Gujarati News

Gujarati News

News of Friday, 19th March 2021

લાંબા સમયથી બીમાર લોકો માટે સ્વૈચ્છિક મૃત્યુને સ્પેનની મંજૂરી : પાર્લામેન્ટમાં ખરડો પસાર

સ્પેન : સ્પેનની પાર્લામેન્ટે ગઈકાલ ગુરુવારે સ્વૈચ્છીક દયા મૃત્યુ ખરડો પસાર કરી દીધો છે.જે મુજબ લાંબા સમયથી બીમાર હોય અને જેનો કોઈ ઈલાજ ન હોય  તેવા દર્દીઓ ધારે તો સ્વૈચ્છિક રીતે મૃત્યુ પામી શકશે.આ માટે તેઓને ડોક્ટર સહાય કરશે.

ઉલ્લેખનીય છે કે આવો ખરડો પસાર કરનાર દેશ તરીકે સ્પેન યુરોપનો ચોથા ક્રમાંકનો તથા વિશ્વનો સાતમા ક્રમાંકનો દેશ બન્યો છે.

(11:09 am IST)