનીલાલ ભાગડીયાની દીકરી મનીષાબેન તે જામ ખંભાલીયા નિવાસી દિલીપભાઇ બલભદ્ર (જીઇબી વાળા) ની ભાણેજનું અવસાન થયું છે. બેસણું તા. ૦૧ ને શનિવારે સાંજે ૪ થી ૬ કલાકે રામેશ્વર મંદિર સામાકાંઠે ગુજરાત હાઉસીંગ બોર્ડ મોરબી ખાતે રાખેલ છે.

કંચનબેન અગ્રાવત

રાજકોટઃરામાનંદી સાધુ (ભોમેશ્વર મંદિર) કંચનબેન બાબુલાલ અગ્રાવત (ઉ.વ.૭૬) તે સ્વ.બાબુલાલ અગ્રાવતના પત્ની તથા અરવિંદભાઇ અગ્રાવત, સનતભાઇ અગ્રાવત, કિરણબેનના માતા તેમજ ધીરજલાલ અગ્રાવત, મહંત બટુકબાપુના ભાભી તથા ભૂપતભાઇ અગ્રાવત (ગુરૂકૃપા આશ્રમ, કાગદડી),ચંદુભાઇ અગ્રાવત (મુદ્રિકા રોડલાઇન્સ, માલિયાસણ)ના કાકી તથા સરયુભાઇ અગ્રાવતના ભાભુનું તા.૩૧ના અવસાન થયું છે બેસણુ તા.૬ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન, ભોમેશ્વર મંદિર, ભોમેશ્વર પ્લોટ, જામનગર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

નીલકંઠરાય ભટ્ટ

રાજકોટઃ શ્રી ગુજરાતી શ્રી ગૌડ માળવીય બ્રાહ્મણ (કૌશિક ગોત્ર)ના નીલકંઠરાય શાંતિલાલ ભટ્ટ (ઉ.વ.૮ર) તે કાર્તિકભાઇ (એલ.આઇ.સી.) તથા હાર્દિકભાઇ (ઇ.પી.એફ.)ના પિતાશ્રીનું તા.૩૧ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું - ઉઠમણું તા.૩ના સોમવારે સૌરભ સોસાયટી કોમ્યુ. હોલ, નહેરૂનગર શેરી નં.પના છેડે, રૈયા રોડ ખાતે પ થી ૬ રાખેલ છે.

શારદાબેન ચૌહાણ

રાજકોટઃ મચ્છુ કઠિયા સઇ સુથાર (દરજી) શારદાબેન વિરજીભાઇ ચૌહાણ હાલ રાજકોટ (ઉજજૈનવાળા) તે જીતેન્દ્રભાઇ, અલકેશભાઇ તથા જયશ્રીબેનના માતુશ્રી અને રાજન તથા સ્વીટીના દાદી તા.૩૦ના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા.૩ના સોમવારે રાધાક્રિષ્ના મંદીર, એરપોર્ટ રોડ, ગાંધીગ્રામ ખાતે રાખેલ છે.

દિનેશભાઇ મહેતા

મોરબીઃ દિનેશભાઇ જેવંતલાલ અમૃતલાલ મહેતા (ઉ.વ.૭૫) તે જીતેશભાઇ અને નેહાબેન સુનિલકુમારના પિતાશ્રી તથા કલ્પનાબેનના સસરા, તે સ્વ.વ્રજલાલ નરભેરામ શેઠ (જામનગર)ના  જમાઇ તથા સુરેશભાઇ, મહેશભાઇ (મુંબઇ) તથા પ્રકાશભાઇ, રમેશભાઇ, રાજેશભાઇ, શૈલેષભાઇ (રાજકોટ) તથા  સ્વ. પ્રવિણાબેન લલીતકુમાર સંઘવીના બંધુ તા.૩૧ શુક્રવારના રોજ અરહિંતશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૧ શનિવારે સવારે ૧૧ કલાકે શ્રી વિશાશ્રી માળી વણિકજ્ઞાતિની વાડી, નવાડેલા રોડ, મોરબી રાખેલ છે.

