Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટી લીડર શ્રી હરકેશભાઈ ઠાકુરના પૂજ્ય પિતાશ્રી હમીન્દર એસ.પનવાલનું દુઃખદ અવસાન : 19 માર્ચ 2021 ના રોજ 90 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા : સદ્દગતની અંતિમયાત્રા આજ સોમવારે સવારે 9 થી 11 વાગ્યા દરમિયાન જેમ્સબર્ગ ન્યુજર્સી મુકામે : ઝૂમના માધ્યમથી અંતિમયાત્રાના દર્શન કરી શકાશે

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટી લીડર શ્રી હરકેશભાઈ ઠાકુરના પૂજ્ય પિતાશ્રી હમીન્દર એસ.પનવાલનું  19 માર્ચ 2021 ના રોજ 90 વર્ષની વયે સહજ અવસાન થયું છે.સદ્દગતની અંતિમયાત્રા આજ સોમવારે સવારે 9 થી 11 વાગ્યા દરમિયાન હોલી ક્રોસ સેમેટરી ,840 ક્રેનબ્યુરી સાઉથ રિવર રોડ , જેમ્સબર્ગ ન્યુજર્સી મુકામે રાખવામાં આવી છે.અંતિમયાત્રાના દર્શન ઝૂમના માધ્યમથી આઈડી : 358 857 7289 દ્વારા thakur પાસવર્ડથી કરી શકાશે .

મુખ પર સદાય સ્મિત સાથે યુ.એસ. તથા વતનના લોકોની કોમ્યુનિટી સેવા કરવા માટે હંમેશા તતપર રહેતા દયાળુ અને માયાળુ સ્વભાવના શ્રી હરકેશભાઈ ઠાકુરના સદગત પૂજ્ય પિતાશ્રીનો જન્મ 5 ફેબ્રુઆરી 1931 ના રોજ ભારતમાં થયો હતો.જેમણે 19 માર્ચ 2021 ના રોજ યુ.એસ.એ.ખાતે અંતિમ શ્વાસ લીધા છે.

પરમ કૃપાળુ પરમાત્મા સદગતના આત્માને શાંતિ આપે તેવી શ્રધ્ધાંજલી સાથે પટેલ પ્રગતિ મંડળ વતી શ્રી વીરુ પટેલે પરિવારજનોને આશ્વાસન પાઠવ્યું છે.

શ્રી હરકેશભાઈનો કોન્ટેક નંબર 201-240-0669 છે.તેવું પટેલ પ્રગતિ મંડળની યાદી જણાવે છે.

(11:59 am IST)