Gujarati News

Gujarati News

News of Wednesday, 25th July 2018

માત્ર ૧૬૦ શીખોની વસતિ ધરાવતા પાકિસ્‍તાનના પખ્‍તુનિસ્‍તાનના વિસ્‍તારમાંથી ચૂંટણી લડવાનું પસંદ કરતા શ્રી રાદેશ સિંહ

ઇસ્‍લામાબાદઃ પાકિસ્‍તાનમાં આજ ૨૫ જુલાઇના રોજ યોજાયેલી ચૂંટણી ખૈબર પખ્‍તુનિસ્‍તાનમાંથી લઘુમતિ શીખ કોમના શ્રી રાદેશસિંહ ટોની જનરલ સીટ ઉપરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.

તેમના મતે રાજકિય પક્ષો લઘુમતિ કોમ માટેની સીટ ઉપરની લઘુમતિ કોમના ઉમેદવારને ચૂંટણી લડવાની ટિકિટ આપે છે. પરંતુ તેઓ આ રિઝર્વ સીટને બદલે જનરલ સીટ ઉપરથી ચૂંટણી લડવા માંગતા હોવાથી તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનું પસંદ કર્યુ છે.

જો કે તેમના જીતવાની શક્‍યતા ઓછી છે. કારણ કે તેમના મત વિસ્‍તારમાં શીખોની સંખ્‍યા માત્ર ૧૬૦ છે. જેઓ પણ કટ્ટરપંથી ઇસ્‍લામિક સંગઠનના દબાણ હેઠળ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:12 am IST)