હીનાબેન કુંડલીયા

રાજકોટઃ અશોકભાઇ નટવરલાલ કુંડલીયાના પત્ની હીનાબેન (ઉ.પર) તે ડો.ચિરાગ કુંડલીયા (સિવિલ હોસ્પિટલ), મનિષાબેન કુંડલીયાના માતા અને દિલીપભાઇના નાનાભાઇના પત્નિ અને પન્નાબેન દિલીપભાઇ કુંડલીયાના બહેન અને વસંતભાઇ ગોરધનભાઇ જસાણી અને મંજુલાબેન વસંતભાઇ  બાબરાવાળાના પુત્રીનુ તા. ૩૧ના રોજ અવસાન થયુ છે. ઉઠમણુ અને પિયર પક્ષની સાદડી તા. ૧ને શનિવારે સાંજે પ કલાકે દરજીની વાડી, લોહાણા મહાજન વાડીની બાજુમાં સાંગણવા ચોક, રાજકોટ ખાતે રાખેલ છે.

રસીલાબેન લાલચેતા

 રાજકોટ : મુળ રાણાબોરડીવાળા હાલ રાજકોટ રતિલાલ મનજીભાઇ લાલચેતાના ધર્મપત્ની રસીલાબેન (ઉ.વ.૭૫) તે કિરીટભાઇ, શરદભાઇ, અશ્વિનભાઇ, જીતેશભાઇ, હર્ષાબેન પ્રફુલકુમાર કારીયા, આશાબેન તેજસકુમાર પાવાગઢીના માતુશ્રી તેમજ દામોદરદાસ ગોકળદાસ ચંદારાણાના સુપુત્રી તેમજ સ્વ. કૃષ્ણકાન્ત, સ્વ. નરોતમદાસ તેમજ પરમાણંદદાસ, હરસુખભાઇના નાના બહેન તેમજ સ્વ. પરસોતમભાઇના મોટા બહેનનું તા. ૩૧ ના અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા. ૧ ના શનિવારે સાંજે ૪ થી ૫ વસંતરાય ગજેન્દ્ર ગડકર કો.હોલ (આર.એમ.સી.હોલ) ગુરૂપ્રસાદ ચોક, રાજકોટ ખાતે રાખેલ છે. પીયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

વિષ્ણુકાંતભાઇ પંડયા

ધોરાજીઃ ઓૈ ગઢિયા બ્રાહ્મણ વિષ્ણુકાંતભાઇ પંડયા તે સ્વ. ત્રંબકલાલ પીતાંબર પંડયાના પુત્ર તેમજ સ્વ. મણીશંકર કાળીદાસ પંડીતના ભાણેજનું અવસાન રાયપુર એમ.પી.. ખાતે થયેલ છે.

હિનાબેન કુંડલીયા

રાજકોટઃ અશોકભાઈ નટવરલાલ કુંડલીયાના ધર્મપત્ની હિનાબેન (ઉ.વ. ૫૨)નું તથા ડો.ચિરાગ કુંડલીયા (સીવીલ હોસ્પીટલ) તથા મનીષાબેન કુંડલીયાના માતુશ્રી તથા દિલીપભાઈ (નોબલ ઓટો)ના નાનાભાઈના ધર્મપત્નિ તથા પન્નાબેન દિલીપભાઈ કુંડલીયાના બહેન અને વસંતભાઈ ગોરધનભાઈ જસાણી તથા મંજુલાબેન વસંતભાઈ (બાબરાવાળાના) પુત્રીનું તા.૩૧ શુક્રવારના રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તેમજ પિયર પક્ષની સાદડી તા.૧ શનિવારના રોજ સાંજે ૫ કલાકે  દરજીની વાડી, લોહાણા મહાજન વાડીની બાજુમાં સાંગણવા ચોક, રાજકોટ ખાતે રાખેલ છે.

