Gujarati News

Gujarati News

News of Saturday, 20th March 2021

પાકિસ્તાનમાં હિન્દૂ પત્રકારો પણ સલામત નથી : 31 વર્ષીય હિન્દૂ પત્રકાર અજય લાલવાની ઉપર ગોળીબાર થવાથી કરૂણ મોત

ઈસ્લામાબાદ  : પાકિસ્તાનમાં હિન્દૂ લઘુમતી કોમ સતત ભયના ઓથાર હેઠળ જીવી રહી છે.સગીર હિન્દૂ હુવતીઓના અપહરણ ,બળાત્કાર ,ધર્માન્તર અને બળજબરી નિકાહના બનાવો વચ્ચે હવે ચોથી જાગીર ગણાતા પત્રકારો કે જેઓ હિન્દૂ છે તેઓ પણ હુમલાખોરોના  શિકાર બની રહ્યા હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગત મુજબ તાજેતરમાં હિન્દૂ પત્રકાર 31 વર્ષીય અજય લાલવાની ઉપર ગોળીબાર કરી તેમની હત્યા કરવામાં આવી છે.તેઓ વાણંદની  દુકાને હેર  કટિંગ કરાવવા માટે બેઠા હતા ત્યારે બે બાઈક અને એક કારમાં આવેલા અજાણ્યા હુમલાખોરોએ તેમના ઉપર ગોળીબાર કર્યો હતો.જેનાથી તેઓનું મૃત્યુ થયું છે. તેઓ પ્રાઇવેટ રોયલ ન્યુઝ ટીવી ચેનલ તથા ઉર્દુ ન્યુઝ પેપર સાથે જોડાયેલા  હતા.

તેમના પિતા દિલીપ લાલવાનીએ જણાવ્યું હતું કે તેમના પરિવારને કોઈ સાથે દુશ્મનાવટ નહોતી તેથી કેમ હુમલો થયો તે સમજી શકાતું નથી.તેવું ધ.ટી.દ્વારા જાણવા મળે છે.

(6:50 pm IST)