Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

જાણીતા હાસ્યલેખક ઇન્ડિયન અમેરિકન હરનિશભાઈનું દુઃખદ અવસાન : અંતિમસંસ્કાર 24 ઓગ.શુક્રવારે ફ્રેન્કલીન મેમોરિયલ પાર્ક,નોર્થ બ્રન્સવિક ન્યુજર્સી મુકામે

દિપ્તીબેન જાની  દ્વારા : ન્યુજર્સી : હરનિશભાઈ થોડા સમયથી પ્રિન્‍સ્ટન મેડિકલ સેંટરમાં હતા, અને છેલ્લા થોડા દિવસોથી તો લાઇફ સપોર્ટ પર હતા. એ સપોર્ટ 20 ઑગસ્ટ, 2018ના બપોરે બારેક વાગે કાઢી લેવાયા પછી સાંજે 8:30 વાગે તેઓએ દેહ છોડ્યો હતો.

જાણીતા હાસ્યલેખક હરનિશભાઈ એક ઘણા મનોરંજક વક્તા પણ હતા.એમના ત્રણ રમૂજી વાર્તાસંગ્રહો, અને ગુજરાતના અખબારોમાં લોકપ્રિય કૉલમો નિયમિત રીતે લખનાર તરીકે હરનિશભાઈ જાણીતા હતા.
એમની ખોટ ઘણી સાલશે.
હરનિશભાઈ એમની પાછળ પત્ની હંસાબેન અને શોકગ્રસ્ત કુટુંબને છોડી ગયા છે.  એમના આત્માને પરમ શાંતિ મળે એવી અમારી પ્રાર્થના છે. હરનીશભાઈના અંતિમ સંસ્કાર શુક્રવાર, 24 ઑગસ્ટના દિવસે સવારે 9-11 at Franklin Memorial Park, 1800 Rt 27,  North Brunswick,  NJ 08902  પર થશે.

(10:45 am IST)