કેતનકુમાર જોષી

 ભાવનગરઃ ચાર્તુવેદી મચ્છુકાઠીયા મોઢ બ્રામ્હણ, લાઠી નીવાસી હાલ જમશેદપુરના સ્વ. શ્રી મનહરલાલ ઇશ્વરલાલ જોષી અને સ્વ.શ્રી હંસાબેન(શારદાબેન) મનહરલાલ જોષીના પુત્ર કેતનભાઇ મનહરલાલ જોષી, (ઉ.વ.૫૦) કિષ્નાબેન જોષી (જમશેદપુર)ના પતિ સ્વ. વિપીનભાઇ નાનાલાલ વ્યાસ અને સ્વ. શ્રી હંસાબેન તથા ગં.સ્વ હીરાબેન વિપીનભાઇ વ્યાસ, શ્રી અતુલભાઇ પ્રભુલાલભાઇ વ્યાસ, શ્રી કૌશીકભાઇ પ્રભુલાલભાઇ વ્યાસ અને શ્રી વિજયભાઇ પ્રભુલાલભાઇ વ્યાસના જમાઇ, સ્વ. શ્રી ભારતીબેન ગુણવંતરાય પંડયા (લીલીયામેટા)મનોરમાબેન ગુણવંતરાય પંડયા(ભાવનગર) અને સ્વ. શ્રી શોભનાબેન જયેશકુમાર જોષી (ભાવનગર)ના ભત્રીજા જમાઇ, સ્વ.શ્રી લાભશંકરભાઇ વૃજલાલ જોષી અને કાંતીલાલ વૃજલાલ જોષી (ભાઇલવાવ)ના ભાણેજ સ્વ. રમણીકલાલ મહાશંકરભાઇ પંડયા (જાફરાબાદ), સ્વ.શ્રી મનુભાઇ મહાશંકર પંડયા (અકાળા), ભુપતભાઇ મહાશંકર પંડયા (ભાવનગર), સ્વ. શ્રી હરેશભાઇ મહાશંકર પંડયા (ભાવનગર), જયંતીભાઇ મહાશંકરભાઇ પંડયા (વઢવાણ), મહેશભાઇ મહાશંકરભાઇ પંડયા (ભાવનગર) દિલીપભાઇ પંડયા (અકાળા), રેણુકાબેન નરેશભાઇ જાની(લાઠી), ગં. સ્વ. દુર્ગાબેન બીપીનભાઇ ત્રીવેદી(ભાવનગર), કીશોરભાઇ લાભશંકર જોષી (લીલીયામોટા) અરૂણાબેન.પી. પંડયા  (અમરેલી)ના ભાણેજ જમાઇ આશુતોષ વિપીનભાઇ વ્યાસના (પ્રવકતા, શહેર ભા.જ.પા), શ્રી જગદીશભાઇ વિપીનભાઇ વ્યાસ અને કલ્પેશભાઇ વિપીનભાઇ વ્યાસના બનેવી શ્રી દિવ્યાબેન આશુતોષભાઇ વ્યાસ (કોર્પોરેટર શ્રી), શ્રી પુનમબેન જગદીશભાઇ વ્યાસ અને શ્રી રીમ્પલબેન કલ્પેશભાઇ વ્યાસના નણદોઇ તથા શેફાલી, વત્સલના પીતાશ્રી, હીમાદ્વી, હીમર્ષી, શુભમ, યુગ, પ્રતિક્ષા, આદીત્ય અને ઓમના ફુવા નુ તા.૩૧ના અવસાન થયેલ છે. પીયર પક્ષનું બેસણું તા.૧ શનીવારે સાંજે ૪થી૬ સરદાર વલ્લભભાઇ પટેલ સ્કુલ, શાળા નં. ૭૬, મ્યુનીસીપલ સ્કુલ, અમારા નીવાસસ્થાન સામે, ભરતનગર, ભાવનગર ખાતે રાખેલ છે.